Archive for જુલાઇ, 2014
દેવજીભાઈને અંજલી !
દેવજીભાઈને અંજલી !
ઓ,ભાઈ મારા, જાણ્યા જગમાં સૌએ તમોને દેવજીભાઈ નામે,
સ્વીકારજો વંદન મારા, હવે જો છો તમે પ્રભુધામે !……………..(ટેક)
બચપણમાં મેં જાણ્યા તમોને, અને મળ્યો સ્નેહ તમારો,
એવા જ સ્નેહતાંતણે ટકી રહ્યો પ્રાણ આપણો,
સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૧)
બાંધ્યા તમે સૌને જગમાં સ્નેહબંધનની દોરે,
કોણ ભુલી શકે તમોને, જો બાંધ્યા છે સૌને સ્નેહદોરે ?
સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૨)
તબલા કે હારમોનીઅમ હસ્તે, ભજનો રહે તમ મુખે,
એવા પ્રભુગુણલાભર્યા ભજનોનો આનંદ સૌને મળે,
સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………….(૩)
ભારતથી આફ્રીકા અને અંતે અમેરીકામાં તમે રહ્યા,
ડલાસ ટેક્ષાસમાં અંતિમ દિવસો ગાળી, પ્રાણ તમે છોડ્યા,
સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………..(૪)
પત્ની કલા અને પુત્ર અમર રહે છે આજે આ જગમાં,
હશે તમે અમર હંમેશા તમારી જ મીઠી યાદમાં,
સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………..(૫)
ના બતાવું આંખમાં આંસુડા, ના કહું હૈયાનું હું કોઈને,
પ્રભુગોદમાં પરમ શાંતીમાં તમે છો, એટલું કહું હું આજે સૌને,
સ્વીકારજો વંદન મારા ઓ, ભાઈ મારા !………….(૬)
કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૧૩,૨૦૧૪ ચંદ્રવદન
ENGLISH VERSION of the Poem>>>
ANJALI to DEVJIBHAI
Oh ! my Brother, in this World, you were known as Devjibhai,
Accept my Salutations, now that you are in the God’s Place !
In my Childhood, I had known you & got your Love,
In that Bond of Love, Our Life was sustained on this Earth !
Accept my Salutations, oh, my Brother !……………………………(1)
You had bound Everyone in this World with the Bond of Love,
How can anyone forget you, is bound by that Bond of Love ?
Accept my Salutations, O, my Brother !…………………………..(2)
With Tabla & Harmonium in your Hands, the Devotional Songs were on your Lips,
Hearing the Songs with the Praises for God, you brought Joy in the Hearts of All,
Accept my Salutations, Oh, my Brother !…………………………..(3)
From India to Africa & then finally you came to America,
And, finally you had settled down at Dallas Texas & left this World,
Accept my Salutations, oh, my Brother !…………………………(4)
Wife Kala & Son Amar now left in this World,
You will always be “alive”(Amar) in the Sweet Memories you left on this World,
Accept my Salutations, oh, my Brother !……………………..(5)
Will not shed Tearsfrom my Eyes, and will not reveal what’s in my Heart to Anyone,
But, you are in Peace & on the Lap of God, I will tell that to Everyone,
Accept my Salutations, oh my Brother !…………………..(6)
Poem Created July 13th 2014 Chandravadan
બે શબ્દો…
મારા ભાઈ ( બાપુજીના સાવકા મોસાળ તરફથી આ સગાઈ) ડલાસ ટેક્ષાસમાં ઘણા વર્ષોથી રહેતા હતા.
બિમારીના કારણે છેલ્લા ૪ વર્ષોથી તબિયત સારી ના હતી.
એવા સમયગાળામાં હું પત્ની કમુ સાથે એમને અનેકવાર મળવા ગયો હતો.
છેલ્લી સફર હતી નેવેમ્બર ૨૦૧૩માં.
ત્યારબાદ, ધીરે ધીરે એમની તબિયત વધુ બગડી.
