Archive for જાન્યુઆરી, 2013

સુવિચારો !……માફી”

leave thoughts on god

સુવિચારો !
માફી”
(૧) માફી એ માનવીની મહા મુલ્યવાન ચીજ છે !
(૨) હ્રદય ખોલી, અંતરકરણના દરિયામાં ડુબકી મારી માફી માંગવી એ જ ખરી માફી કહેવાય !
(૩) જ્યારે થયેલી ભુલો માટે માફી શબ્દોમાં કહેવામાં આવે ત્યારે એના મુળ દેહની ઉંડાણમાં હોવા જોઈએ !
(૪) જ્યારે માફી અંતરકરણના દરિયામાં સ્નાન કરી કહેવામાં આવે ત્યારે “બદલો લેવાની ભાવના” પીગળી જાય છે અને એ માફી “શુધ્ધ” હોય !
આથી, ચંદ્ર કહે…..
ઓ, માનવ ! પ્રભુએ ભેટ આપેલી ચીજ માફીને હ્રદય દ્વારો ખોલી જાણ, તારા આત્માને સાંભળ, અને ઉદારતા રાખી, અન્ય તરફ તારો પ્રેમ જાગૃત કર !
એ જ તારૂં જીવન સફળ કરશે !
આ ભવસાગર તો જ તું તરી શકશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post of “SUVICHAR” is after several TUNKI VARTA Posts.
Now..this Post will be followed by Kavyo….ANAMI or Uncategorised Post Etc.
The Post here on FORGIVENESS.
This is a VIRTUE that the HUMANS possess.
The FORGIVENESS that come from the HUMAN HEART has the REAL VALUE…..MERE WORDS have NO meaning !
DR. CHANDRAVADAN MISTRY

જાન્યુઆરી 30, 2013 at 3:00 પી એમ(pm) 16 comments

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !

Family : child's drawing of the family on a bicycle, vector

મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !
નાના ગામડામાં રહેતા મુળજીભાઈએ સાહસ કર્યું અને મુંબઈ જઈ એક નાના રૂમમાં રહી નોકરી શરૂ કરી. એમણે મહેનત કરી, અને સારી કમાણી થતા, ટુંક સમયમાં જ એમની પત્ની કાશીબેનને મુંબઈ બોલાવ્યા. આ પ્રમાણે, મુળજીભાઈ અને કાશીબેન ખુબ જ આનંદથી એમનું જીવન વિતવવા લાગ્યા.
મુંબઈ શહેરમાં રહી,એઓ બંને મુંબઈના જ થઈ ગયા.ગામે કોઈકવાર જતા,ફરી મુંબઈ આવવા માટે આતુર રહેતા. મુંબઈ રહ્યાને બીજે જ વર્ષ બંને ખુબ જ ખુશ હતા કારણ કે એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો.દીકરાનું નામ પ્રેમથી “પ્રવિણ” રાખ્યું. મુળજીભાઈ અને કાશીબેન પ્રવિણને ખુબ જ પ્યારથી મોટો કરવા લાગ્યા. લાડમાં પ્રવિણ ત્રણ વર્ષનો થઈ ગયો. અને, એક દિવસ કાશીબેને મુળજીભાઈને કહ્યું “મારે તમોને એક ખુશખબરી કહેવી છે “.
“કાશી, શું કહેવું છે ? જે કહેવું હોય તે જલ્દી કહી દે “મુળજીભાઈ આતુર થઈ બોલ્યા.
“આપણા ઘરે હવે પ્રવિણ સાથે રમવા કોઈ આવશે “કાશીબેને ખુશી સાથે કહ્યું
કાશીબેનના આવા શબ્દો સાંભળી, મુળજીભાઈનું હૈયું આનંદથી ભરાઈ ગયું.થોડા મહિનાઓ વહી ગયા. અને, એક દિવસ કાશીબેનને મુળજીભાઈને કહ્યું”સાંભળો છો કે ? મને પેટમાં દુઃખે છે. મને જલ્દી હોસ્પીતાલે લઈ જાઓ!”
મુળજીભાઈએ તો ખુશી સાથે એક ટેક્ષી બોલાવી અને કાશીબેનને નજીક આવેલી નાણાવટી હોસપીતાલમાં દાખલ કરી દીધા.
મુળજીભાઈ હોસ્પીતાલમાં આમ તેમ આટાં મારતા હતા..સમય જાણે થોભી ગયો હતો. એમનું હૈયું ધબકી રહ્યું હતું..એમના મનમાં પત્ની અને પહેલા સંતાનના વિચારો રમી રહ્યા હતા, ત્યાં અચાનક મેટરનીટી વોર્ડના દ્વારો ખુલ્યા અને મેટરનીટીની નર્સએ નજીક આવી કહ્યું”કાકા..કાશીકાકીએ જોડીયા બાળકોનો જન્મ આપ્યો છે.કાકી અને બાળકો સારા છે.”આટલા શબ્દો સાંભળી મુળજીભાઈ તો જલ્દી ખુશ થઈ કાશીબેન પાસે દોડી ગયા.બેડ પર એક પુત્ર અને એક પુત્રી.નાની નાની કાયા, અને સુંદરતાથી ભરપુર.કાશીબેનમા મસ્તકે હાથ ફેરવી, મુળજીભાઈએ દીકરા અને દીકરીના કપાળે વ્હાલમાં ચુંબન કર્યું.એ ત્રણ દિવસો કાશીબેનની સારવાર હોસપીતાલમાં થઈ, અને ત્યારબાદ, મુળજીભાઈ કાશીબેન અને સંતાનોને ઘરે લાવ્યા.મુળજીભાઈ હવે સારૂં કમાતા હતા એથી એમણે ટુંક સમયમાં જ એક ત્રણ રૂમોનો ફ્લેટ લીધો. એ હવે એમનું નવું ઘર !
