Archive for જૂન, 2010
૨૩મી જુન !……23rd JUNE !
૨૩મી જુન !
આજની પોસ્ટ છે “૨૩મી જુન”ની તારીખ !
આ વર્ષ, યાને ૨૦૧૦માં ૨૩મી જુનનો દિવસ છે બુધવાર !……પણ, એ જ તારીખ ભુતકાળે બીજા વારે હતી, અને ભવિષ્યમાં બીજો વાર હશે !
આ વર્ષ તીથી પ્રમાણે, આજે “જેઠ સુદ બારસ”…..પણ, બુતકાળમાં કે ભવિષ્યમાં આ તારીખના તીથી -સંબંધો જુદા જ !
અને…..
આ તારીખ સાથે જોડાયેલ છે કોઈની “ખુશી” કે કોઈનું “દુઃખ” !……આ તારીખે જન્મ-દિવસ
કે મ્રુત્યુ-દિવસ !…..આ તારીખે સગાઈ કે લગ્નદિવસ કે પછી ચુટાછેડા !…..અને,
માનવીના જીવનમાં બનતી “ઘટના”માંથી અનેક યાદગાર ઘટનાઓ પણ હોય શકે !
તો, આજે આ પોસ્ટ શા માટે ?
મારા જીવનમાં બનેલી અનેક યાદગાર ઘટનાઓમાંથી આજે છે “અમારો
લગ્નદિવસ” !….યાને અમારી “વેડીન્ગ એનીવરસરી” !
આજે ૪૦ વર્ષ પહેલા ( ૧૯૭૦) હું આફ્રિકાથી ભારત આવી દક્ષિણ ગુજરાતના દેસરા ગામે
હતો….અને, મારા લગ્ન….મારા જીવનસાથી બની કમુ !
સુખ, દુઃખો એક સાથે …..મારી નબળાયને કમુએ સહન કરી…..મેં હ્રદયનો પ્રેમ આપ્યો,
અને કદાચ મારા આપેલા પ્રેમ કરતા “કમુ-પ્રેમ” વધુ હતો કારણ કે એમાં “સહનશીલતા”
ભરાયેલી હતી !
૪૦મી એનીવરસરી ઉજવવી એ કંઈ નાની વાત નથી !……આ તો ખરેખર પ્રભુની ક્રુપા જ
કહેવાય !
હવે પછી, કેટલી “એનીવર્સરી” હશે એ તો કોણ જાણે ?…..પ્રભુ જ જાણે !
આવા શુભ દિવસે અન્ય તરફથી “શુભેચ્છાઓ” મળે એ સ્વભાવીક છે…..કોઈ “ભેટો” આપે
તે કદાચ અન્યની “ઉદારતા” કહેવાય……પણ, ખરેખર તો પતિ-પત્ની હ્રદયના
ઉંડાણમાંથી “પ્રેમ” દર્શાવે એ જ ખરૂં “કાર્ડ” કે ખરી “ભેટ” !
માનવ છીએ…..કૉઈ વાર કઈક “ચીજ”ની ઈચ્છાઓ જાગ્રુત થાય !…..હા, એકબીજાને કાર્ડ
કે ભેટો આપી હતી, અને અન્ય તરફથી પણ મળ્યું હતું , તે માટે આભાર દર્શાવ્યો હતો. આ
અમારા જીવનની એક “અનોખી”ઘડી છે તો એકબીજા પ્રત્યેના પ્રેમ સિવાય કઈક તો
હશે !….અને, પ્રભુને પ્રાર્થના કે “પ્રભુ, ખોટું કરાવીશ નહી, અને કઈક સારૂં કરવા માટે
શક્તિ આપજે !…હવે પછી કેટલી એનીવસરીઓ હશે તે તું જાણે, પણ તું એટલું જરૂર કરજે
કે અમારો એકબીજા પ્રત્યેનો પેમ વધતો રહે, અને અમે ભક્તિપંથે રહી, તારી નજીક
આવી શકીએ !”
અંતે એક મારી બીજી પ્રાર્થના……”પ્રભુ, અનેક માનવીઓના હ્રદયમાં તું પ્રેમ-લાગણીઓના
ઝરણાઓ વહેતા કરજે,કે એઓ સૌ “સેવા” તરફ વળે !”
