Archive for ઓક્ટોબર, 2014

પ્રભુને પ્રાર્થના મારી !

 

 

Colorful Mandir

 

 

 

પ્રભુને પ્રાર્થના મારી !

પ્રભુ, તું છે અંતરયામી, દયા કરજે તું પોતનો માની,

 

હોય સુખ કે દુઃખ, પકડી આંગળી મારી ચલાવજે,

સાથ મારો જીવનસફરે કદી ના તું છોડજે !

 

અરે હું તુજ બાળ અને અજ્ઞાની રહ્યો, 

પળ પળે ભુલો ઘણી હું કરતો રહ્યો,

 

દયા કરી દેજે તું દેજે મુજને માફી,

બસ, આટલી જ અરજ છે મારી,

 

આજે સાંભળજે, ઓ મારા લ્હાલા,

કરૂં છું હું તો તુજને કાલાવાલા,

 

શ્રધ્ધાના સથવારે હું તો જીવી રહ્યો,

રાખી લાજ મારી, આવજે તું વ્હેલો વ્હેલો,

 

 આજે જગમાં હું જીવું છું  ભક્તિ રંગે

ચંદ્ર- નાથ એક દિવસ તો હશે ચંદ્ર સંગે !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ ૧૩,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

કાવ્યો તો ઘણા રચ્યા પણ સંતોષ ના હતો.

આજે વિચારોમાં હતો અને એક ભક્તિ કાવ્ય લખવા ઈચ્છા થઈ.

અને આ રચના થતા મારા હૈયે ખુશીભર્યો “સંતોષ” હતો.

આશા છે કે તમોને આ રચના ગમે !

ડો. ચંદ્ર્વદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A desire to write a DEVOTIONAL POEM.

As I pondered I created this Poem.

I was fully satisfied and happy.

Hope you enjoy this Post too.

Dr. Chandravadan Mistry.

 

 

ઓક્ટોબર 31, 2014 at 12:17 પી એમ(pm) 8 comments

શાંતાબેનને પરમ શાંતી !

 

 

શાંતાબેનને પરમ શાંતી !
 
સંસારની એક શાંતાબેન ગયા પ્રભુધામે,
અંજલીભર્યા વંદન સ્વીકારવા ચંદ્ર અરજ કરે !…….(ટેક)
 
જગમાં એક જીવ જન્મે છે શાંતા નામે,
મળે જેને જીવનસાથી બાબુ નામે,
સંતાનસુખોના ભાગ્યશાળી પ્રભુનામે,
એવા શાંતાબેનને વંદન છે મારા !……..(૧)
 
ભારતથી રોડેશીયા ઝામ્બીઆ આફીકા જે રહે,
અંતે, જીવનસફરે ઈંગલેન્ડમાં આવી જે વસે,
૯૦ વર્ષની વર્ષગાંઠ પણ જે ઉજવે,
એવા શાંતાબેનને વંદન છે મારા !………(૨)
 
સંતાનોના સંતાનરૂપી ભરી વાડી જેણે નિહાળી,
જીવનભર તંદુરસ્તીની પ્રભુ-ભેટ જેને મળી,
અંતે,હોસ્પીતાલે ટુંકી બિમારીની વાત ભાગ્યે કહી,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………(૩)
 
૧૭મી ફેબ્રુઆરીના દિવસે જન્મદિવસ જેનો,
૨૦૧૪માં૨૧મી ઓક્ટોબરે, સંસારી અંતિમદિવસ જેનો,
૯૦વર્ષની લાંબી જીવન સફર માટે પ્રભુ-હક્ક હતો જેનો,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………..(૪)
 
ધનતેરસના શુભ દિવસે પ્રાણ છોડ્યાની વાત છે,
ઓક્ટોબર,૩૦ યાને જલારામ જયન્તિએ અગ્નીસંસ્કારની વાત છે,
આવી શુભ ઘડીઓ ગોઠવનાર પ્રભુ જ છે એવી અહીં વાત છે,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………….(૫)
 
રડો ના, સુંદર પ્રભુએ આપેલા શાંતા-જીવનને તમે યાદ કરો,
એવી મીઠી યાદમાં રહી, પાડ પ્રભુનો માની, સ્મરણ કરો.
એવા સ્મરણમાં શાંતાબેન તો અમર છે એવું હૈયે ધરો,
એવા શાંતાબેનને વંદન છે મારા !…………..(૬)
 
કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૨૬,૨૦૧૪                 ચંદ્રવદન

 

બે શબ્દો…

શાંતાબેન પટેલ બાબુભાઈ પટેલના પત્ની.