અને નર્સીંગ હોમમાં રહેતા છેલ્લા પાંચ દિવસો માટે બેભાન જેવી હાલતે હતા અને અંતે જુલાઈ ૧૧, ૨૦૧૪ના દિવસે પ્રાણ છોડ્યા.
આવા દીલગીરીભર્યા સમાચાર મળતા હું અને કમુ ડલાસ ૧૨મી જુલાઈના દિવસે હતા….ત્યાં રહ્યા તે દરમ્યાન, એમને “અગ્નિસંસ્કાર” ૧૪મી જુલાઈએ અને ૨૨મી જુલાઈના “બારમા દિવસ”ની પૂજા પુર્ણ થયા બાદ ૨૪મી જુલાઈએ ફરી કેલીફોર્નીઆ.
ડલાસ રહેવાનું થ્યું ત્યારે આ રચના શક્ય થઈ હતી.
સૌ આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છે.
પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is a Poem in Gujarati which is dedicated to DEVJIBHAI L. MISTRY of DALLAS, TEXAS, who died on July,11,2014.
The Poem expresses my “feelings” for my Brotherly Elder.
May his Soul rest in Peace !
Hope you are able to read it Gujarati.
BUT..If not, I had translated it in ENGLISH too.
Dr. Chandravadan Mistry
આતાજીની ઓળખાણની ખાડ !
To Me
Today at 1:24 PM
આ તમારા કાવ્ય મારા ઉપર બહુ ગહરી અસર પાડી .
તમે મને તમારા હ્રદય કમલમાં સમાવી લીધો .
મીસ્ત્રીજી મારી ઓળખાણ ની ખાણ વધતી જાશે
અફસોસ એટલોકે મારે જવાનું થાશે
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Ataaji,
I am so happy to read your response as you read the Kavya Rachana I had created after seeing your Photo with Uttambhai.
If God inspire me I hope to say my feelings in Gujarati.
Khub Khub Abhar for your message in Gujarati.
Chandravadan
આતાજીની ઓળખાણની ખાડ !
“આતાજી”ઓળખાણની ખાડની છે આ વાત,
આતાજી-જીવનના દિવસો વહે,’ને ખાણ વધે તેની છે આ વાત !….(ટેક)
જન્મ માનવીનો લેતા, હિમતલાલ નામે જીવન એનું વહે,
યુવાનીમાં ખોદેલી ખાણની આ વાત આજે મારે કહેવી રહે,…….(૧)
યુવાની તો ગઈ અને વૃધ્ધાવસ્થા પણ આવી ગઈ,
ઓળખાણની ખાણ તો ઉંડાણે પહોંચી ઝવેરાતો આપતી ગઈ…….(૨)
એવા સમયે, હિમત વિચારે કે વૃધ્ધ થયા પછી શું થશે ?
ત્યારે, ચંદ્ર હિમતલાલને જે થવાનું હશે તેનું જરા કહે !………….(૩)
“માનવ જન્મ મળ્યો છે તો જગ છોડી એક દિવસ તો જવાનું છે,
પણ, તમે તો વૃધ્ધાવસ્થામાં પણ યુવાનીનું જોર બતાવ્યું તેની તો વાત છે,…(4)
એવા આત્મબળ કારણે તમો જીવો છો એવું જગમાં આજે સૌ જાણે,
એથી જ તો,તમારી ઓળખાણની ખાડ વિષે જાણી સૌ ખુશી અનુભવે,……(5)
તો, ‘અફસોસ’ તમે શાને કરો ? હવે તો સૌ તમોને જાણે,
ઓળખાણ એ જ તમારી છે મુલ્યવાન પૂજી એવું તમે માને,……(6)
પ્રેમભાવના ઝરણે તમે તો આજે બ્લોગજગતે પણ રમો,
રમતા રમતા, ઓળખાણના ઝવેરાતો પણ તિજોરીએ ભરો,…..(7)
તો, હવે ‘અફસોસ’ શબ્દને ફેંકી દ્યોને તમે આજે,
બસ, જીવન સફરની આગેકુચે ‘ખુશી’ હૈયે ભરો આજે !…..(8)
બસ, આટલું જો તમે કર્યું તો, પ્રભુને પણ ખુશી હશે,
એવા સમયે, ચંદ્ર હૈયેથી ખુશીના નીર વહી જશે !”……(9)
કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૨૭,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે એક કાવ્ય રચના.
