Archive for નવેમ્બર, 2011

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

Red Rose 1

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

શ્રી ધીરજલાલ પી. ભૂતને યાદ કરી,
આજે હું તો એક ગુરૂજીને વંદન કરૂં !…..(ટેક)
ફોટા સહીત નામ ધીરજલાલ જાણ્યું આજે,
હશે પ્રભુપ્રરણા એવી કે ચેતનાના બ્લોગે મુજને લાવે,
દર્શન એક સેવાભાવી- માનવના કરતા, વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ…(૧)
ગોડંલ કોલેજના પ્રોફેસરપદે ૩૬ વર્ષ સફર કરનારા,
ઉપલેટા, જુનાગઢ, જેતપુર, ધોવજી અમરેલી રાજકોટ કોલેજે સેવા આપનારા,
એવા મહા ગુરૂજીને વંદન છે મારા !……..શ્રી ધીરજલાલ……….(૨)
“પુજય સર”સ્વરૂપે બિરાજમાન હતા જે, ચેતના હ્રદયે,
જાણી બ્લોગ પર સર એવા, છે આજે  ચંદ્ર હ્રદયે,
એવા્ અનેકના  પ્યારા ગુરૂજીને વંદન છે મારા !…..શ્રી ધીરજલાલ…..(૩)
  જન્મ હોય, એક દિવ્ય આત્માનો જન્મ  ૧૯૪૮ની સાલે,
જે, વતન કોરડા,સાગાણીની યાદ જ્ન્મભુમીરૂપે  લાવે,
એવા શિક્ષણ-પ્રેમી માનવીને વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ….(૪)
આ તો, બીજી નવેમ્બરની ૨૦૧૧ની સાલ રહી,
એ તો, ધીરજલાલની અંતીમ ઘડીની વાત રહી,
એવા સમયે, “શ્રધ્ધાજંલી”રૂપી વંદન છે મારા !……શ્રી ધીરજલાલ……(૫)
કાવ્ય રચના…તારીખ નવેમ્બર,૩,૨૦૧૧ ચંદ્રવદન

બે શબ્દો…

ગુરૂવાર અને નવેમ્બર ૩,૨૦૧૧ના દિવસે ચેતના શાહનો એક ઈમેઈલ વાંચ્યો.
એ દ્વારા એના બ્લોગ પર જવાનું થયું.
એમના “ગુરૂ” યાને જે શિક્ષકએ એમને ભણાવ્યા હતા એમના બીજી નવેમ્બરે થયેલ અવસાન વિષે હતું.
વાંચી દીલગીરી અનુભવી.
અને પ્રભુ પ્રેરણાથી આ રચના એમને “અંજલી” આપવા શક્ય થઈ તે જ પ્રગટ કરી છે.
જે કહેવું હતું એ મેં કાવ્ય દ્વારા કહી દીધું છે.
પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના.
ધીરજલાલ વિષે તમારે વિગતે જાણવું હોય તો. ચેતનાબેને પ્રગટ કરેલી એમના વિષેની પોસ્ટ  જરૂર વાંચવા વિનંતી, અને એ વાંચવા નીચેની “લીન્ક” ક્લીક કરો>>>
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is as I came to know of a great teacher, DHIRAJLAL P. BHUT, who had died and missed by so many whom he taught, including CHETANA SHAH.
You can read about Dhirajlal if you go the Blog of Chetana by the Link.
I have paid my respects by an ANJALI Kavya.
Hope you come and read this Post.
DR. CHANDRAVADAN MISTRY

નવેમ્બર 29, 2011 at 12:53 પી એમ(pm) 10 comments

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

 

 DFWAirportOverview.jpg
http://keralites.net/

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

બુધવાર, અને ઓકટોબર ૧૯નો દિવસ હતો,
ચંદ્ર સુરેશને ફોન કરી વાતો કરતો હતો,
“ચંદ્ર ડાલાસ આવે તો મળવું જ પડે !”સુરેશ એવું કહે,
“ચર્ચા આવી યાદ છે ને ?”ચંદ્ર સુરેશને પુછી રહે,……….(૧)
ગુરૂવારે, ચંદ્ર તો ગારલેન્ડ સુરેશને મળવા આતુર રહે,
“જરા તાવ છે, અને જરા સારૂં નથી” સુરેશ ફોન કરી કહે,
ત્યારે,ચંદ્ર કહે, “ના મળી શકાય તો નારાજ ના થાશો,”
“બસ, આરામ કરજો, ‘ને ફોનથી મળ્યાનો આનંદ માણજો”………(૨)
ફરી ફોન પર વાતો કરી, સુરેશ શનિવારે હું એરપોર્ટ હશે જાણી,
એરપોર્ટ નજીક રહેતા દીકરા ઘરે શુકવારે જવાનો નિર્ણય કરી,
અમેરીકન એરલાઈન્સના ટરમીનલ ‘ને ગેઈટનું જાણી લીધું,
“એરપોર્ટે જરૂર મળીશું !”કહી સુરેશ ફોન કનેકશન બંધ કરી દીધું……..(૩)
શનિવારની સવારે, પ્લાન પ્રમાણે, ચંદ્ર તો એરપોર્ટ પર હતો,
બોર્ડીન્ગ પાસ વિગેરે લઈ, એ તો સુરેશની રાહ જોતો હતો,
ત્યાં, અચાનક કલર સ્વેટરમાં સુરેશ ચંદ્ર નજરે આવે,
ત્યારે, ચંદ્ર-સુરેશ હૈયે ફક્ત આનંદ આનંદ વહે !………..(૪)
કેમેરો બહાર કાઢી, કમુને હું કેમેરા સામે હતા,
તસ્વીર ખેંચી, સુરેશ ખુબ જ  ખુશીભર્યા હતા,
પછી, એ જ કેમેરાથી કમુએ ફોટો ચંદ્ર-સુરેશનો પાડી,
એ તો ચંદ્ર-કેમેરો હાથમાં લઈ, જોડીને ફરી ફોટોમાં મઢી !…..(૫)
કમુ, સુરેશ સાથે, એરપોર્ટની બેન્ચ પર હું હતો,
પ્રથમવાર સુરેશ કમુને મળ્યાનો સાક્ષી જું હતો,
વાતો બેન્ચ પર શક્ય થઈ, તેમાં અમારી દોસ્તી હતી,
એક લાલ પેપરબેગમાં ચંદ્ર માટે સુરેશ ભેટ હતી !……..(૬)
સુરેશને નિહાળી, ચંદ્ર કહે “નવા જ ‘ને યુવાન લાગો છો તમે,”
“આ તો પ્રાણાયામ ‘ને મેડીટેશનની કરામત”કહે સુરેશ મને,
એક મિત્રએ આવું જણાવી, પ્રાણાયામ માટે સુરેશ સલાહો હતી,
જેમાં, ભરેલી શુભ ભાવનાઓથી ચંદ્ર હૈયે ખુશીઓ હતી !…….(૭)
“સેક્યુરીટી ચેકનો સમય થઈ ગયો છે ” સુરેશ ચંદ્ર શબ્દો એવા  સાંભળે,
કમુ ચંદ્ર સાથે સુરેશ પણ વાતો કરતા ગેઈટ ૩૧ સીના ચેક પોઈન્ટ સુધી  આવે,
“ગુડ બાય” કહેતા, સુરેશ તો ધીરે ધીરે ચંદ્રથી દુર જાય છે,
ત્યારે ચંદ્ર તો મિત્રના સ્નેહથી ગદ ગદ થઈ જાય છે !…….(૮)
ચાલતા ચાલતા, ચંદ્ર કમુ સાથે ગેઈટ નંબર ૩૧ નજીક પહોંચી,
એક બેન્ચ પર બેસી, લાલ બેગ ખોલી, એક નજર-તીર છોડી,
નિહાળે પ્રેમથી પેપરના બનાવેલા “ઓરોગોમી”ના  આકારો અનેક,
ત્યારે, ચંદ્ર હૈયું નાચી ઉઠે, અને મનથી સુરેશ્નને મોકલે આભારો અનેક !……(૯)
ચંદ્ર હૈયે તો ખુશીઓના ઝરણાઓ વહી ગયા,
બેગ અને આકારોના ફોટાઓ પણ લઈ લીધા,
ચંદ્ર કહે,” સુરેશ આ મુલાકાતનું ચંદ્રને બધુ જ યાદ છે, ઓ મિત્ર મારા,”
“તું પણ યાદ રાખજે આ ડાલાસ એરપોર્ટ મુલાકાત, ઓ મિત્ર મારા !”……(૧૦)
કાવ્ય રચના…તારીખ ઓકટોબર,૨૩,૨૦૧૧                          ચંદ્રવદન

