Archive for મે, 2014

ગોધરાની કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને જોડેલી ભારતની રાજનિતી !

 

GODHARA TRAIN BURNING INCIDENT…..then  the RIOTS…….

NARENDRA MODI as the CHIEF MINISTER of GUJARAT

 

image

 

 

 

MODIJI as the PRIME MINISTER of INDIA

 

 

 

 

 

 

 

 

 

 

 

 ગોધરાની  કરૂણ ઘટના, નરેન્દ્ર મોદીજી અને

 જોડેલી ભારતની રાજનિતી !

 

જ્યારે આઝાદી સમયે, હિન્દુસ્તાનના ભાગલા થયા ત્યારે બે દેશોનો જન્મ થયો. એક ભારત અને બીજો પાકિસ્તાન.

ભારતના જન્મ સાથે નવા દેશની પ્રજાને સૌ “ભારતવાસીઓ”ની ઓળખ મળી. આ ઓળખમાં હિન્દુઓ, મુસલમાનો, શીખ, પારસીઓ અને ખ્રિસ્તીઓ સર્વનો સમાવેશ થતો હતો. જ્યારે, પાકિસ્તાન દેશનો પાયો ધર્મના આધારે હતો….મુસલમનોનો દેશ છે એવો પ્રચાર હતો.

જ્યારે, ભારત સ્વતંત્ર થયું ત્યારે, કોંગ્રેસ પાર્ટીએ સત્તા હાથમાં લઈ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. એવા સમયે, “સેક્યુલરીઝમ” (SECULARISM )ના સુત્રે નહેરૂજીએ આગેકુચ કરી. હિન્દુઓ બહુમતીમાં હતા અને અન્ય પ્રજાને હાની કે ઘેરલાભો ના થાય એવા હતુએ આવી વૃત્તિને યોગ્યતા હતી. પણ, સમયના વહેણમાં આ હેતુ ભુલાય ગયો અને હિન્દુઓની સામે મુસલમાનોને “તકલીફો” છે એવા દાવા સાથે સરકારે બે પક્ષોમાં હુલ્લડો થાય એવી પરિસ્થીતીઓ ઉભી કરી, અને આવું કાર્ય “રાજનિતી”નું અંગ બની ગયું. સર્વ ભારતવાસીઓમાં “એકતા અને પ્રેમ”ના બીજના બદલે એકબીજા પ્રત્યે “ડર અને શંકાઓ”ની સ્થાપના કરવા માટે ચુંટણીઓમાં પણ ઉપયોગ કર્યાના દાખલાઓ જોવા મળે છે.

આ પ્રમાણે “ભારતવાસી” નો શબ્દ પણ ભુલાય ગયો. આઝાદી બાદના સમયગાળાનો “ઊંડા વિચારો” સાથે અભ્યાસ થાય તો રાજનિતી યાને “પોલીટીક્સ” ( POLITICS)માં પ્રજાનો ખોટી રીતે રાજકીય લાભો અર્થે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ચાલુ રહ્યો છે એવું અનુમાન થાય છે.

હિન્દુઓ ભલે બહુમતીમાં રહ્યા હોવા છતાં, હિન્દુઓએ કાયદાકાનુન અનુસાર કહ્યું છે “આ દેશ સૌનો છે અને ફક્ત હિન્દુઓ જ નથી”. આ વિચારધારા પ્રમાણે જો અન્ય ધર્મપ્રેમીઓ નિહાળે તો ભારતમાં પ્રેમ અને એકતા જળવાય રહે અને દેશ પણ અનેક પ્રગતિઓ કરી શકે એવું વાતાવરણ હોય શકે.

જે હેતુંથી મુસલમાનોને “સ્પેસીઅલ” સ્ટાટસ આપી, જે મતભેદો ખડા થયા છે તેનો જવાબ એટલો રહે છે કે ” હિન્દુ મુસલમાન કે કોઈ પણ ભારવાસી હોય અને ગરીબી કે અન્ય અગવડો હોય તેઓ સૌ સરકાર પાસે સહકારના હક્કદારો છે અને સરકારે સહાય કરવી જોઈએ. મુસલમાનો કે અન્ય “માઈનોરીટી”ના સૌએ ડર દુર કરી, સૌએ ભારત પ્રત્યે “પ્રેમ” જાગૃત કરવાની ફરજ બની જાય છે.

હવે….તમે ગુજરાતમાં બનેલી “ગોધરા”ની ઘટના વિષે જે આગળ જાણલું એની સાથે હવે નીચેના અંગેજી રીપોર્ટ વાંચવાની તક લઈ રહ્યા છો…એ વાંચન બાદ, તમો સૌ “ઉંડો” વિચાર કરજો અને સત્યને જાણવા પ્રયાસ કરશો એવી આશાઓ. એવા સત્યમાં મોદીજીને મુકી ફરી વિચારો કરજો. તેમજ, જે મોદીજીએ ગુજરાતના સર્વ માટે જે કર્યું તેને નિહાળી તમો તમારો અભિપ્રાય ઘડશો, એવી મારી વિનંતી છે.

આજે, ૨૦૧૪ની ચુંટણી બાદ, મોદીજી ભારતના “પ્રાઈમ મીનીસ્ટર” છે તેનો સ્વીકાર કરો. એવા સ્વીકાર સાથે ભારતને પ્રગતિના પંથે નિહાળો. જો, મોદીજી દ્વારા “સારૂં ” થાય તેમાં સર્વ ભારતવાસીઓની “એકતા અને પ્રેમભાવ” હશે..ગોઘરાની ઘટના એક ડાગ હશે અને ભવિષ્યના સારા માટે કોઈનો વાંક કાઢવા વગર ભુલાવી જ રહે ….આવા જ પરિવર્તનમાં ભારતનું “ગૌરવ” હશે…ભારતની “મહાનતા” હશે…અને વિશ્વ પણ ભારતને માન સન્માન આપવા તૈયાર હશે !

બોલો, ભારતમાતાકી જય !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

READ PUBLISHED REPORTS below>>>

 

 
INDIA, May 23, 2014 (scribd.com): Available at “source” above is an extensive report on the 2002 Gujarat riots by French journalist Nicole Elfi. It has been recommended by an HPI reader as the most in-depth account available. This new URL takes you to the 2013 revision of the article.
 
 
image
The Godhra Riots: Sifting Fact from Fiction – Nicole Elf…

The Godhra Riots: Sifting Fact from Fiction – Nicole Elfi’s revised and updated study of Godhra events
Preview by Yahoo
 
 
© Nicole Elfi, 2009–13
Notes & References
1 See Commission of Inquiry Report of Justice G.T. Nanavati & Justice A.H. Mehta
(henceforth“Nanavati Report”), the integral text is available on the website of theGujarat Government:http://home.gujarat.gov.in/homedepartment/downloads/godharaincident.pdf
The Godhra Riots: Sifting Fact from Fiction / p. 23
8 See Balbir Punj in Outlook, May 27 and July 8 ; also in The New Indian Express, March 8,2002.
9 See Vadodara Sessions Court, Best Bakery Case, Justice H.U. Mahida’s Judgement, June 27, 2003.
The Pioneer , Dec. 17, 2008, online athttp://www.dailypioneer.com/144038/Mumbai’s-Butcher-and-human-rights.html(accessed December 2008).

FEW  WORDS…

This Post is just to publish the DETAILED ANALYSIS of the GODHARA INCIDENT & the EVENTS that took place thereafter.

The  readers may have known of that incident & may have NOT known all the FACTS.

An OPPORTUNITY is guven to ALL to read this REPORT…..and then it is the RESPONSIBILITY of the INDIVIDUALS to try to seek the TRUTH.

Modiji was BLAMED for NON-ACTION Etc, but cleared by the Courts.

I therefore, say that let bygone days be forgotten & let Modiji perform as the 15th PRIME MINISTER of INDIA…& let his ACTIONS speak for his VALUES & LOVE for INDIA.

Let us all be BHARATVASIO and not as defined by the RELIGIONS or other DIVISIONS of the SOCIETY.

 

THIS POST is to BRING the UNITY in GUJARAT & NOT to DIVIDE the COMMUNITIES of INDIA….ALL ARE EQUAL CITIZENS of INDIA….NOBODY SHOULD BE THE VICTIM of the DIRTY POLITICS. LET ALL BE PROUD INDIANS.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

મે 31, 2014 at 12:07 પી એમ(pm) 8 comments

રાષ્ટીય સ્વયંસેવક સંઘ

A RSS volunteer taking the oath in full uniform

Sangh shakha at Nagpur headquarter

 

રાષ્ટીય સ્વયંસેવક સંઘ

 

“રાષ્ટીય સ્વયંસેવક સંઘ”ની આજે હું વાત કરૂં,

સત્ય કહી, અસત્યને હટાવવાનો હું પ્રયત્ન કરૂં !……………..(ટેક)

 

જ્યારે, હિન્દુસ્તાનમાં અંગ્રેજ સરકારનું રાજ હતું,

ત્યારે, દેશભક્તિની જ્યોત પ્રગટાવવાનું કાર્ય રહ્યું,

 એવા કાર્ય હેતુએ “રાષ્ટીય સ્વયંસેવક સંઘ”થયું !………….(૧)

 

અંગ્રેજ સત્તા હેથળ ૧૯૨૫ની એ સાલ હતી,

નાગપુરમાં ડો. કેશવ બલીરામ હેજવાર હૈયે આઝાદી-જ્યોત હતી,

જેના કારણે, સંધરૂપી આ સંસ્થા જન્મી !……………………(૨)

 

સંઘ સ્થાપનાનો મુખ્ય હેતુ એક જ રહે,

હિન્દુસ્તાનની ધરતી પર સંસ્કારોનો વારસો રહે,

એવી ઉચ્ચ ભાવનારૂપી એકતામાં સંઘસફર રહે !……………..(૩)

 

ડોકટરી ભણતા, હેજવારજીનું ક્રાંતીકારી જીવનનું અંગ્રેજ જાણે,

એવી જાણકારીને દેશદ્રોહ સાથે જોડી, સંઘ તોડવા પ્રથમ પ્રયાસો રહે,

પણ, જ્યારે સત્ય પંથે સંઘ હોય તો પ્રભકૃપાથી સંધ જીવીત રહે !…..(૪)

 

૧૯૩૪માં આઝાદીની ચળવળે, મહાત્મા ગાંધીજી સંઘ-કેમ્પના દર્શન કરે,

ત્યાં જાતી ભેદભાવ વગર નિયમપાલનનું નિહાળી આશ્ચયરૂપી ખુશીનું કહે,

સત્યપ્રેમી ગાંધીજીના શુભ-શબ્દો એવા સંધને આશિર્વાદોરૂપે મળે !…..(૫)