આફ્રીકાના ઝમ્બીઆના નાના ગામ પેમ્બામાં હું પહેલીવાર મળ્યો (૧૯૫૪).

બાબુભાઈ તો વર્ષો પહેલા પ્રભુધામે.

આફ્રીકાથી ઈંગલેન્ડમાં રહેતા હતા.

૨૧મી ઓક્ટોબર ૨૦૧૪ના ધનતેરસના દિવસે ગુજરી ગયાના સમાચાર એમના દીકરા મનુ ( મારો મિત્ર) તરફથી ફોન દ્વારા મળ્યા.

જાણી દીલગીરી.

૩૦મી ઓક્ટોબર,૨૦૧૪ ( જલારામ જયંતિ)ના દિવસે અગ્નિસંસ્કાર છે.

આ કાવ્યરૂપે અંજલી અર્પણ કરી છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થનાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

My FINAL RESPECTS ( ANJALI) to SHANTABEN PATEL by a Poem in Gujarati.

She had a long life of 90 years & died in England on 21st October 2014.

I had come to know her in 1954 when she was residing in Africa at a small village named PEMBA in NORTH RHODESIA ( now ZAMBIA).

May her Soul rest in Peace !

Dr. Chandravadan Mistry

 

ઓક્ટોબર 30, 2014 at 12:41 એ એમ (am) 7 comments

ઓ, પ્રભુજી, દયા કરો !

 

ઓ, પ્રભુજી, દયા કરો !

પ્રભુજી હું બાળક તારો,હાથ પકડજે મારો,…..(ટેક)

હું છું અજાણ અજ્ઞાની,

સંસારમાં ભુલો પડ્યો છું,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો…..પ્રભુજી…………..(૧)

સંસારે આશાઓ મુજને સતાવે,

મોહમાયાના ચક્કરે એ તો લાવે,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો…..પ્રભુજી…………….(૨)

દુઃખી હું ‘ને નયને આંસું,

રડી રહ્યું છે હૈયું મારૂં,

કાંઈ સમજાતું નથી મુજને,

હાથ પકડજે તું મારો….પ્રભુજી……………..(૩)

રડતા રડતા, મુખે નામ જ તારૂં,

મોહમાયા ત્યાગી ‘ને પીગળ્યું સ્વારથ મારૂં,

હવે સમજાયું થોડું મુજને,

હાથ પકડજે તું મારો …..પ્રભુજી……………(૪)

હવે બન્યો છું પાગલ તારો,

છતાં, હજી પણ બાળ હું તારો,

દયા કરી સમજ દેજે રે મુજને,

હાથ પકડજે તું મારો …..પ્રભુજી………….(૫)

ચંદ્ર રહે પાગલ, હંમેશા તારા રે નામનો,

કરી દયા, બનાવજે  ભક્ત રે તારો,

બસ, અરજ એટલી, ના છોડજે હાથ રે મારો !…..પ્રભુજી……..(૬)

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૧૪,૨૦૧૪                        ચંદ્રવદન

 

બે શબ્દો…

પ્રભુ દયાની આશા સાથે પ્રભુ પ્રત્યે પાગલપણું.

આ બે વચ્ચે બંધાય છે અટળ વિશ્વાસનો સેતુ.

આવો અટળ વિશ્વાસ એ જ પ્રભુ પર શ્રધ્ધા.

પ્રભુશ્રધ્ધા સાથે પ્રભુશરણું ….આવા મિલને જીવન સફળ !

બસ…કાવ્યરૂપે પ્રભુ પાસે દયાની માંગ છે !

ડો. ચંદ્રવદન 

FEW WORDS…

A Poem in Gujarati pleading God to grant His GRACE.

As a DEVOTEE, admitting the FAULTS/WEAKNESSES….the Devotee is MAD for GOD & surrenders to GOD.

