Archive for ડિસેમ્બર, 2012
ભરત અને રાધીકાના લગ્ન !
ભરત અને રાધીકાના લગ્ન !
ભરતે વડોદરાની એમ.એસ. યુનીવર્સીટીમાં એનજીરીંગ ડીગ્રી મેળવવા અભ્યાસ શરૂ કર્યો. એનું અસલ વતન ગુજરાતના ચરોતર વિસ્તારે આણંદ શહેરમાં હતું. એના પિતાજીનો શહેરમાં મોટો વેપાર ચાલતો હતો, એથી ભરત એક ધનવાન કુટુંબનો હતો.તેમ છતાં, આણંદ છોડી વડોદરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા એણે જાતે જ નક્કી કર્યું હતું એ સમયે એના પિતાએ કહ્યું ઃ ” દીકરા, તને હોસ્ટેલમાં માફક ના આવે. તને હું એક પ્રાઈવેટ ફ્લેટ લઈ આપું. તું ત્યાં આરામથી રહી ભણી શકે !”પણ, ત્યારે ભરતે પિતાને કહેલું ઃ ” પપ્પા, મારે તો હોસ્ટેલમાં જ રહેવું છે. તમે મારી ચિન્તા ના કરશો !”
આ પ્રમાણે, ભરતે વડોદરા આવી હોસ્ટેલ આવી એનો સામાન એને મળેલા રૂમમાં મુક્યો. એ રૂમમાં એને રણજીત નામે રૂમમૅઈટ મળ્યો, રણજીત એક ગરીબ કુટુંબનો છોકરો હતો. હોસ્ટેલમા સમય વહેતો ગયો. કોલેજમાં ભરતનો અભ્યાસ શરૂ થઈ ગયો.હોસ્ટેલમાં રહેવા સાથે કોલેજ કેમ્પસમાં જુદા જુદા વિષયો ભણતા છોકરા અને છોકરીઓ એકબીજાને મળવાનો લ્હાવો લેતા. આ હતું કોલેજ જીવન !
યુનીવર્સીટીની “ગર્લ્સ” હોસ્ટેલ પણ કેમ્પસ નજીક હતી. પણ છોકરા અને છોકરીઓ કોલેજ કેમ્પસ પર એકબીજાને મળી જાણી કોઈ મિત્ર બની જતા. ભરતને સૌને મળ્યા બાદ, એક છોકરી ખુબ જ ગમતી. એનું નામ હતું રાધીકા. રાધીકા એક ગરીબ કુટુંબની હતી. એના પિતા પાસે કોલેજ ભણતર માટે પૈસા ના હતા છતાં એમણે થોડી બચત હતી તેને ધ્યાનમાં લઈ દીકરી રાધીકાને કહ્યુ હતું ઃ ” દીકરી, તું જરા ચિન્તા ના કરીશ, તારે ભણીને ડીગ્રી મેળવવાની જ છે !” રાધીકાના પિતા શિક્ષણપ્રેમી હતા. રાધીકા એમની એકની એક દીકરી હતી.રાધીકા એના મનમાં જાણતી હતી કે કેવા સંજોગોમાં એના પિતાએ એને કોલેજમાં ભણાવવા માટે સાહસ કર્યું હતું.એ કોલેજમાં ફક્ત ભણવા માટે મહેનત કરતી અને મોજશોખ માટે એને કાંઈ રસ ના હતો.
ભરત રાધીકાને નિહાળતા ગયો તેમ તેમ એ એની નજીક જઈ રહ્યો હતો. રાધીકાનો સ્વભાવ ખુબ જ મળતાવડો હતો. એક દિવસ રાધીકા નજીક આવી અને પહેલીવાર કહ્યુંઃ “રાધીકા, તું કેમ છે ? તારે ઘરે તારા પિતાજી અને સૌ કેમ છે ?”
તે સમયે, રાધીકા જરા શરમાય ગઈ હતી. એ જાણતી હતી કે ભરત ખુબ ધનવાન કુટુંબનો હતો. છ્તા, એને ખોટું ના લાગે એવા ભાવે કહ્યું ” ભરત, સૌ મઝામાં છે ! તારા ઘરે સૈ કેમ છે?”