બે શબ્દો…

આજનું કાવ્ય મિત્ર મિત્રના મિલન વિષે છે.
હું મારા પત્ની સાથે કોલેંબીયા, સાઉથ કેરોલીના ઓકટોબર ૧૧, ૨૦૧૧થી ઓકટોબર ૧૬ સુધી રહ્યા બાદ, સોમવાર, ઓકટોબર,૧૭ના દિવસે ડાલાસ,ટેક્ષાસ આવ્યો.
ત્યારબાદ, બુધવારના દિવસે મેં સુરેશભાઈને ફોન કરી જાણ કરી કે હું ડાલાસમાં જ છું.
એઓ એ જાણી, ખુશ થઈ કહેવા લાગ્યા કે કાલે ગારલેન્ડ મળવા આવીશ….દુર હતો એથી તસ્દી ના લેશો એવું કહ્યું ત્યારે એમણે કહ્યું “ચંદ્ર અહી ડાલાસમાં આવે અને હું ના મળું એ કેમ હોય શકે ?”
બસ, ગુરૂવારે હું એમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ફરી એમનો ફોન આવ્યો અને જાણ્યું કે એમને તાવ છે. આ મિલન ના થયું.
ત્યારબાદ, હું શનિવારે ડાલાસ એરપોર્ટથી લોસ એન્જીલીસ જઈ રહ્યો હતો તો એમણે કહ્યું “આપણે એરપોર્ટ પર મળીશું”. એમણે પછી ટરમીનલ/ગેઈટની માહિતી મળવી લીધી.
અને અમો એક બીજાને મળ્યા…કમુ સુરેશભાઈને પહેલીવાર મળી, વાતો કરી, ફોટાઓ પાડ્યા અને આનંદ સાથે “ગુડ બાય” કરી.
બસ, આ મિલન વિષે  આ કાવ્ય રચના છે.
આશા છે કે સૌને આ કાવ્ય પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Kavya Post is of my meeting Sureshbhai Jani at Dallas Airport.
Sureshbhai & I had enjoyed that ….I am just sharing that “joy” with you.
Hope you like it !
Dr. Chandravadan Mistry

નવેમ્બર 25, 2011 at 2:53 પી એમ(pm) 15 comments

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

Image and video hosting by TinyPic

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

નવેમ્બર,૨૨,૨૦૦૭ના દિવસે જન્મરૂપી એક શરૂઆત હતી,
“હોમ” સાથે વિભાગોરૂપી  શરૂઆતમાં  વિજયભાઈનો સહકાર હતો,…(૧)
નવેમ્બર, ૨૦૦૮માં વર્ષ પહેલું પુરૂ થાય,
જેમાં, કાવ્યો સાથે “ટુંકી વાર્તાઓ”પણ સમાય છે,…..(૨)
નવેમ્બર,૨૦૦૯માં વર્ષ બીજુ પુરૂ  થાય,
જેમાં, અનેક ચાહક- ઉત્સાહના  દર્શન થાય,….(૩)
નવેમ્બર,૨૦૧૦માં વર્ષ ત્રીજુ પુરૂ થાય,
ત્યારે, સીડની ઓસ્ટ્રેલીઆમાં ચંદ્રને આનંદ એનો થાય,……(૪)
હવે, નવેમ્બર,૨૦૧૧માં વર્ષ ચોથું કહેવાય,
ચોથા જન્મદિવસે પણ “ચંદ્રપૂકાર” બ્લોગજગતે બાળ કહેવાય……(૫)
ચંદ્ર તો, સરવાળો આવો કરતો રહે,
અને, સૌને ફરી ફરી પધારવા વિનંતી કરતો રહે,…..(૬)
પ્રેમથી સૌ ચંદ્રપૂકાર પર હવે પધારજો,
પ્રતિભાવો આપી, ચંદ્રને આનંદ આપજો !….(૭)
કાવ્ય રચના…તારીખઃ ઓકટોબર,૨૬,૨૦૧૧                     ચંદ્રવદન
દિવાળીનો શુભ દિવસ !

