Archive for મે, 2010

વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

 
 Rajiv Pandya
PRAGNAJUBEN VYAS
 (NO PHOTO)
 

વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

 
  
  
 

ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !

મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)
  
ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,
  
પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
  
જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)
  
ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
  
 વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !
  
જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)
  
હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,
 
ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)
  
“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
  
આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)
  
પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,
   
પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
 
હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)
 
ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
 
અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !
 
હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)
 
તારીખ..માર્ચ, ૧૫, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજે ઘણા દિવસો બાદ, પ્રજ્ઞાજુબેન ફરી “ચંદ્રપૂકાર”પર આવી
 
અનેક પોસ્ટો માટે પ્રતિભાવો આપ્યા…અને આ કાવ્ય લખવા પ્રેરણા મળી !
 
>>>>ચંદ્રવદન.
 
 
 
 
 

બે શબ્દો…..

આજની “વ્યક્તિ પરિચય…મિત્રતા”ની પોસ્ટ છે પ્રજ્ઞાજુબેન વ્યાસના વિષે !
ગુજરાતી વેબજગતમાં થયેલા અનેક નારીઓના પરિચયોમાંથી મેં એમને મારા “મોટીબેન”સ્વરૂપે નિહાળી, આ પોસ્ટ પ્રગટ કરી છે !
 
પ્રથમ શા માટે ?
 
બ્લોગજગતની સફરોમાં અનેક બ્લોગોમાં એમના “પ્રતિભાવો” વાંચ્યા …..એમને થોડા જાણ્યા….અને, ત્યારબાદ, એમણે જુલાઈ, ૨૦૦૮માં એમનો બ્લોગ “નિરવ રવે” શરૂં કર્યો. અને, એમના એ બ્લોગ પર ફરી ફરી જતા એમને વધુ જાણ્યા. એમણે પ્રગટ કરેલી પોસ્ટો વાંચતા હું એમને વધુ સમજવવા લાગ્યો. આમ તો એમણે “ચંદ્રપૂકાર” પર આવી જે પ્રતિભાવો આપ્યા હતા એ આધારે, હું એમના “ઉંડા જ્ઞાન”થી પ્રભાવીત થઈ ચુક્યો હતો જ, પણ એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોમાં અનેક વિષયોના દર્શન થયા…..ગુજરાતી કે અંગ્રેજી સાહિત્ય કે પછી ધર્મજ્ઞાનનો વિષય હોય…..કે પછી, ભુગોળ, ઈતિહાસ કે મેડીકલ જ્ઞાનનો વિષય હોય…..આવા વાંચન સાથે, જેને મેં “બેન” ગણ્યા, એમને મળવા માટે હૈયે “આશાઓ” જાગ્રુત થઈ…..ઈમેઈલથી એમના વિષે જાણવા મારા પ્રયાસો હતા. સફળતા ના મળી !…….શા માટે આવું હશે ?……મારૂં મન આનો જવાબ માંગતું રહ્યું ……અંતે જાણ્યું કે અમેરીકામાં “આઈડી”ની ચોરી થાય , અને એમને પોતાના વિષે પુરી માહિતીઓ ના આપવાની સલાહો હોય શકે …અને આ વિચાર એક “ડર” રૂપે હોય શકે…આ ફક્ત મારૂં અનુમાન છે !
 
એમના વિચારોને માન આપવું એ જ યોગ્યતા કહેવાય !…..હું એમને એમના “વિચારો”માં નિહાળતો રહ્યો.
 
એમના બ્લોગ પર પોસ્ટો વાંચતા, હું એમના વિષે જરા વધુ જાણી શક્યો……..જાણ્યું કે અમેરીકા આવવા પહેલા, એઓ સુરત, ગુજરાતના રહીશ હતા…..એમના ભાગ્યમાં પ્રફુલ્લભાઈ વ્યાસ પતિ/જીવનસાથી …..કદાચ, પ્રફુલ્લભાઈ સૌરાસ્ટ્રના હશે કારણ કે એમના લગ્ન બાદ થોડા સમય માટે પ્રજ્ઞાજુબેન ત્યાં હતા……અને , લગ્ન પહેલા, એમની અટક કદાચ “શુક્લ” એવી જાણ કોઈ પોસ્ટ દ્વારા થઈ ( ભુલ હોય તો સુધારવા ક્રુપા કરશો )…..એમને પ્રભુએ “દિકરા-દીકરીઓ”નું સુખ પણ આપી  ક્રુપા કરી હતી …..આજે એઓ સંતાનો સાથે ન્યુ જર્સીમા આનંદભર્યું જીવન ગાળી રહ્યા છે…..અનેક પોસ્ટોમાં એમની દીકરી “યામિની” ના કાવ્યો કે પછી એના સાહિત્ય જ્ઞાનના દર્શન “નાટકો” કે “પ્રગટ કરેલા પુસ્તકો” દ્વારા થાય છે….અને, સાથે સાથે જ્યારે જાણ્યું કે યામિની એક “ડોકટર/પેથોલોજીસ્ટ” છે ત્યારે મારા મારા મનમાં કોણ જાણે કેમ એક વિચાર આવ્યો…” પ્રજ્ઞાજુબેન પણ ડોકટર હોય શકે ને ? “
 
આ ઉપરનો વિચાર પણ ખોટો હોય….
 
તો, એમના ઉંડા વાંચનને જાણી, કદાચ એઓ એક “ટીચર” પણ હોય શકે ?
 
અરે, શા માટે હું આવા વિચારો કરૂં છું ? કદાચ, મારૂં મન એમને વધુ જાણવાના હેતુથી
આવું કરી રહ્યું હશે.
 
છોડો આ બધુ…..બેન જ એક દિવસ એમની ઈચ્છાથી જાણ કરશે !
 
અને, હા, એક અગત્યની વાત કહેવાનું તો ભુલી જ ગયો …..એકવાર, પ્રજ્ઞાજુબેનનો ઈમેઈલ મારા આવ્યો..એમાં જે લખ્યું હતું તે કોપી’પેસ્ટ  નીચે મુજબ>>>>
 
ડોકટરને બતાવવાનું થયું…તો સીધી સેરેઝોન લખી આપી…લાયબ્રેરીમાંથી આ અંગેના ઘણા ચોપડાનો અભ્યાસ કર્યો તો મઝાની વાતો જાણવા મળી.તે વખતના સુ.કો.ના વડા રેહન્ક્વીસ્ટ પણ મેડીકલ બેદરકારીનાં ભોગ બનેલા! અને અહીંના સમાજમાં પણ આ અંગે ઘણી બેદરકારી છે-તો આપણે તે તરફ ધ્યાન દોરવું
 
 
આ સલાહ મારા મનમાં રમતી રહી…..કેવી રીતે બ્લોગ પર “મેડીકલ જ્ઞાન” વિષે પોસ્ટો હોય શકે ?…..સમય વહેતો ગયો…..”ચંદ્રપૂકાર” પર અનેક પોસ્ટો પ્રગટ થઈ. એનો આનંદ હૈયે હતો, છતાં, “પ્રજ્ઞાજુ-સલાહ” મારા મનમાં ફરી ફરી આવતી હતી….અને એક દિવસ, ડીસેમ્બર ૨૦૦૯માં એક વિચાર આવ્યો…”માનવ શરીર/દેહ વિષે કંઈક “સરળ ગુજરાતી ભાષા”માં પોસ્ટરૂપે લખું કે જે દ્વારા સૌને “મેડીકલ જ્ઞાન” મળે, અને સાથે સાથે “માનવ-બિમારીઓ” સમજવાનો લ્હવો મળે”…..બસ, આટલા વિચાર દ્વારા “માનવ તંદુરસ્તી” નામકરણે જાન્યુઆરી ૨૦૧૦માં “ચંદ્રપૂકાર” પર પોસ્ટો પ્રગટ થઈ….જે માટે એક ડોકટર તરીકે મને ખુબ જ આનંદ છે …અને, એ આનંદના ભાગીદાર છે પ્રજ્ઞજુબેન ! 
 
બે કે ત્રણ વર્ષ પહેલા, પ્રજ્ઞાજુબેને “૫૦મી વેડીંગ એનીવસરી” ઉજવી હતી …..હશે કદાચ ૨૦૦૭ની સાલ …તો લગ્ન હશે ૧૯૫૫ ( આગળ કે પાછળ )….તો, આજે એઓ હશે ૭૦ આસપાસ( more likely 75 years or more )…તો મારા “મોટીબેન” જ થયાને ?
 
