Archive for ફેબ્રુવારી, 2009
સાપ અને લીસોટા




સાપ અને લીસોટા
માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા.
જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો, એ પણ પરણવા લાયક થયો. શ્યામ પરણી ગયો, અને હવે ઘરમાં બે વહુઓ,.શ્યામની પત્ની કંચન, એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી. જે સવિતાની દેરાણી થઈ…પશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહે “મારી સવિતા તો ઘરની સીતા છે ! મારી કંચન તો ઘરની લક્ષ્મી છે !”
સમય વહેતો ગયો…અનેક વર્ષો વહી ગયા. પશાભાઈ અને પ્રેમીબેન અશક્ત
થઈ ગયા. ઘડપણ સૌની નજરે આવતું હતું. પ્રથમ પશાભાઈએ પ્રાણ ત્યાગા અને થોડા મહિનામાં પ્રેમીબેન પણ પ્રભુ ધામે ચાલી ગયા. હવે રામ અને શ્યામની માતાપિતાની છત્રછાયા ન હતી…કિન્તુ, બે ભાઈઓ એક બીજાથી નજીક રહ્યા. એક બીજા માટે પ્રેમ વધતો ગયો. શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ ઘરમાં આનંદ વધ્યો. રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમે અને એઓને નિહાળી ઘરના સર્વ આનંદ માણે…આ પ્રમાણે અનેક દિવસો વહી ગયા પણ, એક દિવસે રામનું અકસ્માત મ્રુત્યુ થયું. એક આનંદીત પરિવારમાં અચાનક મહાન દુ:ખ આવી પડ્યું. નાના શ્યામને કંઈજ સુજતું નથી. કુદરત દુ:ખ આપે અને એનો ઈલાજ પણ એજ આપે…શ્યામને કંઈક પ્રભુશક્તિ મળી અને એણે ઘરની પુરી જવાબદારી ઉપાડી લીધી.
મોટાભાઈના નાના દીકરાઓને શ્યામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા…. અને, દીકરા સમાન ગણ્યા….શ્યામની વહુ કંચનને પણ કાકીને બદલે માતારૂપી પ્રેમ આપ્યો. દીપક-પ્રકાશે પણ કાકા-કાકીને અનેકવાર પપ્પા-મમ્મી કહી દીધું.
અનેક વર્ષો વીતી ગયા. મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું….એક ડોક્ટર તો બીજો એંન્જીનીયર થયો. ગામમાં રહેવાનું છોડી દીધુ અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા. એ ઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્નગ્રંથીમાં બંધાયા. બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા. પ્રભુક્રુપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું. રામની પત્ની સવિતા થોડા દિવસો દિપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી રહી.
માધવપુર ગામે શ્યામ જુના ઘરે દિવસો ગાળી રહ્યો હતો. ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો. જીવન ગુજરાન માટે નોકરી હતી. એને સર્વ પ્રકારે સંતોષ હતો. ફક્ત કોઈકોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી. દિવસે દિવસે એ મોટી થતી હતી. ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી: “ ખેર, જુઓને, આપણી નયના તો ઘણીજ મોટી થઈ ગઈ છે. આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે.” કંચન શ્યામને કહેતી.
“અરે, પગલી, તું શાને ચિંતા કરે છે ? દીપક અને પ્રકાશ તો છે….” શ્યામ શાંતિથી કંચનને કહેતો.
“અરે, એ તો આપણા ભત્રીજા છે, એમના પર કંઈ આશા રખાય ?” કહી કંચન શ્યામને ચેતવણી આપતી.
“પગલી,આપણે ક્યાં દીકરાઓ છે. એઓ જ આપણા દીકરા, આપણી દીકરી નયનાનાં લગ્ન સમયે દોડીને આવશે.” એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો
નયનાએ કોલેજનો અભ્યાસ કરી ડીગ્રી મેળવી. અને જ્યારે એ ક્યાંક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનું માંગુ એના માટે આવ્યું. છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો.છતાં ઘણોજ રૂપાળો હતો. પ્રિતેશને તો નયનાં ઘણીજ ગમી ગઈ,”પણ અમારી દીકરી નયનાને પ્રિતેશ ગમશે?” આવો પ્રશ્ન માત-પિતા કંચન-શ્યામને હૈયે હતો. પ્રિતેશ સહિત એના માતા-પિતા નયનાને જોઈ ગયા બાદ બીજે દિવસે નયનાને નિહાળી રહ્યા હતા. નયના ચૂપચાપ બેઠી હતી….અને સાંજનો સમય હતો.