બસ, આ જ એકબીજા વચ્ચે સંવાદ હતો.
ભરત એના દીલની વાત એના રૂમપાર્ટનર રણજીતને જરૂર કહેતો. રણજીત રાધીકાને જાણતો હતો કારણ કે એ રાધીકાના નજીકના ગામનો રહીશ હતો. રણજીત રાધીકાને ઘણીવાર મિત્રતા ભાવે મળતો ત્યારે ભરત પણ એની સાથે જ હોય, આથી ભરત રાધીકાને અનેકવાર મળ્યો, અને રાધીકાને જેમ એ વધારે જાણવા લાગ્યો તે તેમ એના દીલમાં રાધીકા બીરાજી ગઈ. એ વિષે ભરત જાણે. રાધીકાના મનમાં એવા વિચારો કદી ના આવ્યા હતા. રાધીકાને એની ગરીબાયની જાણ હતી, અને ભરત કેટલો પૈસેદાર હતો એ પણ જાણતી હતી. એક દિવસે, રણજીતે કહ્યું ઃ “રાધીકા આ મારો મિત્ર ભરત !”
જાણે પહેલીવાર “ઓફૉસીયલી” મળતા હોય એવા ભાવે ભરતે નમ્રતાથી કહ્યુંઃ ” જય શ્રી કૃષ્ણ રાધીકા !”
અને જવાબરૂપે રાધીકાએ કહ્યુંઃ “ભરત, જય શ્રી કૃષ્ણ !”
બસ, આટલી વાતો બાદ, ભરત અને રાધીકા એકબીજાને મળતા રહ્યા. ધીરે ધીરે, રાધીકાને ભરત ગમવા લાગ્યો. સમયના વહેણમાં રાધીકા ભુલી ગઈ કે એ ગરીબ છે અને ભરત ખુબ જ પૈસેદાર છે. એ ફક્ત એને નજીકના મિત્ર સ્વરૂપે નિહાળતી હતી. આવી મિત્રતાના ભાવે કોઈકવાર રેસ્ટોરાન્ટમાં સાથે ખાતા ત્યારે મજાકો પણ કરતા. એક દિવસ, ભરતે ગંભીર થઈ રાધીકાને કહ્યું ઃ” રાધીકા, મારે તને કાંઈ કહેવું છે ” રાધીકા તો હજુ ગમ્મત કરતી હોય તેવા ભાવે બોલી ઃ ” શું છે ભરત ? આજે કાંઈ મુડમા નથી કે શું ? શું છે ?”
ત્યારે ગંભીરતા સાથે ભરતે કહ્યુંઃ “રાધીકા, હું તને ખુબ જ ચાહું છું. તું મારી સાથે લગ્ન કરીશ ને ?”
રાધીકા તો ચોંકી ગઈ. એણે એવો વિચાર સ્વપ્નામાં પણ કર્યો ના હતો. એના મનમાં એક જ વિચાર હતો કે ભરત ધનવાન અને એ ગરીબ, એથી મેળ કેમ હોય શકે ? ઉંડા વિચાર સાથે રાધીકા બોલીઃ ” ભરત, આ તું શું કહે છે ? અમીર અને ગરીબ એકબીજાથી દુર કહેવાય. હું કહું કે અહી મેળના પડે, અને સમાજ પણ એવું જ કહે છે !”
“રાધીકા, જે સમાજ કહે તે, મને એની ચિન્તા નથી ! હું તને ચાહું છું…મને તું અને તારો પરિવારનો પુર્ણ સ્વીકાર છે !”
“પણ, ભરત, દીકરીના માતાપિતાએ તો દીકરીને પરણાવવા માટે એમુક ગ્રામ સોનું અપવું પડે, એવા ૨૦ તોલા સોનું મારા પિતા ક્યાંથી લાવે ?” રાધીકાએ ભરતને સમજાવતા કહ્યું
“હું એવી જુની પ્રથાને માનતો નથી..અરે, એનો ખુબ જ વિરોધી છું, સાદાઈથી લગ્ન કરવા મારી બરપણની ઈચ્છા છે !” ભરતે એના ઉંડા વિચારો દર્શાવ્યા. એ સાંભળી, રાધીકાને અચંબો થયો. એ ભરતને એક સારા મળતાવડા સ્વભાવના મિત્ર તરીકે જાણતી હતી. આજે પહેલીવાર જ એ ભરતના હૈયાની ઉંડાણથી ભરતને પ્રથમ નિહાળી રહી હતી. રાધીકાના દીલમાં હવે ભરત હતો. છતાં, એણે વાત આગળ ચલાવીઃ” ભરત, હું તને અને તારા વિચારોને સમજું છું અને એની કદર કરૂં છું, પણ આ વિષે તારા માતા પિતા શું કહેશે ?”