This is conveyed in this Poem.

Dr. Chandravadan Mistry

 

ઓક્ટોબર 27, 2014 at 12:16 પી એમ(pm) 12 comments

પડછાયો મારો !

 

 

 

 

 

 

 

ME & MY SHADOW (PICTURE via GOOGLE)

 

પડછાયો મારો !

અરે ! ઓ ! પડછાયો મારો, વખાણ કરૂં હું તારા,

આજે હૈયે જાગે ભાવ એવો, ‘ને વખાણ કરૂ હું તારા !……………(ટેક)

મારી કાયાના આકારે તું તો બને,

હું હાલું તો તું પણ જરૂર હલે,

આ તે નટખટ ટેવ તારી કેવી ?…………………….(૧)

ભલે, મજાક તું મારી આવી કરે,

હું પૂછું મારા મન હૈયાનું તું શું જાણે ?

નકલ એની તું કદી ના કરી શકે !…………………..(૨)

પડછાયા તુંજમાં પુરી નકલ ના હોય,

પણ જ્યાં હું ત્યાં જ તું મુજ સંગે હોય,

જાણે અટળ વિશ્વાસે તું મુજ સાથે હોય !……………….(૩)

તારા અટળ વિશ્વાસભાવે પ્રભુને હું ભજું,

પ્રભુ-પડછાયો બનવા, પ્રયાસો હું કરૂં,

પ્રભુમાં સમાય જઈશ, શ્રધ્ધા હૈયે એવી ભરૂં !…………(૪)

જો પ્રભુ સાથે મિલન થાય કદી મારૂં,

ત્યારે,પડછયા પ્યારે, ના કાંઈ ચાલે મારૂં,

સંગ તારો છોડ્યાનું દુઃખ હશે મારૂં કે તારૂં ?……………(૫)

કાવ્ય રચનાઃ તારીખ,ઓગસ્ટ,૧૨,૨૦૧૪                    ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે એક દાવડાજીનો ઈમેઈલ.

એમાં એક હંસ પાણીમાં….અને હંસનો પડછાયો પડ્યો હતો પાણીમાં.

આટલું નિહાળી….”પડછાયા” વિષે કાવ્ય લખવા વિચાર આવ્યો.

શબ્દો આમ તેમ ચુંટ્યા…ફરી ગોઠવ્યા.

અંતે….આ રચના થઈ.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem on SHADOW.

It tells of how faithfully one’s shadow follows an individual.

It is the exact REPLICA of the SELF.And…always faithfully remains close to an Individual.

But…I raise the Question ” It has NO power to reflect on one’s MIND or the HEART.

At the end of the Poem….there is a desire to be the part of GOD….and if that happens the shadow is LOST for ever.

Dr. Chandravadan Mistry.

 

ઓક્ટોબર 25, 2014 at 11:57 એ એમ (am) 16 comments

દિવાળી આવી ! દિવાળી આવી !

Bright Diwali Thanks!

 

દિવાળી આવી !  દિવાળી આવી !

દિવાળી આવી, દિવાળી આવી,

એ તો સૌના હૈયે આનંદ લાવી !……….(ટેક)

નાના મોટા ફટાકડા ફોડી, ગગન ગજાવીશું,

તલકતારા સળગાવી, ગોળ ગોળ એને ફેરવીશું,

અરે, કોઠી ઘરતી પર અને રોકેટો આકાશે મોકલીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………….(૧)

મીઠા ગુગરા, અને સ્વાદીસ્ટ ખખરીયા ખાઈશું,

મગજ અને મોહનથાળ આરોગવાનું ના ભુલીશું,

ભોજને પકવાનો ખાઈને પેટ અમારા પંપાળીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !…………………..(૨)

ઘર ઘરે નાના મોટા દીવાઓ પ્રગટાવીશું,

ઘર આંગણીયે સાંથીયાથી ચોકો ચમકાવીશું,

અરે ! સ્વચ્છ કપડાઓ પહેરી શરીરને શણગારીશું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………..(૩)