ફ્લેટમાં જોડીયા બાળકો મોટા થવા લાગ્યા.દીકરાનું નામ જીવણ, અને દીકરીનું નામ માયા રાખ્યું હતું. પ્રવિણ તો નાના ભાઈ અને બેનને નિહાળી અને સાથે રમી ખુબ જ ખુશ હતો. મુળજીભાઈ અને કાશીબેન પણ એમના ત્રણ બાળકો સાથે ખુશી અનુભવતા હતા.અનેક વર્ષો વહી ગયા.પ્રવિણે તો શાળા છોડી, મીઠીબાઈ કોલેજમાં પ્રથમ દાખલ થઈ એંતે સરદાર પટેલ ઍન્જીનીયરીંગ કોલેજમાં ભણી મેકેનીકલ એન્જીનીયરની ડીગ્રી મેળવી. જીવણ અને માયાએ શાળાનો અભ્યાસ પુરો કર્યો, અને કોલેજમાં દાખલ થયા.ત્યારે, પ્રવિણ તો એક સારી નોકરી કરી રહ્યો હતો.મુળજીભાઈ અને કાશીબેને પ્રવિણને લગ્ન કરવા વાતો કરી ત્યારે પ્રવિણે માતાપિતાને કહ્યું “પપ્પા, મમ્મી, મારી સાથે કોલેજમાં શોભના ભણતી તે મને ગમે છે”આ જાણી, મુળજીભાઈ અને કાશીબેન તો રાજી થઈ ગયા. શોભનાને ઘરે બોલાવી,વાતો કરી. અને, થોડા સમયમાં પ્રવિણ અને શોભનાના લગ્ન થઈ ગયા.શોભના એક વહુ તરીકે આવી અને મુળજીભાઈ અને કાશીબેને અને માયા જેવી દીકરી સ્વરૂપે નિહાળી.શોભના પણ ભણેલી હતી એથી એ પણ નોકરી કરતી.આ પ્રમાણે ઘરમાં આનંદ હતો.
અનેક વર્ષો વહી ગયા. જીવણ અને માયા પણ હવે મોટા થઈ ગયા હતા. એમનો કોલેજ અભ્યાસ પણ પુરો થયો હતો.એથી મુળજીભાઈ અને કાશીબેનને એમને પ્રણાવવાની ચિન્તાઓ હતી.જ્યારે પણ લગ્નની વાતોની ચર્ચાઓ ઘરમાં થાય ત્યારે જીવણ કહેતો “બેન માયાના લગ્ન કરો”.દીકરીના લગ્નની ચિન્તા માતાપિતાને હોય જ.પણ પ્રભુની કૃપા થઈ અને નજીકમા રહેતા એક જાણીતા કુટૂંબના દીકરાનું માંગુ આવ્યું..લગ્ન નક્કી થયા. માયાને ધામધુમ અને ખુશી સાથે પરણાવી. એ ભરત સાથે સાસરે આનંદમાં હતી.માયાની ખુશી નિહાળી મુળજીભાઈ અને કાશીબેન પણ ખુશ હતા, અને પ્રભુનો પાડ માનતા હતા.
માયાના લગ્ન બાદ, જ્યારે મુળજીભાઈ કે કાશીબેન જીવણને લગ્નની વાત કરતા ત્યારે એ કહેતોઃ”પપ્પા,મમ્મી શાને ઉતાવળ કરો છો તમે ?”આ પ્રમાણે એ વર્ષ પુરા થઈ ગયા. હવે, મુળજીભાઈ અને કાશીબેનની ધીરજ ખુટવા લાગી.અને, એક દિવસ મુળજીભાઈએ જીવણને રૂમમાં બોલાવ્યો.
“જીવણ, તું ૨૮ વર્ષનો થઈ ગયો છે. હવે તો તારે લગ્ન કરવા જ પડશે.”મુળજીભાઈએ ભારપુર્વક કહ્યું.
જીવણ શાંત રહ્યો.
“તને કોઈ છોકરી ગમે છે ?”કહી મુળજીભાઈ લગ્નની વાત ચાલુ રાખી.
તો પણ જીવણ કાંઈના બોલ્યો.
“જો તું કોઈ છોકરી વિષે ના કહે તો હું અને તારી મમ્મી તારી લાયક છોકરી શોધીશું !” એમણે જરા ગુસ્સા સાથે કહ્યું. ત્યારે કાશીબેન પણ નજીક ઉભા રહી સાંભળતા હતા.
તો, પણ જીવણ બોલ્યોઃ”પપ્પા મારે લગ્ન નથી કરવા !”
“તારે માતા પિતાની ખુશી માટે લગ્ન કરવા પડશે “મુળજીભાઈએ મક્કમ રહી કહ્યું.
“પપ્પા, તમો માનો છો એવો હું નથી.તમે મને સમજો !” જીવણ ધીરેથી બોલ્યો.
“અરે, તું તો અમારો વ્હાલો છે. તું અમોને ખુબ જ માન આપે છે. તું જરૂર અમારું કહ્યું માનશે જ !” મુળજીભાઈએ લગ્નની વાતને ચાલુ રાખી.
ત્યારે જીવણથી રહેવાયું નહી.એ એનું હૈયું ખોલીને કહેવા લાગ્યોઃ
“પપ્પા, હું તો કોઈ પણ છોકરીને પરણવા માંગતો નથી.અત્યારના જમાનામાં લોકો જેઓને “ગેય” કહે છે તેમાંનો એક છું. હા, તમો એ જાણી નારાજ થશો, અને કદાચ ગુસ્સો પણ કરશો.પણ, સત્ય એ જ છે !હું તો અત્યારે કોઈ છોકરાને પણ ચાહતો નથી.મને પ્રભુએ જ એવો બનાવ્યો છે. હું શું કરૂં ? સત્ય કહેવા તમે જ મને શીખવ્યું છે. જુઠું કહી તમેને ખુશ કરૂં કે સત્ય કહી તમોને નારાજ કરૂં ? મેં તો તમારી સાથે જ જીવન જીવી તમારી સેવા કરવાનો નિર્ણય લીધો છે. મારે કોઈ છોકરીનું જીવન બરબાદ કરવું નથી.તમે હવે મને રાખો કે ઘરબહાર કરો,મને એનો સ્વીકાર છે. તમે જે પણ નક્કી કઓ તે મને મંજૂર છે.હું પણ તમોને ખુબ જ પ્યાર કરૂં છું,તમોને માતાપિતા તરીકે મેળવી પોતાને ભાગ્યશાળી સમજું છું.”
આટલા શબ્દો કહી જીવણ ચુપ થઈ ગયો.
રૂમમાં એક અનોખી શાંતી હતી !
મુળજીભાઈ અને કાશીબેનના ચહેરા પર મનમાં અનેક વિચારો રમી રહ્યા હતા એના દર્શન થતા હતા.”મારા જીવણને અપનાવી લઉં કે એને ઘરબહાર કરી ત્યાગ કરૂં ?….કે એને કહું કે તું મારો દીકરો જ નથી એવું માનીશ..કે સમાજના નિયમોનું પાલન કરી પગલું ભરૂં? કે, પ્રભુએ આપેલી ભેટ માની સ્વીકાર કરૂં ?”
અંતે…..
મુળજીભાઈ ઉભા થતા…બે ડગલા જીવણ નજીક ગયા, અને જીવણને ભેટી પડ્યા અને બોલ્યાઃ
“બેટા, તું જેવો છે તેવો મારો છે ! પ્રભુએ તમે બનાવી અમોને સંભાળવા આપ્યો. તમે વ્હાલ કરી,મોટા કરવાની જવાબદારી અમારી હતી. હવે, તું સમજદાર અને મોટો છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે જ થાય છે. તું અમારી સાથે રહેશે તો એ અમારૂં ભાગ્ય કહેવાય..જાણે ઘડપણમાં તારી સેવાથી અમો બન્ને ધન્ય થઈ જઈશું. પ્રબુનો પાડ માનીએ છીએ !”