ગુજરાતી બ્લોગજગતમાં ફરતા કોઈ પણને પ્રજ્ઞાજૂબેનનો ભેટો એમના “પ્રતિભાવો” દ્વારા થઈ જ જાય ….પણ, એમના બ્લોગ “નિરવ રવે ” પર જવા માટે “લીન્ક ” છે>>>>>
 
http://niravrave.wordpress.com/
 
મારા દીલમાં એમનો “ફોટો” ના જોયો એવો “અફસોસ” હંમેશા રહ્યો…..ત્યારે મારૂં મન મને ફરી ફરી કહેતું ..”હ્રદયમાં છે તો ફોટાની શી જરૂર ?”
 
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા, એક જ પ્રાર્થના….” પ્રભુ, પ્રજ્ઞાજુબેનને તમે હંમેશા તંદુરસ્ત રાખજો…..એઓ ગુજરાતી બ્લોગજગતમાં એમની “પ્રસાદી” આપતા રહે” …..અને, અંતે એક જ આશા>>>કોઈવાર ન્યુ જર્સીમાં જવાનું થાય અને ના ધારેલી જગ્યાએ એમનો ભેટો થઈ જાય !  અશક્ય ? ના, પ્રભુ ઈચ્છા હોય તો આ પણ શક્ય !….અને, અંતે મારે એમના પ્યારા મોટાબેન, જેમણે એમને જન્મ બાદ ગોદમાં લીધા હતા, એ “રમાબેન”ને વંદન પાઠવું છું !….એમના પતિ પ્રફુલ્લભાઈને “જય શ્રી ક્રુષ્ણ” !
 
આ પોસ્ટ વાંચી,  પ્રતિભાવો આપશોને ? અને, પ્રજ્ઞાજુબેન કોઈ ભુલ થઈ હોય તો માફ કરશોને ?
 
>>>>>ચંદ્રવદન. 
 
 
 
 

અને,વધુમાં લખવાનું કે…….

ઉપર મુજબ “પોસ્ટ”રૂપી લખાણ તૈયાર કર્યા બાદ, પ્રજ્ઞાજુબેને “૬૦+ના ગ્રુપ”માં ઈમેઈલ દ્વારા ( તારીખ મે,૨૩,૨૦૧૦) નીચે મુજબ લખ્યું >>>>
 
 
થોડી મારી વાત …
અમે અહીં આવ્યા બાદ મારી સ્થિતી કાંઈક આવી હતી.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
    ઉપાય સૂચવાયો…
  જે પણ વિચાર આવે તે લખો
 પછી સ્નેહીજનો પર મોકલો.ત્યારે ફોન,ઈન્ટરનેટ સેવાઓ ધીમી અને ખર્ચાળ હતી.અમારા વર્જીનીયાવાળા જંત્રાણીયા એક સી ડી લાવ્યા હતા જેનાંથી ગુજરાતીમા લખાય અને કોમ્પ્યુટરમા સેવ થાય.પણ તેમા ફાવટ આવી નહીં.મારા કાકાશ્રીએ સેંટ જોનથી ઈ-મૅઈલ મોકલ્યો અને ફોન પર કહ્યું કે ઈ-મૅઇલથી ઉતર આપો.અંગ્રજીમા ઈ-મૅઈલ ચાલુ થયા અમારા નોર્થકેરોલીનાના ભત્રીજાના દિકરાની વહુએ ગુજરાતી વાંચવાની પધ્ધતિ બતાવી.શરુઆતમા પ્રતિભાવ અંગેજીમા આપતા.અમને એવી સલાહ આપવામાં આવેલી કે અહીં કોઈ પણ વસ્તુ મફ્ા ન હોય અને અમારા પૌત્રે લયસ્તરોનું સબસ્ક્રીપશન ભર્યું અને અમને ફીકર થઈ કે કેટલો ખર્ચો થશે?પણ પૂછ્યુ તો બધાને હસવું આવ્યું! ત્યાં સોનલ બ્લોગ કાઢ્વાની વાત લાવી! અમે તો પૂછી જ લીધું કે આમા ખર્ચો કેટલો થાય? તો કહે મ  ફ  ત અને અમારા ઈ-મેઈલ પ્રમાણે પોસ્ટ મૂકી આપી અને તે ન્યુયોર્કના આખલાને નાથવામા પડી ગઈ…જેમા અમારી ચાંચ ન ડૂબે તેવી ફાઈનાન્સની કામગીરીકરે! શરુઆતમાં જ સૂચના આપેલી કે બોલ્ડમા લખો તે ગુસ્સો કર્યો કહેવાય! આઈ ડી ખાસ સાચવવાની! તમારી સાચી બર્થડેટ તથા ફોટા મૂકવા નહીં. નહીં તો આઈ ડી ચોરાઈ જાય !
  આ પોરી પાન વગરની ડાળખીને પાન ખરની બીક બતાવે! પણ ગુરુવચન પાળવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારા સ્નેહી જનોમા વિદ્વાનો છે પણ તેઓને કોંપ્યુટરની એલર્જી છે…અને .
      મારું ગાંડપણ એવું છે તમે કેમ છો?ના બોર આપ્યા અને અમે અમારી જાતે કલ્લી …
  ચાલો કોલ આવ્યો-વેરીઝ આ આ આ જી! અને તેમના પેટમાંથી હાર્ટમા જવાનો રસ્તો ચાલુ રાખવા જ ઉં છું ત્યારે……

 

 
 
 
આવું જાણતા, ….જે મારૂં અનુમાન હતું કે એમને “આઈડી ચોરી”નો ડર છે તેને “સત્ય ઘટના”રૂપી સ્વરૂપ મળ્યું …..આ પ્રમાણે, પ્રજ્ઞાજુબેને હ્રદય ખોલી જે લખ્યું તે વાંચી મને ખુબ જ આનંદ છે !….પ્રભુની ક્રુપા હશે તો…..આ પોસ્ટ હું પ્રગટ કરૂ તે પહેલા, કદાચ એમનો “ફોટો” એમના બ્લોગ પર નિહાળવાનો લ્હાવો મળશે….અને, આવું જો શક્ય થાય તો એ ફોટો આ પોસ્ટ સાથે પ્રગટ કરીશ….
 
ચંદ્રવદન.

 

 
FEW  WORDS
 
After the initial Posts on 5 MALE PERSONS as my FRIENDS ( MITRA), I had published Posts on “HEALTH” & “SUVICHAO”…and  also a Post on “MOTHER’S DAY” & a Post of a “BOOK REVIEW”…..and on the 50th Anniversary of GUJARAT.
 
As of today, it is Friday May, 28th 2010 and bu TITHI it is ADHIK VAISHAKHI PADVO meaning  1st Day of the ADHIK VAISHAKH MONTH & you are viewing the 1st Post under the Title of  “VYAKTI PARICHAY..MITRATA”…and of the Seies of these Posts under this Title there will be 5 WOMEN.(with Pragnajuben as the 1st Woman )
 
Today’s Post is on PRAGNAJUBEN VYAS….an Elderly Lady with the KNOWLEDGE!
She has been very active sharing her thoughts with others in the the GUARATI WEBJAGAT. At her age of more than 75 years & close to 80, she is the INSPIRATION to ALL !
 
You may know more about Pragnajuben by visiting her Blog “NIRAV RAVE…”by this LINK>>>>
 
http://niravrave.wordpress.com/
 
 
 
 
I pray to God that she remains in good health, and continue to encourage others.
It is my wish that one day I will see her in a PHOTO or actually MEET her !
 
Many in the Gujarati Webjagat know Pragnajuben….I invite you to read  this Post. I also will be HAPPY to read your COMMENTS with “Best Wishes” to her. Those who have NOT KNOWN her, will surely have the admiration for her !
 
CHANDRAVADAN  MISTRY

મે 28, 2010 at 12:21 પી એમ(pm) 26 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)

 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૪)

તમે “ચંદ્રપૂકાર” પર પધારી, તારીખ ફેબ્રુઆરી,૨૧, ૨૦૧૦ના દિવસે “ચંદ્રપૂકાર શબ્દોમાં(૧૩)” ની પોસ્ટ વાંચી હતી.અને ત્યારબાદ, તમે “વ્યક્તિ પરિચય..મિત્રતા” નામે થોડી પોસ્ટો વાંચી…અને એક “સુવિચારો”ની પોસ્ટ બાદ, અનેક “માનવ તંદુરસ્તી” ની પોસ્ટો વાંચી……અને ત્યારબાદ “એક બુક રીવ્યુ”ની પોસ્ટ, અને તારીખ મે, ૯, ૨૦૧૦ ના રોજ હતી એક “મધર્સ ડે”ની કાવ્યરૂપી પોસ્ટ !…..અને પછી, થોડી પોસ્ટો હતી “સુવિચારો”વિષે.

અને,,,અંતે પોસ્ટ હતી ગુજરાત વિષે !