દિવાળીના શુભ દિવસે સૌએ બાળ બની રહેવું,

પ્રભુના પ્યારા સૌએ એવા બનવું રહ્યું,

નવા વર્ષના નવા સંકલ્પો કરવાનું તો સૌએ રહ્યું,

બસ, બાળ બની, આનંદ હૈયે લાવીશું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !………………….(૪)

્ચંદ્ર કહે ઃહું તો બાળ છું જીવનભર આ સંસારે

નથી થાવું મારે મોટું રહેવું છે બાળ સ્વરૂપે આ સંસારે,

નિર્દોષી, સ્વાર્થહીન પ્રભુ પ્યારા બની રહેવું છે આ સંસારે,

બસ, બાળ બની, આનંદ હૈયે હું લાવું !

દિવાળી આવી ! દિવાળી આવી !

સૌના હૈયે આનંદ એ લાવી !…………………(૫)

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૧૫, ૨૦૧૪                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

વિક્રમ સંવત ૨૦૭૦ની દિવાળી અને ૨૦૭૧ના નવા વર્ષનો આરંભ.

ખુશીના દિવસો.

સૌ જો બાળ બની જાય તો જ “ખરો આનંદ” માણવાની તકો મળે.

એવો આનંદ માણતા….જો એક યુવાન કે “એડલ્ટ” સ્વરૂપે પોતાને નિહાળી, જો ભુતકાળના દિવસોને યાદ કરી જો ભુલો સુધારી સતકર્મો કરવા જો સંકલ્પો લેવાનું રાખો તો મારૂં માનવું છે તમ જીવન ધન્ય બનતું જશે. આ મારી શ્રધ્ધા છે !

સૌને દિવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This year’s DIWALI is on Thursday,23rd October,2014 and the New Year is on Friday,24th October.

By the Poem in Gujarati I had tried to tell of the JOY of the DIWALI & the NEW YEAR.

I however convey the MESSAGE that the REAL JOY must be to make the RESOLUTIONS for NOT repeating the MISTAKES & try to do GOOD DEEDS in the NEW YEAR.

I hope the READERS of this Post are INSPIRED to do the SERVICE (Seva) to the HUMANITY.

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 22, 2014 at 3:01 એ એમ (am) 30 comments

કુદરતના નવ રત્નો !

 

 

 

 

 

કુદરતના નવ રત્નો !

સર્જનહારે પણ કરી છે કમાલ કેવી ?

એ છે સૌને જાણવા જેવી !………………(ટેક)

બ્રમાંડે આકાશ સાથે પૃથ્વી શણગારી એણે,

ધરતી ઉપર અને અંદર મુલ્યવાન ખજાનો ભર્યો એણે,  …….(૧) 

ચમકતા “હીરા”ને જાણી, અપનાવવા સૌ ઈચ્છે,

જગતમાં મુલ્ય એનું ઉંચુ ‘ને સૌ એને ચાહે !………………(૨)

રાતા રંગના “માણેક”કે પીળા રંગે “મોતી-મુક્તા”નું રત્ન વ્હાલું,

રાજમુંગટે મુકતા, શણગારરૂપી શોભાથી સૌ મોહી કહે પ્યારૂ !……(૩)

લીલા રંગે “પાનું-પન્ના” સંગે “પોખરાજ-ગામેદા” પીળા રંગે,

“વૈદર્ય”આસમાની રંગે, ‘ને “લસણિયો” છે તમખિરીયા રંગે,……(૪)

ગુલાબી રંગે “પરવાળુ-પ્રવાલ વિદુમ” સૌને ગમે,

નીલા રંગે “નિલમ-લીલમ મસ્કલ”ને સૌ વ્હાલ કરે !…………(૫)

ચંદ્રે કહી દીધું છે કુદરતી નવ રત્નો વિષે આજે,

જાણી એવું, કુદરતને તમે નમન કરજો આજે !……………….(૬)

કાવ્ય રચનાઃ તારીખ, સેપ્ટેબર,૧૪,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

“અકબર દરબારના નવ રત્નો”ની કાવ્ય પોસ્ટ પ્રગટ કરી ત્યારે પ્રજ્ઞાજુબેન વ્યાસે એ વાંચી પ્રતિભાવમાં “કુદરતના નવ રત્નો” વિષે ઉલ્લેખ કર્યો.