પિતાને ભેટી જીવણે એના મનનો ભાર હલકો કર્યો….મુળજીભાઈને ભેટી એ કાશીબેનને આંખોમાં આંસુઓ લાવી રડવા લાગ્યો ત્યારે કાશીબેને મમતાનો સ્નેહભર્યો હાથ એના કપાળે ફેરવી એના આંસુઓ લુંછી કહ્યું ઃ”બેટા, રડ ના ! તું તો કાળજાનો ટુંકડો છે, અને મારો વ્હાલો છે. હવે મને કે તારા પપ્પાને જરા પણ ચિન્તા નથી. તારી સાથે અમારા ઘડપણમાં આનંદ હશે.”
હવે, જીવણના ચહેરા પર પહેલીવાર એક અનોખો આનંદ હતો, અને એના હૈયામાં છુપાયેલી ચિન્તાઓ હવે દુર થઈ ગઈ હતી.હવે, જીવણ આકાશમાં ઉડી રકેલા પક્ષીઓ જેમ આઝાદ હતો !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
વાર્તા લેખન તારીખઃ સેપ્ટેમ્બર,૨૧,૨૦૧૨
બે શબ્દો…
આજની ટુંકી વાર્તા છે “મુળજીભાઈ અને કાશીબેનનો જીવણ !”
તમે આ પહેલા પાંચ (૫) વર્તાઓ વાંચી. એ બધી જ વાર્તાઓ ઓસ્ટ્રેલીઆમાં હું થોડા મહિનાઓ માટે હતો ત્યારે ઓકટોબરની પાંચ તારીખે ૨૦૧૦માં લખાય હતી. એ સમયે, મારા મનમાં એક જ વિચાર હતોઃ”મેં આગળ “બોધકથાઓ”સ્વરૂપે લખી કંઈક “શીખ” આપવાનો પ્રયાસ કર્યો હતો..તો, હવે સંસારમાં કંઈક “સમાજીક પરિવર્તન” લાવવા  વાર્તાઓ હોવી જોઈએ” બસ, આ વિચાર સાથે પેન અને પેપર સાથે દીકરી જમાઈના એપાર્ટમેન્ટમાં કંઈક લખવા શરૂઆત કરી, અને પ્રભુની પ્રરણાથી ૫ વાર્તાઓને સ્વરૂપ મળ્યું
ત્યારબાદ…
અહી લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં હું જ્યારે આ વાર્તાઓ પ્રગટ કરી રહ્યો હતો ત્યારે “બીજી” વાર્તાઓ લખવા વિચારતો હતો ત્યારે “ગેય”વર્તનના બનતા દાખલાઓએ સમાજને હલાવી નાંખ્યો તે નજરે આવ્યું. અહી શરૂઆતમાં “ઈસ્ટ કે વેસ્ટ”ના સર્વ સમાજોએ આવા વિચારને અપનાવવા ઈનકાર કર્યો. અંતે,વેસ્ટે પહેલ કરી. આવી વ્યક્તિઓ પણ પ્રભુના જ સંતાનો એવા “ઉચ્ચ” વિચાર સાથે સ્વીકાર કર્યો. ભારતમાં હજું જોઈએ તેવી “જાગૃતી” આવી નથી. આ ધ્યાનમાં લઈ મને આ વાર્તા પોસ્ટરૂપે પ્રગટ કરવા પ્રભુપ્રેરણા મળી.
ચાલો, આવી જ પ્રભુની ઈચ્છા હશે કે મારા હસ્તે આ વાર્તા લખાય, અને આજે તમે “ચંદ્રપૂકાર” પર વાંચી.
તમે આવી વિચારધારા પ્રમાણે ના પણ હોય….તો કદાચ, આ વાર્તા વાંચી તમો પરિવર્તન લાવો.
તમે કદાચ, આવી વિચારધારાથી સહમત પણ હોઈ શકો. તો, આ વાર્તા વાંચી તમો અન્યને “માર્ગદર્શન” આપવામાં હિંમત મેળવો એવી આશા.
તમે જો પૂરાણોના વાંચકો હોય તો, “શિખંડી”વિષે જાણ્યું જ હશે. જરા એના પર ઉંડો વિચાર કરજો !
“બે શબ્દો” લખી તમારા વિચારો જણાવજો. એવું ના કરી શકો તો હું સમજી શકું છું. પણ, તમે પધારી આ વાર્તા વાંચી તે માટે હું સૌને આભાર દર્શાવું છું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is short story in Gujarati entitled ” MULAJIBHAI ane KASHINENNo JIVAN”.
By this Story, I desire to bring the AWARENESS of the SEXUAL ORIENTATION of the GAYS in our ESTABLISHED SOCIETY with the RULES & OLD IDEAS which CONFICT with the “NEW”.
If one sees this CHANGE as the “God desired” and accept these individuals as the CHILDREN of GOD, then only then one is at PEACE.
I understand that many of you are in cofusion…Some of you may “rejected” this idea, and some of you “accepted” this change in the Society.I just want ALL to  RETHINK seriously & ask your “inner Soul”. I am sure ALL will get the ANSWER.
Hope you like the story.
Thanks for reading this Post.
Dr. Chandravadan Mistry.

જાન્યુઆરી 23, 2013 at 2:38 પી એમ(pm) 21 comments

કનક,મીરા અને દીકરીઓ !

Family : child's drawing of the family on a bicycle, vector
કનક,મીરા અને દીકરીઓ !
કનક એક સંસ્કારી કુટુંબનો છોકરો હતો.એણે કોલેજમાં અભ્યાસ કરી, “એમ.બી.એ.”ની ડીગ્રી મેળવી, એક મોટી કંપનીમાં સારી નોકરી કરતો હતો.એના પિતાનું નામ મણીભાઈ અને માતાનું નામ ગૌરીબેન હતું.મણીભાઈ મહેતા વંશના હતા અને એમની દુકાન સારી રીતે ચાલતી હતી.ગૌરીબેનનું ભણતર ફક્ત હાઈસ્કુલનું હતું.મણીભાઈ અને ગૌરીબેન બંને ભક્તિભાવથી ભરપુર હતા, અને જ્ઞાતિમાં સૌ એમને ઓળખતા અને એમને માન આપતા.કનક એમનો એકનો એક દીકરો હતો. કનક એમને ખુબ જ વ્હાલો હતો.કનકના હૈયે માતાપિતા માટે ઉંડો પ્રેમ હતો, અને એ માતા પિતાને માન આપતો.એ એના જીવનમાં માતા પિતાનું કહ્યું માનતો. એનું જીવન જાણે માતા પિતાના માર્ગદર્શનથી જ ચાલતું હોય એવું લાગતું કારણ કે એ કોઈ દિવસ એમને ના નહી કહેતો.જાણે એણે એની સ્વતંત્રતા પણ ગુમાવી દીધી હોય એવું લાગતું હતું.