આ ગુજરાતીમાં શક્ય થયેલી રચના છે પુજ્ય આતાજી માટે.
એમણે એક મારી રચના (જે આગળ પોસ્ટરૂપે પ્રગટ કરી છે) વાંચ્યા બાદ એક અનોખી ખુશી સાથે “અફસોસ” દર્શાવ્યો.
બસ….આ “અફસોસ”ના એક શબ્દ કારણે પ્રભુપ્રેરણા સાથે આ બીજી રચના.
જે તમો આ પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.
અહીં, ફક્ત એક જ સંદેશો…..”આતાજી, તમે જરા પણ અફસોસ ના કરો, અને જીવન સફર કરતા જાઓ !”
આશા છે કે આ પોસ્ટ તમોને ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati.
It was created on the inspiration of a response of ATAAJI, in which he had expressed the JOY of reading a POEM (which was just published before this) but at the same time also expressed his REGRATS ( AFSOS) as he looked at his LONG life’s JOURNEY.
This Poem is based on that one word “AFSOS”.
The MESSAGE in the Poem is “Ataaji, please do not have the AFSOS….just continue your life’s Journey on this Earth !”
Hope you like this Post.
Dr. Chandravadan Mistry.
ઓળખી ગયો છું હું !
EMAIL of HIMATBHAI JOSHI ( ATAAI)
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
ઓળખી ગયો છું હું !
હા, હા, આ ભાઈને ઓળખી ગયો છું હું,
બોલો, કેમ ના એમને ઓળખી શકું હું ?
નામ ના લખ્યું હોત તો પણ ઓળખતે હું એમને,
લખ્યું જો નામ ઉત્તમ પ્રજાપતિ, જરૂર જાણું છું એમને,
હવે, જાણ્યું કે ઉત્તમભાઈ તો છે મિત્ર તમારા,
જાણી એવું, મારા હૈયામાં તમો બંને સમાયા,
મિત્રતાના ભાવે, યાદ કરતો રહીશ તમોને,
એવી યાદમાં, ચંદ્ર તો સ્નેહ અર્પણ કરશે તમોને,
ફીનીક્શમાં આતાજી અને ઉત્તમ સ્નેહસબંધે બંધાય રહે,
એવી મિત્રતાની દોરે ચંદ્ર પણ હંમેશા બંધાય રહે,
રહો ફીનીક્શ એરીઝોનામાં અને કરો જીવન સફર તમારી,
ભલે હું દુર તમોથી, ખીલતી રહેશે ત્રિવેણી મિત્રતા અમારી !
કાવ્ય રચના તારીખ, જુલાઈ,૨૬,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે એક ઈમેઈલ આધારીત.
હિમતભાઈ જોષી યાને “આતાજી”.
એમનો એ ઈમેઈલ હતો, અને એની સાથે એટેચમેન્ટરૂપે એક ફોટો હતો.
એ ફોટામાં આતાજી સાથે ડો. ઉત્તમ પ્રજાપતિ હતા.
ઉત્તમભાઈને હું જાણું છું ..હું એમને મળ્યો પણ છું.
ઈમેઈલ વાંચી જે ભાવ હૈયે થયો તે જ કાવ્યરૂપે દર્શાવ્યો છે.
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is a POEM in Gujarati based on an EMAIL with a PHOTO.
The Photo was of 2 individuals…ATAJI & DR. UTTAM PRAJAPATI og Arizona.