બસ…એ પ્રતિભાવ આધારે મેં આ રચના કરી.

ભુલો થઈ હોય સુધારશો.

આશા છે કે તમોને આ કાવ્ય પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS...

Nature has given the GEM STONES.

There are NINE GEM STONES with the different colors.

I came to know of these 9 by a Comment for a Post on this Blog.

A Poem in Gujarati is created to tell of these NINE GEMS

Hope you enjoy it !

 

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

 

ઓક્ટોબર 20, 2014 at 11:54 એ એમ (am) 13 comments

ધરતી છે તારી કર્મભૂમી !

 

 

 

ધરતી છે તારી કર્મભૂમી !

ધરતી છે તારી કર્મભૂમી, ઓ, માનવી,

કર્મ કર ! તું કર્મ કર !…………………………..(ટેક)

કર્મ કરવા બંધાયો છે તું, નથી બીજો કોઈ રાસતો,

ડર મત ! કર્મ કરવા જ ધરતી પર તું આવ્યો,

આવી સમજ સાથે….કર્મ કર ! કર્મ કર !…………(૧)

મોહમાયાની જાળમાં કદી ના તું રહે,

મોહત્યાગે,સ્વાર્થભર્યા કર્મો કદી ના તુંજને પકડે,

આવી સમજમાં….નિસ્વાર્થ તું બનજે !………….(૨)

સ્વર્ગ કે મોક્ષના વિચારો તું મત કર,

ફક્ત પ્રભુસ્મરણમાં રહી કર્મ કર,

એવી સમજથી….પવિત્ર તું બન !………….(૩)

અન્યને સહાય કે સેવાભાવમાં છે પ્રભુ તારો,

ભલે, સન્યાસી કે સંસારી, પ્રભુ વગર ઉધ્ધાર નથી તારો,

એવી સમજમાં……ભવસાગરને તું પાર કર !…..(૪)

અંતે ચંદ્ર કહે ઃ જ્ઞાન થકી પ્રભુસમજ એ જ ભક્તિ,

જ્યારે પ્રભુ જીવનમાં, ત્યારે મળે અપાર શક્તિ,

આવી સમજમાં…..ચંદ્રવિનંતીને તું સ્વીકારી લે !…(૫)

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૧૯,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે હું અમેરીકામાં રહી અમેરીકાને મારી “કર્મભૂમી”રૂપે નિહાળી રહ્યો હતો.

ત્યારે વિચાર આવ્યો “ખરેખર આ ધરતી જ સૌની કર્મભૂમી છે !”

માનવ દેહ સાથે સૌને જન્મ મળ્યો છે.

ધરતી પર આપણે સૌ “કર્મ” કરવા આવ્યા છીએ.

“સ્વાર્થ” કે “નિસ્વાર્થ” કર્મો કરવા ? એનો નિર્ણય દરેકે લેવાનો છે.

જ્યારે પ્રથમ સેવાભાવ કે પછી પ્રથમ પ્રભુ સ્મરણ થકી ….કે પછી “જ્ઞાન જ્યોત” થકી પ્રભુનો સ્વીકાર થાય ત્યારે જ “નિસ્વાર્થ” કર્મો શક્ય બને છે અને જીવન ધન્ય બની જાય છે !

આ કાવ્ય રચના દ્વારા આ જ સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

The Earth on which we are born as the HUMANS….are really here to do ACTIONS.

These actions must be SELFLESS & PURE.

The Worldly Desires are our obstacles.

With the DIVINE nearby….it is easy to do SERVICE to OTHERS.

This is the MESSAGE in the Poem in Gujarati.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

 

 

ઓક્ટોબર 18, 2014 at 11:44 એ એમ (am) 6 comments

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

 

 

 

 

સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !

 

માનવી જીવે જગતમાં સ્ત્રી,પુરૂષ સ્વરૂપે,

એક સાથ રહી, ઈચ્છા હોય બાળની સંતાન સ્વરૂપે,

સંતાન ભાગ્યમાં હોય તો જ મળે,

ના મળે તો જીવનભર હૈયે દર્દ રહે,

જો બાળ મળે તો માનવી શું કરે ?