કોલેજ અભ્યાસ બાદ એને તરત જ નોકરી મળી ગઈ હતી. એને નોકરી કર્યાને એક વર્ષ પુરૂ થતા, એક દિવસ એના પિતા કનકની પાસે આવ્યા, અને કહેવા લાગ્યાઃ
“કનક બેટા, હવે તો તારે લગ્ન કરવા જોઈએ”
“પપ્પા, શાને ઉતાવળ કરો છો ?”કનકે ધીરેથી કહ્યું.
“બેટા, હું અને તારી મમ્મીની ઉંમર વધતી જાય છે. તું પરણે તો તારી વહુ ઘરે આવતા તારી મમ્મીને મદદ કરી શકે” મણીભાઈ કનકને સમજાવતા બોલ્યા.
થોડો સમય કનક ચુપ રહ્યો.મનમાં વિચાર કરતો રહ્યો, અને બોલ્યોઃ
“પપ્પા, જેવી તમારી મરજી !હું તમારી ઈચ્છા પ્રમાણે કરવા તૈયાર છું.”
મણીભાઈ તો ખુબ જ રાજી થઈ ગયા.જલ્દી પત્ની ગૌરી પાસે ગયા, અને સમાચાર આપતા, ગૌરીબેનનું હૈયું ખુશીથી નાચી ઉઠ્યું.મણીભાઈ અને ગૌરીબેને તો સમાજમાં કનકને પરણાવવાની વાત અનેકને કહી.અને, કહેતાની સાથે કનક માટે અનેક માંગા આવ્યા. અનેક જગ્યાઓ હતી પણ એમને એક જગ્યા યોગ્ય લાગી,અને કનકને કહ્યા વગર જ છોકરીને ત્યાં પહોંચી ગયા.છોકરી હતી મીરા. એને જોતા જ મણીભાઈ અને ગૌરીબેનને ગમી ગઈ. એઓએ એ વાત મીરાના માતા પિતાને કહી. આ પ્રમાણે, કનકને જરા પણ કહ્યા વગર જ નિર્ણય લીધો. ઘરે આવી બંને એ ખુશીમાં કનકને એના લાયક છોકરી મળી છે એવું જાહેર કર્યું. ત્યારે, કનકે જરા પણ વિરોધ ના કર્યો. કોઈ દિવસે માતપિતાને “ના” કહેવાની હિંમત કરી ના હતી. કનકે તો કહ્યું “પપ્પા, મમ્મી, તમોને છોકરી ગમી છે તો મને કાંઈ વાધો નથી.”
આટલી ચર્ચા બાદ, મણીભાઈ અને ગૌરીબેન કનકને લઈને મીરાને ઘરે નક્કી કરેલા સમય પ્રમાણે પહોંચી ગયા. મીરાના માતા પિતાએ એમનો સતકાર કર્યો. સીટીંગરૂમમાં સૌ બેઠા.અને ચાહ પાણી મંગાવ્યા. મીરા જ એ લઈને આવી ત્યારે મીરાને કહ્યું “મીરા, આ છે કનક એના માતા અને પિતા સાથે”.મીરાએ શરમાયને કનકના માતા પિતાને નમસ્તે કર્યા. વડીલો જરા દુર ઘર બહાર ગયા. અને, કનકે મીરા સાથે થોડી વાતો કરી.વાતો કરતા, કનકને મીરા ગમી ગઈ. અને, બહારથી બધા અંદર આવ્યા એટલે મીરા ચાહ/પાણીની ટ્રેય લઈ ફરી રસોડામાં ગઈ. કનક સાથે એના મતા પિતાએ વિદાય લીધી અને એમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મણીભાઈએ કનકને પુછ્યુંઃ”બેટા, મીરા ગમે છે ?”અને કનકે તરત જ “હા” કહી. મણીભાઈ અને ગૌરીબેન ખુશ થયા.
ત્યારબાદ, લગ્ન માટે તૈયારીઓ થઈ. કનક અને મીરાના લગ્ન થયા, અને મીરા માબાપનું ઘર છોડી,કનકના ઘરે આવી.એ સાસરે આવી. મણીભાઈ અને ગૌરીબેને એને દીકરી તરીકે નહી પણ એક વહુ તરીકે જ નિહાળી.કનકને મનગમતી પત્ની મળી, અને મણીભાઈ અને ગૌરીબેનને એમને ગમતી વહું મળી. સૌ આનંદમાં હતા. કનક તો રોજ ઘર બહાર નોકરી કરવા જાય. ઘરમાં મીરા ઘરકામમાં સમય પસાર કરે. પણ, એના દીલમાં જે હતું તે કહેવાની હિંમત ના હતી. એ એક પૈસાદાર કુટુંબની હતી. એણે પણ કોલેજ અભ્યાસ કર્યો હતો, અને લગ્ન પહેલા એક બેન્કમાં સારી નોકરી કરતી હતી. એના મનમાં ફરી નોકરી કરી મદદરૂપ થવાની ઈચ્છા હતી. મણીભાઈ અને ગૌરીબેન તો મીરાના વખાણ કરતા, અને જે કોઈને મળે તેને કહેતાઃ”અમારી વહુ મીરા તો બહું જ સારી છે !”મીરા આવા શબ્દો સાંભળી જરા કંટાળી, અને પાંચ મહિના બાદ, મીરાએ કનકને રૂમમાં કહ્યું”કનક, મારે તને એક વાત કહેવી છે “
“શું કહેવું છે ,મીરા?” કનકે સવાલ કર્યો.
“કનક, તું તો આખો દિવસ નોકરી માટે ઘરથી બહાર. તને ખબર છે કે લગ્ન પહેલા હું એક બેન્કમાં નોકરી કરતી હતી.મને પણ ફરી નોકરી કરવી છે.”મીરાએ ખુલાશો કર્યો.
“પણ, શા માટે તારે નોકરી કરવીછે ? મારા પગારમાંથી તો ઘરખર્ચ થઈ રહે છે”કનકે જાણે મીરાને નોકરી કરવાની જરૂરત નથી એવા ભાવ સાથે કહ્યુ<
“કનક, મેં કોલેજ અભ્યાસ કરી ડીગ્રી મળવી. મારા દીલમાં થાય કે એ ભણતર આધારે નોકરી કરી હું પણ ઘરમાં મારો ફાળો આપું. તું પણ ભણેલો છે એટલે તું જ મને સમજી શકે !”મીરાએ આટલું કહી નોકરી માટે આગ્રહ રાખ્યો.