.
અને હવે, તમે ફરી “વ્યક્તિ પરીચય…મિત્રતા “ની બીજી પોસ્ટો વાંચશો…..તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટ દ્વારા  “પાંચ પુરૂષો” વિષે જાણ્યું હતું ……અને હવે, મારી બ્લોગ જગતની સફરમાં થયેલી “નારીઓનૉ ઓળખાણ” વિષે જાણશો. પુરૂષ-મિત્રો વિષે લખવાનું બાકી છે છતાં મને થયું  કે નારીઓ વિષે લખવું એ જ યોગ્ય કહેવાય. બ્લોગજગતે …કે “ગુજરાતી બ્લોગજગતે” અનેક નારીઓ ફાળો આપી રહ્યા છે…સૌને મારા વંદન !
અનેક નારીઓના નામો ગુંજે છે …અને તેમાંથી અનેક નારીઓ ને વધૂ જાણી , કઈક “મિત્રતા” ભાવે નિહાળતા, “વ્યક્તિ પરીચય…મિત્રતા”ના હારમાં મુકવા આ મારો પ્રયાસ છે……કોઈ નારીને પ્રથમ એના “ઉપનામે” જાણી…..કોઈને એના “ઈનીસીયલ્સ” સ્વરૂપે જાણી,તો કૉઈને “પ્રોફેસનલ કામ” કરતી જાણી. તો એનેકને ઘરકામ કરતા કરતા, “એક સાહિત્ય પ્રેમી “ તરીકે નિહાળી…..અને કોઈનું નામ જાણ્યું અને ફોટો નિહાળ્યો….તો કોઈનું ફક્ત નામ જ જાણ્યું અને “ફોટો કે પ્રોફેસન” માટે અજ્ઞાનતા રહી……..
અત્યારે હું ૬૦થી વધુ અને ૭૦થી ઓછા વર્ષોનો માનવી……જ્યારે, મારાથી વધુ ઉંમરની નારીને નિહાળું ત્યારે “માત”ભાવ મારા હૈયે જાગ્રુત થાય…..મે મારી માતાને એમની ૮૨ વર્ષની વય સુધી “બા” કહી પૂકારેલા…..એથી સર્વ નારીઓ પ્રથમ તો “માતૄ”ભાવ જ પ્રગટ કરે……પણ જ્યારે એ નારી મારી ઉંમર આસપાસ હોય ત્યારે “બેન” ભાવ જાગ્રુત થાય……”મોટી બેન ” …કે “નાની બેન “…..મારા ભાગ્યમાં “બેન” ન હતી …મારા જન્મ પહેલા બાળ અવસ્થામા મારા માતા-પિતાની બે દીકરીઓ ગુજરી ગઈ હતી…આથી , મારા માતા-પિતાના બે દિકરાઓ….હું અને મારા “મોટાભાઈ” ( જે મને છોડી પ્રભુધામે)…
મારાથી નાની નારીઓને હું “દીકરી-સમાન” નિહાળું છું …..અને, કોઈક વાર, કોઈએ આગળ પડીને મને “કાકા” કહી માન આપ્યું તે કદી ના ભુલાય !
બસ, મારે મારા હ્રદયનું કહેવું હતું અને મેં કહી દીધું …..સૌ નારીઓને ફરી વંદન !
હવે, સવાલ આવે છે …પ્રથમ વ્યક્તિ કોણ ? અને ત્યારબાદ, કોણ ?
તો,
પ્રથમ છે વડીલ સ્વરૂપે, એક સાહિત્ય-પ્રેમી, અનેક બ્લોગર્સના પ્રેરણાઆપનારા પૂજ્ય બેન હશે !
  
એ પોસ્ટ …અને ત્યારબાદની અન્ય પોસ્ટો  વાંચવા આવશોને ?
 
>>>>>ચંદ્રવદન
  
 
FEW WORDS…
 
After several Posts of “SUVICHARO”, you are reading “CHANDRA-VICHARO SHABDOmaa(14)”. You had read ine past a Series of Posts entitled ” VYAKTI-PARICHAY….MITRATA”…..& those posts were about 5 Male-Blogger Friends. Now you will be viewing 5 MORE Posts but these will about 5 WOMEN.
 
In my heart, there is MOTHERLY LOVE for ALL WOMEN …..then I see those of my age & even some elder ones as my SISTERS ….& in those YOUNG ONES, I see my DAUGHTERS……Some even had shown me the respect by calling me KAKA (Uncle).
 The next Post & 1st in the Series on WOMEN, it will be on the Elderly Respected Lady  (NAME NOT REVEALED NOW ). …and then OTHERS.
 
Hope you will READ all these Posts !
 
CHANDRAVADAN
 

મે 26, 2010 at 12:45 એ એમ (am) 12 comments

“ગુજરાત દિન” મહોત્સવ !

 
 
 

“ગુજરાત દિન” મહોત્સવ !

શનિવાર, મે ૧, ૨૦૧૦, એટલે ભારતના અત્યારના ગુજરાત રાજ્યની ૫૦મી એનીવરસરી !….એ શુભ દિવસે ૫૦ વર્ષ પહેલા સ્વતંત્ર ભારતના “મહાગુજરાત” રાજ્યના ભાગલાઓ થતા, એ રાજ્યોએ જન્મ લીધૉ…યાને “ગુજરાત” અને “મહારાષ્ટ” !
આ વર્ષે આ શુભ દિવસે, ગુજરાતમાં અનેક શહેરોમાં આની ખુશી ઉજવાય…આ ખુબ જ આનંદની વાત !…….પણ, ઘણી જ ખુશીની વાત તો એ કે  આ દિવસની ખુશી પરદેશમાં અનેક શહેરોમાં રહેતા ગુજરાતીઓએ   “ઉત્સવો”કરી માણી.
અમેરીકાના અનેક શહેરોમાં આવો આનંદ હતો…..સધર્ન કેલીફોર્નીઆમાં રહેતા ગુજરાતીઓએ શનિવાર મે, ૧, ૨૦૧૦ના રોજ સાંજના “ગુજરાત દિન મહોત્સવ” રાખ્યો હતો….. લોસ એન્જીલીસ શહેરથી દુર હોવાના કારણે એ ઉત્સવમાં હાજરી આપીવી અશક્ય હતું તો મેં મારો હ્રદયબાવ ઈમેઈલથી દર્શાવ્યો>>>>>
 
 
 
 
પ્રિય ગુજરાતીજનો,
આપણા સ્વતંત્ર ભારતમાં આપણા પ્યારા ગુજરાતે એક રાજ્ય તરીકે ૫૦ વર્ષ પુરા કર્યા એ ઘણા જ ખુશીની વાત છે…..અને, શનિવાર, તારીખ મે, ૧, ૨૦૧૦ના શુભ દિવસે અમેરીકાના કેલીફોર્નીઆના લોસ એન્જીલીસ વિસ્તારે આપણે સૌ ભેગા થઈ એક “ગુજરાતદિન મહોત્સવ” કરી, આનંદ અનુભાવી રહ્યા છીએ. સૌ ગુજરાતીઓ માટૅ આ “ગૌરવ-કહાણી” છે !
ભારતથી દુર….ગુજરાતથી દુર….અહી અમેરીકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓ “માતા”ને ભુલ્યા નથી. અત્યારના સ્વતંત્ર ભારતના એક રાજ્યરૂપે ગુજરાતનો “નવલ-જન્મ” પચાસ(૫૦) વર્ષ પહેલા થયો હતો…..એને યાદ કરી, આજે આપણે આ “સ્નેહ સમુહ-મિલન” કરી એકબીજાને મળીએ છીએ, અને ગુજરાત કે વિશ્વના કોઈ પણ જગ્યાએ રહેતા ગુઅરાતી બંધુઓને આપણી ખુશી જાહેર કરીએ છીએ…….અમેરીકાના ઈતિહાસના પાને આ એક યાદગાર ઘટના  હશે !
આવા આનંદમાં નાચી, મારૂં હૈયું કહે છે…….
…..
ગુજરાત “માત” મારી, તમારી, અને આપણી,
  
જન્મદિનને યાદ કરી, ઉત્સવ કરવાની છે ફરજ આપણી,
  
આજે, ગુજરાતના કવિ, લેખકો ‘ને સાહિત્યકારોને યાદ કરીએ,
  
નર્મદ, ઝવેરચન્દ મેઘાણી જેવા અનેકને કેમ ભુલીએ ?
  
આજે, ભારતના નેતાઓને યાદ કરીએ,
  
ગાંધી, સરદાર જેવા અનેક રત્નોને કેમ ભુલીએ ?
 
ભવ્ય સોમનાથ મંદિરને નિહાળી, ગુજરાતના ઈતિહાસને યાદ કરીએ,
 
સ્વતંત્ર ભારત કરવા આપેલ ગુજરાતની કુરબાનીઓને કેમ ભુલીએ ?
 