આટલું જ ચંદ્ર સૌને આજે પૂછે !………….(૧)

 

 

જે કોઈ ફક્ત દીકરાની આશમાં હોય,

તેને દીકરી મળતા, ખુબ જ નિરાશા હોય,

જે કોઈ દીકરી કે દીકરાને સમભાવે ઈચ્છે,

તે તો ભાગ્યમાં જે મળે તેને ખુશીથી સ્વીકારે,

આટલી સમજમાં માનવ સ્વભાવ રહે,

બસ, આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………(૨)

 

 

દીકરી હોય કે દીકરો, એનો આનંદ માણો,

આશાઓના ડુંગરો રચી, બાળ-ભવિષ્યને નિહાળો,

નાના હોય તેને મોટો કરવાના સ્વપ્નાઓ સેવો,

પ્રેમ આપતા, માયારૂપી જાળમાં ફસાતા જાઓ,

એવી હાલતે, માનવી તો સંતાનમોહમાં ડુબે,

સત્ય આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૩)

 

 

 

જેણે બાળ ભવિષ્યમાં સંતાન-વેલો નિહાળ્યો હોય,

જેને પોતાના સંતાનનો પ્રાણ વ્હાલો હોય,

એ કેવી રીતે બાળ-મૃત્યુને સહન કરી શકે ?

તેમાં અકાળ અચાનક મૃત્યના દર્દનું વર્ણન શબ્દોમાં કેમ હોય શકે ?

પણ, આટલો જ ઋણ-સબંધ હશે એવા ભાવે પ્રથમ સ્વીકાર પગલું હોય શકે,

સહનશક્તિનું આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……(૪)

 

 

 

જે માનવી એની જીવન-સફરમાં પ્રભુભક્તિમાં રંગાય રહે,

એવા માનવી કદાચ જરા ડોલી, સમતોલન ભાવે હોય શકે,

આવો ભાવ જો ના હોય, તો સંતાન-વિયોગનું દર્દ માનવીને બારે,

સમયના વહેણમાં થયું એને પ્રભુ ઈચ્છારૂપે જો એ સ્વીકારે,

તો, સમતોલ ભાવે મન એનું શાંત બની શકે,

ખરેખર આટલું જ ચંદ્ર સૌને આજે કહે !……….(૫)

 

 

 

સંસારમાં માનવી હંમેશા મનની શાંતી પ્રાપ્ત કરવા આશાઓ રાખે,

સંસારી ખુશી અને શાંતી ક્ષણની, એથી “પરમ શાંતી”ની આશાઓ રાખે,

સંસારી આનંદ ત્યાગી શકે, એ જ મોહમાયાને ત્યાગવાની શક્તિ ધરાવે,

જેનો લક્ષ પ્રભુ સ્મરણ સાથે ભક્તિ પંથે જીવન સફરે હંમેશ રહે,

આવી હાલત જેની હોય, તે જ જ્ઞાની અને સંતાન મૃત્ય સમયે સ્થીર રહે,

અંતે,એક સંદેશારૂપે આટલું જ ચંદ્ર સૌને આજે કહે !………..(૬)

 

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૮,૨૦૧૪             ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં સંતાન મૃત્યુની ઘડી !”.

એક દિવસ એક મિત્ર સાથે વાતો કરતા જાણ્યું કે એમનો એકનો એક મોટો પરણેલો દીકરો અચાનક ગુજરી ગયો.

એ જાણી દીલગીરી અનુભવી.

પણ વિચારતો હતો….મા-બાપની ઉંમર વધે અને મૃત્યુની વાટ જોવાય…સંતાન સંસારે રહશે એવા વિચારો હોય. પણ જ્યારે સંતાન મૃત્યુને ભેટે ત્યારે એવા માતાપિતાના દીલોમાં જે દર્દ હોય તે શબ્દોમાં કેમ કહી શકાય ?

બસ…આ જ વિચાધારામાં રહી આ કાવ્ય રચના થઈ છે…આજે એ પ્રસાદીરૂપે પ્રગટ કરી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is a Poem about the DEATH of a CHILD.

Before the eyes of the PARENTS, this is the BIGGEST TRAGEDY.