બે શબ્દો…

ચાર વર્ષ આટલા જલ્દી પુરા થઈ ગયા…અને એનો તો ખ્યાલ જ ના રહ્યો.
પણ…નવેમ્બર માસ નજીક આવે એટલે  તરત જ “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ યાદ આવે.
આટલા વર્ષોમાં  આ બ્લોગ પર  અનેક પધાર્યા ( કુલ્લે ૧૧૩૮૫૦ )
અને, એવા મહેમાનોમાંથી  અનેકે  પ્રતિભાવો પણ આપ્યા ( કુલ્લે ૫૦૨૦)
એ કારણે જ મને બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરવા ઉત્સાહ મળ્યો છે…….અને, મને  અનેક કાવ્યો….સુવિચાઓ….ટુંકી વાર્તાઓ તેમજ અન્ય પોસ્ટો પ્રગટ કરવા પ્રેરણાઓ મળી છે.
આજે સૌને મારો આભાર દર્શાવું છું.
આ કાવ્ય રચના પોસ્ટરૂપે અહી આ જન્મદિવસે પ્રગટ કરી તે સૌને ગમશે એવી આશા.
કાવ્યમાં ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, તમો સૌ “ફરી ફરી ” આ બ્લોગ પર પધારશો એવી નમ્ર વિનંતી !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS….
Today it is 22nd November 2011.
It is the 4th Birthday of my Blog Chandrapukar.
It is a day of Joy for me.
With a total of 113900 Visitors and the Total Comments of over 5000, I am very thankful to ALL for the Support.
Hope that you will continue your support in the years ahead.
Dr. Chandravadan Mistry

નવેમ્બર 22, 2011 at 2:42 પી એમ(pm) 18 comments

દસ સારથી રત્નોની જીવન માળા !

 

દસ સારથી રત્નોની જીવન માળા !

સારથી સંસ્થાના દસ રત્નોનું સૌને હું કહું,
અરે, ઓ, અમર આત્માઓ સાંભળો જે હું કહું !………..(ટેક)
પહેલું રત્ન છે, પ્રવૃત્તિઓ માટે રસ રાખવો,
જો પ્રવૃત્તિઓ માટે રસ નહી જ્યારે ,
તો, જ્ઞાનીનું માર્ગદર્શનની જરૂરત હોય જો !…….સારથી…(૧)
બીજું રત્ન છે, “મેડિટેશન” યાને “મનન”કહેવાય,
જો, જીવનમાં મનનને અગત્યનું બનાવ્યું,
તો, જીવન ઘડતરની ઈંટો ચણાય જો !…સારથી……(૨)
ત્રીજુ રત્ન છે, મન અને દેહ એક છે ની જાણકારી,
જો, મન અને દેહની “એકતા”ની સમજ મળી જાય,,
તો, જીવન ખરેખર સરળ બની જાય જો !…….સારથી…..(૩)
ચોથું રત્ન છે, શાન્તી સહીત ખામોશી,
જો, શાન્તી એવી તમે પામી,
તો,”પરમ શાન્તી તત્વ” તરફ પંથ લેવાય જો !…સારથી….(૪)
પાંચમું રત્ન છે, એક ઉંડાણની ખમોશીભરી શાન્તી,
જો, દશા એવી મન,દેહની બની,
તો, “પરમ તત્વ” દુર ના હોય જો !….સારથી……(૫)
છઠ્ઠું રત્ન છે, પ્રેમ સહીત સહાનુભુતીભરી શાન્તી,
જો, એવું પ્રેમ ઝરણું હૈયે વહ્યું,
તો, આત્માને સમજવાનું થયું જો !…….સારથી….(૬)
સાતમું રત્ન છે, માનવ દેહ ચમકતી તંદુરસ્તી,
જો,હોય કુદરતી ચીજો ખોરાકે પ્રમાણમાં,
તો, માંદગી જરૂર દુર ભાગે જો !……સારથી……(૭)
આઠમું રત્ન છે, કુદરત જ ખુદ નજરે આવે,
જો, કુદરતની સુંદરતા દેહની અંદર રાખી,
તો, માનવતાનું ફુલ ખીલી જાય જો !…….સારથી….(૮)
નવમું રત્ન છે, “પ્રભુતા”ની પરખ રહી,
જો, ભક્તિના સરળ ભાવો હોય,
તો, જીવન ધન્ય બની જાય જો !…..સારથી…..(૯)
દસમું રત્ન છે, તમ હ્રદય પૂકાર,
જો, એવી પૂકારમાં તમ હ્રદય સમજાય,
તો, માનવ માનવને ખરેખર જાણે જો !……(૧૦)
આવા દસ સારથી રત્નો જોડી બને એક માળા,
જો, પહેરો તમે  પ્રેમથી એને,
તો, ચંદ્ર હૈયું આનંદથી ભરપુર થાય જો !……સારથી…(૧૧)
કાવ્ય રચના,,તારીખ ઓકટોબર, ૨, ૨૦૧૧                    ચંદ્રવદન

બે શબ્દો…

તારીખ ઓકટોબર,૨,૨૦૧૧ના દિવસે મારા મિત્ર ચંદ્રશેખર ભટ્ટનો એક ઈમેઈલ આવ્યો.
એમાં, “સારથી યોગ ફાઉડેશન” સંસ્થા ચલાવનાર શ્રી ભુપેન્દ્ર સોનેજી એક રીટ્રીટ (RETREAT) માટે સંદેશો “એટેચમેન્ટ” સાથે અંગ્રેજીમાં આ પ્રમાણે હતો>>>>
Dear Aspirant,
Namaste.
Some of us had very lovely time at the retreat. So we decided to share our joy with you. Time must not have been suitable else you would have definitely joined us. Enjoy the photographs and enjoy the extract, in the form of ten pints to ponder, of the discussion and lessons we learned during the three days.
We have enclosed the word file for your ready use of the ten points to ponder. You may choose to share with your friends and family members. To enjoy more photographs of the retreat await the next email.
Hari AUM
Bhupendra S. Soneji

10 Points to ponder from the Fall 2011 Sarathi Yog Retreat:

(1) If you are not interested, nothing can interest you.