 

૧૯૩૯માં પુનાના સંધ-કેમ્પમાં આઝાદીના લડવૈયા ડો. અંબેડકરજી પધારે,

ત્યાં ઉંચ-નીચના ભેદ વગર ફક્ત સ્નેહભાવો નિહાળી ખુશીઓ હૈયે લાવે,

એવા જ્ઞાની નેતાની શુભેચ્છાઓ પણ સંઘ ભાગ્યે વહે !………………(૬)

 

જ્યારે હેજવારજી પછી સંઘ માર્ગદર્શન ગોલવાલકરજી હસ્તે રહે,

ત્યારે ભલે હીટલરની પ્રસંસા કરી પણ જ્યુ-પ્રજાના સ્વતંત્ર ઈઝરાઈલ માટે સંઘ ટેકો રહે,

એવી ઘટનામાં છુપાયેલા સત્યને શોધતા, ઈતિહાસને જે કેહવું તે કહે !……(૭)

 

જ્યારે, ૧૯૪૭માં ભારતને આઝાદી મળતા હિન્દુસ્તાનના ભાગલા પડે,

ત્યારે,ગાંધીવાદી ભગવાનદાસજીએ સંઘ-કાર્યકર્તાઓના સહારે નહેરૂનું રક્ષણ કરે,

અહીં, ભારતમાતા પ્રેમી સંઘના દર્શન સૌને જોવા મળે !……………….(૮)

 

૧૯૪૮માં નથુરામ ગોડસે એની વિચારધારાએ ગાંઘીજીની હત્યા કરે,

ત્યારે, સંધને જોડી દોષીત કરી, છતાં કપુર કમીશન રીપોર્ટથી કોર્ટ નાદોષીત ઠરે,

સત્યપંથે ચાલત સંઘ સામે અસત્યને હાર મળે !……………………..(૯)

 

આઝાદી બાદ, કોંગ્રેસ દ્વારા નહેરૂ-નેતાગીરીએ “સેક્યુલારીઝમ”પંથે રહે,

સંધ “ફક્ત હિન્દુઓ માટે છે” ની વિચારધારાએ સંઘને દોષીત ઠરવા અનેક પ્રયાસો રહે,

આવા સમયગાળાને સંઘનો કશોટીનો સમય ગણી લેવો રહે !……………(૧૦)

 

૧૯૫૦માં દાદરા,નગરહવેલી ‘ને ગોઆનો પોર્ચ્યુગીઝ હક્ક છોડાવવા સંઘ પડકાર રહે,

અંતે, ૧૯૫૪માં પોર્ચ્યુગીઝ સત્તા છોડી, ભુમી સ્વતંત્ર ભારતની બને,

અહીં, ભારતને મજબુત બનાવવાનો પ્રયાસ સંઘનો રહે !………………..(૧૧)

 

૧૯૬૦થી ચાઈના અને પછી પાકીસ્તાન સાથે યુધ્ધ સમયે,

સંઘના ટેકાથી નહેરૂ અને શાસ્ત્રીજીને ભારત જનતાની એકતારૂપી પ્રેમ મળે,

એવી દેશભક્તિમાં સૌએ સંઘના દર્શન કરવા રહે !…………………….(૧૨)

 

૧૭૭૫માં ઈન્દીરાના “ઈમરજન્સી રુલ”સમયે સંઘના જયપ્રકાશ નારાયણજી જેલમાં રહે,

ભારત જનતા પૂકાર અને “હ્યુમન રાઈટ્સ”સહારે ઈમર્જન્સી અને “સંઘ બેન” ટળે,

ભારતની જનતાની સ્વતંત્રતાના રક્ષણ માટે સંઘનો આ ફાળો રહે !………(૧૩)

 

૧૯૯૨માં પણ અયોધ્યામાં બાબરી મસજીદ અને રામમંદિરની ઘટનાઓમાં સંઘને દોષીત ગણે,

ત્યારે, “સંઘને દોષીત ઠરાવવા કોઈ પુરાવા નથી”એવું ભારત સરકાર “વાઈટ પેપર ” કહે,

કોઈ ઈશ્વરી સહાય હશે કે સંઘ જીવીત એવું મારૂં માનવું છે ! ……………..(૧૪)

 

આંધ્ર પ્રદેશ, ઓરીસ્સા સાઈક્લોન કે ભોપલની ગેસ-દુરઘટના સમયે સંઘ સેવાકાર્યમાં આગળ રહે,

ગુજરાત ધરતીકંપ, કારગીલ ઘટના કે ઉત્તરાખંડ અને અન્ય રેલોના સંકટ સમયે સંઘનો ફાળો રહે,

તો, એવા જનસેવાધારી સંઘની કદર કરવા કેમ સૌ આજે ભુલે ?………….(૧૫)

 

૨૦૧૪માં નહેરૂ પરિવારના માર્ગદર્શને ચાલતી કોંગ્રેસ રાજનિતીથી સંઘને જોડે,

નવયુવાનો અને શિક્ષીત જનતા, જુની ચાલતી આવતી પ્રથાને તોડે,

ભલે, મોદીજી સંઘના કાર્યકર્તા હતા, અંતે તો સત્યની જીત એ હોય !………….(૧૬)

 

હિન્દુસ્તાન જે હતું તેમાં “હિન્દુતત્વ” ત્યારે હતું તે જ આજે ભારતમાં જાગી રહે,

એવા તત્વમાં ભારતવાસીઓ અન્ય ધર્મનો આદર કરવાનું કદી ના ભુલે,

તો, શું ખોટા ભયના આધારે સંઘ નાબુદ હોય શકે ?…………………………..(૧૭)

 

એવા જ ભયનો પ્રચાર ૨૦૧૪ અને અન્ય ભારત ચુંટણીઓએ થયો હતો,

એવી રાજનિતી હવે ના ચાલે, એકતાના પંથે ભારત દેશને સૌએ ઘડવો રહ્યો,

તો, મોદીજી સરકારે શું સંઘ પર આરોપો ના હશે, એવું કહેવું અશક્ય રહે !………..(૧૮)

 

અંગ્રેજ રાજસત્તા તોડી, સ્વત્રંતા આપવા ગાંધીજી જેવા નેતા હતા,

સ્વતંત્ર ભારતને “અખંડ” રાખવા સરદાર જેવા નેતા મળ્યા હતા,

આજે, અસલ સંઘના કાર્યકર્તા મોદીજી શાને ભારતમાતાને મળ્યા ?…………….(૧૯)

 

દેશમાં ભ્રષ્ટાચાર હટાવવા અને દેશની કિર્તી વધારવાની જનતા આશાઓ રહે,

સમગ્ર વિશ્વમાં ભારત દેશને માન સન્માન મળે એવી આશાઓ પણ સૌ હૈયે રહે,

તો, હવે આવું ભગીરથ કાર્ય કરતા, સંઘ વિષે ખોટો પ્રચાર અટકી શકે ?………..(૨૦)

 

આજે ભારત સરકાર “બીજેપી” હેઠળ મોદીજી બની રહે,

જનતાની આશાઓ મોદી સરકાર દ્વારા જો કદી પુર્ણ થશે,

તો, ભારત ઈતિહાતના પાને સંઘ માટે ગૌરવગાથા હશે !…………………….(૨૧)

 

સત્યનો પંથ છે ખુબ કઠીણ પણ સત્ય જ અમર રહે,

ભલે, અસત્યોના પંથીઓ સંધને નાબુદ કરવાના પંથે રહે,

એવું ચંદ્ર કહી, સંઘની ભવિષ્યયાત્રા માટે પ્રાર્થનાઓ કરતો રહે !………………(૨૨)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે, ૨૬, ૨૦૧૪ ચંદ્રવદન

(નોંધ ઃ આજે મે, ૨૬, ૨૦૧૪ના શુભ દિવસે મોદીજી ભારતના ૧૫મા “પ્રાઈમીનીસ્ટ્અર” બન્યા ત્યારે મોદીજી સંઘના કાર્યકર્તા હતા…એમજ ચુંટણી સમયે સંઘ ( R.S.S.) સાથે મોદીજીને જોડી, જે પ્રચાર થયો હતો તે યાદ કરી મેં સંઘ વિષે ઈનટરનેટ પર જાણવા નિર્ણય લીધો…જે જાણ્યું એ આધારીત આ રચના છે )

 

બે શબ્દો…

 

આજની કાવ્ય પોસ્ટ ભારતમાં ચાલી રહેલી સોસીયલ સંસ્થા “રાષ્ટીય સ્વયંસેવક સંઘ (R.S.S. ) ના ઈતિહાસ વિષે છે.

જે ઈનટરનેટ દ્વારા મેં જાણ્યું એને જ કાવ્ય સ્વરૂપ આપવા મારો આ પ્રયાસ છે.

જે કોઈને વધુ મહિતી જાણવી હોય તેઓ નીચેની દ્વારા જાણી શકે છે >>>>>

http://en.wikipedia.org/wiki/Rashtriya_Swayamsevak_Sangh

 

આશા છે કે આ પોસ્ટ દ્વારા સંઘને વધુ જાણી સત્યને સમજી સૌ કોઈ પોતાનો અભિપ્રાય આપી શકે છે.

આખરે જે સત્ય હોય તેજ ટકી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

અને, આ લેખ દ્વારા વધુ જાણકારી>>>

 

ડૉ. કિશોર પી. દવે
સંસ્કૃતિ સંવર્ધન સંઘની પાયાની કામગીરી છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૧૯૨૫ના વિજયાદશમીના દિવસે થઈ હતી. તે વખતની રાજકીય – સામાજિક ભૂમિકા અને પશ્ર્ચાદ્ભૂ તપાસવામાં આવે તો રાષ્ટ્ર પરતંત્ર હતું. ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયા પછી જે પ્રત્યાઘાત હતા તેની આડઅસર સ્વરૂપે સંઘ સંસ્કૃતિની રક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરવા આગળ આવ્યો હતો. સંઘની સ્થાપના વખતે માત્ર એક વિચારબીજ હતું તે સંસ્કૃતિ સંવર્ધનનું હતું. વળી ત્યારે કોઈ મોટું નેટવર્ક પણ નહોતું.