The HURT in the HEARTS of these parents can not be told in the words.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

 

 

 

ઓક્ટોબર 16, 2014 at 11:52 એ એમ (am) 14 comments

જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

 

 

 

 

 

 

 

જીવન સફરમાં ૧૩મી ઓક્ટોબરનો દિવસ

 

૧૩મી ઓક્ટોબરનો દિવસ તો ફરી ફરી આવે,

ભલે આવે, પણ શાને ખુશી મુજ હૈયે એ લાવે ?

 

૧૩મી ઓક્ટોબરના દિવસે જન્મ હતો મારો,

શું એથી જ હૈયે ખુશીઓ માણવાનો લ્હાવો છે મારો ?

 

આ દિવસની ખુશીઓનું કારણ આ જ હશે,

એ કારણે જાણે જન્મની ખુશી તાજી હશે !

 

દર ૧૩મી ઓક્ટોબરે ઉંમરે એક સાલ વધે,

શું ગણતરી એની કરવી યોગ્ય કહેવાશે ?

 

ભલે, ઉંમર વર્ષોમાં કિન્તું સવાલ એક જ રહે,

શું કર્યું આટલા વર્ષો, એ જ એક સવાલ રહે !

 

વર્તમાનમાં રહી, ભુતકાળના જીવનને નિહાળ્યું,

તો, ભુલો સાથે થોડા શુભ કાર્યો હું આજે નિહાળું,]

 

આટલું જાણી, ભવિષ્યમાં શું કરવાનું હું વિચારૂં,

પ્રભુભક્તિ સાથે સતકર્મો કરવાનો નિર્ણય હું કરૂં !

 

કેટલા દિવસો ભવિષ્યમાં હશે એ હું ના જાણું,

કાલ નહી આજે અને હમણા જ શુભઆરંભ હું કરૂં !

 

હવે, કાંઈ વિચારવાનું રહેતું નથી આજ મારે,

પ્રભુશ્રધ્ધાના સથવારે, આગેકુચ કરવી છે મારે !

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓકટોબર,૪,૨૦૧૪      ચંદ્રવદન  

 

બે શબ્દો…

 

ઓક્ટોબર માસ શરૂ થયો, અને થોડા દિવસોમાં મારી ૭૧મી બર્થડે આવશે એવું મનમાં થયું.

આ વિચાર સાથે જ….પ્રભુ પ્રેરણાથી હું કાવ્ય-વાટિકામાં પ્રવેશ કરી શબ્દોરૂપી પુષ્પો ચુંટ્યા.

આ રચના થઈ.

એક જ સંદેશો છે….માનવી કેટલા વર્ષો જીવે એનું મહ્ત્વ નથી, પણ જે રીતે એ જીવન જીવી ગયો તેનું જ મહત્વ છે !

માનવ જન્મ સતકર્મો કરવા મળ્યો છે. જન્મ અને મરણ વચ્ચે “જીવન સફર” રહે છે. એ કેટલા સમયની છે તે કોઈ જાણતું નથી. સારા કામો “આજ, અબી” કરવાની ટેવ પાડવી એ જ માણસને ખરેખર “માનવતા” ભર્યો “માનવી” બનાવે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

13th of October…..and its my Birthday.

In 2014, it is my 71st Birthday.

As per TITHI  my Birthday was on 8th October as it was the SHARAD POONAM Day.

Each 13th of October adds a YEAR to my age.

But….what GOOD I had done in that EXTRA YEAR ?

This is the QUESTION for me.

Each of us face the SAME QUESTION….each of us has to ANSWER.

May GOD guide all  to make LIFE better & filled with SEVA to OTHERS.

Dr. Chandravadan Mistry

 

 

 

 

ઓક્ટોબર 13, 2014 at 11:52 પી એમ(pm) 37 comments

અસહાયકને સેવા !

 

African Fire: Paul Goldstein's Masai Mara Sunrises and Sunsets

 

 

 

અસહાયકને સેવા !

અસહાયકને કદી સહાય કરવા વિચાર્યું તમે ?

એવો વિચાર ના આવ્યો તો માનવજીવનને કદી ના સમજ્યું તમે !……(ટેક)

કોઈ અંધને નિહાળી, કદી હૈયે દર્દ અનુભવ્યું તમે ?