(2) Meditation should always have the first priority in your life.

(3) Mind and body are not separate entities.

(4) Silence cannot be created, it is.

(5) Deeper state of being is silence.

(6) Love, Silence and Compassion are synonyms or they coexist.

(7) For good health stay away from Sugar, Salt, Bleached Flour, Dairy Product and processed food.

(8) Allow nature to enter you.

(9) Divinity is simplicity and is always in abundance.

(1૦) Have a Heart for your Heart.

આ દસ “પોઈન્ટો” મેં વાંચ્યા.

ફરી વાંચ્યા, અને પ્રભુ પ્રેરણાથી આજની પોસ્ટની કાવ્ય રચના શક્ય થઈ.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણકારીની ઈચ્છા હોય તેઓ “ક્લીક” કરી નીચેની સાઈટ પર જઈ શકે છે>>>

http://www.sarathi.org/
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is based on an Email infrming me of the “Retreat” that was being planned by the “SARATHI YOG FOUNDATION” of Southern California.
There were 10 POINTS for all to ponder.
After reading those Points, I was inspired & the Poem in Gujarati was created.
Those who can read Gujarati can enjoy it…those who can not read Gujarati can ask a friend who knows that.Even if you can not get the assistance from anyone, do not be disheartened, as after all, these 10 POINTS are IMPORTANT for living rightly on this Earth.
You can know more about the “SARATHI” Organisation by clicking  below to the LINK>>>>
http://www.sarathi.org/
Hoping many of you read this Post & enjoy it !
DR. CHANDRAVADAN MISTRY

નવેમ્બર 18, 2011 at 1:42 પી એમ(pm) 10 comments

સુવિચારો !

 

Saint Tukaram
Sant Kabirdas
They Lived With God: Life Stories Of Some Devotees of Sri Ramakrishna

TUKARAM,  KABIR & RAMAKRISHNA  & OTHERS as
SAINTS

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

સંત કોણ ?

(૧) સંત એટલે  પ્રભુતાથી ભરપુર
માનવી.

(૨) સંત એટલે સંસારમાં રહી, સંસારીઓને માર્ગદર્શન
આપનાર માનવી.

(૩) સંત એટલે પ્રભુનો દુત.

(૪) સંત એટલે  એક દિવ્ય આત્મા.

તારીખ ઓકટોબર ૨૭,૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…


ઓકટોબર ૨૭ ૨૦૧૧ એટલે નવા વર્ષનો
દિવસ.
સવારે વહેલા ઉઠતા, અને હજુ બેડમાં જ હતો ત્યારે અચાનક
મારા મનમાં “સંત” વિષે વિચારો આવ્યા.
આ વિચારોને શબ્દોમાં મુકતા, ઉપરના “સુવિચારો” શક્ય
થયા.
વિચારો ગમ્યા ?
સંતની પહેચાણ જુદી હોય તો તમે પ્રતિભાવરૂપે જણાવશો !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is the “SUVICHARO”meaning “PEARLS of WISDOM”.
The Question is “Who is a Saint ?”
I hope you like my thoughts.
You can add yours !
Dr. Chandravadan Mistry

નવેમ્બર 14, 2011 at 2:48 પી એમ(pm) 14 comments

મૃણલિનીબેનને અંજલી !


મહીલા ઓકટોબર

દર્શને……

પહેલા ફોટામાં મૃણલિનીબેન સાથે પ્રજ્ઞાજુબેન
મંદિરે…અને, ત્યારબાદ, ફેમીલી ફોટામાં ફરી બે બેનો
અને છેલ્લે ફરી “બે બેનો” એક તસ્વીરે !
THESE PHOTOGRAPHS ARE FROM PRAGNAJUBEN’S BLOG POST

મૃણલિનીબેનને અંજલી !

મૃણલિનીબેન, જાણ્યા ખુબ જ  મોડા
તમોને,
પણ, હ્રદયમાં વસી ગયા છો એ જ ગમે છે
અમોને,
૧૯૪૩માં આવ્યા હતા જગમાં ફેબ્રુઆરી,૧૨,
તારીખે,
એ જ ખરેખર મોટી પ્રભુકૃપા હતી એ શુભ
દિવસે,
મોટીબેન પ્રજ્ઞાજુની છત્રછાયામાં જીવન જેનું
વહ્યું
એ જ મોટીબેને યાદ કરી, તારા વિષે સૌને
કહ્યું,
વિદાય શું ?સમય સમયે સ્વરૂપો એના જુદ જુદા
હોય,
વિદાય મોટીબેનના લગ્ન સમયે, ‘ને જગ છૉડતા વિદાય હોય,
અને ૨૦૧૧માં સેપ્ટેમ્બર,૨૨ના દિવસની પણ એમાં વાત હોય,
તો, તારી “અંતિમ વિદાય”ની અંજલી પણ મુજ હૈયે
હોય,
ચંદ્ર, અંજલી આવી અર્પણ કરતા, બેનને કહેતો
રહે,
“અરે, પગલી, હતી તું, અને યાદમાં આજ તું જગમાં રહે
!”

કાવ્ય રચના ઃતારીખ, સેપ્ટેમ્બર, ૨૮, ૨૦૧૧

ચંદ્રવદન.