“રાધીકા, હું એ સંભાળીશ ! તું ના ચિન્તા કરીશ” ભરતે રાધીકાને હિંમત આપતા કહ્યું
આટલી ચર્ચા બાદ, રેસ્ટોરાન્ટમાં હરી હાસ્ય અને મજાકની વાતો ચાલુ રહી અને ટેબલ પરની વાનગીઓ પુરી થઈ અને એકબીજાએ “ગુડબાઈ” કરી છુટા પડ્યા.
ભરત રૂમમાં જઈ રાધીકાના શબ્દો પર વિચારો કરતો રહ્યો. ભરતે ફાઈનલ પરિક્ષા આપી. રાધીકાએ પણ એની પરિક્ષા આપી. બંને પોતપોતાને ઘરે ગયા.ભરત ઘરે આવ્યો એટલે માતા પિતા ખુબ જ ખુશ હતા.થોડા દિવસો આનંદમાં વહી ગયા. એક દિવસ સાજે ભરતના પિતાએ આનંદ સાથે ભરતને કહ્યું ઃ”ભરત બેટા, તેં કોલેજ પુરી કરી. તું હવે મોટો થઈ ગયો.તારે હવે લગ્ન માટે વિચારવું રહ્યું. એવું જ તારી મમ્મી પણ કહે છે “
હજું આટલું અને ભરતે પિતાને કહ્યુંઃ”પપ્પા, મને એક છોકરી ગમે છે.”
“કોણ છે એ ?” તરત જ ભરતના પિતાએ પુછ્યું.
ત્યારે ભરતે વિગતે રાધીકા વિષે કહ્યું. અને સાંભળી એના પપ્પા ગુસ્સામાં આવી બોલ્યાઃ તો, તું આમારૂં કહ્યું ના માનશે ? એવી ગરીબ ઘરની કન્યા આપણા ઘ માટે લાયક ના હોય શકે” ઉંચા સાદે ભરતા પિતા બોલ્યા એટલે એના મમ્મી ત્યાં આવ્યા અને પુછ્યું ઃ શું થઈ રહ્યું છે ?”ત્યારે ભરત અને ભરતના પિતાના વિચારો જાણ્યા.ભરતની માતા એક સંસ્કારી કુટુંબની હતી. ભલે એ કુટુંબ પણ અમીર હતું પણ એઓને ગરીબો પ્રત્યે ખુબ પ્રેમભાવ હતો. થોડો સમય ભરતના મમ્મી શાંત રહ્યા અને પછી ધીરેથી કહેવા લાગ્યાઃ ” ભરતના પપ્પા, ભરત આપણો એકનો એક બેટો છે. એને રાધીકા ગમે છે અને એ એને ખુબ જ ચાહે છે. એ ગરીબ હોય તો શું ? આપણે તો એક સંસ્કારી કન્યા આપણી વહુ તરીકે આવે એવી જ ઈચ્છા હોવી જોઈએ. અને રાધીકા એવી કન્યા છે. તો આપણે કોણ ના કહેનારા ?, હું તો કહું કે રાધીકા આપણા ઘરને યોગ્ય જ છે ! અને, મારે વધુંમાં કહેવું છે કે આ ડાવરી પ્રથાની હું ખુબ વિરોધી છું. દીકરી માતાપિતા માટે ભાર બને એ ખરેખર સમાજનો અન્યાય છે ! આપણે રાધીકાના ઘરે જઈ એમની ચિન્તાઓ દુર કરવાની છે…એ આપણી પહેલી ફરજ છે !”