કદી એવું હૈયે થયું , તો માનજો કે માનવી છો તમે,

ત્યારે જ હૈયે માનવાતા ખીલી, અંધને સહાય કરવા દોડો તમે,

જે નિહાળી, પ્રભુ હોય રાજી અને પલટે જીવનબાજી તમારી !…….(૧)

કોઈ લુલા લંગડાને નિહાળી, કદી હૈયે દર્દ અનુભવું તમે ?

કદી એવું થયું, તો માનજો કે માનવી છો તમે,

ત્યારે જ હૈયે માનવતા ખીલી,લુલા લંગડાને સહાય કરવા દોડો તમે,

જે નિહાળી, પ્રભુ હોય રાજી અને પલટે જીવનબાજી તમારી !……..(૨)

કોઈ હોય ભુખ્યો,તરસ્યો કે રોગનો દર્દી કે અન્ય રીતે અસહાયી,

એના હૈયે વહી રહી હોય કોઈના સહકારની આશાઓ ઘણી,

એવા સમયે સેવાભાવ તમ હૈયે જો જાગે, તો માનજો પ્રભુએ કૃપા કરી,

શુભવિચારો કે કર્મ થકી જે થયું તેમાં માનજો કે પુન્ય કરવાની તક મળી !….(૩)

ચંદ્ર કહે સૌને અંતે, માનવજીવન તો એક ટુંકી સફર છે,

પળ પળે,ઘટનાઓ બનતી રહે,બનેલી ઘટના ફરી ક્યારે તે કોણ જાણી શકે ?

જ્યારે એવી અજાણતા હોય, તો સેવા કરવાની તકો પ્રેમથી સ્વીકારવી રહી,

એવી જ પ્રભુની ઈચ્છા રહે, એવી ચંદ્ર-સમજ તમે કદી પણ ભુલવી નહી !…..(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૩,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યપોસ્ટ”અસહાયને સહાય”માં જ ખરેખર છુપાપેલ છે મારો “જીવન મંત્ર’….એ છે “જનક્લ્યાણ કે જનસેવા”.

પ્રભુએ મારા પર તો ખુબ જ દયા કરી છે..જે માટે હું હંમેશા પ્રભુનો પાડ માનતો રહું છું.

મારી આ જીવનસફરમાં જ્યારે પણ કોઈને હું દુઃખી નિહાળું ત્યારે મારા હૈયે પ્રથમ દર્દ થાય અને મનમાં પ્રાર્થના હોય કે “પ્રભુની કૃપા એના પર હોય અને એનું ભલું થાય”.

અનેકવાર, એવા દ્રશ્ય સાથે મેં પ્રભુને યાદ કરી મારી શક્તિ કે સંજોગો પ્રમાણે સહાય કે સેવા કરવાની તકો લઈ આનંદ અનુભવ્યો છે.

“શિક્ષણ ઉત્તેજન” દ્વારા ગરીબાયને હટાવવા માટે મારી યાત્રા છે.

ગરીબાયમાં જ ભુખ,તરસ, અનેક પીડાઓરૂપી શત્રુઓ ખડા થઈ માનવીને “લાચાર” કરે છે….એક નાનો “ટેકો” ઘણીવાર એવી લાચાર વ્યક્તિમાં એનું જ “આત્મબળ”ને જાગૃત કરે છે. એવો જ ભાવ મનમાં રાખી મારી જીવન યાત્રા ચાલુ રહેલ છે.

આ પોસ્ટ વાંચી, કદી એક વ્યક્તિને પ્રેરણા મળે અને એ “જનસેવા” પંથે હશે તો મારા હૈયે ખુબ જ આનંદ હશે !

આ પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is about helping those who are UNFORTUNATES & are in the NEED of the ASSISTANCE.

There are MANY ways one can offer this ASSISTANCE.

If one gives the assistance, he/she must remove the EGO and give that assistance from the HEART and  with the name of GOD.

Hope that MANY are INSPIRED to do this NOBLE SERVICE ( SEVA).

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 10, 2014 at 12:07 પી એમ(pm) 9 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,636 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031