MRUNILIBEN
Birth FEBRUARY 12, 1943
Death  SEPTEMBER, 22, 2011
 


બે શબ્દો…

મૃણલિનીબેન કોણ ?
પ્રજ્ઞાજુબેન વ્યાસના નાના બેન.
મૃણાલિનીના જીવન વિષે  પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર જઈ
અનેક પોસ્ટો વાંચી જણ્યું.
ત્યારે, મારા હૈયામાંથી જે શબ્દો વહી ગયા તેની  આ રચના
ખરેખર તો એ મારી મૃણાલિનીબેનને “અંજલી” છે.
આ અંજલી પ્રજ્ઞાજુબેનને દર્શાવતા, હૈયે સંતોષ
હતો…છતાં, મનમાં થતું કે આ એક પોસ્ટરૂપે ચંદ્રપૂકાર પર હોય.
આજે, એ ઈચ્છા પુર્ણ થઈ !
જે કોઈને મૃણાલિનીબેન વિષે વધુ જાણવું હોય તેઓ
પ્રજ્ઞાજુબેનના  બ્લોગ “નિરવે રવે” જઈ “હવે નથી”નામકરણે અનેક પોસ્ટોરૂપે  જાણી શકો
છો.
આ નામે પહેલી પોસ્ટ તારીખ સેપ્ટ્મ્બર,૨૪,૨૦૧૧ના દિવસે
પ્રગટ થઈ હતી. અને એ જોવા, તમે નીચેની લીન્ક પર “ક્લીક”
કરો>>>>
http://niravrave.wordpress.com/2011/09/24/%e0%aa%ab%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%af%e0%aa%be%e0%aa%a6-%e0%aa%ab%e0%ab%87%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%81%e0%aa%86%e0%aa%b0%e0%ab%80-%e0%ab%a7%e0%ab%a8/
આ પોસ્ટરૂપી અંજલી ગમે.
અને, આપણે સૌ એમના આત્માની શાન્તી માટે પ્રાર્થનાઓ
કરીએ ..એ જ ખરી અંજલી !

ડો/ ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is an “ANJALI” Kavya to
MRUNLINIBEN….the Younger Sister of PRAJNAJUBEN VYAS.
To know more about her, you are requested to
visit the Blog of Pragnajuben via the LINK given above.
Please join me to pay the Respects to
Mrunaliniben.
Dr. Chandravadan Mistry.

નવેમ્બર 11, 2011 at 3:07 પી એમ(pm) 13 comments

સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા !

Saryu_front_cover.JPGSaryu_front_cover.JPG

સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા !

ઓસટીન,ટેક્ષાસના રહીશ સર્યુબેન પરીખના હસ્તકમળે લખાયેલ
શબ્દોથી બનેલી રચના “નીતરતી સાંજ”ને પ્રથમ પ્રગટ કરી, આ સુંદર પુસ્તકને નામકરણ
મળ્યું, અને જે મને એમના તરફથી પ્રસાદીરૂપે મળ્યું એ મારા માટે ખુબ જ આનંદની વાત
છે.
આ પુસ્તક ની સુંદરતામાં સમાયેલ છે સર્યુબેનના હૈયાની
છલકાયેલા શબ્દો કે જે દ્વારા અનેક કાવ્ય રચનાઓ વાર્તાઓને સ્વરૂપો મળ્યા, અને એની
સુંદરતા વધારવા તેમજ “મીઠી મહેક”આપવા એમના પતિ દિલીપભાઈએ એમાં એમના સર્જેલા
ચિત્રોને પુસ્તક પાને મઢ્યા, જેની સાથે સમાવેશ થાય છે પુસ્તક કવરનું “સુંદર
ચિત્ર”!
મારૂં ગુજરાતી કે અન્ય સાહિત્ય વાંચન અલ્પ છે. તેમ
છતાં, મારા ખ્યાલ પ્રમાણે, આ એક પ્રથમ પુસ્તક છે કે જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા
સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાલખાણ પણ નિહાળવા મળે છે. આ ભાષારૂપી “ત્રિવેણી
સંગમ”માં એક ગુજરાતી સાહિત્ય ના પુસ્તકરૂપે આ પ્રથમ હશે.
કોઈ વ્યક્તિ દ્વારા કાવ્ય રચનાઓ શક્ય થાય એ તો સરસ્વતી
માતાની કૃપા કહેવાય.પણ, એવી વ્યક્તિનો જન્મ જ્યારે એક “સાહિત્ય પ્રેમી” કુટુંબમાં
થયો હોય ત્યારે એના બીજ એવા સમયે જ રોપાય છે અને એવી વ્યક્તિની જીવન યાત્રાએ ખીલે
છે. એનો પુરાવો છે સર્યુબેનની જીવન કહાણી !જન્મભુમી ભાવનગરમાં પિતાશ્રી હરિભાઈ
મહેતા, અને સાહિત્યપ્રેમી માતાજીના વારસા સાથે ભાઈશ્રી મહેશના પદ્મશ્રી એવોર્ડની
મહેક, જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં થયો જ છે.સર્યુબેને અભ્યાસના છેત્રે “બોટાની” માં
માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી, અને ત્યારબાદ, લગ્નગ્રંથીથી દિલીપભાઈ પરીખ સાથે
જોડાયા બાદ, અમેરીકા આવ્યા અને આવ્યા પછી કેલીફોર્નીઆ, ફ્લોરીડા રહી હવે ઓસ્ટીન
ટેક્ષાસમાં સ્થાયી થયા છે.એમણે એમની જીવન યાત્રામાં એમના “અંતરની પૂકાર” સાંભળી
પરિવારીક જવાબદારીઓ અદા કરતા, “સામાજિક સેવા”નો પંથ લીધો છે.એક “સોસીયલ વર્કર”
તરીકે ફરજ બજાવતા, એમણે અનેકને “નવજીવન” આપ્યું છે. આ કહાણીમાં “ટીઅન”અને અનેક
વ્યક્તિઓના જીવન ગુંથાયેલા છે. અને એમના પ્રેમાળ સ્વભાવના દાખલારૂપે છે “સોનાની
માછલી” કે અંગ્રેજીમાં “ધ ગોલ્ડ ફીશ”ની વાર્તામાં છે એક “માર્ગરેટ”નામની એક વ્યકતિ
સાથેની થયેલી એમની મિત્રતા.
સર્યુબેનની કાવ્ય રચનાઓ એમના હ્રદયની પૂકાર છે
….એમાં છે સમયકાળની ઘટનાઓ….જીવનના અનુભવો…..અને કુદરતની કળા યાને “નેચર”નું
વર્ણન.અંગ્રેજી કે ગુજરાતીમાં શબ્દોથી શરગાણી જે એમણે પ્રગટ કર્યું એમાં એમણે અંગત
પરિવારના સર્વ વિષે કહી દીધું છે જેમ કે….પિતા કે માતા …ભાઈ કે બેન કે ભાભી,
સાસુ કે પતિ સાથે સંતાનો અને પૌત્ર પૌત્રી વિષે પ્રગટ કરેલું એમનું લખાણ. જ્યારે
એમણે “ગંગોત્રી” નામે એમનો બ્લોગ શરૂ કર્યો ત્યારે આ હ્રદયમાં છુપાયેલા “સાહિત્ય
પ્રેમ”ને એમણે અનેક પોસ્ટોરૂપે વહેંચ્યો. અને આજે જે ફક્ત પોસ્ટો હતી તે “એક
સંગ્રહ”રૂપે આ પુસ્તક છે. અને, અહી મારે એક અગત્યનું કહેવું છે.અંગ્રેજી લખાણમાં
સર્યુબેને એમના બ્લોગ “ગંગોત્રી” ઍક પોસ્ટ “એ વાઈટ ડ્રેસ વીથ રેડ ફ્લાવર્સ” ( A
White Dress With Red Flowers” ) તે વાંચી હું ખુબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને એ
પોસ્ટ આધારીત મે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક કાવ્ય રચના પ્રગટ કરી હતી. આજે એ
લખાણને પુસ્તકના પાન ૨૦૭ પર ફરી વાંચી મારા હૈયે આનંદ અનુભવું
છું.
મેં આટલું લખ્યું કે વધૂ લખું એથી આ પુસ્તકનું પુર્ણ
વર્ણન તો ના જ કરી શકું….અને હું કાંઈ શાહિત્યકાર નથી કે મારી પાસે એવું વર્ણન
કરવા “શબ્દ ભંડાર” છે…પણ, પુસ્તકની શરૂઆતમાં સર્યુબેને જે શબ્દોમાં
“અસ્મિતા”દર્શાવી એ જ ખરેખર “સર્યુ હ્રદય ઉંડાણ”નું કહે છે…….
અને એ છે સર્યુ-શબ્દોમાં, “કલા, કવિતા અને સંગીત
જીવનમાં શ્વાસ લેવા સમાન માતા મામા, શ્વસુર, ભાઈઓએ આપેલો મબલખ રસાસ્વાદ અને
જીવનસાથીનો અધ્યાત્મિક કલાસંગીત ગુંજતો સહવાસ”…..અને “અમારા જ્ઞાની, સાહિત્ય અને
કલા રસિક સ્વજનોના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સહજ સરળ વહેતી સર્જન સરવાણી, પરમ
કૃપાળુના ચરણોમાં”….આ રહ્યા સર્જુબેનના શબ્દો !…..પણ જે વ્યક્તિ અન્યને
પ્રેમભાવથી નિહાળી, પ્રભુને યાદ કરે તે એક “મહાન” વ્યક્તિ કહેવાય. સર્યુબેને ઉપરના
થોડા શબ્દો દ્વારા આ પુસ્તક લખાણને એમની જીવન યાત્રના શિખરે લઈ ગયા છે. ગુજરાતી
સાહિત્ય જગતમાં આ પુસ્તકની ગણતરી કરી કેવું સ્થાન આપશે એની જાણ નથી પણ માનવીઓના
હ્રદયોના ત્રાજવે તો આ પુસ્તક ખુબ જ આનંદ લાવશે. સર્યુબેને પોતાના જીવનને “હ્રદય
પૂકાર”ના શબ્દો સાથે મઢી, પરિવારીક કર્તવ્ય પાલન કરતા, “સામાજિક સેવા”કરી, એક
“આદર્શ” જીવનની ઉપમા આપી છે.
સર્યુબેનને મારા અભિનંદન !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર કેલીફોર્નીઆ