પ્યારા ગુજરાતની “સુવર્ણ જયંતિ” છે આજે,
 
“જુગ જુગ જીવો ગુજરાત” નાદ એવો ચંદ્ર-હૈયે છે આજે !>>>>>ચંદ્રવદન
 
આ ઉત્સવરૂપે અહી સાકાર કરવા માટે અનેકનો ફાળો છે…પણ  અહી અરવિંદભાઈ જોષી તેમજ હર્ષદભાઈ મોદીને ફાળો હંમેશા યાદ રહેશે…..અને, મારા વંદન છે એમને અને સૌને !
 
ડોકટર ચંદ્રવદન મિસ્ર્તી
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ.
“ચંદ્રપૂકાર “
 
ગુજરાતની ૫૦મી એનીવસરીનો દિવસ તો અનેક દિવસો પહેલા હતો…અને, ગુજરાતી વેબજગતમાં અનેક બ્લોગો પર એ વિષે પોસ્ટો હતી …તો શા માટે આજે  આ પોસ્ટ “ચંદ્રપૂકાર” પર ?
એનો જવાબ છે>>>>>
 
ગુજરાત છે મારા હ્રદયમાં..
 
ગુઅરાતની પ્રગતિ છે મારા વિચારોમાં…
 
ગુજરાત જન્મ જયંતિ આનંદ છે હંમેશા મારા મનમાં …..
 
તો, ગુજરાત વિષે આ પોસ્ટ જરૂર હોય શકે આજે મારા બ્લોગમાં !
 
આશા હવે એટલી કે તમે આ પોસ્ટ વાંચી, કહો ” જય જય ગુજરાત ! ” મનમાં કે પ્રતિભાવરૂપે શબ્દોમાં !
 
ચંદ્રવદન.
FEW WORDS
On May 1st 2010 was the  50th   ANNIVERSARAY of GUJARAT…..A day celebrated  by ALL Gujarati….aall in Gujarat & all residing in other States of India…& also ALL GUJARATI residing OVERSEAS…..This day was celebrated in Southern California on May 1st 2010.
I was not able to attend that Event & so I had sent my BEST WISHES via an Email…& it is published in this Post !
DR. CHANDRAVADAN MISTRY

મે 22, 2010 at 6:39 પી એમ(pm) 11 comments

સુવિચારો…જીવન, સેવા, અને કુદરત !

 

https://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

સુવિચારો

 

જીવન, સેવા, અને કુદરત !

ના કરી પરવા કોઈની ,પસતાવો કરી શું ફાયદો ?
  
કરી લે “સેવા” કોઈની, માની એ કુદરતનો કાયદો !
  
જો હોય હસતા, હસતા, સેવા તમ જીવનમાં
 
તો, હોય આનદ, આનંદ, તમ જીવનમાં !
 
 
>>>>ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

માનવ જીવન અણમોલ છે એવું જાણતા હોવા છતાં, માનવી એના જીવનમાં “ફક્ત”
 
 પોતાના માટે (પોતાના પરિવાર કે સગાઓ માટે) કંઈક કરી “સંતોષ” અનુભવવા લાગે
 
 ત્યારે એ “આંધળો” બની જાય છે, પોતાના “સ્વાર્થ”માં રહી માયાજાળમાં ફસાતો જાય
 
 છે…..જ્યારે એના હ્રદયમાં “અન્ય જીવ ” માટે ભાવનાઓ થાય ત્યારે અનું જીવન ધન્ય
 
 બની જાય છે !
 
મારા આજે પ્રગટ કરેલા વિચારોમાં આ જ સંદેશ છે !
 
 
ચંદ્રવદન 
 
 
 
FEW  WORDS..
 
Today’s “SUVICHARO” are the FINAL PEARLS of WISDOM on the HUMAN LIFE !
A Human Being knows the Human Life is SO PRECIOUS…..and even with the knowledge of “HELPING OTHERS in NEED” he/she remains SELFISH to HIMSELF/HERSELF & may be a bit concerned about the “CLOSE ONES in the FAMILY”….& remains BLIND to the NEEDS of OTHERS.
Only when he/she listens to the INNER VOICE (of the HEART/SOUL) he/she is AWAKEN & this CHANGE in the LIFE makes him/her the REAL HUMAN BEING !
 
CHANDRAVADAN
 

મે 15, 2010 at 1:18 પી એમ(pm) 18 comments

સુવિચારો !…..માનવ જીવન !

 
 

https://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

 સુવિચારો !

માનવ જીવન !

 
 
 
 
જીવન શું ?…..એક જીવનું “વન” કે વનમાં એક “જીવ” ?……જો માવવી અનેક્ને મળી
 
 વન બનાવે તો સારૂં …અને જો વનમાં એક જીવ તરીકે જીવન વિતાવે તો એ
 
 માયાજાળમાં ફસાયેલો એક માનવી !>>>>ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે તમે વાંચો છો એક નાનો વિચાર !
 
માનવ જીવન વિષે !
 
માનવી જગતમાં જન્મ લેય, અને એનું “જીવન”શરૂ થાય.
 
હવે જીવન કેવું જીવવું તેનો નિર્ણય માનવી પર રહે છે.
 
જો એ એના હ્રદય/આત્માને પુછી કાર્યો કરે તો, એનું જીવન સુગંધીત બને.
 
અને, અનું મરણ થાય તો પણ, એના જીવનની યાદ જગતમાં રહે !
 
 
આનું નામ જ અમરતા !>>>>>ચંદ્રવદન
 
 
 
FEW WORDS…
 
Today’s “SUVICHARO” ( Pearls of Wisdom )…..
A LIFE of a HUMAN can be as ONLY ONE INDIVIDUAL…& ignoring ALL OTHER HUMANS…..OR it can be a ONE in a FOREST (of HUMANS), caring for OTHERS !
 
The MAN can be SELFISH   or the MAN  can be LOVING to OTHERS !
 
The DESISION an Individual (HUMAN) must make !
 
The LIFE of LOVE towards OTHERS can keep the MOMORIES ALIVE even after his/her DEATH !
 
CHANDRAVADAN

મે 13, 2010 at 12:30 પી એમ(pm) 17 comments

સુવિચારો !

સુવિચારો !

 
https://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gifhttps://i0.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif

માનવી, અને એનું જીવન !

માનવીનું જગતમાં આવવું …એને, “જીવન”ની શરૂઆત કહો,
 
માનવીનું “જે પ્રકારે” જગતમાં જીવવું,…એને જ એનું જીવન કહો,
 
માનવીએ જો જીવન એવું જીવ્યું ,…કે લોકો કહેઃ “એ ખરેખર માનવી હતો !”
 
ચંદ્રવદન
 
 

બે શબ્દો

 

 

 

આજે જે “સુવિચારો”રૂપે લખ્યું એમાં ફક્ત એક જ સંદેશ છે>>>>માવવને એનું જીવન
  
 જીવવા પ્રભુએ “વિચાર-શક્તિ” સાથે “સ્વતંત્રતા” આપી છે. જીવન કેવી રીતે જીવવું એનો
 
 નિર્ણય એણે લેવાનો રહે છે …..તો તમે તમારૂં જીવન કેવું બનાવશો ?
 
>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS…
 
Today’s “SUVICHARO” ( Pearls of Wisdom )…..The Topic is MIND for THINKING….It is FREE & INDEPENDENT…..So, the DECISION is of the INDIVIDUAL how to live his/her LIFE on this EARTH !
This simple MESSAGE is conveyed !
 
CHANDRAVADAN
 

મે 11, 2010 at 12:07 પી એમ(pm) 7 comments

કમુ, અને મધર્સ ડે !

 
 Happy-Mother-s-Day-Mother-and-Child-in-Veil-Posters

કમુ, અને મધર્સ ડે !

માતા છે તું, નીના,વર્ષા,વંદના, રૂપાની,
 
પણ, આજ “માતદિન”કે”મધર્સડે”ની યાદમાં છે કમુ તું મારી !
 
આવી તું મારા જીવનમાં,’ને મળ્યું સંતાનસુખ મુજને,
 
મળી એક નહી ચાર દીકરીઓ વ્હાલી, જે કહે “મમ્મી”તુજને !
 
આજે,એવી યાદમાં,પ્યાર મારો શબ્દોમાં  દર્શાવી રહ્યો છું,
 
કહી ભાગ્યશાળી હું, પાડ પ્રભુનો દર્શાવી રહ્યો છું !
 
ના કહું પ્યાર શબ્દોમાં તને જો કદી,
 
તો, ખીજ,કલ્પનાઓ છોડી, હ્રદયના પ્યારને લુંટજે ફરી ફરી !
 
 
તારીખ…એપ્રિલ, ૩૦, ૨૦૧૦            ચંદ્રવદન
 
 
આ વર્ષનો “મધર્સડે”ને હજુ તો થોડા દિવસો બાકી છે…એ મે માસના બીજા રવિવાર, યાને મે, ૯. ૨૦૧૦ના હશે.
 