આટલું કહી, ભરતના મમ્મી ચુપ થઈ ગયા. આ પ્રમાણે ભરતના પિતા આગળ એઓ પહેલીવાર બોલ્યા હતા. એમને પણ સમજતું નથી કે એમનામાં એવી હિંમત કેવી રીતે આવી.ઘરમાં જે કંઈ થતું તે ભરતના પિતા કહે તેમ જ થતું. આજે પહેલીવાર ભરતના પિતાએ શાંતીથી બધુ જ સાંભળ્યું. પછી, શાંતીનો ભંગ કરતા બોલ્યાઃ ” ઓ, ભરતની મમ્મી, તું તો આ ઘરની દેવી છે ! તારું મુલ્ય હું જાણતો ના હતો તો આજે પ્રભુએ મારી આંખો ખોલી. મારો અંધકાર દુર થયો છે. મારા પૈસાનું મુલ્ય કાંઈ જ નથી એવી સમજ મેં પહેલીવાર અનુભવી !”
ભરત તો માતા અને પિતાને સાંભળી ખુબ ખુશ થઈ, દોડી એમને ભેટી પડ્યો. આ મિલનમાં ત્રણ હૈયા “એક” હતા. અને ફક્ત પવિત્રતાના નીર આંખોમાથી વહી રહ્યા હતા.
થોડા દિવસો બાદ, રાધીકા ઘરે ભરતનું માંગું આવ્યું. રાધીકાના માતા પિતા તો અચંબામાં હતા. એક અમીર ઘરેથી એ માંગુ હતું. પણ હૈયે ખુશી હતી. ભરતના માતા પિતાએ રાધીકાને બે પૈસા હાથમાં આપી, લગ્નની ચર્ચાઓ કરતા, ડાવરી માટે ઈન્કાર અને સાદાઈથી લગ્ન કરવા માટેની ઈચ્છા દર્શાવી ત્યારે રાધીકાના માતાપિતાના શીરેથી એક મોટો ભાર દુર થઈ ગયો હતો. શુભ દિવસે ભરત અને રાધીકાના લગ્ન થઈ ગયા. રાધીકા પરણીને ભરતના મોટા ઘરે આવી ત્યારે પહેલા ભરતના માતાપિતાને ચરણે પડી ત્યારે ભરતની માતાએ આવકારો આપતા કહ્યુંઃ ” રાધીકા, તું તો અમારી વહુ નહી પણ અમારી દીકરી છે. આ ઘર તારૂં ઘર અને એની જવાબદારી તારી છે !”
ભરત એના મનમાં વિચારતો હતોઃ “હું કેટલો ભાગ્યશાળી કે મને આ જન્મે આવા માતાપિતા મળ્યા !”….અને રાધીકા પણ મનમાં વિચારતી હતી કે “મને સાસુ સસરા નહી પણ માતા પિતા જ મળ્યા !”
વાર્તા લેખનઃ તારીખ નવેમ્બર,૧૧,૨૦૧૨ ચંદ્રવદન
બે શબ્દો…
ભરત અને રાધીકાની કહાણી !
એક અમીર છોકરો અને એક ગરીબ છોકરીની કહાણી !
પણ ….એ સિવાય આ વાર્તામાં છે “ડાવરી”ની ચાલતી આવતી જુની અને ખોટી પ્રથાની કહાણી !
સંસારમાં એવું કાંઈ લખાયું નથી કે ધનવાન ફક્ત ધનવાન સાથે જ લગ્ન કરી શકે….સંસારમાં એવું પણ નથી કે ગરીબ વ્યક્તિએ ગરીબ જોડે જ લગ્ન કરવા.
જે કાંઈ ધર્મમાં કહેવાયું નથી તેને કેવી રીતે સંસારે “એ જ સત્ય” કહી સૌને કરવા પ્રેરણાઓ આપી ?
મારૂં અનુમાન એવું કે…..ધર્મગુરૂઓ કે પુજારીઓએ આવી સમજ સંસારને આપી હશે. માનવી જ્યારે એની પોતાની સમજ ખોઈ અન્યના વિચારોને “સનાતન સત્ય”તરીકે સ્વીકાર કરે ત્યારે જ આવી ખોટી પ્રથાઓને જન્મ મળે છે. એકવાર, સંસાર આવો અમલ કરે અને કરતો આવે એટલે એનો “વિરોધ” કરવો અશક્ય બની જાય.