માત્ર આંગળીને વેઢે ગણાય તેટલા જ લોકો તેમાં હતા અને તેમની પાસે કોઈ ચોક્કસ એજન્ડા નહોતો. ડૉ. કેશવ બળીરામ હેડગેવાર શરૂઆતમાં તો માત્ર બાળકો અને તરુણો સાથે જ વિચારવિમર્શ કરીને એક નક્કર ભૂમિકા તૈયાર કરી રહ્યા હતા, પરંતુ તેમના વિચાર ઘણાં જ શુદ્ધ અને તાર્કિક હતા. સમાજને સંગઠિત કરવાની એક ચોક્કસ દૃષ્ટિ તેમની પાસે હતી. શરૂઆતના સમયગાળામાં તેમને ટીકા અને કટાક્ષનો પણ સામનો કરવો પડતો હતો.

જેમ કે સંઘમાં માત્ર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે. અર્ધી ચડ્ડી પહેરનારાની ટોળી શું કરી શકે વગેરે જેવા વ્યંગબાણ છૂટતા હતા. પરંતુ શિસ્ત અને અનુશાસન દ્વારા સંસ્કૃતિ સંવર્ધન એ સંઘની પ્રવૃત્તિની કેન્દ્રમાં છે. ભારતીય સમાજની એક નબળી કડી હજારો વર્ષથી છે, તે સંગઠનનો અભાવ. વિદેશી આક્રાંતાઓ ફાવી ગયા. તેનું એક જ કારણ છે કે એકતાનો અભાવ હતો.

એક બ્રિટિશ ખાનગી દસ્તાવેજમાં ભારતીય પ્રજા માટે લખવામાં આવેલું છે કે ‘ઈંિં શત વિંયશિ શક્ષફબશહશિું જ્ઞિં ૂજ્ઞસિ જ્ઞિંલયવિંયિ‘ આ વાતને સંઘ દ્વારા સમજીને પહેલા તો એકતા સ્થાપવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જ્ઞાતિ-જાતિ-ઊંચ-નીચના ભેદભાવ વગર સૌ સમાન એ ધોરણે વૈચારિક ક્રાંતિ લાવવાની શરૂઆત થઈ. તેના સારા પરિણામ પણ જોવા મળ્યા હતા અને આજે પણ તે પ્રક્રિયા ચાલુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક નાગપુર ખાતે છે. હાલમાં મોહન ભાગવત તેના વડા છે, પરંતુ સંઘમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનેક તબક્કા છે. માત્ર એક જ વ્યક્તિ પાસે કોઈ સત્તા નથી. સમગ્ર પ્રક્રિયા અનેક રીતે પસાર થાય છે. તેમાં વિચારના આટાપાટા તપાસવામાં આવે છેે અને ત્યારબાદ આખરી નિર્ણય થાય છે. તેના પૂર્વે છથી સાત તબક્કા હોય છે.

નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર તરીકે કાર્ય કરીને આગળ આવ્યા- ભાજપના સંગઠન મંત્રી બન્યા – મુખ્ય મંત્રી બન્યા અને હવે વડા પ્રધાનપદ સુધી પહોંચી ગયા. સંઘ દ્વારા તેમને દરેક પ્રકારની સુવિધા અને પીઠબળ પૂરાં પાડવામાં આવ્યાં છે તેવે વખતે હવે સંઘનું અને મોદીનું પરસ્પર નિયંત્રણ-અનુસંધાન અને પક્કડ કેવી હશે તે જોવાનું રહે છે.

સંઘ દ્વારા મોદીને સિનિયર નેતાઓ સાથે સુમેળ રાખીને તેમને વિશ્ર્વાસમાં લઈને આગળ વધવાના નિર્દેશ પણ અપાયા છે. આવે વખતે સમતોલ નિર્ણય પ્રક્રિયા દરેક સ્તરે હોવી જરૂરી બની રહે છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે બહુ ઝાઝી વાત વિશ્ર્લેષણમાં આવે છે તેવે વખતે લાભને બદલે નુકસાન વધારે થતું હોય છે.

અલબત્ત, સંઘની નિર્ણય પ્રક્રિયામાં જટિલતા વધારે છે એટલે કોઈ એક નિર્ણય હોય તો પણ તે સો વખત ચર્ચામાં આવ્યા બાદ જ અમલીકરણની દિશામાં આગળ વધે છે.

સંઘની સાથે સંકળાયેલા અન્ય ૪૦ જેટલાં સંગઠનો છે. જે વિવિધ કક્ષાએ કાર્યરત છે. તેમાં મુખ્યત્વે નીચે પ્રમાણેના સંગઠન છે.

અ.ક્ર. સંગઠનનું નામ સંખ્યા સ્થાપના વર્ષ કાર્યક્ષેત્ર

૧. ભારતીય કિસાન સંઘ ૨૦ લાખ ૧૯૭૮ કૃષિ અને

ખેતીવાડી પદ્ધતિ

૨. અખિલ ભારતીય ૨૦ લાખ ૧૯૪૮ શિક્ષણ અને

વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી પ્રવૃત્તિ

૩. વિદ્યાભારતી ૨૫ હજાર સ્કૂલ ૧૯૫૨ શિશુમંદિર અને

શાળા સંચાલન

૪. ભારતીય મઝદૂર સંઘ ૧ કરોડ ૧૯૫૫ શ્રમ સંગઠન પ્રવૃત્તિ

૫. વિશ્ર્વ હિન્દુ પરિષદ ૭૦ લાખ ૧૯૬૪ ધર્મ પ્રવૃત્તિ

૬. વનવાસી કલ્યાણ પરિષદ ૧૦ હજાર ૧૯૫૨ આદિવાસી મંદિર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સભ્ય સંખ્યા ૫૦ લાખ જેટલી છે. તેમની પાસે ૨,૫૦૦ પૂર્ણ સમયના પ્રચારક છે. ૪૫ હજાર શાખાની સંખ્યા છે. ૮ હજાર જેટલાં સાપ્તાહિક મિલન યોજવામાં આવે છે અને ૨૫૦ જેટલી ખાસ વિશિષ્ટ શાખા છે કે જેમાં ડોક્ટર્સ – ધારાશાસ્ત્રી – ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે જેવી બૌદ્ધિક પ્રતિભા પ્રસંગોપાત હાજરી આપે છે અને વિચારની આપ-લે કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હવે યુવાન વર્ગને વધુ જવાબદારી સોંપવાનો નિર્ણય થયો છે. તેમાં એક વાત નક્કી કરવામાં આવી છે કે ૭૫ વર્ષ વટાવી ગયેલી કોઈ વ્યક્તિને હવે સંગઠનની કોઈ જવાબદારી સોંપવામાં નહિ આવે. પરિણામ એ આવ્યું છે કે ૫૦ થી ૬૦ વર્ષની વયજૂથના કાર્યકરો આજે મહત્ત્વનો પદભાર સંભાળી રહ્યા છે. તેનાથી સંઘની પ્રતિભા સમાજમાં વધુ લોકભોગ્ય બની રહેવાની છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રમુખ મોહન મધુકર ભાગવત ૬૩ વર્ષની વયના છે. તેમના સહાયકોમાં સુરેશ “ભૈય્યાજી જોશી સરકાર્યવાહક – કૃષ્ણ ગોપાલ – સંયુક્ત સરકાર્યવાહક – દત્તાત્રેય હોસંબલે, સુરેશ સોની બન્ને સંયુક્ત સરકાર્યવાહક છે જ્યારે મનમોહન વૈદ્ય પ્રચાર પ્રમુખ છે અને રામ માધવ અખિલ ભારતીય કક્ષાએ સહસંપર્ક પ્રમુખ છે. ઉપરાંત હવે સંઘમાં ટેક્નોલોજીના નિષ્ણાતની એક ટીમ છે કે જેઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર નેટવર્ક દ્વારા હજારો કાર્યકરોના સંપર્કમાં રહે છે.

સંઘની સામે ઘણો કુપ્રચાર વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ ૧૯૬૨ના ચીનના આક્રમણ બાદ જ્યારે સમગ્ર દેશમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું તે વખતે ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા ખુદ તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંઘને આમંત્રણ આપ્યું હતું. તેવી જ રીતે ૧૯૬૫માં દિલ્હીની ટ્રાફિક સમસ્યા હળવી કરવા લાલબહાદુર શાસ્ત્રીએ સંઘને મદદરૂપ બનવા જણાવ્યું હતું.

સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.

સંઘની જ એક સહયોગી સંસ્થાએ વિવેકાનંદ રીક મેમોરિયલ ક્ધયાકુમારી ખાતે નિર્માણ કર્યું હતું. તેમાં વ્યક્તિગત દરજ્જે ઈન્દિરા ગાંધીએ પોતાનો નાણાંકીય ફાળો નોંધાવ્યો હતો. આવા ઘણાં દૃષ્ટાંત છતાં એકતરફી રીતે જ કેટલીક કામગીરી થાય છે. તેની સામે ખુદ સંઘ દ્વારા હવે જવાબ અપાય અને સાચી માહિતી રજૂ કરવામાં આવે તે યોગ્ય બાબત બની રહેશે.

સંઘના હાલના અગ્રતાક્રમ આ પ્રમાણે છે.

(૧) સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું સંવર્ધન અને સંસ્કૃતિ રક્ષક બાબતોને વધુ મજબૂત કરવી.

(૨) મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કારનો વ્યાપ સમાજમાં વધે તેવી ભૂમિકા તૈયાર કરવી.

(૩) યુવાન વર્ગમાં રાષ્ટ્રીય ચારિત્ર્યની ઓળખ સ્થાપિત કરવી અને તેનું ઘડતર કરવું.

(૪) મહિલાઓને સમાજમાં વધુ સારી તક મળે તેવી કામગીરી કરવી.

કોઈ કારણથી શિક્ષણ અને તેમાં પણ ગુુરુકુળ આધારિત શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધારવાની જરૂર છે. તે દિશામાં બહુ આગળ વધી શકાતું નથી. ધર્મસ્થળોની સાથે જ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ. પછી ભલે નાનકડું શિશુમંદિર હોય કે માત્ર ચાર જ ધોરણ સુધીની પ્રાથમિક શાળા હોય.

ભારતમાં ૧૮ લાખ ધર્મસ્થળો છે. જો તેને સંલગ્ન શિક્ષણ સંસ્થા હોય તો કેટલું મોટું કાર્ય થઈ શકે તેમ સમજી શકાય તેવું છે.