 
આજે એની યાદમાં આ રચના શક્ય થઈ છે !
 
 
 

બે શબ્દો

આજે “મધર્સ ડે”નો આનંદનો દિવસ ! આ જગતમાં જે કોઈ જીવ છે તેને “માતારૂપી” સબંધ જરૂર હોય ! એ નાતે સૌ નર…નારીઓ આ આનંદ માણી શકે.  મારી માતા તો આ જગમાં આજે નથી પણ એની યાદ તો કરી શકું છું …એ પ્રમાણે સૌ માતાની યાદમાં રહે એવી મારી હ્રદય-ભાવનાઓ સ્વીકારશો….આજે, આ શુભ દિવસને યાદ કરતા, મેં મારી પત્ની કમુને યાદ કરી…..એ છે મારી દીકરીઓની માતા …અને એથી મારી દીકરીઓ માટે તો “ઘણી જ ખુશીનો દિવસ !…..પતિ-પત્નીના યુગલજોડે, ઘણીવાર, પતિ એનો હ્રદયનો “પ્યાર” શબ્દોમાં દર્શાવી શકતો નથી…..આના કારણે, ઘણીવાર, પત્નીને દુઃખ થાય છે…..પણ, જો પત્નીનો પ્યાર ઉંડો હોય તો એ આવી ઘટનાઓ ભુલી જાય છે…એ જ નારી ઉદારતા !….આ નારી ઉદારતાની સીમા નથી…..એ ઘરકામમાં “બીઝી” હોવા છતાં, એક માતા-સ્વરૂપે બાળકોને પ્યાર આપતી “બીઝી” હોવા છતાં, એ પતિને હાસ્ય/આનંદ સાથે કામ પરથી ઘરે આવે ત્યારે સ્વાગત કરે છે…અહી જ એના “ઉંડા પ્યાર”ના દર્શન થાય છે. આજે, હું સૌને મારા હ્રદયના ઉંડાણમાંથી કહું છું …..>>>HAPPY MOTHER’S DAY to ALL !
 
ચંદ્રવદન.
 
 
FEW WORDS……
 
Today it is 2nd SUNDAY of  MAY..it is 9th May 2010…and it is the MOTHER’S DAY.
HAPPY MOTHER’S DAY to ALL !
MOTHER is LOVE !….Whether she is ALIVE or in the HEAVEN as the Departed Soul, she can NEVER BE FORGOTTEN !
My Mother is with GOD….yet, she is with me in my HEART.
As I remember her, I think about ALL MOTHERS of this JAGAT ( World )
Today as I remember my DAUGHTERS, I think of their Mother ( ie my Wife ).
So…one can see MOTHER in ALL WOMEN (NARI)
 
Let us ALL say “HAPPY MOTHER’S DAY !”
 
Chandravadan.

મે 9, 2010 at 2:14 એ એમ (am) 8 comments

નિવૃત્તિની પ્રવૃત્તિ-પુસ્તકાવલોકન

 nivrutti_final12

 

“નિવૃત્તિની પ્રવૃત્તિ”નામકરણે પ્રગટ થયેલું પુસ્તક મને એપ્રિલ, ૩. ૨૦૧૦ના દિવસે મળ્યું. એ સુંદર પુસ્તકને હાથમાં પકડતા જ છોડવાનું મન ના થાય એવી મારી હાલત હતી….આ પુસ્તકના લેખક છે “વિજય શાહ “જેમને હું જાણું છું છતાં પુસ્તકના અતિ સુંદર કવર નિહાળી, તરત જ એ ક્યાંથી પ્રકાશીત થયું તે જાણવા મારૂં હૈયુ આતુર હતું. પુસ્તક ખોલતા, વાંચ્યું નામ “ઓથરહાઉસ”(AuthorHouse, of Bloomington, Indiana, USA) હજુ, આ પુસ્તકના લેખોનું વાંચન શરૂ કર્યું ન હતું, એથી, આવા “સુંદર પુસ્તક” પ્રકાશીત કરવા માટે “ઓથરહાઉસ”ને અભિનંદન સહીત આભાર માનવો યોગ્ય લાગ્યું.
પુસ્તકની “અનુક્રમણિકા” પાન ત્રણ (૩) પર વાંચતા, જાણ્યું કે પુસ્તકમાં અનેક લેખો છે…નંબર આપ્યા ના હતા  તો, ગણતા કુલ્લે ૧૮ લેખ-વિભાગો હતા, જેમાં પ્રથમ “નિવ્રુત્તિની વ્યાખ્યા” અને અંતે “અંતરના ઓજસ”.
આ બધાનું વાંચન પહેલા, શ્રી વિજય શાહએ લખેલી “પ્રસ્તાવના” વાંચવાનો લ્હાવો લીધો,,,,,,એમણે પ્રથમવાર મળેલા પૂ. હરિક્રુષ્ણ મજમુદારના નામના ઉલ્લેખ કરી શરૂઆત કરી…..જેમને વિજયભાઈ ૨૦૦૬માં થયેલી “વર્લ્ડ ગુજરાતી કોન્ફરંસ”માં મળ્યા હતા….એ મુલાકાતે જ કદાચ આવું પુસ્તક લખવા વિજયભાઈએ પ્રેરણાઓ મળી એવું હું કહીશ તો એ જરા ખોટું નથી આ “પ્રસ્તાવના” વાંચતા, મેં એટલું અનુમાન કર્યું કે ……” વિજયભાઈનો આ પુસ્તક લખવા માટે હેતુ એટલો જ કે  નિવ્રુત્તિના જીવનમાં માનવી ડરી કંઈ જ ના કરે, અને એને જો અટકાવવું હોય તો અનેક દાખલાઓરૂપે કરી શકાય એવી “જુદી જુદી પ્રવ્રુત્તિઓ”નું વર્ણન કરી માનવીને “માર્ગદર્શન”આપવું રહ્યું…અને એ એક પુસ્તક દ્વારા જ હોય શકે “……વિજયભાઈની આવી વિચારધારાએ જ આ પુસ્તકને જન્મ આપ્યો છે, એવું મારૂં માનવું છે !
પહેલા જ લેખમાં અનેક વ્યક્તિઓના “અવલોકનો” વાંચતા જ નિવ્રુત્તિ જીવનનો “ડર” ઓછો થાય છે….ત્યારબાદ, અનેક લેખો દ્વારા ઉપદેશો હતા……”સારૂ વાંચનમાં સમય ગાળવો”….”જીવનમાં “હાસ્ય”નો સહારો લેવો”…..”કુટુંબમાં પ્રેમ-સંપ જાળવવા પ્રયાસો કરવા”…..અને, “પોતાની તંદુરતી જાળવવી એ એક ફરજ રૂપે ગણો”…..ફક્ત આટલા વાંચન દ્વારા પુસ્તક વાંચનારને નિવ્રુત્તિ જીવન જીવવા “નવી શક્તિ” મળે છે .
“પૂ. હરિક્રુષ્ણ મજમુદાર”ના લેખોમાં એમની મોટી ઉંમરે જે “જન-સેવા રૂપી યજ્ઞ” આરંભ કર્યો તેના દર્શન થાય છે…..અઓ અનેકને સહાય કરી, અનેકના જીવનમાં “આશાઓના કિરણો” રેડે છે !
પુસ્તકના અંત પહેલા, “પ્રેરક ઉદાહરણો” અને “પ્ર્રરણાદાયી લેખો” વાંચકને કઈક “પ્રવ્રુત્તિઓ” કરવા માર્ગદર્શન આપે છે…અને, અંતે, “અંતરના ઓજસ”લેખમાંથી “મોતીઓ” વિણતા, નિવ્રુત્તિ જીવનાર માનવીને એક અનોખો આનંદ આપે છે …એના જીવનમાં “નવો પ્રકાશ” મળે છે !…..એથી મારો અભિપ્રાય છે કે …… આ “નિવ્રુત્તિની પ્રવ્રુત્તિ”નું પુસ્તક નિવ્રુત્તિ જીવનમા પ્રવેશ કરનારાઓ કે પછી નિવ્રુત્તિ જીવન ગાળી રહેલા સૌ “સીનીયર્ સીટીઝન્સ”(Senior Citizens) માટે ઘણું જ ઉપયોગી કહેવાય, અને આશા છે કે અનેક ખરીદીને વાંચે, અને અન્યને પણ વંચાવે !….અંતે, વિજયભાઈને સુંદર પુસ્તક લખી પ્રગટ કરવા માટે “અભિનંદન ” !
ડોકટર ચદ્રવદન મિસ્ર્તી, લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ
“ચંદ્રપૂકાર” બ્લોગ ચલાવનાર….ગુજરાતી સાહિત્ય પ્રેમી