The Email was from ATAJI( Himatbhai Joshi).
The Poem is my feelings as I saw the Photo.
I saw the FRIENDSHIP between 3 PERSONS.
Hope you like the Post.
Dr. Chandravadan Mistry
ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)
ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)
તમે ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫) વાંચી અનેક પ્રગટ થનાર પોસ્ટો વિષે જાણ્યું હતું.
જે પ્રમાણે જાણ્યું હતું તે પ્રમાણે જ તમે અનેક કાવ્ય-પોસ્ટો વાંચી.
હવે શું ?
તો એના પર વિચાર કરતા મનમાં થયું કે હવે જુદી જુદી “કેટેગોરી”માં પોસ્ટો હોવી જોઈએ.
એથી …..
પોસ્ટો હશે>>>
(૧) સુવિચાર
(૨) કાવ્યો
(૩) અનામી યાને “અનકેટગોરાઈઝાઈડસ”.( )
(૪) માનવ તંદુરસ્તી.
ચાલો, બ્લોગ પર પધારી નવી નવી પોસ્ટો તમે જરૂર વાંચશો એવી નમ્ર વિનંતી.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is “CHANDRAVICHARO SHABDOMA (26)”.
It is the 26th Post with a GOAL to lay out the PLAN for the FUTURE POSTS @ CHANDRAPUKAR.
There will be Posts of DIFFERENT CATEGORY which includes (Suvicharo…Kavyo….Uncategorized….Health or Manav Tandurasti ).
Hope you will enjoy these FUTURE Posts on this Blog.
Dr. Chandravadan Mistry
મોર તો કુદરતની કરામત !
મોર તો કુદરતની કરામત !
મોર તો છે એક કુદરતની કરામત,
થઈ એ શક્ય એ જ પ્રભુની હુકમત !……(ટેક)
સુંદરતાથી ભરપૂર કાયા બની છે મોરની,
નિહાળો એકવાર અને કરો તમે પ્રસંદતા મોરની,
ચાંચવાળા મુખડે સાથે ઝુલે છે એક કલગી,
કાયા સુંદર છે સફેદ અને ભુરા રંગની,
બે પાતળા પગો પર કાયા ડોલી રહે,
જમીનથી ઉપર જાણે કળાકાર રમી રહે,
ખુશીમાં મોરપીંછો ભર્યો આકાર રહે પ્યારો,
જાણે નૃત્યકરનારે પહેર્યો છે તાજ ન્યારો,
મેહુલીયો ગાજે ‘ને મેઘ ઝરમર વરસે,
ત્યારે, મોર ઘેલો બની નૃત્યમાં પાગલ બને,
ના હોય મઘ તો પણ કાંઈ પરવા નથી,
વનડે ઢેલ સામે મોર તો નાચતા થાકે નહી,
અરે !કૃષ્ણ મોહી, મોરપીંછ મસ્તકે ગ્રહે,
જાણે મોર પર કૃષ્ણ-કૃપાની ધારા વરસે,
મોર તો છે સુંદર ‘ને સૌને ભલે લાગે વ્હાલો,
ઢેલ સામે નૃત્યમાં છે ખુશી અને સુંદરતા ભર્યો,
અંતે ચંદ્ર કહે ઃ ભલે સૌ પક્ષીઓમાં સુંદરતા હોય,
મોરની સુંદરતાનું વર્ણન કદી શબ્દોમાં ના હોય,
કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ, ૧૭,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
મોર અને ઢેલ ….આ રહી નર-માદાની જોડ.
કેવી બનાવી છે કુદરતે આ પક્ષીની જોડ !
સર્વ જીવોની જોડને નિહાળીએ તો નારીમાં કુદરતે “સુંદરતા” બક્ષી હોય.
અહી,નર-પક્ષી મોરને પ્રભુએ કળા સાથે એક અનોખી “સુંદરતા” આપી છે……શાંત વાતાવરણે સુંદર કલગીવાળી ડોક સાથે અનોખા રંગીન પીંછા.