બે શબ્દો…

સર્યુબેન પારીખે મને એમની પ્રગટ કરેલ પુસ્તક પોસ્ટ
દ્વારા મોકલ્યું.
એને વાંચવું એ જ મારી “વાંચન
યાત્રા”.
એ પછી, સર્યુબેન તરફથી એક ઈમેઈલ હતો. જેમાં સર્યુ
શબ્દો નીચે મુજબ હતા>>>>>
ભાઈશ્રી,
મેં ગઈકાલે તમારો પ્રતિભાવ બરાબર વાંચ્યો. તમે આટલા
ભાવથી પુસ્તક વિષે લખ્યુ તેથી પ્રભાવિત થઈ છું.
જરા ફેરફાર પછી બ્લોગ પર મુકાયુ છે. હું ખુબ જ
આભારી છું.
તમારા મોકલાવેલ પુસ્તકો વાંચી રહી હતી.
વિશ્વભારતીનુ બહોળુ સંપાદનનો લાભ લેતા રહીશુ.
“ભક્તિભાવના ઝરણા”માં તમારા કવ્યો ભક્તિના રંગે
રંગાયેલા છે. “આ પુસ્તિકાના લખાણમાં ફક્ત મેં મારૂ હૈયુ ભર્યુ છે.” વાક્ય ઘણુ કહી
જાય છે.સબસે ઉંચી પ્રેમ સગાઈ…પ્રભુ પ્યારા…અને બીજી ઘણી ઘણી રચનાઓ મન મુદીત
કરનારી છે.
તમારા લખાણમાં નમ્રતા અને ભક્તિભાવ ભારોભાર ભરેલા
હોય છે, ભલે એ કવિતા હોય કે પછી અમારા જેવા સાહિત્ય પ્રેમીને લખતા
હોય.
વ્યસ્તતાને કારણે ઘણી વખત જવાબ ન લખી શકુ તો માફ
કરશો.
આપના સ્નેહ માટે આનંદિત છું.
સરયૂ દિલીપ
પરીખ
અને, ફરી ઈમેઈલથી સર્યુબેને એમના પુસ્તક
“વિમોચન” વિષે જણ કરી ત્યારે  મારા શબ્દો નીચે મુજબ
હતા>>>
સર્યુબેન,
નમસ્તે !
તારીખ ઓકટોબર ૧૧ થી ૨૨ ૨૦૧૧ સુધી હું બહાર હતો એથી
તમારો ઈમેઈલ વાંચી શક્યો ન હતો.
આજે ઘરે આવી જાણ્યું કે તમારા પુસ્તકનું “વિમોચન”
થયું. ખુબ જ આનંદની વાત !
ભાવનગરમાં કવિશ્રી ડો. વિનોદભાઈ જોષીના હસ્તે એ વિમોચન
થયું ત્યારે તમારા ભાઈશ્રી મુનિભાઈની હાજરી “અતિથિ વિશેષ” તરીકે હતી…….એ એક
બેનના ભાગ્યમાં ખુબ જ આનંદની ઘડી કહેવાય….જે તમારા હૈયે થયું હશે તેને શબ્દોમાં
કેમ કહી શકાય ?…..અને, તમે ઈમેઈલમાં મુનિભાઈના શબ્દોનો ઉલ્લેખ કરી અમોને એમના
હૈયાનો આનંદ જાણવાની તક આપી, એ માટે ખુશીભર્યો આભાર.
એ પછી, તમે તમારા પુસ્તકની “મારી વાંચન યાત્રા”નું
લખાણ આપ્યું….અચંબા સાથે આનંદ અને, આ પ્રમાણે તમે જે કર્યું તે માટે હું ધન્ય થઈ
ગયો…..અને, એ લખાણ બાદ, તમે મારા આ શબ્દો માટે જે તમારા હૈયાનું કહ્યું તે વાંચી
ગદ ગદ થઈ ગયો ! આભાર !
……..ચંદ્રવદન
આ પુસ્તક  વિષે જે કોઈને વધુ જાણવા ઈચ્છા હોય તો તેઓ
સર્યુબેનના બ્લોગ “ગંગોત્રી” પર  નીચેના એડ્રેસે “ક્લીક” કરી , “પુસ્તક ની પોસ્ટ”
અને એના “વિમોચન”ની પોસ્ટ વાંચી માહિતી જાણી શકો છે>>>
http://saryu.wordpress.com/
આ પ્રમાણે, પ્રગટ કરેલી આ પોસ્ટ સૌને
ગમે.
તમે જો “ગંગોત્રી” પર જઈ  વાંચશો તો મને આનંદ હશે
!
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is just about the Book ” NITARATI SANJ” by
Saryuben Parikh og Austin Texas, U.S.A.
My reading of it & my feelings expressed as my
“VANCHAN YATRA”.
Then the Response of Saryuben to it…& my Response
to the “VIMOCHAN” of the Book in Bhavnagar, Gujarat, India.
Youcan know more of this Book & Saryuben & her
husband Dilipbhai  by visiting her Blog “GANGOTRI” by
clicking>>>>
http://saryu.wordpress.com/
I hope you enjoy this Post
!
Dr. Chandravadan Mistry