આ પુસ્તક ઘણી બધી વેબ સાઈટ ઉપર છે. ગુગલ ઉપર પુસ્તક્નુ નામ મુકી સર્ચ કરશો તો તે મળશે. મારા મતે આ પ્રાપ્તિ સ્થાન http://www.authorhouse.com/Bookstore/ItemDetail.aspx?bookid=67718 સોંઘુ છે

અન્ય અવલોકનો

 અવલોકન ૧

NIVRUTTINI PRAVRUTTI…….BOOK REVIEW
 
By Dr. Chandravadan Mistry MD
Adminisrator CHANDRAPUKAR Blog
LANCASTER CALIFORNIA USA
 
“Nivruttini Pravrutti” is the title of a book by Vijay Shah of Houston Texas, USA, which was recently published, and I had the pleasure of reading it. I really enjoyed reading this book !
The book with a nice attractive cover has all it’s contents has 179 pages, and the index showing 18 Chapters, all related to “Retirement Life” The aim of this book seems to give a message to all Senior Citizens there is “after all Life in the Retirement with many possible Activites ”
Often, as one nears the Retitement, he/she is engulfed into “fears ” as he/she can not think of “any Activity”. And, one question that always bother him/her is…..”what will I do ?” It is this confused state of mind that leads to “continue doing the Job & postpone the Retirement”
This Book dispells that “fear” and gives him/her “the ideas for possible Activies” in the forthcoming Retirement OR to those who are already retired a “new direction or a vision ” for adopting new activities in the Retired Life.
The real beauty of this Book is that the above message is coveyed with several articles written by the Retired Individuals, narrating their stories.
As I congratulate the author Vijay Shah for his work, I will be doing “injustice”if I do not mention of the Publisher,AuthorHouse of Indiana,USA.who had taken the time to give “a nice cover to the book with it’s contents well laid out”, The Publishers deserve my Congratulations !
At the end, I wish to say that, in my opinion, this book can be “Useful Guide”to ALL Retirees & Senior Citizens, and can be a “Precious Possesion ” in the Retirement !….and the motto will be ” RETIREMENT is the BEGINNING of NEW ACTIVITIES”

FEW WORDS..

As the Series of the Posts on MANAV TANDYRASTI ( HUMAN HEALTH) end, you now view a Post of a BOOK REVIEW..may be 1st as a Post itself (though, I had written in the past about a BOOK or BOOKS published by my Friends)…as you read this Post on the Book “NIVRUTTIni PRAVRUTTI” published by my Friend VIJAY SHAH,I hope you enjoy reading it as Post on Chandrapukar…….May be you already know about this Book…OR may be you are reading about it for this for the 1st time. Whatever the case may be, it is my opinion that if you READ this Book, you will BENEFIT…..if you are lost in your RETIREMENT, you will see the LIGHT forthe NEW ACTIVITIES in your Retirement.

After reading this Post….Your “OPINION” as your COMMENT really appreciated !

CHANDRAVADAN MISTRY

મે 6, 2010 at 1:22 પી એમ(pm) 14 comments

માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)

 
 
 
 
 
 
 
 
 
 
Enlarged view of atherosclerosis
 
 
 
 
 
 

Diagram illustrating the main complications of persistent high blood pressure.

 
 
Categories for Blood Pressure Levels in Adults*
(In mmHg, millimeters of mercury)
Category Systolic
(Top number)
Diastolic
(Bottom number)
Normal Less than 120 Less than 80
Prehypertension 120-139 80-89
     
High Blood Pressure Systolic Diastolic
Stage 1 140-159 90-99
Stage 2 160 or higher 100 or higher
 
 
 
 
 

A diagram explaining factors affecting arterial pressure

 
 
 
 
 

માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)

 
એક “ડોકટપૂકાર” નામે પોસ્ટ પ્રગટ કરી, મારે આ “માનવ તંદુરસ્તી”નો વિષય બંધ કરવો હતો….પણ મારૂં મન ના માન્યું ….અને આજે તમે આ બીજી પોસ્ટ વાંચી રહ્યા છો….આ પોસ્ટના આધાર છે આગળની પોસ્ટોમાં મળેલા પ્રતિભાવો….જેમાંથી મેં એક ચુંટ્યો છે . એ હતો રેખાબેન સિંધલનો પ્રતિભવ જે “”ડોકટરપૂકાર (૧)માં હતો…..ઉપર પ્રગટ કરેલા પ્રતિભાવમાં રેખાબેને કંઈક “સુંદર” શબ્દોમાં લખ્યું છે…તેમાંથી “હાઈ બ્લડ પ્રેસર અને હાઈ કોલેસ્ટ્રોલ”ની બિમારીને આ પોસ્ટનો વિષય બનાવી, ચર્ચાઓ કરવા નિર્ણય લીધો છે…..આશા છે કે  તમોને આ “સવાલ-જવાબ “રૂપી પોસ્ટ ગમશે ! 
 
એક સવાલ….(ONE QUESTION)
  
 
 
 

31. અક્ષયપાત્ર  |  February 15, 2010 at 3:09 pm

આ પ્રકારની માહિતી બહુ જરૂરી છે. મનુષ્ય કોઈ સંપૂર્ણ નથી. પોતાની શારિરીક કે માનસિક ક્ષતિઓ પત્યે ધ્યાન આપવાને બદલે મનુષ્ય હમેંશા બીજાની ક્ષતિઓ પ્રત્યે જ મન વાળે છે અને આનંદના અભિલાષમાં પોતાના શરીર અને મન પ્રત્યે બહેરો થઈ જાય છે. આથી સાચો આનંદ દૂર જ રહે છે. ખરૂ ને? આપે પ્રશ્નોત્તરી શરૂ કરી તે બહુ ગમ્યુ. મારા જેવા ઘણાને મેડિકલ સલાહની જરૂર અવારનવાર પડતી હોય છે. હું પોતે હાઈ બ્લડપ્રેશરની દર્દી છું હાઈ કોલેસ્ટરોલ પણ વારસાગત જ છે. દવાઓ લઉ છું પણ જીવન પધ્ધતિમાં ફેરફાર કરવો બહુ જ કઠીન છે. સમજણ હોય તેટલું પણ અમલમાં મૂકવા આડે હજાર બહાના આવી જાય છે. જીવવાની પ્રબળ વૃતિ જ કેટલીક વાર મંદ થઈ ડ્રીપ્રેશન તરફ લઈ જાય. અને આવું થાય ત્યારે દવા ઘરમાં હોય તો પણ કાં તો ભૂલાય જાય અથવા તો ખાવાની ઈચ્છા જ ન થાય. જો કે આવુ ક્યારેક જ થાય છે. પણ એ ક્યારેક દવા ન લેવાનું કેટલી હદ સુધી જોખમી બની શકે તે પર જરા પ્રકાશ પાડશો?
 
  ( A COPY/PASTE of The COMMENT by REKHABEN SINDHAL is published here as the REASON for this Post “DOCTORPUKAR…& intending to discusss on HEPERTENSIN & HIGH CHLOLESTROL )
 
  
 
 

એ સવાલના “જવાબ”રૂપે…..(ANSWER to the QUESTION)…..

 
 
 
આજની પોસ્ટ છે “ડોકટરપૂકાર”રૂપે ત્રીજી (૩) પોસ્ટ …..અને સવાલના જવાબરૂપે છે ! અહી માનવ તંદુરસ્તીને બે રોગો વિષે પુછાયું છે>>>>
 
(૧)…”હાઈ કોલેસ્ટ્રોલ”(HIGH CHOLESTEROL or HYPERCHOLESTROEMIA )
 
(2) … “હાઈ બ્લડ પ્રેસર ” (HIGH BLOOD PRESSURE or HYPERTENSION  )
 
આ બન્નેને જોડનાર રોગ છે…..આથેરોસ્કેરોસીસ (ATHEROSLEROSIS )……અને, “આથેરોસ્લેરોસીસ”ને ટુંકાણમાં સમજાવવું હોય તો “અહી લોહીની  નળીઓ યાને “આરટરીઓ”ના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થો જામી જાય અને, આરટરી “સાંકડી” થાય…જેથી લોહીનું ભ્રમણ જોઈએ તેવું ના થાય…અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં બિમારીઓ હોય શકે….દાખલારૂપે…હ્રદયની આરટરી બ્લોક થાય તો “હાર્ટ એટેક ” હોય શકે !
ચાલો, આપણે હવે નીચે મુજબ ચર્ચાઓ કરીએ >>>>
 
(A)… “કોલેસ્ર્ટોલ” (CHLOESTEROL )
 