અને, જ્યારે ખુશી હોય ત્યારે નૃત્ય સાથે કળા કરતા પંખારૂપી રંગીન પીંછા-તાજવાળા મોરના દર્શન કરતા કોઈ પણ માનવીના હૈયે જરૂર ખુશી હોય જ !
બસ….આ બધું જ મેં મારી કાવ્ય રચનામાં કહ્યું છે !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is the poem in Gujarati entitled “MOR TO KUDARATNI KARAMAT” meaning PEACOCK is a BEAUTY of the NATURE (GOD).
The COLORFUL BODY….the DANCE….the VOICE…..and the PEACOCK FEATHER with LORD KRUSHNA. All these are in the THOUGHTS as I wrote this Poem.
I hope you like this Post.
Dr. Chandravadan Mistry
માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !
માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !
ગમે તેવા સંજોગો હોય અને હોય માનવ સ્વીકાર,
એવો સ્વીકાર પ્રભુનામે,તો એમાં હોય શક્તિ અપાર !…….(ટેક)
સંસારમાં રહી કર્મ તો કરતા રહેવું પડે, એ જ સત્ય,
કર્મનું પરિણામ નથી નક્કી, હોય સફળતા કે હાર, એ જ સત્ય,
એવા સમયે,જે પરિણામ હોય એનો સ્વીકાર, એ જ ખરૂં જ્ઞાન જાણવું !…..(૧)
જો કદી હાર હોય તો, કંઈક પ્રભુકૃપા એમાં હશે એવું માનવું,
એવી હાર સ્વીકારમાં એવી કૃપાનું રહસ્ય ભવિષ્યમાં હશે એવું માનવું,
જો કદી આવું તમે કર્યું, તો જીવન જીવવાની ચાવી મેળવી એવું જાણવું !…(૨)
અસ્વીકારમાં રહો જો તમે, જીવન તમારૂ ફક્ત ઉદાસીભર્યું હશે,
આવી ઉદાસી મનને જીતી તમોને જરૂર કેદી કરી લેશે,
તો, એ જ ખરેખર મુર્ખતા કહેવાય એવું જાણવું !……………..(૩)
ભલે, અસફળતાઓ હશે પણ કાર્ય જો સત્ય પંથે હોય,
તો, ફરી આત્મબળ જગાવી, પ્રભુના માર્ગદર્શને ફરી સફળતા હોય,
એવી સમજ ગ્રહણ કરી, તો મનમાં જ્ઞાનગંગા વહી એવું જાણવું !….(૪)
સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે,
પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે,
આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !….(૫)
અંતે, ચંદ્ર સૌને કહે ઃ જગતમાં આવ્યો છે તું પ્રભુકૃપા થકી,
એવા સત્યને ના ભુલવું , જે ભુલે તેનો કદી ઉધ્ધાર નથી,
આવી પ્રભુભક્તિમાં સ્નાન કરતા, પરમ આનંદ મળે એવું જાણવું !…(૬)
કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
આ કાવ્યપોસ્ટ દ્વારા એક જ સંદેશો છે.
એક માનવ જન્મ મળ્યો એ જ પ્રથમ પ્રભુકૃપા….કર્મ કરવું જ પડે પણ કર્મના ફળનો ત્યાગ કર, અને જે પરિણામ હોય ( સફળતા કે હાર) તેનો પ્રભુઈચ્છારૂપે સ્વીકાર કરતા શીખ…અને આ પ્રમાણે જીવનમાં પરિવર્તન આવે તો માનવજીવન ધન્ય થઈ જાય કારણ કે અહીં “અહંકાર”નો ત્યાગ સમાયો છે.
આ પોસ્ટ સૌને ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati”MANAVSVIKAR-RUPI PRABHU BHAKTI” meaning ” HUMAN ACCEPTANCE (of the Events inLife)as the DEVITION to the DEVINE”
One performs the ACTIONS…..then ACCEPTS the END RESULTS as the WILL of the GOD.