નવેમ્બર 6, 2011 at 6:23 પી એમ(pm) 11 comments

સસલું અને કાચબો !

 

Tortoise and Hare
Image 1

The Tortoise and the Hare, by Arthur Rackham

સસલું અને કાચબો !

એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું.
એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને  એની સુંદરતાનું
અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે  એક કાચબાને
નિહાળ્યો હતો. એને એની સાથે વાતો કરવાનો સમય જ ના હતો.એ ધીરે ધીર ચાલતા કાચબાને
મુર્ખ પ્રાણી સમજતું હતું.
એક દિવસ, કોણ જાણે કેમ એ સસલું  કાચબા નજીક આવી વાતો
કરવા લાગ્યુંઃ
“અરે, કાચબાભાઈ, કેમ તમે ધીરે ધીરે ચાલો છો
?”
ત્યારે, કાચબો એને શાન્તીથી કહે..” અરે, બેન, શું કરૂં
? આ જ પ્રમાણે પ્રભુએ મારૂં ઘડતર કર્યું છે, એથી જ હું એવી રીતે ચાલુ
છું.”
આવું સાંભળી, સસલાને જરા મજાક કરવાનું મન થયું. અને
કહેઃ”ચાલો, આપણે હરિફાઈ કરીયે. તમે એ માટે તૈયાર છો ?”
કાચબો સસલાના હૈયાનો ભાવ સમજી ગયો હતો. એ જાણતો હતો કે
એની હારમાં સસલાએ હસીને એની મજાક કરવાની ઈચ્છા હતી. એણે વિચારી કહ્યુંઃ ” બેન, આજ
તો નહી આજે હું થાકી ગયેલો છું. પણ આવતી કાલે જરૂરથી આપણે હરિફાઈ
કરીશું”
આવા કાચબાના શબ્દો સાંભળી સસલું તો ખુબ ખુશી સાથે એના
ઘરે ગયું.
એવા સમયે, કાચબાએ એના શિયાળ મિત્રને સરોવર નજીકનો પંથ
બતાવી, હરિફાઈ વિષે કહ્યું, અને એની મદદ માંગી. શિયાળબેન તો મદદ કરવા રાજી થઈ ગઈ.
ત્યારે, કાચબાએ શિયાળને કહ્યું ” કાલે આવો ત્યારે તમારા પતિદેવને પણ સાથે
લાવજો.”..આ કાચબાના શબ્દો સાંભળી, શિયાળ જરા અચંબામાં હતું પણ કાંઈ ના
બોલ્યું.
બીજે દિવસે, નક્કી કરેલા સમય પ્રમાણે, સસલું અને કચબો
સરોવર પળે હતા.ત્યારે, કચબાના સુચન પ્રમાણે શિયાળના પતિ પણ હાજર હતા. અને, કાચબાએ
સસલાને કહ્યુંઃ” આ સઓવર પાળે પાળે  જવાનું છે, અને જે ફરી પ્રથમ અહી આવે તેની જીત.
આ માન્ય છે ?”
ત્યારે, સસલું એની ઝ્ડપના ગર્વમાં હરિફાઈ વિષે બીજી
ચોખવટ કરવાનું ભુલી જઈ કહેવા લાગ્યુંઃ” મજુંર છે !”
આ હરિફાઈ શરૂઆત સમયે મિત્ર શિયાળના પતિ આ સંવાદના
સાક્ષી બન્યા. અને એવા સમયે, મિત્ર શિયાળ દુર એક સરોવર પાળના ઝાડ પાછળ સંતાયને સુચન
પ્રમાણે ઉભું હતું.
શિયાળ પતિએ જવાબદારી લીધી. કાચબો અને સસલું એક લાઈન
પાછળ હતા. એણે ૧,,૨..૩ અને “ગો” કહ્યું. સસલું તો આનંદમાં દોડતું દુર જઈ રહ્યું
ત્યારે કાચબો તો ધીરે ધીરે  પેલા પાળ નજીકના ઝાડ પાસે આવી ઉભુ રહ્યું .અને ઝડ
પાછળથી  શિયાળ બહાર આવી, જમીન પર બસી ગયું. કાચબો શિયાળની પીઠ પર બેસી ગયો. શિયાળ
ઝડપથી દોડવા લાગ્યું. અંતર કપાતું ગયું.  સસલું એ સમયે દુર હતું. એ દોડતા દોડતા,
પાછળ નજર કરતું અને કાચબાને ના જૉઈ આનંદમાં આવી જતું..ધીરે ધીરે એની ઝડપ પણ ઓછી થતી
હતી. પણ, એને એની જીતની ખાત્રી હતી. અને જીત્યા બાદ, કેવી રીતે કાચબાની મજાક કરવી
એવા વિચારોમાં એ હતું. જ્યારે એ એવા વિચારોમાં હતું ત્યારે પાછળ જોતા એણે કાચબાને
સિયાળ પર નિહાળ્યો…..એ હજુ કોઈ બીજા વિચારો કરે તે પહેલા શિયાળ અન કાચબો એને પસાર
કરી આગળ નીકળી ગયા….સસલાએ એની ઝડપ વધારી..પણ એ કાંઈ કામ ના આવી. જ્યારે એ “ફીનીશ
લાઈન” પર આવ્યું ત્યારે કાચબો એની વાટ જોતો હતો.
સસલું જેવું ત્યા આવ્યું એટલે કાચબો કહે ઃ”બેન, હું
હરિફાઈ જીતી ગયો !”
ત્યારે. ગુસ્સામાં આવીમ સસલું કહે ઃ “તમે તો શિયાળ પર
સવારી કરી આવ્યા છો…એટલે જીત તો મારી કહેવાય !”
ત્યારે, શિયાળભાઈ એક જર્જ તરીકે એમનો અભિપ્રાય આપે..”
અરે, સસલાભાઈ, જ્યારે હરિફાઈની વિષે ચર્ચા કરી ચોખવટ કાચબાએ તમોને કહ્યું ત્યારે
તમે કોઈ શરતો મુકી ના હતી..ફક્ત એક જ ધ્યેય હતો …જે સરોવર પાળ પર અંતર કાપી પ્રથમ
અહી આવે તે જ વિજેતા ! આ પ્રમાણે, આ હરિફાઈ જીતનાર તો કાચબાભાઈ જ
કહેવાય.”
આટલા શબ્દો શિયાળભાઈ બોલ્યા ત્યારે આ નિર્ણયને ટેકો
આપતી હોત તેમ કાચબ મિત્ર શિયાળ બોલ્યું ઃ” હા, હું પણ સહમત છું !”
બસ, આટલા શબ્દો દ્વારા સસલાને એની ભુલ સમજાય… “ફક્ત
કોઈને નિહાળી, તમે એનું ખરૂં મુલ્ય ના કહી શકો. પોતાની શક્તિ પર ગર્વ કરી અન્યનું
અપમાન કરવું એ મહાન ભુલ છે. નમ્રતામાં જ પ્રેમ છે !”…સસલાના મનમાં બસ આવા વિચારો
ગુંજી રહ્યા. એનું અભિમાન હવે પીગળી ગયું હતું એ  કાચબા અને શિયાળોની તરફ એક મીઠી
નજરે નિહાળી, ડોકું નીચું રાખી જાણ સત્યના જ્ઞાન સાથે વિદાય લેતો હોય એવું દ્રશ્ય
સરોવર પાળે આજે હતું !