દરેક રાષ્ટ્રને પોતાનું રાષ્ટ્રીય ચારિત્ર્ય છે. જેમ કે બ્રિટન તેના મુત્સદ્દીપણા – શિષ્ટાચાર અને વહીવટી કુનેહ માટે જાણીતું છે, જર્મની તેના ઈજનેરી કૌશલ્ય તો ફ્રાન્સ તેના ભાષા વૈભવ – જપાન તેના દેશપ્રેમ અને શિસ્ત તેમ જ અમેરિકા તેની પરિણામલક્ષી કામગીરી માટે જાણીતું છે. તેવે વખતે ભારતની ઓળખ કઈ? આથી જ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ માટે વધુ સક્રિય બનવાની જરૂર છે.

કરોડોનું સંગઠન ધરાવનાર સંસ્થાની વિદ્યેયાત્મક શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગમાં લેવાની જરૂર છે. બાકી નકારાત્મક બાબતોમાં કેટલી શક્તિ વેડફાઈ ગઈ છે તે જુદી જ ચર્ચાનો મુદ્દો છે. હાલમાં શિક્ષણ – સંસ્કાર અને ચારિત્ર્ય જેવી બાબતોને વધુ મહત્ત્વ આપવાનો અગ્રતાક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે જરૂરી છે.

————-

તિખારો!

વિચાર એ વિશ્ર્વનું સૌથી વધુ અસરકારક શસ્ત્ર છે. વિશ્ર્વની તમામ કામગીરીની શરૂઆત પહેલા વિચારથી થાય છે. વિચાર એ બુદ્ધિને પ્રેરક છે અને વિચાર એ વ્યક્તિ અને સમાજનો આત્મા છે.

 

 

FEW WORDS…

Today’ Kavya Post in Gujarati is often discussed RASTRIYA SWAYAMSEVAK SANGH.

I tried to know MORE about this SOCIAL ORGAIZATION in India.

The Poem is based on this KNOWLEDGE via the INTERNET.

Please click on the LINK in the Post to know about R.S.S.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

મે 30, 2014 at 1:02 પી એમ(pm) 6 comments

“માનવ તંદુરસ્તી” એક પુસ્તક !

 

 

 

List Price:$15.00
8.5″ x 8.5″ (21.59 x 21.59 cm)
Black & White on Cream paper
278 pages
ISBN-13:978-1499696974 (CreateSpace-Assigned)
ISBN-10: 1499696973
BISAC: Education / General

Chandravadanbhai has Taught Medical Science in very easy Language.

CreateSpace eStore: https://www.createspace.com/4827301

 

“માનવ તંદુરસ્તી” એક પુસ્તક !

 

હું એક ડોકટર.

અમેરીકા તેમજ અન્ય જગાએ નોકરી કરી, મેં ૨૦૦૬માં નિવૃત્તિ લીધી.

૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નામે બ્લોગ કરી, ગુજરાતી સાહિત્ય પ્રેમ સાથે જીવન સફર ચાલુ રાખી.

હૈયે ખુશી હતી.

પણ, ડોકટરી ના કરતો હોવાથી અનેકવાર વિચાર આવતો કે “મારા નિવૃત્તિના જીવનમાં ડોકટરી સેવા કેવી રીતે હું કરી શકું ?”

એક દિવસ ૨૦૧૦માં “માનવ તંદુરસ્તી”નામે પોસ્ટો પ્રગટ કરી એવી સેવા કરવાનો લ્હાવો લીધો.

પ્રથમ માનવ શરીર વિષે જ્ઞાન આપી, થોડી બિમારીઓ વિષે લખતા ૩૫ પોસ્ટો થઈ ગઈ.

આવી પોસ્ટો પ્રગટ કરી મને સંતોષ હતો.

પણ….૨૦૧૪માં મારા મિત્ર વિજયભાઈ શાહ સાથે ફોન પર વાતો કરતા, પોસ્ટોને પુસ્તક સ્વરૂપ આપવા વિષે ચર્ચાઓ થઈ.

તારીખ મે,૨૭,૨૦૧૪ના શુભ દિવસે એક સ્વપ્નારૂપી વિચાર સાકાર થયો. “એમેઝોન”( )દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રગટ થતા મારા હૈયે ખુશી છે.

આ પુસ્તક વેચાણમાંથી મળતા પૈસા “ચેરટેબલ” સંસ્થાઓના લાભ માટે હશે.

તો….આ પુસ્તક ખરીદી કરવા અનેકને પ્રભુપ્રેરણાઓ મળે એવી આશા.

જો…. તમારાથી એવું શક્ય ના હોય તો, મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારી જરૂરથી “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચી જ્ઞાન મેળવી શકે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is about a NEW book by the name “MANAV TANDURASTI”.

It is in  the Gujarati  script.

It is about the HUMAN HEALTH….By series of chapters, all about the HUMAN BODY is told in a simple Gujarati and some understanding of some DISEASES is alsoi given.

As a book published via AMAZON.

One can puchase a book @ 15 Dollars ( Black & White) or a Book in COLOR at 61 Dollars.

Any money generated will go for the benefit of a CHARITABLE Organization & thus your support by the purchase of the Book will be your support for a RIGHT CAUSE.

May God inspire many.

Those who CANNOT afford to puchase a Book, can go to my Blog @

http://www.chandrapukar.wordpress.com

Thus, all can read there as the HEATH POSTS.

Dr. Chandravadan Mistry

 

Manav Tandurasti:Rog, Tenu Nidan ane Upayo Gujaratima

Authored by Dr Chandravadan Mistri, Preface by Vijay Shah

મે 28, 2014 at 12:04 પી એમ(pm) 15 comments

ચંદ્રવિચારધારા (૧૨) ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

 

Happy family with dream house - stock photo

 

 

ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

 

આજની પોસ્ટની તૈયારી કરતો હતો ત્યારે મારા મનમાં થોડી મુજવણ હતી.

આ જે પ્રગટ કરનાર છે તેને “અનામી” યાને “અનકેટોગોરાઈઝ્ડ ” વિભાગે પ્રગટ કરૂં કે કોઈ અન્ય વિભાગે ?

ઉંડો વિચાર કરતા થયું કે….આ માનવ તંદુરસ્તીને પણ લાગુ પડે.

તો નિર્ણય લીધો કે આ હશે “માનવ તંદરસ્તી”ની પોસ્ટરૂપે.

પણ..પછી બીજો વિચાર આવ્યો…..તંદુરસ્તી પોસ્ટ તરીકે યોગ્ય ના હશે.

ફરી વિચારોમાં રહ્યો, અને અંતે, થયું કે “ચંદ્રવિચારધારા શબ્દોમાં”ની કેટેગોરીમાં એની ચર્ચા કરતા એ ત્યાં યોગ્ય હશે

આ પોસ્ટ બનવાનું કારણ ઈ-મેઈલની કમાલ છે !

એક મિત્ર “દાવડાજી” ઈમેઈલથી “નિયોજીત કુટુંબ” વિષે એમની વિચારધારા મોકલે.

એના જવાબરૂપે મેં એમને એક ઈમેઈલ મોકલ્યો…જેમાં ભારતની આઝાદી પછી સરકારે “ફેમીલી પ્લાનીંગ”ની જાહેરાત કરી ભારતમાં જુનવાણી સાથે ટક્કર લીધી હતી તેમાંથી શું સારૂં અને શું ખરાબ થયું તે તરફ મેં ધ્યાન દોર્યું હતું.

તો વાંચો આ બે ઈમેઈલો>>>>>

(૧) દાવદાજીની વિચારધારા…..

નિયોજીત કુટુંબ

ભારતને આઝાદી મળ્યાને થોડા વર્ષો બાદ જ દેશના વસ્તિ વધારાના પ્રશ્ન ઉપર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું. કુટુંબ નિયોજન વિષે જ્ઞાન અને સાધનોનો પ્રચાર પ્રસાર શરૂ થયો. આની સૌથી વધારે અસર શિક્ષિત મધ્યમ વર્ગ ઉપર થઈ. શરૂઆતમાં ચારથી વધારે સંતાનો નહિં, એવો પ્રચાર થયો. પછી ચાર તો વધારે કહેવાય બે અથવા ત્રણ બસ એવા સૂત્રો શરૂ થયા. હું એકવાર રાજસ્થાનના પ્રવાસ ગયેલો ત્યારે દિવાલ ઉપર લખેલું એક સૂત્ર આજે પણ યાદ છે,

પહેલો ટાબર હીવડો, દુજો તારણહાર, ત્રીજો ટાબર માફ થાય, ચોથો નરકનો દ્વાર.” (ટાબર એટલે બાળક, હીવડો એટલે હ્રદયનો ટુકડો)

ત્યાર પછીના સમયમાંહમ દો હમારે દોસૂત્ર આવ્યું. આજે Single Child Norm પ્રચલિત છે, અને કેટલાક કીસ્સાઓમાં Childless Couple પણ જોવા મળે છે.

માત્ર પચાસ વર્ષના સમયગાળામાં થયેલા આ ફેરફારો માટે કોઈ એક કારણ નથી. શરૂઆતમાં ગરીબી દૂર કરવા, કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ જરૂરી છે એમ માનવામાં આવ્યું. ત્યારબાદ બાળકને સારૂં જીવનધોરણ મળે એ માટે આ જરૂરી છે એમ કહેવામાં આવ્યું. અને હવે સ્ત્રીઓ માટે બાળકો પેદા કરવા સિવાય પણ બીજા ઘણાંબધા પર્યાયો છે એ કારણને આગળ કરવામાં આવે છે.

અત્યાર સુધી એમ માનવામાં આવતું કે સ્ત્રીની જીવનમાં સૌથી મોટી ઈચ્છા મા બનવાની હોય છે. આજે ક્યાંક ક્યાંક જોવા મળે છે કે સ્ત્રીને પણ પુરૂષની જેમ કારકીર્દીમાં આગળ વધવું છે, મા ન બની શકે તો ચાલસે. આજે સ્ત્રીઓ જે વ્યવસાયમાં દાખલ થાય છે, તે વ્યવસાયમાં એટલો બધો સમય આપવો પડે છે કે ત્યારબાદ બાળકો ઉછેરવાનો સમય જ મળતો નથી.

આના પરિણામે કુટુંબના માળખામાં જબરા ફેરફાર જોવા મળે છે. ઘણાંને ભાઈ નથી, બહેન નથી. ફઈ છે તો કાકા નથી, મામા છે તો માસી નથી. લાગે છે કે ભાઈ, બહેન, કાકા, ફઈ, મામા અને માસી ઐતિહાસિક પાત્રો બની જશે.

એકલો ઉછરેલો બાળક ઘરની બહારના સંબંધો સિવાય બીજા સંબંધોને સમજવા અસમર્થ થઈ જાય છે. લોહીના સંબંધોને સ્થાને Need based સંબંધોથી જ પરિચિત રહે છે. સંબંધોમાં લાગણીની ભિનાશ રહેતી નથી.