This ATTITUDE will make the HUMAN remain in the POSITIVE THOUGHTS even if faced with the ADVERSE SITUATIONS….even when the RESULT is not PLEASANT.
The MESSAGE is that one MUST NEVER FORGET GOD.
I hope you like this Post.
Dr. Chandravadan Mistry
હંસ માનવીને જીવન જીવવા શીખવે !
હંસ માનવીને જીવન જીવવા શીખવે !
નિહાળો હંસને જે છે પ્રભુનો અતી પ્યારો,
સરોવરમાં લાગે છે સુંદર ‘ને છે સૌનો વ્હાલો,
સફેદ કાયામાં એ તો સત્યનું એક પ્રતિક કહેવાય,
સફેદ અજવાળારૂપી માનવ-ગુણોના દર્શન અહીં થાય,
કહે સૌ હંસ તો ચરે ફક્ત મોતીડાનો ચારો,
માનો એને અવગુણોરૂપી અંધકારને હણનારો,
સરોવરમાં તરી, હંસલો કદી જો ગર્વ કરે,
તો, માનજો એ નથી રહ્યો ખરેખર હંસ હવે,
હંસ તો છે માતા સરસ્વતીનું વાહન પ્યારૂં,
એવા સ્વરૂપે માનવું એને “જ્ઞાન-પ્રતિક” ન્યારૂં,
અંતે ચંદ્ર કહે ઃ માનવીએ જગમાં રહી હંસ બની જાવું,
ના ડુબવું અહંકારોમાં તો જ માનજો કે જીવન ધન્ય થયું !
કાવ્ય રચના ઃ તારીખ માર્ચ,૧૭,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
આજે એક ઈમેઈલ.
એમાં અનેક પક્ષીઓના ફોટા હતા.
એક હંસનો ફોટો નિહાળી યાદ આવ્યું “હંસ તો મોતી ચણે”.
આવી યાદ સાથે હંસને સસ્વતી માતાના વાહન સ્વરૂપે “પવિત્રતા”ના દર્શન કર્યા.
સફેદ સાથે કાળા રંગની સરખામણીએ “જ્ઞાન”ને સફેદ રંગે નિહાળવા મારો પ્રયાસ હતો.
આશા છે કે તમો સૌને આ રચના કે પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
A SWAN is a bird with BEAUTY.
The WHITENESS of the body signifies the PURITY of the HEART & a symbol of the TRUTH…..the LIGHT & not the DARKNESS of the HUMANS.
I tried to see ALL GOODNESS & created a Poem in Gujarati.
I hope you like it !
Dr. Chandravadan Mistry.
કળિયુગ કે પ્રભુની લીલા કહો ?
સંસારમાં માનવતા રહી છે કે નહી ?
સંસારમાં માનવતા રહી છે કે નહી ?
કોઈ લખે કે આ સંસારમાં માનવતા જરા રહી નથી આજે,
એમાં, થોડું સત્ય અને થોડું અસત્ય સમજી લખું છું હું આજે ! (ટેક)
કોણ કહે એવું તમે પૂછો તો કહું પૂછનાર હું છે જ હું,
પ્રષ્નો છે હ્રદયમાં, છતાં જે તમે કહો તે સમજું છું હું,
પણ, શું કહું આ તો ભાત ભાત લોકોરૂપી સંસાર છે એવું જાણું છું હું,
ગજબ છે આ દુનિયા, સત્ય માટે ના કોઈને પડી છે, એવું જાણું છું હું,
છતાં, અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,
બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું,
એવી સમજમાં પ્રભુનો પાડ માનનારાઓમાં એક માનવી છે તે જ છે હું,
હવે તો, થોડા સત્ય પંથે જાણી,સંસારી જીવન જીવવાની ખુશીમાં છું હું !
કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૧૯,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો...
આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં માનવતા રહી કે નહી ?” એ જ સવાલ કર્યો છે.
દરેક માનવીને પોતાનો અનુભવ હશે.
કોઈ ઘટના નિહાળી કોઈને થશે કે આ યુગે માનવતાનો ભાવ રહ્યો જ નથી….તો, કોઈને થશે કે “માનવતા” હજુ છે.
આશા છે તમોને આ પોસ્ટ ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati asking a question “Is there Humanity in the Humans ?”
Each one of us has the personal experiences. Some may conclude the the Humanity( Manavata) is NO MORE.
While some may say that the Humans have the Humanity & the feelings for the others.
Hope you like this Post !
Dr. Chandravadan Mistry
માનવ આત્મબળ !
માનવ આત્મબળ !
માનવી, આત્મબળને તું જાણ,
જાણી એને, જીવનમાં અપનાવ !……..(ટેક)
કોઈ કહેશે આત્મબળ તે વળી શું ?
પ્રષ્ન એવો ભલે, જવાબ એનો હું કહું !
માનવ દેહ તો પ્રાણ થકી ટકે,
એવા પ્રાણમાં અપાર શક્તિ રહે,
જે કાર્યો થાય તે સર્વ એવી શક્તિ દ્વારા થાય,
જે વપરાય તેમાં તો ફક્ત તલભાર શક્તિ વપરાય,
જ્યારે મનડું કહે આ કાર્ય છે અશક્ય,
ત્યારે, આત્મબળ કહે એ તો છે શક્ય,
આત્મબળ દ્વારા અપાર હિંમત મળે,
હિંમત થકી, છુપાયેલ શક્તિ સહારે આવે,
જે અશક્ય હતું તે શક્ય નજરે આવે,
ત્યારે, આત્મબળની સમજ માનવને આવે,
ગરીબ ભુખ્યો, અંધો કે લુલો લંગડો જે કે અસહાય હોય,
તે લાચારીમાં આત્મબળને જ કેદી કરતો હોય,
એવી હાલતે, આત્મબળની શક્તિ સહાયરૂપે કદી ના હોય,
એ જ કારણે લાચારીની જીત સદા જીવનમાં હોય,
કદી જો, બુરી હાલતે, કોઈ આત્મબળને જાગૃત કરે,
તો, અપાર શક્તિ મેળવી, જીવન બાજી એ બદ્લે !
આત્મબળનો મહિમા,ચંદ્રે સરળ રીતે સમજાવ્યો,
જે કોઈ સમજે, જીવન એનું ધન્ય થયું એવું તમે જાણો !
કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૪,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
આજની કાવ્ય પોસ્ટ “માનવ આત્મબળ” છે.
આ કાવ્ય દ્વારા સૌને આત્મબળની સમજ આપવાનો મારો પ્રયાસ છે.
માનવ દેહની અંદર એક અદભુત “શક્તિ”છુપાયેલી છે.
માનવ એવી શક્તિ વિષે ભુલી જાય છે.
સંજોગો આધારીત ઘટનાઓ સમયે માનવી આત્મબળને ભુલી “લાચારી” અનુભવે છે.
મારા કાવ્યનો હેતુ એક જ છે>>>માનવીએ એના “આત્મબળ” વિષે જાણી, એવી છુપાયેલી “શક્તિ”ને ફરી જાગૃત કરી, સંજોગો સાથે લડવાનું છે.
બસ, આ જ સંદેશો છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Poem in Gujarati is titled “MANAV ATMABAL”.
It means the “CONFIDENCE of the SELF”.
This is the “potential fighting spirit” that is hidden within each Human.
One must “activate” that spirit & fight the adversity as faced at a given circumstance.
If one does not do that, one is disappointed & sad….and thus “self defeated”.
The realisation that such a “power” exists within is the key to the successes in the life.
This is the MESSAGE conveyed in the Poem.
Dr. Chandravadan Mistry
તાજેતરની ટિપ્પણીઓ