“નયના બેટા અહીં આવ !” શ્યામે બેટીને બોલાવી કહ્યું. નયના કંઈક પણ બોલ્યા વગર નજીક આવી બેસી ગઈ.
“બેટી ! પ્રિતેશ કેવો લાગ્યો ? તને ગમ્યો કે ? “ શ્યામે દીકરી ને પ્રેમથી પુછ્યુ.
“પપ્પા ગમે છે, બહુ જ ગમે છે !” નયના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઉઠીને ભાગી ગઈ. શ્યામ સવારે પત્ની કંચનને મળ્યો ને નયના સાથે ગઈકાલે સાંજે જે ચર્ચા થઈ તે બારે કહ્યું. બંને જણા બહુ જ ખુશ હતા અને તેમાં કંચનના હરખની તો વાત જ નહી ! બસ, પછીતો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો. શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્નની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મુંજવણ હતી. આટલો બધો લગ્ન ખર્ચ કેવી રીતે થશે? અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ-પત્નિ ચર્ચા કરવા લાગ્યા.
“અરે, સાંભળો છો કે ? દિપક, પ્રકાશને કાગળ લખોને” કંચને શ્યામને કહ્યું.
“કાગળ લખવાની શી જરૂર છે ? દીકરા આપણા છે ચિંતા ન કર” શ્યામે શાંતિથી જવાબ આપ્યો.
“ખર્ચ માટે પૂરતા પૈસા નથી, તો કંઈક સગવડતો કરવીજ પડશે ને ! પૂછી લ્યોને” કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું. “દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય, એઓ જાતેજ આવીને બધું સંભાળી લેશે”શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો . લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ. સગા સ્નેહીઓને નયનાના લગ્નના સમાચાર પહોંચી ગયા. દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા. એકવાર દીપક ગામ નજીક સરકારી કામ હતુ એથી જુના ઘરે આવ્યો ત્યારે શ્યામ-કંચને નયનાના લગ્નની ખુશી હર્ષની વાતો કરી, અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો….”કાકા, નયનાના લગ્નમાં અમે જરૂર આવીશું” દીપકે કહ્યુ…એ સિવાય બીજો કોઈપણ શબ્દ દીપકને મુખે સાંભળવા ન મળ્યો.શ્યામ તો ભત્રીજા દીપક ને જોતો રહ્યો. હજું કંઈ વિચાર કરે કે કહે એ પહેલાં તો દિપકની મોટરગાડી દૂર ચાલી ગઈ. હવે, શ્યામને નયનાનાં લગ્નની ચિંતા થવા લાગી. કિન્તુ એ કોને એના મનની વાત કહે ? પત્ની કંચને તો એને ઘણી વાર ચેતવણી આપી હતી કે “જેને તમો મારા..મારા કહો છો તેઓ જરૂર પડશે ત્યારે મારા ના થાય…” આટલી મુંજવણો હતી છતાં, શ્યામને ભગવાન પર પુરી શ્રધ્ધા હતી કે ભગવાન જરૂરથી કંઈક કરશે. જ્યારે જ્યારે ચિંતાઓથી વિચારો એને આવતા ત્યારે પ્રભુનામથી એવા વિચારો દૂર કરતો.
નયનાના લગ્ન ના ત્રણ જ અઠવાદિયા બાકી હતા. જે બધત હતી તે તો બધી જ લગ્નની તૈયારીઓમાં ખર્ચાય ગઈ હતી, હજુ તો લગ્નના દિવસોનો ખર્ચ તેમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો “શું થશે ?” એ પ્રશ્ન જ્યારે મુંજવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આસુઓ સહિત પ્રભુને કહેવા લાગ્યો “મારી લાજ તમારા હાથમાં છે…!” હજું તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલીસી લીધી હતી તેનું યાદ આવ્યુ. એ ઘરના જુના ચોપડાઓ તેમજ ફાઈલો શોધવા લાગ્યો…આમ તેમ કાગળો ફેરવતાં એની નજર સામે એક કાગળ હતો. એ હતી પિતાશ્રીની પોલીસી. એનો ચહેરો આનંદીત હતો.