કંઈ પણ હું કહું તે પહેલા મારે ખાસ જણાવવું છે કે…..”માનવ દેહને “કોલેસ્ટ્રોલ” નામના તત્વની ખ્સ જરૂરત છે…અને એના વગર માનવીનું જીવવું અશક્ય છે “ અહી મારા કહેવાનો હેતું એટલો જ કે માનવ દેહના બધા જ ભાગોને જીવીંત રાખવા માટે જે “સેલ્સો”(CELLS) હોય તેને “ન્યુકલ્સ” (NUCLEUS)રૂપી તત્વની જરૂર પડે તે માટે “કોલેસ્ટ્રોલ” જોઈએ ……આ જરૂરતનો કોલેસ્ટ્રોલ માનવ દેહ ખોરાકમાંથી બનાવી શકે,….અને એ જુરૂરત કે પ્રમાણમાં લોહી દ્વારા મળી શકે…….પણ જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ જરૂરત કરતા વધી જાય ત્યારે એની “ખરાબ અસર ” પડે, અને “આથેરોસ્લેરોસીસ ” થાય….અને જ્યાં જ્યાં આવું થાય ત્યાં “રોગો”રૂપી ચિન્હો જોવા મળે…દાખલારૂપે… “હાર્ટ એટેક”  …કે ..”સ્ટ્રોક”
 
 
હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>
 
 

 

 
હવે, આપણે “કોલેસ્ટ્રોલ કેમ શરીરમા વધે ?” તે વિષે જાણીએ>>>
  
(૧)…જ્યારે માનવી ખોરાકમાં વધુ “ચરબી”વાળી ચીજો આરોગે…તો. લોહીમાં કોલેસ્ત્રોલનું પ્રમાણ વધે….જો આ  વધારે પ્રમાણમાં ફરતો કોલેસ્ટ્રોલ શરીરમાં નુકશાન કરે !
  
(૨)…કોઈવાર, માનવી ખોરાકમાં જરૂરત પ્રમાણે કોલેસ્ટ્રોલ લેય, તેમ છતાં, રોગોના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે…દાખલારૂપે>>ડાયાબીટીસ (DIABETES ) કે પછી હાઈપોથાઈરોડીસમ (HYPOTHYROIDISM )….અહી શરીરમાં બનતા હોર્મોનો (HORMONES…namely INSULIN & THYROID HORMONE)જરૂરત કરતા ઓછા હોવાથી આવું થાય છે !
  
 
 (૩)… કોઈકને લોહીમાં વધુ કોલેસ્ટ્રોલ “વંશવેલા”ના કારણે હોય શકે…યાને જેનેટીક કે ફેમીલીઅલ ( GENETIC/FAMILIAL ).
 
 
(B)… આથેરોસ્લેરોસીસ ( ATHEROSLEROSIS )
 
ઉપરના વર્ણને તમે કોલેસ્ટ્રોલ વિષે જાણ્યું…..હવે, તમે આ પોસ્ટ પર મુકેલો ડાયાગ્રામ નિહાળૉ…..હું તમોને કંઈ શબ્દોમાં કહું તે પહેલા તમે સમજી શકશો કે આથેરોસ્લેરોસીસ (ATHEROSLEROSIS ) એટલે લોહી જેમાં ફરે તે લોહીનળીઓ યાને આરટરીસ (ARTERIES ) ધીરે ધીરે સાંકડી થવા લાગે…કારણ કે એના અંદરના ભાગે કોલેસ્ટ્રોલ અને બીજા તત્વો એકઠા થઈ કઠણ બને…..આવૂં થવાથી, લોહી જે પ્રમાણમાં ઓરગન ( ORGAN )ને જોઈએ તે પ્રમાણે જઈ ના શકે…આથી, જુદા જુદા રોગોરૂપી અસર માનવ દેહ પર હોઈ શકે..દાખલારૂપે જો હ્રદયની આર્ટરીઓ (CORONARY ARTERIES) સાંકડી થાય તો હ્રદયને લોહી જોઈએ તેટલું ના મલી શકે….જેના કારણે છાતીએ દુઃખાવો યાને “ચેસ્ટ પેઈન કે એન્જાઈના” (CHEST PAIN or ANGINA)…..અને, આનો અર્થ એ  પણ કે હ્રદયને જરૂરત પ્રમાણે પ્રાણવાયુ (OXYGEN) નથી મળતો…..અને, આ એન્જાઈનામાંથી અંતે “હાર્ટ એટેક” (HEART ATTACK) હોય શકે !…અત્યારે આટલું જ જાણવું અગત્યનું છે…જુદા જુદા વિષયે એનો ફરી ઉલ્લેખ હશે !
 
હાઈ કોલેસ્ટ્રોલની સારવાર (TREATMENT for HIGH CHOLESTEROL )
 
(a)ખોરાકની પરેજી (DIET)
 
ખોરાક આપણા શરીરમાં જાય તેમાંથી જ કોલેસ્ટ્રોલ બને…..ખોરાકરૂપે શું લેવું એ આપણે જાતે નક્કી કરી શકીએ…જો આપણે ખોરાકમાં “ફેટી” (FATTY) ચીજો ના લેવાનો નિર્ણય ક્રો તો તે યોગ્ય કહેવાય. ફેટી  ખોરાક થોડા પ્રમાણમાં લેવાનો નિર્ણય હોય તો, એવા ચીજો લેવી કે જેમાં “કોલેસ્ટ્રોલ” ઓછો હોય…ઈંડાના “પીળા” ભાગમા તેમજ શ્રીમ્પસ (Yelloe of Eggs or Seafoods like Shrimps) જેમાં કોલેસ્ટ્રોલ વદારે હોય તે ખાવામાં ઓછું કરાય !
 
(b)ચાલવું કે કસરત (WALKING and EXERCISES )
 
ચાલવાથી કે કસરતો કરવાથી આપણે ખોરાકમાંથી મળેલી શક્તિ (ENERGY)નો ઉપયોગ કરીએ, અને આથી ખોરાકમાંથી મળેલી શક્તિ વપરાય જાય, અને શરીરમાં “ચરબી”રૂપે ભેગી ના થાય….ખોરાકમાંથી મળેલી ચરબી યાને “ફેટ્સ” પણ લોહીમાં વધે નહી….અને જે થકી, આરટરીસમાં ચોંટી, આથેરોસ્લેરોસીસ થવાની સંભવતા ઓછી રહે.
 
(c)ઉપરના બે કાર્યો અમલમાં મુક્યા બાદ પણ કોલેસ્ત્રોલ ઓછો ના થાય ત્યારે દવાનો સહારો (TREATMENT by MEDICINES that LOWER CHOLESTEROL)
 
અત્યારની જાણ પ્રમાણે, અનેક દવાઓ મારકેટમાં છે…..દેહમાં જે પ્રમાણે કોલેસ્ટ્રોલ બને તેમાં “દખલગીરી” કરી એ કોલેસ્ટ્રોલરૂપી સ્વરૂપ ના બને એવાં જ સિધ્ધાંતે આ દવાઓ એની અસર કરે ….દાખલારૂપે “સ્ટાટીન” દવાઓ (STATINS as Medicines )…અનેક દર્દીઓ આવી દવાઓ પર હોય છે (Eg. ZOCOR, LIPITOR,etc. )
કોઈક દવાઓ આંતરડાઓમાંથી લોહીમાં કોલેસ્ટ્રોલ જાય ત્યાં અસર કરી, કોલેસ્ટ્રોલને લોહીમાં જતા અટકાવે (દાખલારૂપે ….ZETIA )
 
(d)ઉપરના મુખ્ય ઈલાજો સિવાય સલાહો (Other INSTRUCTIONS )
 
>>>>વજન વધારે હોય તો વજન ઓછું કરવાની સલાહો ( Weight Reduction )
 
>>>>બીડી પીતા હોય તો, એ ટેવ છોડવી (Stop SMOKING )
 
>>>>જો “નાયાસીન” કે “વાયટામીન ડી” જેવા (NIACIN or other VITAMINS like D)લઈ શકાતા હોય તો લેવા
 
>>>>જો “થાયરોડ હોર્મોન” (THYROID Hormone )ઓછો હોય અને એના કારણે લોહીમાં વધારે કોલેસ્ટ્રોલ હોય તો એ રોગની સારવાર કરવાથી કોલેસ્ટ્રોલ ઓછો થઈ શકે !
 
>>>>>જેને “ડાયાબીટીસ” (DIABETES MELLITUS)હોય તેઓને શરીરમાં “ફેટ્સ” જે પ્રમાણે બને તેમાં તકલીફો રહે અને એના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલ વધે…પણ, જો ડાયાબીટીસ રોગ કંટ્રોલમાં હોય તો  લોહીમાં કોલેસ્ટ્રોલ ઓછો હોય શકે !
 