કનક ખાસ બોલતો નહી પણ એક સમજદાર છોકરો હતો.એ વિચાર કરવા લાગ્યો. મીરા બેન્કમાં નોકરી કરતી હતી તે એ જાણતો હતો..તો, લગ્ન બાદ એણે મીરાને નોકરી વિષે પુછવાની ફરજ હતી. એ્વી ફરજ એ ભુલી ગયો હતો, એનું ભાન થયું અને મીરાને કહે ઃ”મીરા, તું ફરી બેન્કમાં કામ કરે તો મને વાંધો નથી. અરે, મને એની ખુશી હશે !”…આ પ્રમાણે, કનકે એના જીવનમાં પહેલીવાર, માતા પિતાની સલાહો વગર નિર્ણય લીધો.
બીજે દિવસે, મીરાએ એની જુની બેન્કના મેનેજરને ફોન કર્યો.મેનેજર તો મીરાનો અવાજ સાંભળી જ ખુશ થઈ ગયા.મીરાએ ફરી નોકરી કરવાની ઈચ્છા દર્શાવી એટલે જ હા પાડી અને કહ્યુંઃ”આવતા મહિનાની પહેલી તારીખથી તારે નોકરી શરૂ કરવાની છે. મીરાએ મેનેજર સાહેબને આભાર દર્શાવી ફોન મુકી દીધો. ખુશી સાથે કનક ઘરે આવે તેની રાહમાં હતી.સાંજના જ્યારે કનક આવ્યો ત્યારે એ રૂમમાં જઈ કનકને વ્હાલમાં ભેટી પડી, અને કહ્યુંઃ”કનક, મને આવતા મહિનાની પહેલી તારીખથી બેન્ક્માં નોકરી મળી ગઈ છે !”કનકે તો ખુશ થઈ એને એક ચૂબન કર્યું. ત્યારે, મીરાએ કનકને કહ્યું ” હવે તારે જ પપ્પા અને મમ્મીને આ સમાચાર આપવાના છે” સાંજના ભોજન માટે સૌ ટેબલ પર હતા. આનંદથી ભોજન પુરૂં થઈ રહ્યું હતું, અને કનક બોલ્યોઃ” પપ્પા, મમ્મી, મીરાને એની જુની બેન્કમાં જ ફરી નોકરી મળી ગઈ છે”અ સાંભળી, મણીભાઈ અને ગૌરીબેન તો ખુબ આઘાત લાગ્યો. થોડી જુઠી ખુશી મુખડે લાવી મણીભાઈ બોલ્યાઃ”મીરા તારે શા માટે નોકરી કરવી છે કરવી છે ? એની શી જરૂરત છે ?”
“પપ્પા, કનક એના ભણતર પ્રમાણે નોકરી કરે છે.હું પણ કોલેજમાં ભણેલી છું. આગળ નોકરી કરી છે. મારા પગારમાંથી ઘરમાં કઈક થાય. હું ઘર માટે મદદરૂપ થાઉં, એવી મારી ઈચ્છા છે “
મીરાના આવી સમજ આપતા શબ્દો સાંભળી, મણીભાઈ કે ગૌરીબેન કાંઈ વધુ ના બોલ્યા, પણ પછી ટેબલ પરથી ઉભા થાય તે પહેલા ગૌરીબેન કહેઃ” મીરાને નોકરી કરવી છે તો અમો શું કહીએ ? ચાલો, જે થશે તે !”
નવો મહિનો શરૂ થયો. પહેલી તારીખ હતી. મીરા તો જરા જલ્દી ઉઠી, નાસ્તો તૈયાર કરી દીધો. નાહી તૈયાર થઈ એ ઘર બહાર ગઈ. એ એની સ્વતંત્ર હાલતમાં લગ્ન પહેલાની આનંદભારી મીરા હતી.હવે મણીભાઈ અને ગૌરીબેન ઘરે એકલા હતા. કનક તો સાંજે મોડો આવે, પણ મીરાએ બેન્ક સાથે નોકરીનો સ્વીકાર કરતા ચોખવટ કરી હતી કે એ ત્રણ વાગે સુધી જ કામ કરી શકશે. એ પ્રમાણે મેનેજરે એવો સ્વીકાર કર્યો હતો. પહેલા દિવસના ત્રણ થયાને મીરા તો ઘરે આવી. કોઈ કહે તે પહેલા જ જરા આરામ કરી રસોડામાં જઈ રસોઈ કરવા લાગી. ગૌરીબેન તો ચુપચાપ જોતા રહ્યા. એમને તો વહુ શું કરે છે તે જોવું હતું.ગૌરીબેન આવા વર્તનથી રાજી થયા.આ પ્રમાણે મીરાએ પરિવારમાં સૌને રાજી રાખ્યા.પણ, ગૌરીબેનના મનમાં કનકને ત્યાં સંતાન હોય એવી આશા હતી, અને વળી મીરા એક દીકરો આપે એવી ઈચ્છા હતી.રસોઈ કરતી મીરાને થોડી મદદ કરતા. બોલ્યાઃ” મીરા, મને તો દાદી બનવું છે.” ત્યારે મીરા હસીને એવી વાત ઉડાવી દેતી. આ પ્રમાણે, ચાલતું રહ્યું. મીરાને પત્નીધર્મની યાદ આવવા લાગી.એણે એક દિવસ કનક્ની સાથે ચર્ચા કરી. અને પ્લાન પ્રમાણે એ એક બે મહિનામાં ગર્ભવતી થઈ. મણીભાઈ અને ગૌરીબેન રાજી થઈ ગયા. કનક રાજી હતો. અને, મીરાના દીલમાં પણ ખુશી હતી. એની “મમતા” હૈયે ઉભરાતી હતી.
એક દિવસ મીરાને હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવી.કલાકો વહી ગયા. રાત્રીના સમયે એક દીકરીનો જન્મ થયો. એ ખુબ જ સુંદર હતી. સૌના દીલો હરી લેય તેવી હતી. આ ક્નક અને મીરાનું પ્રથમ સંતાન. કનક અને મીરા માટે દીકરી કે દીકરો  એક હતા. પ્રેમ સાથે એમણે દીકરીનું નામ “જાનકી” રાખ્યું. પણ ગૌરીબેન જરા નારાજ હતા. એમને તો એક દીકરો જોઈતો હતો.છતાં, સૌની સામે રાજીખુશી બતાવી. મણીભાઈને તો જાનકી આવતા, દાદા બન્યાની ખુશી જ હતી.જાનકીનું હસતું મુખડું જોતા કોઈ પણ  જાનકીને વ્હાલ કરવા લાગે..અને, ધીરે ધીરે ગૌરીબેનનું દીલ પણ જાનકીએ જીતી લીધું.જાનકી તો લાડમાં મોટી થવા લાગી.સમય વહેતો ગયો. જાનકી ત્રણ વર્ષની થઈ ગઈ. ગૌરીબેનની આશા અધુરી રહી હતી. એ ફરી ફરી મીરાને બીજા સંતાન કરવા કહેતા રહ્યા.મીરા એમની વાતને ગણકારતી નહી.જાનકી હવે તો ચાર વર્ષની થઈ ગઈ હતી.એક દિવસ એણે કનકને બીજા સંતાન વિષે વાત કરી.કનકે મીરાને કહ્યુંઃ”મીરા, હવે જાનકી મોટી થઈ ગઈ છે. બીજું સંતાન હોય તો જાનકીને એને રમવા કંપની મળે. તું શું કહે ?”
