ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !
જુલાઇ 22, 2015 at 12:56 પી એમ(pm) 8 comments
ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !
આજ મારા પ્રભુજી વૈકુંઠ છોડી,
વૃંદાવનમાં ભક્તોના ગુણલા ગાતા રહે,
એને સાંભળી, મુજ હૈયે ભક્તિનો રસ વહે !…….(ટેક)
અરે, પેલો સુદામાજી મિત્ર મારો તે કેવો !
ના હાથ ધરે, ના મનનું કહે, ના માંગે કદી,
એ છે મુજને અતી વ્હાલો, કહું છું એવું ફરી ફરી,…..આજ મારા…..(૧)
પેલી મીરા તો છે પાગલ કેવી !
સંસાર છોડી, પ્રેમીકા બની, મુજને નાથ કહેતી રહે,
એ જ મુજને મારી રાધા ભુલાવે, એવું કબુલ હું રે કરૂં !…..આજ મારા….(૨)
કોને કહું હુંડી માંગનારા નરસીયો તે કેવો !
માંગે ભલે, પણ માંગી સર્વ મુજને એ દેતો રહે,
એથી, સહારે એના હું તો દોડી, આશાઓ એની પુરી કરૂં !…આજ મારા….(૩)
તુલસી તો છે રામનામનો પાગલ રે કેવો !
મહિમા મારો લખી, એ તો જગમાં સૌને એનું કહેતો રહે,
ના કદી ભુલું એને, એ તો મારા હૈયામાં હંમેશ રહ્યો !…આજ મારા …(૪)
શું રે કહું પેલો કબીરજી મારો છે કેવો ?
કહે પોતાને બુરો, ‘ને વ્હાલ એ તો સૌને કરે,
ચાદર એની પ્રેમભરી, પહેરી એને યાદ કરતો રહું !….આજ મારા…(૫)
શીરડીમાં સાંઈ મારો રહે છે કેવો !
“શ્રધ્ધા સબુરી”નો મંત્ર એ તો સૌને કહેતો રહે,
મંત્રનો કેદી બની હું એ બોલાવે અને દોડી સહાય કરૂં !…આજ મારા….(૬)
ભક્તો છે ઘણા,અંતે કહું છું વીરપુરનો જલયો કેવો !
અન્ન દાન કરી, સૌને રાજી એ તો કરતો રહે,
નામ એનું પૂકારે, ત્યાં દોડી સહાય હું રે કરૂં !…..આજ મારા …..(૭)
અંતે ચંદ્ર કહેઃ પ્રભુજી મારા છે દરિયો દયા કેરો,
સંસારી માયા છોડી, ભક્ત બની, ગુણલા એના ગાઓ,
તો… પ્રભુજીના વ્હાલા તમે બનો !…..આજ મારા …….(૮)
કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૬,૨૦૧૫ ચંદ્રવદન
બે શબ્દો…
આજ વ્હેલી સવારે હજુ બેડમાં હતો અને મનમાં પ્રભુના અનેક ભક્તો યાદ આવ્યા….સૌને પ્રભુના ગુણગાન ગાતા નિહાળ્યા.
ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો.
જાણે પ્રભુજી જ જગમાં પધારી, ભક્તોના ગુણગાન ગાતા હોય એવો ભાસ થયો.
તો…વેકુંઠ છોડાવી મેં પ્રભુને વૃંદાનનમાં નિહાળ્યા…..અને અનેક ભક્તોના નામો લઈ ભજન ગાતા હોય એવા દર્શન કર્યા.
બસ…આ જ વિચારધારા કાવ્યરૂપે શબ્દોમાં કહી છે.
આશા છે કે તમોને આ રચના ગમે !
FEW WORDS…
As we pray, we PRAISE the GOD. We THANK Him for Everything.
In this Poem….it is the GOD who is filled with JOY, expresses His PRAISES to His DEVOTEES.
In doing this….He names DEVOTEES like SUDAMA, MIRA, NARSIH MEHTA,KABIR, SHIRADI SAIBABA and JALARAM of VIRUR.
I hope you like this Poem.
Dr. Chandravadan Mistry
Entry filed under: કાવ્યો.
8 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. NAREN | જુલાઇ 22, 2015 પર 12:59 પી એમ(pm)
very nice
2. pravina Avinash kadakia | જુલાઇ 22, 2015 પર 2:30 પી એમ(pm)
very true.
3. P.K.Davda | જુલાઇ 22, 2015 પર 2:48 પી એમ(pm)
પ્રભુજીએ ચંદ્રવદનને પણ જરૂર યાદ કર્યા હશે !!
4. vimala | જુલાઇ 22, 2015 પર 5:05 પી એમ(pm)
ભક્ત સમાજના ગુણગાતા પ્રભુને વંદન.
સુહાની સવારે પ્રભુ-ભક્તના દર્શન કરાવવા બદલ આપ સાહેબને પ્રણામ.
5. મૌલિક રામી "વિચાર" | જુલાઇ 23, 2015 પર 6:58 એ એમ (am)
Good one!!
6. દાદીમા ની પોટલી | જુલાઇ 23, 2015 પર 11:28 એ એમ (am)
હરિ સાથે હરિભક્તોને ગુણલા સુંદર રીતે ગાયા.
7. Vinod R. Patel | જુલાઇ 23, 2015 પર 7:24 પી એમ(pm)
શીરડીમાં સાંઈ મારો રહે છે કેવો !
“શ્રધ્ધા સબુરી”નો મંત્ર એ તો સૌને કહેતો રહે,
છેલ્લી ભારત મુલાકાત વખતે શિરડીમાં જઈને સાંઈના દર્શનનો લાભ લીધો હતો એની યાદ તાજી થઇ ગઈ ! જય સાંઈ
8. chandravadan | જુલાઇ 23, 2015 પર 7:54 પી એમ(pm)
This was an Email>>>
ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !
Jul 22 at 7:27 AM
Dharamshi Patel
To Chandravadan Mistry Jul 22 at 8:07 PM
Hari om,
Waw
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dharamsihji>>>Abhar>>>C. Mistry