દેશના વસ્તીવધારાને રોકવા આના સિવાય બીજો ઉપાય પણ ક્યાં હતો?

પી. કે. દાવડા

(૨) જવાબરૂપે મારો ઈમેઈલ>>>>


પીકે,

આ એક સુંદર લેખ છે.

ટુંકો છે તેમ છતાં ગંભીરતા ભરી છે.

ભારત સરકારના નિયમો….”ફેમીલી પ્લાનીંગ” વિષે.

જુની પ્રથા….અને સંતાનો તો પ્રભુ આપે અને ઘરના સંજોગો કેવા હોય એ વિષે જરા પણ મનમાં વિચારો ના આવતા.

વળી, એની સાથે સંતાનના ઘરે બાળક હોવું જોઈએ એવો વિચાર હ્રદયના ઉંડાણમાં હંમેશા રહેતો.

આ વિચારના કારણે….જ્યારે મેડીકલ કારણે બાળક થવું અશક્ય હતું ત્યારે પણ આ એક બાળકની આશા પરેશાન કરી દેતી.

આવા સમયે…સંતાન ના થવાનું કારણ ફક્ત નારીમાં ખામી છે એવું માનવામાં આવતું..એ મોટી ભુલ હતી.

બીજી એક વાત…ફક્ત “છોકરો” સંતાનરૂપે..એવી વિચારધારામાં “દીકરી” પ્રત્યે નફરતો…બાળ હત્યા વિગેરે.

તો….આઝાદી પહેલાની વિચારધારા યોગ્ય હતી ?

હવે..અઝાદી બાદ,,….નારીઓમાં ભણતર વધ્યું..સારી વાત !અને, હવે ગુજરાન ચલાવવા નારીએ પણ નોકરી કરવાનો સવાલ ઉભો થયો.

તો….આવા સંજોગોમાં નારીઓ જે પ્રમાણે ફરજો બજાવે છે તે યોગ્ય કહેવાય ???

આજે….સંતાન દીકરી કે દીકરો…જે હોય તે માટે સ્વીકાર વધ્યો છે ..આ એક આનંદની વાત.

બીજી વાત એ રહી કે….જ્યારે નારી સંતાન ના આપે ત્યારે નર/નારીની તપાસ તેમજ અનેક શોધો દ્વારા સંતાન હોય શકે એવું પણ શક્ય થયું છે..આ પણ ખુશીની વાત.

ત્રીજી વાત એ છે કે…..જ્યારે, ના સંતાન હોય ત્યારે “એડોપશન”ની વાત આવે ત્યારે જુનવાણી આ માટે ઉત્તેજન ના આપે એ ભુલ છે !

કોઈ અજાણના બાળકને પોતાના બાળકરૂપે સ્વીકાર કરવો એ કાંઈ નાનું કાર્ય નથી….આ તો એક મોટું ” પુન્ય”નું કામ છે…આ કાર્ય દ્વારા નારીમાં છુપાયેલ “મમતા”ને શાંતીભર્યો “સંતોષ” મળે છે. આ પણ એક ખુશીની વાત છે.

હવે…એક વાતની ચર્ચા બાકી રહી. આ તે નોકરી કરતી નારી !….જે નારી સંજોગોના કારણે કે આનંદ કારણે નોકરી કરે છે તેઓએ એક દિવસ માતા બનવાના વિચારને “નોકરીના કારણે” પોસ્ટપોન કરતા રહેવું એ એક મોટી ભુલ છે…આ જવાબદારી તો હશે અને સ્વીકાર કરી ફેમીલી માટે યોગ્ય વિચારો કરી નિર્ણય લેવો એ જ યોગ્યતા હશે એવું મારૂં માનવું છે.

સંસારી સફળતા માટે નર અને નારીએ પોતાને “મોટું ” ગણી સરખામણી કરવાની ટેવને છોડવી પડશે. પતિએ પત્નીને માન આપવું …પત્નીએ પતિને એમાં જ સફળતાની ચાવી છે !

ડો. ચંદ્રવદન

તો…તમોએ બે ઈમેઈલો વાંચ્યા.

શા કારણે મેં આને “હેલ્થ”ને લગતી પોસ્ટ ગણી તેની ચર્ચાઓ કરીએ.

પતિ અને પત્ની એક સાથે જીવન જીવે, અને એની સાથે હ્રદયની અંદર સંતાનસુખના વિચારો જાગૃત થાય એ સ્વભાવીક છે.

સંતાન થાય કે ના થાય ત્યારે અનેકવાર “મેડીકલ ખામીઓ” એનું કારણ હોય, જે માટે પુરૂષ કે સ્ત્રીમાં ખામી હોય શકે.

પણ પરિવારમાં વાંક ફક્ત પત્નીનો જ ગણાતો.

ભારતમાં આવી જુનવાણીના દર્શન થતા હતા.

શિક્ષણ/જ્ઞાન દ્વારા યુવાનોની વિચારધારા બદલાવા લાગી.

હવે, યુવાનો ડોકટરી તપાસ બાદ, સત્યને સમજવા લાગ્યા….થોડા “જુના વિચારો” નાબુદ થયા.

પણ….દીકરાનો પ્રેમ ઉંડો હતો…એ કારણે “દીકરી”નો અસ્વીકાર હતો…આ વડીલોની ભુલ હતી.

દીકરી કે દીકરો સંતાનરૂપે જન્મે તેમાં અનેક સંજોગો કારણોરૂપે હતા.

જ્ઞાનમાર્ગ દ્વારા યુવાનો..અને ત્યારબાદ, વડીલો આ સ્વીકારવા તૈયાર હતા.

આવા પરિવર્તનમાં દીકરી પ્રત્યે પ્રેમ જાગૃત થયો એ આનંદની વાત છે.

અને, જ્યારે ડોકટરી જાણકારી દ્વારા ખબર પડી કે સંતાન ના જ થશે ત્યારે યુવાનો બાળકને દત્તક લેવા તૈયાર થયા ત્યારે વડીલોના જુના વિચારો આડા આવ્યા….પણ અંતે તો જીત છે સત્યની જ. એથી આજે, ધીરે ધીરે “એડોપશન” કરતા કોઈને ડર કે શરમ નથી.

સૌ આટલું વાંચી ફરી કહશે કે આ બધી હકિકતો છે, તેમ છતાં, શા માટે “માનવ તંદુરસ્તી”ના પોસ્ટરૂપે છે ?

મેં ઉપર મુજબ મારી વિચારધારા પ્રમાણે સૌને સમજાવ્યું એમાં “તંદુરસ્તી” યાને “હેલ્થ”રૂપે જોવાનો ઈરાદો હતો.

તો એક સારરૂપે નીચે મુજબ મારા વિચારો જાણો>>>

(૧) એક પુરૂષ અને નારી જ્યારે પરણી “પતિ અને પત્ની” બને ત્યારે સંતાનસુખના વિચાર સાથે માનવ શરીરની તંદુરસ્તી તરત જોડાય જાય છે.

(૨) શરીરની તંદુરસ્તી સાથે ખોરાકના આરોગ્યતા સાથે ઘાટો સબંધ છે…યાને ખોરાક યોગ્ય હોવો જોઈએ, અને શરીરે પ્રાચન કરી લોહી સુધી પહોંચાડી શરીરનની બધી જ સીસ્ટમો સારી રીતે ચાલી શકે એ શક્ય કરે છે.

(૩) જ્યારે પુરૂષ કે સ્ત્રીના મનને શાંતી ના હોય ત્યારે એની બુરી અસર શરીર પર પડે છે. જ્યારે સમાજના નિયમો સત્ય વિરોધ હોય ત્યારે અશાંતી રહે. દીકરી કે દીકરાનો સ્વીકાર સમભાવે થાય કે પછી દત્તક બાળક લેવો એ સમાજમાં ખુશીની વાત હોય ત્યારે પરિવારના સૌના હૈયે ખુશી સાથે શાંત વાતાવરણ લાવે છે…આવા શાંતીભર્યા વાતાવરણે શરીર “તંદુરસ્તી” જાળવી શકે છે.

(૪) જ્યારે પુરૂષ સ્ત્રીને સમભાવે માન આપે ત્યારે સ્ત્રી પણ એવું વર્તન કરવા રાજી રહે છે….જ્યારે પુરૂષ કે સ્ત્રી પોતાને “ઉચ્ચ” પદે મુકવાનો પ્રયાસ કરે ત્યારે જ ઝગડાઓ જન્મે છે. ઘરમાં ઝગડાઓ તંદુરસ્તી બગાડે છે.

(૫) સમયના વહેણમાં પરિવર્તન આવે એ કુદરતનો નિયમ છે. જુના વિચારોનો ત્યાગ કરવાનો રહે એવી સમજ વડીલોમાં આવે ત્યારે નવજવાનો અને સમાજના વડીલો જ્ઞાનપંથે એક થઈ તંદુરસ્તીના પંથે હોય છે એવું મારૂં માનવું છે.

 

કોઈ મારી વિચારધારામાં “સમાજ પરિવર્તન”ના દર્શન કરી શકે….એથી એવી વ્યક્તિ આ પોસ્ટને તંદુરસ્તીની પોસ્ટરૂપે સ્વીકાર ના કરી શકે.

કોઈ અહીં ભારત સરકારના ભારતની વસ્તી વધારાના પગલારૂપે યોગ્ય કે અયોગ્ય ગણી એને નવા ચર્ચા પંથે લઈ જઈ શકે.

આથી,

સૌ વાંચકોને આ પોસ્ટ વાંચી, સમજ મળે એના આધારે એમની સ્વતંત્ર વિચારધારા લઈ જઈ પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખવા વિનંતી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is in the Category of ” CHANDRAVICHARDHARAA SHABDOMA”.

In the discussions above, there is mention of an EXCHANGE of EMAILS, between P.K. DAVDA and ME.

Davdaji introduced the topic of the FAMILY PLANNING adopted by the Government of India to curb the rising uncontrolled POPULATION of India.

This action was against the OLD THINKING of “God gives the Children….and we  must accept ALL & as many children as granted by God”.

The marketing of the IDEA of the FAMILY PLANNING was gradually accepted with the Changing Society.

Questions remain>>>

Was this a good Policy ?

Was it OK when the SALARY & the ECONOMIC times demand a Family with LESS Children ?

Has the Policy changed the Indian Society ? Are the Younger Generation & Elders of the Society accepting the “smaller family” willingly ?

There are so many points on which one can differ in the VIEWS.

Please join the DISCUSSIONS with your VIEWS as your COMENTS !