મીરા વિચારતી રહી. એને પણ કનકનું કહેલું યોગ્ય લાગ્યું. અને, એણે કનક્ને કહ્યુંઃ” કનક તારી વાત સાચી. હું પણ એવા જ મતની છું !”
એક દિવસ મીરાએ કનકને રૂમમાં બોલાવી કહ્યુંઃ” જાનકી સાથે રમવા માટે કોઈ હવે આવશે !” આવા શબ્દો સાંભળી, કનક મીરાને ભેટી પડ્યો. જેમ થોડા અઠવાડીયા વહી ગયા, અને હવે તો ગૌરીબેન પણ જાણી ગયા. ખુશ થઈ એમણે મણીભાઈને શુભ સમાચાર આપ્યા, મણીભાઈ પણ ખુશ થઈ ગયા.૯ મહિના તો જાણે જલ્દી પુરા થઈ ગયા. અને, મીરા ફરી હોસ્પીતાલમાં હતી. ગૌરીબેન તો પ્રભુને પ્રાર્થના કરતી હતી કે એમને ત્યાં એક દીકરો જન્મે. કનક અને મીરાને દીકરો કે દીકરી આવે તે માટે ખુશી જ હતી.હોસ્પીતાલની નર્સ બહાર આવી અને “દીકરી જન્મી છે !”ના સમાચાર આપ્યા ત્યારે સૌના હૈયે આનંદ હતો…પણ, ગૌરીબેનના મનમાં નારાજીના નીર વહેતા હતા.જરા મુખડે ખોટી હસી બતાવી, એમણે બીજી દીકરીને પોતાના હાથમાં લીધી.આ બીજી દીકરીનું નામ “પ્રિયા” રાખવામાં આવ્યું.
પ્રિયાને માતા પિતાનો વ્હાલ મીરા અને કનક તરફથી મળ્યો. જાનકી તો ખુશ થઈ પ્રિયાને રમાડી એનો વ્હાલ આપતી. મણીભાઈ તો દાદાનો પ્યાર પ્રિયાને આપતા થાકતા ન હતા. પણ, ગૌરીબેન જ્યારે પ્રિયાને નિહાળે ત્યારે એમના દીલમાં ફક્ત દીકરાના દર્શન થાય અને એથી ખરા દીલથી પ્રિયાને “દાદીનો વ્હાલ” કદી મળી શક્યો નહી.સમય વહેતો ગયો. અને, પ્રિયા તો સુંદતા સાથે એક વર્ષની થઈ ગઈ.એક દિવસ ગૌરીબેન એમની નારાજી છુપાવી શકી નહી અને રસોડામાં મીરાને મદદ કરતા કહી દીધુંઃ”મીરા, આપણે ત્યાં એક દીકરો હોય એવી ઈચ્છા છે !”મીરા તો ગૌરીબેનના બદલાયેલા વર્તનને જાણતી જ હતી. પ્રિયાના જન્મ બાદ એણે સાસુજીની નારાજીનું કારણ સમજી ગઈ હતી.અને મીરાએ ધીરે રહીને બોલીઃ” મમ્મી, ભગવાને મને બીજી દીકરી આપી. કનક અને મેં તો એને પ્રેમથી સ્વીકારી છે.હવે, એમને ખુબ જ વ્હાલથી મોટી કરવાની અમારી ફરજ છે “, બસ, આવો જવાબ મીરા ગૌરીબેનને ફરી ફરી આપતી.
આ પ્રમાણે ગૌરીબેન તો એમના સાસુપણાના દર્શન આપી મીરાને અનેક રીતે હેરાન કરતી રહી. એક દિવસ મીરાએ જરા ગુસ્સામાં આવી ગૌરીબેનને કહી દીધું ઃ” મમ્મી, જે તમો મન કહો છો તે તમારા દીકરાને જ કહે ને !”મીરાએ તે દિવસે સાંજના રૂમમાં કનકને ગૌરીબેનના બદલાયેલા વર્તન વિષે જાણ કરી.કનકે કોઈવાર પણ માતા કે પિતાની સામે પોતાના વિચારો દર્શાવ્યા ના હતા.અનેક સમયે એ હંમેશા લચાર હતો.એથી આટ્લું જાણ્યા બાદ પણ માતાને કંઈ જ ના કહી શક્યો.
થોડો સમય વહી ગયો. હવે તો, ગૌરીબેન ઘરની વાત ઘર બહાર પણ કહેવા લાગી. સૌ કોઈની સાથે ચર્ચાઓ કરતા કહેવા લાગ્યાઃ”અમારી વહુ મીરા તો એની નોકરીમાં બીઝી રહે, અને ઘરકામમાં હવે જોઈએ તેવું ધ્યાન ના આપે..અરે, કોઈ સમયે મારૂં અપમાન પણ કરે છે !”ઘર બહારની વાતો હંમેશા ફરી ઘરમાં જ આવે. મીરા આવા ખોટા આરોપોનું જાણી ખુબ જ નારાજ થઈ ગઈ, એણે ગૌરીબેનને પોતાની માતા સમાન ગણ્યા હતા. એની સહનશક્તિ ખુટી ગઈ હતી. એણે એક દિવસ હિંમત કરી કહ્યુંઃ” મમ્મી, દીકરો કે દીકરી એ તો ભગવાનની ભેટ છે. પરણ્યા બાદ, અનેકને ત્યાં સંતાન સુખ ના હોય. જેને એવું સુખ ના હોય તે જ સંતાન માટે આશાઓ રાખે ત્યારે એ ભલે દીકરી હોય કે દીકરો એઓ સમાનભાવે સ્વીકારવા તૈયાર હોય છે, અમારા ભાગ્યમાં બે દીકરીઓ છે તે પણ પ્રભુની જ ઈચ્છારૂપે છે. કનક અને મારા મનમાં તો દીકરી તો ઘરની લક્ષ્મી છે !” આવા શાણપણભર્યા શબ્દો સાંભળવા ગૌરીબેન તૈયાર ના હતા.અને, એમણે ગુસ્સામાં કહ્યુંઃ
“દીકરો તું ના આપી શકે તેમાં તારો જ વાંક છે !” અને, કનક જ કહેતો હોય તેમ કહી દીધું ઃ”કનકને તો દીકરો ખુબ વ્હાલો છે ! એને તો તું ખુશ કર !”