લગ્નનો શુભ દિવસ આવી ગયો. નયનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી. લગ્ન મંડપે બધી જ તૈયારી હતી. સૌ સગા-સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા. જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધોમ થી પૂર્ણ થયા. દીકરી નયનાને શ્યામ અને કંચને આસુંભરી વિદાય આપી. ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને એ શાંતીનો ભંગ કરતા નીચેના શબ્દો હતા….”આજે મોટાભાઈ હો તો !” દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો.
“ ભાઈ બીજો કોઈ બેલી નથી” શ્યામે વધુમાં કહ્યું.
ત્યારે કંચને ધીરેથી કહ્યું “હું તો કહેતી આવી હતી કે, ભત્રીજા તે ભત્રીજા. ભલે તમો એમને દીકરા માનો પણ દીકરા થતા નથી”
શ્યામ હવે જાગ્રુત હતો અને એના દિલમાં એક જુની યાદ ભરી કહાણી રૂપી વિચાર હતો….”સાપ ગયો અને લીસોટા રહી ગયા….”
–ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ.)
બે શબ્દો
મહા શિવરાત્રિ

મહા શિવરાત્રિ
This yearMahashivratrifalls on23rd February 2009when the Shiva principle descends to Eartha thousand times more than usual.On this day, to obtain the full benefit ofLord Shiva’s principle,one should chant‘Om Namah Shivaya’as much as possible.
FEW WORDS
You see this Post in Gujarati & English & I know that there may be more interpretations of SHIVA-SHAKTI. I think, the most important thing is to to accept that PARAM SHAKTI & have the the faith & you are on the path of God-Realisation>>>>>Chandravadan.
ચંદ્ર ભજન મંજરી (2)
ગણેશ વંદના
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા,
સ્વીકારો વંદન મારા, જય ગણેશ દેવા !…જય
માતા જેની પાર્વતી, પિતા મહાદેવા,
પ્રથમ પુજા કરીએ તમારી ઓ દેવા !….જય
સંકટ કાપો, જ્ઞાન આપો, ઓ ગણેશ દેવા,
ધરીએ અમો પ્રેમથી, લાડુ અને મેવા !…જય
ચંદ્રવદન.
બે શબ્દો
તમે મારી “ચંદ્ર ભજન મંજરી ” વિડીયો-સીડીની શુભ શરૂઆતની ક્લીપ દ્વારા મારા રચેલા ભજનોને કોણે સુર-સંગીત આપ્યું, તેમજ અન્યએ સહકાર આપ્યો હતો એ બારે જણ્યું….અને હવે, તમે મારી ” ગણેશ વંદના ” સાંભળી…આશા છે કે તમોને એ ગમી હશે…..પ્રતિભાવો દ્વારા મને જરૂરથી જણાવવા કૃપા કરશો….કરશોને ?…….ચંદ્રવદન.