Dr. Chandravadan Mistry

 

મે 26, 2014 at 2:29 પી એમ(pm) 10 comments

કવિ કલાપી જીવન !

 

 

 

 

 

Kalapi

KAVI SHRI KALAPI ( Born 1874 & Died in 1900 at the Age of 26 Years

 

You MUST CLICK on the LINK Below 1st and then READ this Post>>>>

http://www.youtube.com/watch?v=3yX4r6xu9ec

 

કવિ કલાપી જીવન !

 

કવિ કલાપીનું જીવન એક ટુંકુ સ્વપ્નું રહ્યું,

જે ગુજરાત સાહિત્યભંડારરૂપી ધન રહ્યું !……………(ટેક)

 

૧૮૭૪માં જન્મ હતો ગુજરાતના રાજવંશી કુટુંબે,

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નામ મળ્યું જેને,

એવા એક બાળની આ વાત છે !………………….(૧)

 

જન્મ બાદ, બાળલગ્ને મળે બે પત્નીઓ ભાગ્યમાં,

કચ્છની રાજબા-રમાબા ‘ને સૌરાષ્ટ્રની કેસરબા-આનંદીબા નામમાં,

એવી એક બાળલગ્નની, આ વાત છે !……………….(૨)

 

૨૦ વર્ષની વયે સુરસિંહજી, ઘરની દાસીના પ્રેમમાં પડે,

થાય એથી રમાબા સાથે અણબનાવો, ‘ને ૧૯૦૦માં ઝેર પી મરે,

આ કરૂણગાથાની, આ વાત છે !……………………..(૩)

 

૨૬ વર્ષની ટુંકી જીદંગી તો પણ જે શક્ય થયું,

તેમાં ગુજરાત સાહિત્યનું મુલ્ય ખુબ જ વધ્યું,

આ એક યુવાનની, આ વાત છે !…………………..(૪)

 

ગુજરાતી ભાષા પર એમનો કાબુ હતો,

કાવ્યો સુંદર લખી “કવિ કલાપી”બિરદ મળ્યો હતો,

એવા એક કવિની, આ વાત છે !…………………(૫)

 

શાળા અભ્યાસે ગુજરાતી અને અંગ્રેજી શીખી હતી,

ઈંગલેન્ડની સફર ટુંકી, ‘ને ફરી દેશ આવી રાજગાદી ત્યાગી,

આવા દેશપ્રેમીની, આ વાત છે !…………………(૬)

 

શોભના નામે દાસીના પ્રેમમાં કાવ્યોની પ્રેરણાઓ હતી,

જે પુષ્પો બની, આજે પણ સૌના હ્રદયોમાં એની મહેક રહી,

આવા એક પ્રેમીની, આ વાત છે !……………….(૭)

 

ઉચ્ચ ભાષામાં સુંદર રચનાઓ કલાપી કળા કહેવાય,

પુસ્તકો પણ એના ગુજરાતનો શણગાર કહેવાય,

આવા સાહિત્ય-રત્નની, આ વાત છે !…………….(૮)

 

શું ખરેખર, જીવનમાં મળેલ પ્રેમ કારણે કલાપી બન્યા ?

કે, પ્રેમ દ્વારા હ્રદયના ઉંડાણમાં છુપાયેલા શબ્દો પ્રગટ થયા ?

આવા સવાલો ચંદ્ર કરે, એમાં જ કલાપીની વાત સમાય છે !….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૨,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર ગયો.

કવિ કલાપી વિષે લખાણ હતું …વીડીઓ પણ હતો.

આથી વધું જાણ્યું !

અને, પછી “ગુગલ”થી વધુ જાણ્યું.

એ આધારીત આ કાવ્ય રચના શક્ય થઈ છે.

તમોએ આ રચના વાંચી તે પહેલા જરૂરથી “લીન્ક” આપી તેનાથી એ વીડીઓ નિહાળી જ હશે.

ના નિહાળી હોય તો ઉપરની “લીન્ક” પર ક્લીક કરી નિહાળો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem on the Life of KAVI KALAPI whose birth name was SURSINHJI  TAKHTSINHJI GOHIL.

He born in a ROYAL FAMILY of SAURASTRA.

He had the CHILDMARRIAGE with 2 PRINCESSES.

But 2 of then slighlty OLDER, and he LOVED NONE.

Instead he was in LOVE with the Maid by the name SHOBHANA.

He wrote some of the MOST WONDERFUL POEMS in GUJARATI. He was hailed as KAVI KALAPI.

At the young age of 26 years he died in 1900 and it is said he died of drinking Poison when haunted by one of his Wife.

Kavi Kalapi is  AMAR (immoratal ) in his WRITINGS.

My Salutations to Kavi Kalapi !

 

Dr. Chandravadan Mistry.

 

મે 25, 2014 at 12:06 પી એમ(pm) 12 comments

આજે અભિનંદન છે આનંદીબેનને મારા !

 

 

 

"કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ

“કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે
અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. “
–ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
શ્રીમતી આનંદીબેન પટેલ “

 

 

આજે અભિનંદન છે આનંદીબેનને મારા !

 

ગુજરાતની દીકરી છે આનંદીબેન નામે,

બહુમતીએ ગુજરાતના મુખ્યમંત્રી જે બને,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૧)

 

ગુજરાતના પ્રથમ નારી મુખ્યમંત્રી એ થયા,

અન્ય રાજ્યોની ગણતરીમાં ૧૫માં મુખ્યમંત્રી કહેવાયા,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૨)

 

૨૧મી નવેમ્બર,૧૯૪૧નો શુભ દિવસ હતો,

એ જ આનંદીબેનનો જન્મદિવસ રહ્યો,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૩)

 

શિક્ષણ માર્ગે સફળતાઓ એમણે ઘણી મેળવી,

રાજકિય છેત્રે ઝંપલાવી, એમણે યોગ્યતા પણ મેળવી,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……(૪)

 

“ભાજપ”પાર્ટીમાં રહી, સેવા સુંદર એમણે કરી,

મોદીજીની “ગુજરાત યાત્રા”માં સહાય એમની રહી,

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૫)

 

ગુજરાતના મુખ્યમંત્રી બનાતા આનંદીબેન સૌને કહેઃ

“મોદીના માર્ગે ચાલી, “ગુજરાત વિકાસ” ના અટકે !”

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !……..(૬)

 

ચંદ્ર તો પરદેશમાં રહેતો ગુજરાતી સૌને કહી રહે ઃ

“ગુજરાત છે મારૂં ‘ને આનંદીબેન હસ્તે ગુજરાત ગૌરવ વધે !”

આજે, અભિનંદન છે આનંદીબેનને મારા !…….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ મે,૨૩, ૨૦૧૪           ચંદ્રવદન

 

બે શબ્દો…

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન બન્યાની ખુશી.

અને “વિનોદ વિહાર” બ્લોગ પર જતા, આનંદીબેન વિષે જાણ્યું.

ગુજરાત સરકારમાં ફાળો આપી રહેલા આનંદીબેન વિષે હું વિગતે જાણતો ના હતો.

જે વાંચ્યું એ આધારે, પ્રભુ-પ્રેરણાથી આ રચના થઈ છે.

જે કોઈને આનંદીબેન વિષે જાણ્વું હોય તેઓ નીચેની “લીન્ક” પર જઈ શકે છે>>>>

http://vinodvihar75.wordpress.com/2014/05/22/457-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b0%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%a8%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%a8/

 

અને વધુ વાંચવું હોય તો રમેશભાઈના બ્લોગ પર નીચેની “લીન્ક” દ્વારા જવા વિનંતી>>>>

http://nabhakashdeep.wordpress.com/2014/05/21/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%97%e0%ab%8c%e0%aa%b0%e0%aa%b5-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ac%e0%aa%be/

 

 

આ કાવ્ય પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Anandiben Patel became the Chief Minister of Gujarat as Narendra Modi resigned.

She is 1st LADY CHIEF MINISTER of Gujarat.

She has been in BJP for many years & had shown her SKILLS as an ADMINISTRATOR.

The Poem in Gujarati is on ANANDIBEN.

Those wishing to know more about her can visit 2 BLOGS by the LINKS given.

My Congratulations & Best Wishes to Anandiben Patel.

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

મે 24, 2014 at 12:22 પી એમ(pm) 4 comments

અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો !

image0

The LARGE FLOATING TROPHY….and A SMALL REPLICA TROPHY

with the PLAQUE to DISPLAY the WINNING STUDENT’S PHOTO for the YEAR

અમેરીકામાં “એવોર્ડ્સ યોજના” અન્ય “જનકલ્યાણ”ના કાર્યો !

 

ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક છેત્રે “જનકલ્યાણ”ના કાર્યો કરવામાં મારી જીવનસફર હતી. જે કંઈ શક્ય થયું તેમાં પ્રભુની કૃપા હતી અને એથી જ મારા હૈયે આનંદ હતો.તેમ છતાં, મનમાં “પુર્ણ શાંતી” ના હતી.

હું વિચારતો હતો કે મનની આવી હાલત શા માટે ?

એવા વિચારોમાં મને અમેરીકાની યાદ આવી. અમેરીકા જ્યાં હું ૧૯૭૭થી સ્થાયી થયો હતો. અમેરીકા મારી “કર્મભૂમી” હતી.

તો, કર્મભૂમી માટે મેં શું કર્યું ?

હા…અનેકવાર અનેક સંસ્થાઓને “દાન સહકાર” મોકલવાની તકો મેં લીધી હતી.

પણ કંઈક “કાયમ” પ્રેરણા આપે એવું કાઈ પણ કર્યું ના હતું.

ગુજરાતમાં “શિક્ષણ ઉત્તેજન” માટે કાર્યો કર્યા તે પ્રમાણે અહીં કાંઈ હોય તો કેવું ?

બસ….આ વિચાર સાથે મારા મનનો “અસંતોષ” જરા હલકો થઈ ગયો.

મને “શિક્ષણ ઉત્તેજન” માટે કાંઈ કરવા પ્રેરણા મળી. કેલીફોર્નીઆના “એન્ટલોપ વેલી” વિસ્તારના લેન્કેસ્ટર શહેરમાં આવેલી “ક્વાર્ટસ હીલ્સ હાઈ સ્કુલ”ની યાદ તાજી થઈ…આ હાઈ સ્કુલમાં મારી દીકરી રૂપાએ અભ્યાસ કર્યો હતો….એનું ઋણ ચુકવવાની આ તક હતી. મેં શહેરના જાણીતા મિત્રને મારો વિચાર દર્શાવ્યો, અને એમની સહાય/માર્ગદર્શને એ શાળાના વાઈસ પ્રીન્સીપાલને મળવાનું થયું. મારા વિચારને એમણે વધાવી લીધો.