આ વાર્તા લેખન …તારીખ ઓકટોબર,૫,
૨૦૧૧                                      
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

સસલા અને કાચબાની વાર્તા તો બાળકોએ જાણી જ
છે.
એ હતી “જુની વાર્તા” !
આ પોસ્ટરૂપી “ટુંકી વાર્તા”માં થોડા “વિચારધારા”રૂપી
ફેરફારો છે.
જુની વાર્તામાં હરિફાઈમાં સસલાનું સુઈ જવું અને
હારવું….ત્યારે આ વાર્તામાં  એક “ચાલાકી”સહારે કાચબાની જીતના દર્શન થાય
છે.

પણ, આ બાળવાર્તાનો “બોધ” નીચે મુજબ છે…….

કોઈ પણ વ્યક્તિને ફક્ત નિહાળતા એના વિષે “અભિપ્રાય”રૂપી અનુમાન કરવું  એ જ
એક ભુલ છે !

પોતાની શક્તિનું અભિમાન કરવું એ જ અનેક જીતો બાદ, એવી વ્યક્તિને હાર કે પતન
તરફ લઈ જાય છે !

આ વાર્તામાં સસલાને શરીર અને શક્તિના અભિમાનમાં “અંધકાર ” છે..એની
“મુર્ખતા”ના દર્શન થાય છે.

કાચબાના શાન્ત સ્વભાવ સાથે ચતુરાય, અને નમ્રતા છે !

આ વાર્તા દ્વારા  એક જ હેતું છે….માનવીએ શીખવાનું છે કે જે સ્વરૂપે દેહ
મળ્યો એનો પ્રથમ સ્વીકાર હોવો જોઈએ. અને દેહ સાથે મળેલી શક્તિ-જ્ઞાન વિગેરે માટે
પ્રભુનો પાડ માની, એનો સદ-ઉપયોગ  કરવાનો જીવન સફરે હંમેશા પ્રયાસ હોય !.. જે પંથ
સત્ય તરફ હોય તેવો પંથ બાળકો કે અન્યને બતાવતા, એનું જીવન આ ધરતી પર ધન્ય બની જાય
છે !

આ પાંચમી અને છેલ્લી બાળ વાર્તા છે.
તમોને ગમી ?
આ પછી, “અનામી”..કે
“કાવ્ય પોસ્ટો” કે “સુવિચારો” કે એવી થોડી જુદી જુદી પોસ્ટો માણીશું…અને પછી,
બીજી “ટુંકી વર્તાઓ”.
આ વિચાર ગમ્યો ?
જરા “પ્રતિભાવ”રૂપે કહેશો મને ?

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

નવેમ્બર 4, 2011 at 1:06 પી એમ(pm) 20 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,628 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930