એવા સમયે, ભરત કે ભરતનૉ મમ્મી જેવી વ્યક્તિઓ હિંમત કરે તો જ ખોટા રિવાજો ટૂટી શકે !
અંતે…એથી મારે એટલું કહેવું છે કે ગરીબ કે તવંગરની કુદરતી હાલતને ના ગણો….કોમી વાડાઓને તોડો….અને માનવ માનવમાં ભરેલી “માનવતા”ને નિહાળવા માટે પ્રયાસો કરો. જો તમો આટલું કરશો તો સંસારમાં આવું “પરિવર્તન” દુર નથી.
અને….અ પ્રભુનો સંસારમાં પ્રભુની “મહેક” સૌ માણી શકશે !
આ મારી પોસ્ટ સૌને ગમે એવી આશા !
તમે જરૂરથી પ્રતિભાવ આપશો એવી બીજી આશા !
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This is a TUNKI VARTA (Short Story) about 2 College Students ( Bharat & Radhika) .
Bharat is from a RICH Family.
Radhika is from a POOR Family.
They fall in love.
Bharat expressed his desire to marry Radhika.
Radhika warns Bharat of the REALITIES of the SOCIETY….A marriage NOT POSSIBLE between the RICH & the POOR. Even his Parents may raise questions. She also warned him of the DOWARY System & that her parents do have the money for the needed GOLD.
Bharat is determined..He openly admita his love for Radhika from a poor family. His father unwilling to accept this but the mother, who was broadminded accepted & was able to convince her husband.
Thus Bharat & Radhika marries !
The MESSAGE in this Story is “BREAK ALL BARRIERS between the POOR & RICH and even the CASTES or GNATI, and open the DOORS to see the HUMANITY”
I hope you kike the Message for the SOCIAL CHANGE !
Dr. Chandravadan Mistry
ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)
ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)
નવેમ્બર,૯,૨૦૧૨ની “ચંદ્રવિચારો શબ્દોમાં(૧૯)”ની પોસ્ટ બાદ, તમે અનેક પોસ્ટો વાંચી, જેમાં હતા અનેક કાવ્ય્પોસ્ટો, અન મારી “વિચારઘારા”.
એમાં હતી “ચંદ્ર્પૂકારની પાંચમી અનીવર્સરીનો આનંદ”ની પોસ્ટ.
તમો સૌને કહ્યું હતું કે વિવિધ વિષયોની પોસ્ટો બાદ, ફરી સમાજ પરિવર્તનની ટુંકી વાર્તાઓ હશે….તો એ પ્રમાણે ફરી પ્રગટ કરીશ.
થોડી વાર્તાઓ પછી, અન્ય (કાવ્ય, સુવિચારો, ચંદ્રવિચારધારા વિગેરે ) પોસ્ટો હશે.
આ પ્રમાણે મારી સફર ચાલુ રહેશે.
જે કંઈ પ્રગટ કરૂં એ સૌને ગમે એવી આશા.
તમોને ગમવું અને તમારૂં “ઉત્તેજન” જ મારા પ્રાણ…અને પ્રભુપ્રેરણા જ મારો આધાર !
ડિસેમ્બર ૨૦૧૨ બાદ, ૨૦૧૩માં પણ સૌને વાંચી આનંદ થાય એવી આશા !
પધારજો ! ચંદ્રપૂકાર પર જરૂર પધારજો !
ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is the 20th under the name “ChandraVicharo ShabdoMa”.
Under this title, I try to gave the brief narration of the Posts published & even give the information about the Posts intended to be published in the future.
By this Post I am keeping my promise to publish some more Posts of the TUNKI VARTAO ( Short Stories) related to the NEEDED CHANGE in the Society in keeping with the New Age.
These messages are in Gujarati. Those who can not read Gujarati are deprived of this, but those who have the interest can still visit the Blog & read these Posts as ALL POSTS has “Few Words” in English giving an understanding of the message of the published Post.
Dr. Chandravadan Mistry
ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !
તાજેતરની ટિપ્પણીઓ