આ કારણે એક “મોટી ફ્લોટીંગ ટ્રોફી” સાથે નાની “રીપ્લીકા ટ્રોફી” અને એના પર એ વર્ષના શાળાના હોંશીયાર સ્ટુડન્ટને ઈનામ આપવા માટે દાન રકમ આપી.મારા હૈયે એક અનોખી “શાંતી” હતી.

આટલું શક્ય કર્યા બાદ, આ વિસ્તારની “એન્ટેલોપ વેલી કોલેજ”માં પણ એવી જ યોજના શરૂ કરી.

૨૦૧૩ના મે મહીનામાં બન્ને જગ્યાએ એક સ્ટુડન્ટને વિજેતા ચુંટી, જ્યારે પ્રથમવાર “એવોર્ડ” આપવામાં આવ્યા ત્યારે મારા હૈયે આનંદ હતો.

આ પ્રમાણે આ બે જગ્યાએ યોજના ચાલુ રહેશે.

ઉપર મુજબનું શક્ય થયું અને એ સિવાય અમેરીકા તેમજ વિશ્વમાં અન્ય જગાએ હંમેશા ગરીબ/દર્દીઓઓને મદદ મળતી રહે એવી ભાવના સાથે એક દાન રકમ ફીડાલીટી દ્વારા “ચેરીટેબલ ફંડ” રૂપે મુકી એના વાર્ષિક વ્યાજમાંથી સહકાર થતો રહે એવું શક્ય થયું …આ યોજના પ્રમાણે નીચેની સંસ્થાઓ દ્વારા મારી ઈચ્છા પુર્ણ થતી રહે છે >>>>

(૧) “યુનીસેફ” ( UNICEF)

(૨) રેડ ક્રોસ ઓફ અમેરીકા  (RED CROSS of AMERICA)

(૩) “ડબ્લ્યુ.એફ.પી.” ( W.F.P. = World Food Program  )

(૪) સંકરા આઈ ફાઉન્ડેશન ( SANKARA EYE FOUNADATION )

આ યોજના દ્વારા ઓકટોબર ૨૦૧૩માં પહેલીવાર દાન સહકારનો લાભ આપી શકાયો.

આ પ્રમાણે “કર્મભૂમી” પર મારૂં યોગદાન પ્રભુકૃપાથી શરૂ થયું તે માટે હું પ્રભુનો પાડ માનું છું.

અહીં મારે એક અગત્યની વાત કહેવી છે.

૧૯૮૧માં હું જ્યારે કેલીફોર્નીઆના લેન્કેસ્ટર શહેરમાં આવી રહેવા લાગ્યો ત્યારે અનેક ભારતીયોને નિહાળી, મારા મનમાં હિન્દુઓ માટે એક મંદિર હોય એવી આશાઓ રાખતો રહ્યો…..અનેકવાર મનમાં થયું કે પ્રભુપ્રેરણાથી અનેકના હ્રદયદ્વારો ખુલશે, પણ એવું ના થયું ત્યારે મારા મનમાં નિરશા પણ આવી. છતાં, પ્રભુ પર શ્રધ્ધા હતી કે એક દિવસ એની જ ઈચ્છાથી આ વિસ્તારે એક મંદિર જરૂર હશે.૨૦૧૧-૨૦૧૨ના સમયગાળામાં “એક ડોકટર”ને પ્રભુએ પ્રેરણા આપી…એણે એના વિચારને અમલ કરવા અન્યને વાતો કરી….અંતે, દાન પ્રવાહના કારણે મંદિરનું બાંધકામ શરૂ થયું…”ફુલ નહી તો ફુલની પાંખડી”ના ભાવે એ દાન પ્રવાહમાં મેં પણ “ફાળો” આપ્યો ત્યારે મારા હૈયે “એક અનોખી શાંતી” હતી…એ જ મંદિર માટે એક “બેલ”યાને “ઘંટ”આપવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો….નજીકના બેકર્સફીલ્ડ શહેરમાં જ્યારે મંદિર થયું ત્યારે એક મોટા બેલ આપ્યાની ખુશી થઈ હતી, એવી જ ખુશી આ નવા મંદિરના બેલ માટે અનુભવી. કર્મભૂમી અમેરીકામાં મારી આ સફરમાં આ મારી ભક્તિપંથે રંગાય રહેવાનો પ્રયાસ છે.માર્ચ-એપ્રિલ૨૦૧૪માં આ મંદિર ખુલ્લુ મુકાશે ત્યારે એની ખુશી હશે…

એપ્રિલ અને મે માસો પુર્ણ થશે…મંદિર બની ગયું છે..હવે મુર્તીઓ આવશે.

આ પ્રમાણે….આ ૨૦૧૪ના વર્ષની આખરીમાં કે ૨૦૧૫ની શરૂઆતમાં મંદિર સૌ માટે ખુલ્લુ હશે.

એવી જ પ્રભુ ઈચ્છા હશે.

 

અન્યને પ્રેરણા મળે એવી પ્રભુને પ્રાર્થના છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is my REFLECTIONS on my JOURNEY in AMERICA.

After doing the various SOCIAL WORKS in GUJARAT, I was happy but not FULLY SATISFIED.

As I had been in America since 1977, America had given me a LOT.

Therefore…it was my desire to PAY BACK….Thus, I thought of the SOCIAL WORK & thus the AWARDS at the HIGH SCHOOL ( where my youngest daughter studied) and the ANTELOPE VALLEY COLLEGE were started to give the INSPIRATION to the Students to STUDY further.

Along with this I thought of giving DONATIONS to several CHARITABLE ORGANISATIONS annually via a FUND…..This was established to assist 4 Organizations ( UNICEF, RED CROSS, WFP of UN, & SANKARA EYE FOUNDATION). The 1st annual Donation from the interest income was done in OCTOBER 2013 ( on my Birthday 13th October).

Along with these activities, I am most happy at the HINDU MANDIR being built at Lancaster…It will be opened in March/April of 2014. I feel content to have given “some” Support for this Project.A PUBLIC MANDIR can be the INSPIRATION to DEVOTION (BHAKTI)…May All get God’s Blessings !

This Post is NOT to talk of me….I am NOTHING….The DOER is the GOD !

May ALL REALISE this FACT….& get the INSPIRATIONS in the LIFE too !

Dr. Chandravadan Mistry

મે 23, 2014 at 12:25 પી એમ(pm) 26 comments

એક વિચિત્ર પત્ર !

ઓહ હો હો..<br /><br /><br /><br />
બાળપણ યાદ આવી ગયું..<br /><br /><br /><br />
તમને પણ વાંચવા મા મજા પડે તો કરો લાઈક..<br /><br /><br /><br />
Join us www.fb.com/gujjufun

 

એક વિચિત્ર પત્ર !

 

એક ઈમેઈલ ખોલતા, એક વિચિત્ર પત્ર જોવા મળ્યો,

જેમાં શબ્દો સાથે અનેક ચિત્રોનો સમાવેશ થયો હતો,

નિહાળી, વાંચવાના પ્રયાસે મારા મનમાં પ્રષ્ન થયોઃ

“આવો વિચિત્ર પત્ર કોના હસ્તે હશે” એવો વિચાર હતો………..(૧)

 

“મોર”ના ચિત્ર સાથે “મોરબી”થી લખાયો એ હતો,

“બે ખુલ્લા બારણા” સાથે લખાણે ૬૨ની સાલની તારીખનો ભેદ હતો,

“સુર્ય”ના ચિત્રે “ભાઈ સુર્યકાંત”ને નામે એ પત્ર મોકલાયો હતો,

આટલું સમજી, વધુ વાંચવા માટે ઉત્સાહ મારા હૈયે જગૃત થયો !…..(૨)

 

“તારો પત્ર મળ્યો”જણાવી, કાનપુરના સમાચાર જાણ્યાનું લખ્યું હતું,

“હું પરિક્ષામાં પાસ થયોછું”એવું પણપત્રમાં લખ્યું હતું,

“વિચાર છે કે જુનાગઢ જવું અને પર્વત (ગીરનાર) ચઢવો”એવુંપણ હતું

“તું પણ આવીશ તો બહું મજા પડશે”એવું અંતે જણાવ્યું હતું,……….(૩)

 

“આવે તો મારા માટે પેન તેમજ કાનપુરના ચંપલ તેમજ બ્રિફકેઈસ લેતો આવજે”,

“બીજું મોટાભાઈ રાજકોટથી રેડીઓ લાવ્યા છે તે વગાડી આનંદ કરીએ છીએ “

ઉપરના ગુપ્ત લીપીમાં બે સંદેશાઓ મોકલેલા તે મેં સમજી લીધા,

અને, અંતે “જવાબમાં પત્ર લખજે” એવી આશાભર્યા વિચારો પણ સમજી લીધા,….(૪)

 

અંતે “હિરાલાલના જયભારત”નું વાંચી જાણ્યું કે આ પત્ર હિરાલાલનો સુર્યકાંતને હતો,

તો, હિરાલાલે સુર્યકાંતને જવાબ કેવી રીતે હવે આપવો રહ્યો ? એ સવાલ હતો,

ચિત્રો અને શબ્દોવાળો જવાબરૂપી પત્ર હોય શકે એવું મેં હિરાલાલને કહ્યું,

ત્યારે, “હું તો નવી કોઈ ગુપ્તલીપીમાં એ લખીશ”એવું હિરાલાલે મુજને કહ્યું…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૨૦,૨૦૧૪                 ચંદ્રવદન

બે શબ્દો…

બ્રેડફોર્ડ ઈંગલેન્ડથી એક ઈમેઈલ આવ્યો….”ફેઈસબુક” ની લિન્ક હતી ..એ ખોલતા, “એક વિચિત્ર પત્ર”નું લખાણ વાંચ્યું.

ફરી ફરી વાંચી ગયો.

ગમ્યું !

અને વિચારતા આ રચના થઈ.

ગમી તમોને ?

જણાવજો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Gujarati Poem “Ek Vichitra Patra” means ” One Strange Letter”.

The Letter was with WORDS mixed with PICTURES to convey the MESSAGE.

This reminded me of the CODED MESSAGES in the WARS.

A Poem was created as I read that Email with the STRANGE Message.

Dr. Chandravadan Mistry.

મે 22, 2014 at 11:57 એ એમ (am) 7 comments

આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !

 

આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !

 

વાત કરૂં હું “આધ્યત્મિક વિકાસ કેન્દ્ર”ની,

જાણ્યું કે ના જાણ્યું હોય, પણ જાણો એને ધીરજથી !………..(ટેક)

 

૧૯૭૫ના સાલની આ તો વાત રહી,

મુંબઈના “માનવ મંદિર”ના ગુરૂજી અહીં આવવાની આ વાત રહી,

જે, અમેરીકાના ન્યુયોર્કના “ગીતામંદિરે” પધારવાની વાત રહી !……(૧)

 

“ગીતા મંદિર”માં ગુરૂજી સતસંગ અને પ્રવચનો કરે,

સતસંગ-પ્રેમીના ઘરે જઈ એઓ જરા આરામ કરે,

એવા સમયે, ગુરૂજી અમેરીકામાં સતસંગ “બીજ” રોપે !……(૨)

 

જુલાઈ ૧૯૭૫માં ગુરૂપુર્ણિમાનો એ દિવસ હતો,

એ તો, “આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર”સ્થાપના દિવસ થયો,

સતસંગીઓએ ભક્તિ પંથે જાવાનો નિર્ણય રહ્યો !……..(૩)

 

દર વર્ષ શુક્રવારે સતસંગ કારણે સતસંગીઓ ભેગા મળે,

૧૯૭૫થી આવી પ્રથાએ ભક્તિ કાર્ય ચાલતું રહે,

પ્રભુકૃપાથી દર શુક્રવારે ભંગ વિના થતું રહે !……..(૪)

 

કોઈ પણ સંજોગોમાં આ શુક્રવારી સતસંગ કદી બંધ ના રહે,

જેમાં, ભક્તોના હૈયેથી પ્રભુભક્તિરસ વહેતો રહે,

એવા કેન્દ્રના રક્ષણ માટે ખુદ પ્રભુજી રહે !……….(૫)

 

શુક્રવારે સતસંગ સાથે, રહીશો મળતા લાભોની ચર્ચાઓ કરે,

એવા ભક્તિ ઝરણે સ્નાન કરતા સૌ આનંદીત રહે,

એવા ખુશીભર્યા શુક્રવાર-મિલનો વહેતા રહે !……..(૬)

 

“સનાતન ધર્મ” સૌમાં નિહાળી, સર્વ ધર્મ-પ્રેમીઓને માન મળે,

હિન્દુ તહેવારો ઉજવવા માટે સૌ હૈયે આનંદ રહે,

અને, દર વર્ષ નવરાત્રીના ગરબા ભાવથી થતા રહે !…..(૭)

 

કેન્દ્ર તો દાન સહકાર માટે કોઈને પણ ના અપીલ કરે,

છતાં, પ્રભુકૃપાથી સેવા સાથે લક્ષ્મી પણ કેન્દ્રને મળે,

જરૂરત કરતા વધુ પૈસા પ્રભુકૃપાથી ત્યારે મળે !………(૮)

 

“પૈસાનો સંગ્રહ” એ જ પતન તરફ વાળે એવા સુત્રના સથવારે,

દર વર્ષ કેન્દ્ર ડાયરેક્ટરો ગુજરાતમાં રહે યોગ્ય દાન પંથે,

આવા જનકલ્યાણના કાર્યો કેન્દ્ર દ્વારા થતા રહે !……..(૯)

 

અંતે ચંદ્ર કહે ઃ ન્યુ યોર્કમાં સતસંગે “સનાતન ધર્મ”ના દર્શન થાય,

જે, કેન્દ્રના શુક્રવારે “સમુહ મિલન”માં મળતા હૈયે આનંદ થાય,

એટલું કહી, હ્રદય ખોલી,ચંદ્ર “અભિનંદન” સૌને ધરે !…..(૧૦)

 

કાવ્ય રચનાઃ માર્ચ,૩૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

 

માર્ચ,૩૧,૨૦૧૪ એટલે ચૈત્ર માસની ” નવરાત્રી” નો શુભ આરંભ થાય.

આ દિવસે, મેં ન્યુ યોર્કમાં રહેતા સતસંગી ડાહ્યાભાઈ સાથે ફોન પર ચર્ચા કરી કેન્દ્ર વિષે વધુ માહિતી મેળવી.

જે જાણ્યું એથી આનંદ થયો !

ત્યારબાદ, પ્રભુ પ્રેરણાથી આ રચના થઈ.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણવું હોય તેઓ નીચની લીન્કથી એમની વેબસાઈટ પર જઈ શકો છો>>>

http://www.avkny.com

 

અને…જો ડાહ્યાભાઈ સાથે વાતો કરવી હોય તો નંબર છે>>>>

૭૧૮-૯૯૭-૦૧૫૧

આશા છે કે તમોને આ રચના ગમી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

This is a Poem in Gujarati.

It is about an Organization called “ADHATMIK VIKAS KENDRA” meaning “SPIRITUAL DEVELPMENT CENTER” which was established in July of 1975.

The Devotees meet for the SPIRITUAL & OTHER DISCUSSIONS every Friday, and they had been doing so without any break since 1975.

My SALUTATATIONS to these DEDICATED DEVOTEES !

The CONTACT can be by a PHONE >>>

718-997-0151

One can see the WEBSITE @

http://www.avkny.com

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

મે 21, 2014 at 12:05 પી એમ(pm) 7 comments

સંસારની આગગાડીમાં માનવ સફર !

 

Toy train

PHOTO by GOOGLE REARCH

 

સંસારની આગગાડીમાં માનવ સફર !

 

સંસાર તો છે એક આગગાડી, જેમાં ડબ્બે ડબ્બે છે જીવો ઘણા સાથમાં,

જન્મ લેતા, ગાડી ટીકીટ છે તમ હાથમાં,સફર કરવી રહી સૌ સાથમાં,

 

 

બાળરૂપે મોટા થતા જ જાણો કે આ ગાડીમાં તમે નથી એકલા,

સાથે, માતા પિતા અને પરિવારના સૌ, ડર નથી, જો નથી એકલા,

 

 

ડબ્બે ડબ્બે છે લોકો કોઈ ગમતા અને કોઈ અણગમતા,

ગાડીમાં ટીકીટ લઈ બેઠા છે અને સાથે છીએ સૌ એવું માનતા,

 

 

તમને કોઈક ગમે કે કોઈને તમો ગમો એવું જાણો તમો,

તો,એવા ડબ્બે ડબ્બે જઈ, મળીને દેજો પ્યાર એમને તમો,

 

 

અરે, આ સફરે ના ગમતાથી બહું દુર ભાગી શકો નહી,

ત્યારે,વાતો ટાળો, દુરતા જાળવી,પણ ગાળો કદી દેવી નહી,

 

 

કોઈ વ્હાલું કે મિત્ર હોય, સૌના દીલે પ્રભુ છબી તમે નિહાળજો,

ટેવ એવી રાખો તો, પ્રેમનીર ઝરણા સદા વહેતા તમે નિહાળશો,

 

 

એ પણ ના ભુલશો કે અણગમતો કે શત્રુ હોય,

તેઓ સૌમાં પણ હંમેશા પ્રભુજી બિરાજેલ હોય,

 

આવા જ્ઞાનમાં જો આ તમારી ગાડી સફર રહે,

તો, ગાડી હાંકનાર પ્રભુજી તમ પર રાજી રહે,

 

પણ એટલું યાદ રાખજો કે ગાડીસફર આ કાયમની નહી,

એક દિવસે તો, અંતીમ સ્ટેશને ઉતરવું ઈચ્છા હોય કે નહી,

 

જે ગાડીએ આવ્યા પહેલા કે તમારી પાછળ એની ખબર રહી,

સૌને ઉતરવાના સ્ટેશનોની જવાબદારી ટીકીટવાળા પાસે રહી,

 

સંસારી ગાડીની સફરની મોજમાં, ગાડી છોડવી પડશે એ તમે ના ભુલશો,

સારા નબળા કાર્યોની પેટી સાથે લઈ જાવી પડશે,એ પણ ના ભુલશો,

 

છેલ્લું સ્ટેશન ક્યારે કોઈનું એ કોઈના જાણે, પણ અચાનક એ તો આવે,

એથી, સારા કર્મોની કમાણીથી પેટી ભરી હોય તો ડર કાંઈ ના લાગે,

 

જ્યારે છેલ્લા સ્ટેશને ઉતરશો તો ઈન્જીનવાળો દરેકની પેટી તપાસતો હશે,

ત્યારે જ, સદા એ સાથે હતો પણ સલાહો એની કદી ના માની તેનું યાદ આવશે,

 

આજે, જે કોઈ ગાડીમાં બેસી સફર કરી રહ્યા છો તો, ચંદ્ર સૌને કહે,

સફર લાંબી કે ટુંકી, સતકર્મોનું ભાથું ભરતા રહેવું, સફર હેતુ સૌનો આવો રહે !

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

એક જગાએ વાંચ્યું કે….માનવીનું જીવન એક ટ્રેઈન સફર છે.

આ વાંચ્યા બાદ,સંસારના સૌ માનવીઓને મેં આ ટ્રેઈનમાં નિહાળ્યા.

જન્મ લેતા જ ટ્રેઈન ટીકીટ આપોઆપ મળી જ જાય છે….ક્યારે કોનું “અંતીમ” સ્ટેશન યાને “મૃત્યુ” આવે એ વિષે સૌ અજાણ છે.

આ ટ્રેઈન સફર કરતા ફક્ત “મોજ મઝા ” કરતા રહેશો તો “સતકર્મોનું ભાથું”જે ખરેખર ભરવાનું એ ભુલાય જશે….બસ, આ જ “ચેતવણી” સૌને આપી છે.

આ રચના ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Poem in Gujarati is with the title of “The Life as a Human Being is like a Train Journey”.

As you are born you are given the TICKET for the Journey…..You are unaware of the last DESTINATION( meaning Death), and it can come SUDDENLY….You are not alone on the train…there are other passengers…..some can be nice & friendly while some may be who dislike you. You see God in ALL….be close to the NICE ones…keep a distance from the others, but never be RUDE on anyone. You be GOOD.As you suddenly reach your LAST STATION, you have to get off the Train…Then you realise that your suitcase filled with your DEEDS is inspected by GOD,who had been the DRIVER of this Train. If you have GOOD DEEDS..God is happy, but as a Human, if you had not done good deeds & only bad ones….God is not happy & you then realise that you had WASTED the OPPORTUNITY given to be free & be with God.

I hope you like this MESSAGE of this Poem Post.

Dr. Chandravadan Mistry

મે 20, 2014 at 12:33 પી એમ(pm) 10 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,636 hits

Disclimer

સંગ્રહ

મે 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031