જયારે આવી ચર્ચા થઈ ત્યારે એ રાત્રીએ મીરાએ બેડરૂમમાં કનક સાથે વાતો કરી.
“કનક, આપણને ફક્ત દીકરીઓ જ છે. તો, તારે તો દીકરો જોઈતો હશે ” મીરાએ વાતની શરૂઆત કરી.
“મીરા, તું આવું શા માટે કહે છે ? તને ખબર છે કે મને જાનકી અને પ્રિયા ખુબ જ વ્હાલી છે !”કનકે જવાબ કહ્યું.
“તો પછી, મમ્મી કેમ કહે કે તને તો દીકરો જ વ્હાલો ?”કહી મીરાએ વાતને આગળ ચાલાવી.
કનક તો આભો જ થઈ ગયો.એના હૈયામાં દર્દ થયું.
“મીરા, તું મારા જીવનમાં આવી અને મને સંતાનસુખ આપ્યું એ કદી ભુલીશ નહી. તારો પ્રેમ જ મારી શક્તિ છે ! તું ચિન્તા ના કરીશ. હવે, હું મારે જે કરવાનું તે કરીશ.આવા કનકના શબ્દો સાંભળી, એણે મનમાં શાંતી અનુભવી.
બીજે દિવસે, શનિવાર હતો,એટલે કનકને નોકરીએ જવાનું ના હતું.સવારનો નાસ્તો તૈયાર હતો. રોજના ક્રમ પ્રમાણે, સૌ ટેબલ હતા. નાસ્તો પુરો થતા, ટેબલ પર સૌ હતા ત્યારે કનક એના નવ સ્વરૂપમાં ધીરથી બોલ્યોઃ
“મમ્મી, તમોને જાનકી અને પ્રિયા ગમે છે કે નહી ?” એણે એની મમ્મી તરફ જોઈને પુછ્યું.
“કોણે કહ્યું કે મને જાનકી કે પ્રિયા નથી ગમતા?”ગૌરીબેને અચંબા સાથે કનક્ને પુછ્યું.
“મમ્મી, આ સવાલના જવાબમાં મારે એટલું કહેવું છે કે જ્યારે જાનકી આવી ત્યારે તમે થોડો વ્હાલ એને આપ્યો…પણ હૈયામાં તમારી નારાજી છુપાવી. જ્યારે બીજી પણ દીકરી ઘરે આવી ત્યારે તમારી નારાજી વધી ગઈ. અને એના પરિણામે તમે નવું વર્તન બતાવ્યું. હું કાંઈ ના બોલ્યો.તમે બે દીકરીઓ જ થઈ તે માટે મીરાનો વાંક કાઢ્યો. હું અને મીરા તો રાજી છીએ કે પ્રભુએ ઉપકાર કરી અમોને બે દીકરીના માતાપિતા બનાવ્યા.હું તો એ પુછું કે દીકરીઓ ભાગ્યમાં હોય તે એ શું ખોટું છે ?”
“પણ, દીકરા, આશા હોય ને કે આપણો વંશવેલો ચાલુ રહે !” ગૌરીબેન બચાવ કરતા હોય એવા ભાવે બોલ્યા.
“મમ્મી, દીકરી  કે દીકરો  ઘરે આવે, તેમાં પતિ અને પન્તીનો ફાળો હોય છે. કોઈવાર પતિના દેહમાં  કે પત્નીના દેહમાં  કંઈક ખામીઓ હોય શકે, અને જેના કારણે સંતાનસુખ ના મળે. એવા સમયે ફક્ત પત્નીનો દોષ કાઢવાની આદર સંસારની છે. એ એક મહાન ભુલ છે. અને, જ્યારે ફક્ત દીકરીઓ જ સંતાન સ્વરૂપે મળે ત્યારે એનો હસતા મુખડે સ્વીકાર કરવો એ જ યોગ્ય કહેવાય….અને, વધુમાં મારે કહેવું છે કે જ્યારે સમાજ દીકરા કે દીકરીને સમાન ગણી આવકારશે ત્યારે જ આ અંધકાર દુર થયો છે એવું હું માનીશ!”
આટલા શબ્દો કહી, કનક ચુપ થઈ ગયો.
એ ઘડીએ એક અનોખી શાંતી હતી !
પ્રથમવાર, કનક માતા પિતા સામે સ્વતંત્રતા સાથે એના દીલનું કહી શક્યો.
ગૌરીબેનના મનમાં અનેક વિચારો રમવા લાગ્યા. થોડો સમય શાંત વાતાવરણ રહ્યું. એનો ભંગ કરતા ગૌરીબેન બોલ્યાઃ
“દીકરા, કનક  આજે તારા શબ્દોથી મારો અંધકાર દુર થયો. પ્રથમ તો મારી ભુલ કે મેં મીરાને ફક્ત વહુ તરીકે જ નિહાળી. એને જો હું મારી દીકરી સ્વરૂપે જોતે તો આવો અંધકાર જરૂરથી જલ્દી દુર થઈ ગયો હોત. અરે, મેં તો તારા પપ્પાને પણ સમજવા પ્રયાસ ના કર્યો. એમણે અનેકવાર મને મીરા, જાનકી,પ્રિયાને કનકને પ્રેમ આપ્યો તે પ્રમાણે કરવા કહ્યું. હું જુનવાણીના અંધકારમાં રહી. આજે બેટા તેં મારી આંખો ખોલી. અને, પ્રથમ પ્રભુ પાસે માફી માંગી, મારી દીકરી મીરાને મારૂં હૈયું ખોલી માફી માંગું છું !”
આવા શબ્દો સાંભળી, મીરાએ તરત જ કહ્યુંઃ “મમ્મી, તમારે મને માફી માંગવાની ના હોય. મેં તો આ ઘરે આવી તમોને મમ્મી જ માન્યા છે. અને, આજે પણ તમે મારા વ્હાલા મમ્મી જ છો !મમ્મી, તમારો જરા પણ વાંક નથી . આનો દોષ આપણા સમાજનો છે, અને આ દોષ સમાજના વડીલોનો છે કે એમણે આવી સમજ આપવા પ્રયત્નો ના કર્યા. હવે, આપણા સમાજે પણ જાગૃત થવાની ઘડી આવી ગઈ છે. હજું સમય છે. કંઈક પગલાઓ લેવાશે તો અન્યને મને જે અનુભવ કરવો પડ્યો તેવું શક્ય કદી ના બને. સમાજ ત્યારે જ પ્રગતિના પંથે હશે !”