ગુજરાત અને ગુજરાતી ભાષા
ગુજરાતી શબ્દ સ્પર્ધા
બે શબ્દો
મારટીન લુથર કિન્ગ, અને મહાત્મા ગાંધી
![]() |
મારટીન લુથર કિન્ગ, અને મહાત્મા ગાંધી
મારટીન લુથર કિન્ગએ ૧૯૫૯માં ભારતનો પ્રવાસ કર્યો હતો. એઓ મહાત્મા ગાંધીના સત્યાગ્રહ (Non-violance )ના ઉપદેશથી ઘણા જ પ્રભાવિત થયા હતા, અને એમણે ગાંધીજીના જીવન બારે પુસ્તકો વાંચી ઘણું જાણ્યું હતું. એમણે એક નેતા બની અમેરીકાની કાળી પ્રજાના હક્ક માટે એક ચળવ શરૂ કરી એને ” સીવીલ રાઈટ્સ મુવમેન્ટ ” (Civil Rights Movement) કહેવાય છે. આ ચળવળમાં એમણે ગાંધીજીના ઉપદેશને અપનાવ્યો હતો. એમણે અમેરીકામાં ” એક જાગૃતિ ” લાવી….કિન્તુ, એમનું અકાળ મૃત્યુ થયું. પણ, અમેરીકાની સરકારે કાયદાઓ બદલ્યા,અને કાળી પ્રજાને માંગેલા હક્કો મળ્યા. અને, અમેરીકામાં અનેક કાળી પ્રજામાંથી નેતાઓ થયા, અને આજે ઓબામા અમેરીકાના પ્રમુખ થયા એ મારટીન લુથર કિન્ગની શરૂ કરેલી લડતના પરિણામરૂપે જ કહીએ ત એ કંઈ ખોટું ના કહેવાય. એથી જ ફેબ્રુઆરી ૨૦૦૯માં અમેરીકાના ” હાઉસ ઓફ રેપ્રેસેન્ટટીવ્સ ” (House of Represntatives ) દ્વારા એક ઠરાવ પાસ થયો કે “મહાત્મા ગાંધીના ઉપદેશે મારટીન લુથર કિન્ગને પ્રભાવિત કર્યા હતા અને એમણે ” સીવીલ રાઈટ્સ મુવમેન્ટ “માં એ ઉપદેશને અમલમાં મુક્યો હતો. વોટીંગ થયું ત્યારે આ ઠરાવને ૪૦૬/૦નો ટેકો મળ્યો હતો (૨૬ વ્યક્તિઓએ ભાગ લીધો ન હતો ). ૧૯૫૯થી શરૂ થયેલા આ મુવમેન્ટની ૨૦૦૯માં “ગોલ્ડન જુબેલી” છે, અને અમેરીકન સરકારે જે કર્યું તે અમેરીકા અને ભારતના ઈતિહાસે હંમેશા યાદગાર રહેશે. …..ચંદ્રવદન.
US House passes resolution on Gandhi’s non-violence
Washington (IANS): The US House of Representatives has passed a resolution recognising Mahatma Gandhi’s influence on Martin Luther King Jr and commemorating the golden jubilee anniversary of the American civil rights leader’s visit to India in 1959.
Passed Wednesday with a 406 to 0 vote with 26 abstaining, the resolution recalls how King’s study of Gandhian philosophy helped shape the Civil Rights Movement.
“The trip to India impacted Dr King in a profound way, and inspired him to use non-violence as an instrument of social change to end segregation and racial discrimination in America throughout the rest of his work during the Civil Rights Movement,” it says.
US Secretary of State Hillary Clinton will Thursday send off a cultural delegation comprising Martin Luther King III, and US House representatives John Lewis, Spencer Bachus and Herbie Hancock to India to commemorate King’s tour.
It will begin in New Delhi and travel around India to some of the principal sites associated with Gandhi’s work.
Lewis, often called “one of the most courageous persons the Civil Rights Movement ever produced”, introduced the House resolution. Five other Congressmen, John Conyers, Jim McDermott, Robert C. Scott, Henry Johnson and Adam B. Schiff co-sponsored it.
King and his wife, Coretta Scott King, travelled to India from Feb 10 to March 10, 1959. Upon their return to the US, King and other leaders of the civil rights movement drew on Gandhi’s ideas to transform American society.
During his month long stay in India, King met the then Indian Prime Minister Jawaharlal Nehru, land reform leader Vinoba Bhave and other influential Indian leaders to discuss issues of poverty, economic policy and race relations.
All this reaffirmed and deepened King’s commitment to non-violence and revealed to him the power that non-violent resistance holds in political and social battles, the resolution says.
McDermott, co-chair of the Congressional Caucus on India and Indian Americans, speaking on the resolution said Gandhi’s principle of satyagraha – non-violence – inspired change for the better throughout the world, and particularly in the US.
In a radio address to India in 1959, King had said: “The spirit of Gandhi is so much stronger today than some people believe”. That statement is as true today as it was 50 years ago, said McDermott.
બે શબ્દો
ચંદ્રવિચારો શબ્દોમાં (૬)

ચંદ્રવિચારો શબ્દોમાં (૬)
વેલેન્ટાઈન ડે…Valentine Day
![]() ![]() ![]() |
તાજેતરની ટિપ્પણીઓ