>>>>>અંતે…..સર્વ રોગોનો “એક ઈલાજ ” રૂપે મારે એટલું કહેવું છે કે ……”યોગા” કે “મેડીટેસન” (YOGA or MEDITATION)દ્વારા મનની “શાન્તી” (MENTAL PEACE)લાવી શકાતી હોય તો એનાથી “સ્ટ્રેસ” (MENTAL STRESS) ઓછા થાય, એને, એથી ફાયદો થાય…દવાઓ જે લેતા હોય તેનો “ડોઝ” ઓછો હોય શકે અને કદાચ નાનો જ ડોઝ હોય તો એની જરૂરત પણ ના રહે !
 
>>>>ઉપર મુજબ એક કર્તવ્યરૂપે કે ડોકટરી સલાહઓરૂપે કરતા…પ્રભુ પર શ્રધ્ધા રાખી કરતા મનમાં “પોસીટીવ” (POSITIVE)વિચારો આવે..જેના કારણે શરીરમાંથી “એક અનોખી શક્તિ” મળે છે…જેનાથી ફાયદો જ છે !
 
 

હાઈપરટેન્સન (HYPERTENSION)

માનવ શરીરના લોહીભ્રમણને માટે “પ્રેસર”ની જરૂરત રહે….આ “પ્રેસર” હ્રદયના “ધબકારા” તેમજ આરટરીના “ટેન્સન” આધારીત હોય છે…અને, નોરમલ પ્રેસર ઉપર/નીચે બે આંકડામાં ૧૨૦/૮૦ હોય છે..જ્યારે આ આંકડો વધારે હોય યાને કે ઉપર ૧૪૦અને વધારે અને નીચે ૯૦ કે વધારે…અને આ પ્રમાણે એક બે વાર આવું બતાવે ત્યારે ડોકટર કહે ….”તમને હાઈપરટેન્સન છે”
હાઈપરટેન્સનના કારણે “સીરીઅસ બિમારીઓ” હોય શકે….એથી એની સારવાર ઘણી જ અગત્યની છે !
 
કારણો (CAUSES)
 
કારણો જાણી આ રોગ સમજવા પ્રયાસો હંમેશા ચાલુ જ હોય છે….અત્યારની સમજ પ્રમાણે, હજુ વધુ જાણવાની જરૂર છે…જે જાણ્યું છે તેને બે વિભાગોમાં કહી શકાય >>>>
 
(A) પ્રાઈમરી કે અસેન્સીયલ હાઈપરટેન્સન (PRIMARY or ESSENTIAL HPERTENSION )
 
 જ્યારે, હાઈ બ્લડ પ્રેસર હોય અને એનું કારણ સમજાતું ના હોય ત્યારે એને “એસેન્સીયલ હાઈપરટેન્સન”તરીકે કહેવામાં આવે છે…..અહી, કદાચ “ફેમીલી જીન્સ”નો ફાળો હોય શકે…અને આવી રીતે આશરે ૯૦ ટકા દર્દીઓ હોપ છે !
 
(B)”સેકન્ડરી હાપરટેન્સન” (SECONDARY HPRTENSION )
 
જ્યારે તપાસો કરતા, કોઈ કારણ મળૅ ……કે પછી, કોઈ બીજા ચિન્હો હોપ ત્યારે “અન્ય કારણો” વિષે શંકાઓ આવતા જુદી જુદી “ટેસ્ટ” કરતા કારણ જાણી શકાય
 
 (૧) એડ્રીનલ ગ્લાન્ડ્ના કારણે (ADRENAL GLANDS & the HORMONES )
 
એડ્રીન્લ્સ બે જાતના હોર્મોન્સ બનાવે છે (MINERALOCORTICOIDS,,and GLUCOCORTICOIDS)…અને જો આ જરૂરત કરતા વધારે બને તો એની અસરના કારણે હાઈપરટેન્સન હોય શકે…..પણ, આવા સમયે હોર્મોનોની બીજી અસરોના ચિન્હો નિહાળી, ડોકટર એવી “ટેસ્ટો” કરે છે !
 
(૨)કીડનીના રોગોના કારણે (KIDNEYS)
 
કોઈવાર, જન્મથી કીડનીની બિમારી (POYCYSTIC KIDNEYS) કે જન્મ બાદ રોગો (GLOMERULONEPHRITIS ,,RENOVASCULAR DISEASE) હોવાના કારણે હાઈપરટેન્સન હોય શકે !
 
(૩) “પ્રેગ્નસી”ના કારણે (PREGNANCY)
 
સ્ત્રી જ્યારે “પ્રેગન્ન્ટ” હોય ત્યારે એના શરીરમાં “હોર્મોનો”માં ફેરફાર થાય અને ૧૧ ટકા સ્રીઓમાં હાઈપરટેન્સન હોય શકે !
 
(૪) કોઈવાર, શરીરમાં “પોટાસીઅમ” તત્વ ઓછું થાય ત્યારે કે “આરસેનીક પોઈસનીન્ગ” કારણે હાઈપરટેન્સન હોય શ કે !
 
ઈલાજો કે સારવાર (TREATMENT of HYPERTENSION )
 
(A) પહેલી સલાહો (PREVENTION )
 
>>>શરીરનું “વજન” ઓછું કરો !(REDUCE BODY WEIGHT )
>>>ખોરાકમાં “મીઠું ” છું કરો !(SALT RESTRICTION in DIET )
>>>ધુમ્રપાન બંધ કરૉ !(STOP SMOKING )
>>>દારૂ પીવાનું ઓછું કરો કે બંધ કરિ !( REDUCE or QUIT ALCOHOL )
>>>”સ્ત્રેસ” કે ચિન્તાઓ દુર કરો !(REMOVE STRESSES of LIFE )
 
(B) દવાઓરૂપી સારવાર ,,,(MEDICAL TREATMENT )
 
(1) “એઈસ ઈનહીબીટર્સ” દવાઓ (ACE INHITITORS like CAPTOPRIL…LISINOPRIL, ALTASE )
 
(2) “એન્જીઓટેન્સીન ટુ ઈનહીબીટર્સ (ANGIOTENSIN 2 INHIBITORS like COZAAR )
 
(3)”કેલસીયમ ચેનલ બ્લોકર્સ”(CALCIUM CHANNEL BLOCKERS like NIFEDIPINE or ADALAT..AMIODIPINE or NORVASC )
 
(4) “ડાયુરેટિક્સ” (DIURETICS like HYDROCHLOROTHIAZIDES etc )
 
અહી વિગતો નથી આપી….આ સિવાય પણ બીજી ઘણી દવાઓ હોય છે , તે સહજ જાણ માટે !
 
(C) “કોમ્પ્લીકેસનો” યાને સારવાર ના કરે તો “સીરીઅસ” અસરો (COMPLICATIONS of HYPERTENSION )
 
જો સારવાર ના શરૂં થાય તો…કે પછી, સારવાર જૉઈએ તેવી ના હોય ત્યારે આવું થઈ શકે….મગજ….હ્રદય…..આંખો…..કીડનીઓ…. વિગેરે પર અસર !
 
(a) STROKE   or ENCEPHLOPATHY  (b) CARDIOMYOPATHY…& HEART FAILURE (c) HYPERTENSIVE RETINOPATHY in EYES (d) NEPHROPATHY in KIDNEYS Etc
 
 
 
FEW WORDS…
 
Today you are reading another DOCTOR PUKAR Post…and the Topic is HIGH CHOLESTEROLin the BLOOD, ATHEROSLEROSIS…….and also HIGH BLOOD PRESSURE or HYPERTENSION.
 
CHOLESTEROL had been regarded as BAD…..BUT one must realise that it is VERY ESSENTIAL for the HUMAN BODY….It is needed for ALL CELLULAR ELEMENTS of our BODY, including our NERVOUS SYSTEM.
The Cholesterol in the blood MUST remain NORMAL….when it is HIGH, then it has its BAD EFFECTS on our Body.
In this Post, I had tried to explain how Cholesterol is made in our Body.Then, I had shown how the EXCESS of this Cholesterol id DEPOSITED into the WALLS of the ARTERIES…therefore, the LUMEN of these Arteries if NARROWED. Thus, the Blood supply to that ORGAN (Heart, Kidneys etc ) is NOT AS PER NEEDS…This is the ATHEROSCEROSIS. This process of Atheroscerosis can eventually TOTALLY BLOCK the Artery. Depending on where this PARTIAL or FULL BLOCKAGE is, the DAMAGE results (Eg. If Blood vessel of HEART, then HEART ATTACK).
This Post also giving some BASIC informations on HYPERTENSION. The DEFINITION, CAUSES and TREATMENT are briefly told….The Readers are warned that one MUST NOT IGNORE this Disease, & initiate the treatment EARLY or else face the SERIOUS COMPLICATIONS.
 
I hope this post is read by MANY…..it can give the BASIC UNDERSTANDING of many ILLNESSES which are so often in the Medical Literature, TV Etc
 
DR. CHANDRAVADAN MISTRY

મે 3, 2010 at 12:47 એ એમ (am) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,632 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31