ગૌરીબેન ઉભા થયા, અને મીરાને ભેટી પડ્યા. મીરાને પહેલીવાર લાગ્યું કે ખરેખર એને એની મમ્મી મળી. આ પ્રમાણે મીરા અને ગૌરીબેન ભેટી રહ્યા હતા ત્યારે જાનકી અને પ્રિયા દોડીને આવ્યા કહેવા લાગ્યાઃ”દાદીમા, આજે આપણે સાથે રમવાના છે”
“હા, મારે હવે તમારી સાથે બહું રમવાનું છે. જરા. મોડી પડી છું પણ જરૂરથી મારા હૈયામાં જે પ્રેમ ભર્યો છે તે બધો જ તમારા માટે છે !”ગૌરીબેને જાનકી અને પ્રિયાને હાથમાં પકડી કહ્યું
મણીભાઈના દીલમાં એક અનોખો આનંદ હતો. જે પતિ તરીકે ગૌરીને સમજાવી ના શક્યો તે દીકરા કનકે એના શબ્દોથી એનો અંધકાર દુર કર્યો. કનક પણ માતા પિતા તરફ જોઈ ખુશ થઈ એમના પગે પડ્યો. અને એની સાથે મીરા પણ મણીભાઈ અને ગૌરીબેનને પગે લાગી. આવું નિહાળી, જાનકી દોડી, અને એની પાછળ ગુંટણીયા કરતી પ્રિયા હતી. બંને  દાદા અને દાદીના પગે વળગી ગયા.એક સુંદર દ્રશ્ય હતું ! જેમાં પરિવારનો પ્રેમ છલકાતો હતો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી
વાર્તા લેખનઃ તારીખ ઓકટોબર,૧૧,૨૦૧૨

બે શબ્દો…
આજની ટુંકી વાર્તા છે “કનક,મીરા અને દીકરીઓ”.
આ વાર્તાનું લેખન તારીખ ઓક્ટોબર,૧૧,૨૦૧૨ના દિવસે થયું પણ આજે પ્રગટ કરી રહ્યો છું.
આગળ તમે એક પછી એક કુલ્લે પાંચ સમાજ સુધારાની વાતો વાંચી.
ત્યારબાદ…અન્ય પોસ્ટો વાંચી. અને પછી એક વાર્તા વાંચ્યા બાદ, આ વાર્તા વાંચી રહ્યા છો. એ માટે મને આનંદ છે !
હવે, આ વાર્તા દ્વારા એક “સમાજ સમજ”આપવા મારો પ્રયાસ છે.
વાર્તા જરા લાંબી થઈ છે, તો માફ કરી, પુરી વાર્તા વાંચવાની તસ્દી લેવા વિનંતી !
આપણો સમાજ “દીકરા”નો સ્વીકાર જલ્દી કરે છે, અને ખુશી સાથે કરે છે….અને દીકરી જન્મે એટલે “નારાજી” હોય. આટલી નારાજી તો ચાલો સમજી લઈએ, પણ દીકરી જન્મે તે પહેલા જાણી એને મારી નાંખવાના વિચારોમાં હોય અને એવા વિચારો ના કર્યા હોય ત્યારે દીકરી જન્મ લેઈ ત્યારબાદ, એને મારવાના પ્રયત્નો હોય કે પછી એને વ્હાલ વગર ઉછેરવા માટે આગેકુચ હોય..જાણે દીકરી “એક બોજો” છે.અહી, કામ કરે છે, “દીકરાનો મોહ” અને “વંશવેલા”ની ફીકર.જુના જમાનામાં સંજોગો કારણે દીકરો જ “સેવા” કરે એવા ભ્રમમાં રહી આવું વર્તન એક હકીકત બની ગઈ !પણ આ નવયુગમાં દીકરી કે દીકરો હોય,…બન્ને ને ભણતર આપવું એ પરિવારની ફરજ બની જાય છે. દીકરી કદી “ભાર કે બોજા”રૂપે નથી જ !
આ સમાજનો ફક્ત દીકરા માટેનો પ્રેમ એ જ અંધકાર છે !સંતાન ના થાય કે ફક્ત દીકરીઓ જ થાય ત્યારે જાણે “પત્નીનો જ વાંક” એ પણ એક બીજો અંધકાર !
એથી, મારે એટલું કહેવું છે કે…નવયુગમાં વિજ્ઞાનના
કારણે “નવી સમજ”ને સમાજના
 કાર્યકર્તાઓએ સમજવી જોઈએ. નવી સમજ પ્રમાણે
સમાજમાં સુધારા લાવવવાની ફરજ એમના શીરે રહે છે
. જો એવી ફરજ અદા ના કરે તો અંધકાર કદી દુર ના થઈ
શકે. સમાજની આવી હાલત રહે તો વાંક કોનો ? એનો
જવાબ જાણી, સમાજમાં પરિવર્તન લાવવા હવે સૌએ
આગેકુચ કરવાની જરૂરત છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Story is a Post named “KANAK,MIRA Ane DIKARIO” which means “Kanak Mira & Daughters.”
This story is imagined & not real. Yet, I can say confidently that THERE ARE SUCH STORIES in the REAL LIFE too.
This Story illustrates the IGNORANCE of the SOCIETY.
The ELDERS of the Society MUST guide ALL to the TRUTH & remove the ignorance. It is their DUTY.
If the “TRUE GUIDANCE”is implemented, then the Sociey can BENEFIT with the UNDERSTANDING and thus the Society wil; be NEW with the CHANGE in thinking.
This had been my GOAL of publishing this Story, in which Kanak & Mira are the PROUD parents of Janki & Priya, their 2 Daughters. They love their daughters and even Kanak’s Father ( Manibhai) loves the grand-daughters but Gauriben (Kanak’s Mother) is NOT willing to accept Janki & Priya, as she thinks of having the Grandson. In her persuit of her desire, she blames Mira for NOT giving a SON to Kanak. This ignorance is “cleverly” tackled by Mira. In the process, Kanak is a changed person who is able to speak the TRUTH to his parents. This confrontation leads to the TRANFORMATION of Gauriben.
It is my intent that by this Story, I wish to bring the AWARENESS of DAUGHTERS are the GIFTS from God & must be ACCEPTED in the family with LOVE & they must get the SAME LOVE as the SONS in a family.
If one person reading this Story is CHANGED in his VIEWS, I will thank God for that. I see him/her as the ENLIGHTED one who may one day give the LIGHT to MORE. Thus, the Society can get rid of DARKNESS & IGNORANCE.
Let us pray that day of the CHANGED SOCIETY is very soon !
Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 12, 2013 at 5:01 પી એમ(pm) 16 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031