>>>>ચંદ્રવદન
23RD JUNE 2010…
It is 23rd JUNE 2010 !
This the Day of our 40th WEDDING ANNIVERSARY !
Kamu & I thank God for celebrating this Day !
We sincerely pray that we celebrate THIS DAY many more years together ! ..And,
we hope that we are on the BHAKTI PANTH more and more…..and may be CLOSER to God……and with the God’s GUIDANCE, doing more JANSEVA !
This year’s Anniversary is SPECIAL!
Why ????
Hope you will READ the NEXT POST.
Wil you ?
CHANDRAVADAN MISTRY
વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)…..ઊર્મી
વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)….. ઊર્મી
ઊર્મીસાગરને તો સૌ જાણે !
ઊર્મીસાગરને તો સૌ જાણે ! …..(ટેક)
“ચંદ્રપૂકાર”બનતા, બ્લોગ્જગતે ચંદ્ર રમે,
“ઊર્મીસાગર” અને “ગાગરમાં સાગર”બ્લોગો એ નિહાળે,
પ્રતિભાવો એમાં મુકતા, ખુશી છે એને !
યાદ છે ઊર્મી તને એ ?…….ઊર્મીસાગરને તો…(૧)
અરે, એકવાર ઊર્મી-બાળકાવ્યની ખુશીમાં ,
લખ્યું કંઈક થોડા ઊર્મી-શબ્દો ચુંટી, હ્રદયભાવમાં,
તો, “આ છે થયું ખોટું “કહે સખી જયશ્રી પ્રેમભાવમાં,
યાદ છે ઊર્મી તને એ ?……ઊર્મીસાગરને તો….(૨)
“બે સહેલીનો સંવાદ”કાવ્ય લખી, ઊર્મી-યાદ ભરી,
એક પ્રતિભાવે “ચંદ્રપૂકાર”માં મુકી, ઊર્મી ચંદ્ર-માર્ગદર્શક બની,
“લાબું લખાણ પોસ્ટરૂપે કોઈ ના વાંચશે” ઊર્મી-સલાહ હતી
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…(૩)
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ની પોસ્ટ વાંચતા, ઊર્મીને વધુ જાણી,
એને એક માતા, એક પત્ની સ્વરૂપે જાણી,
બાંધ્યો છે ઊર્મીએ સ્નેહસંબંધ મુજને “કાકા” કહી !
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…..(૪)
કાવ્ય રચના..તારીખ માર્ચ ૨૯. ૨૦૧૦ ચંદ્રવદન.
બે શબ્દો…
આજે તમે નારીઓ વિષેની આ છેલ્લી પોસ્ટ વાંચો છો !
અને….
અને…..
અંતે મારે આટલું જ કહેવું છે>>>>>>
ઊર્મીસાગર નામે એંણે ગુજરાતી વેબ-જગતના અનેકના દીલો જીતી લીધા છે …..ગુજરાતી સાહિત્યનું પીસરી, એણે અનેકમાં “સાતિત્ય-પ્રેમ” જાગ્રુત કર્યો છે !….મને “કાકા” કહી, માન આપ્યું તે કદી ભુલાશે નહી, અને એ મારી દીકરી-સમાન એક “ભત્રીજી” છે , જેણે મારૂ દીલ જીતી લીધું છે !
એ હંમેશા સુખી આનંદીત અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થનાઓ…અને, એના બ્લોગો દ્વારા અનેકને “મહેક” મળતી રહે !
ચંદ્રવદન.
FEW WORDS…
Today it is JUNE, 19th 2010…it is a day before the FATHER’S DAY !
Today you are viewing this Post…it is on URMI or URMISAGAR.
Urmi’s contrbution to the GUJARATI WEBJAGAT is measured by her activity on her Blogs & also her involvement with OTHER BLOGS.
HAPPY FATHER’S DAY to ALL !
CHANDRAVAAN
વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.
વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.
ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?
ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?….(ટેક )
૨૦૦૭માં વિજયભાઈ શાહ સહકારે “ચંદ્રપૂકાર”બનતા,
ખુશીમાં અનેક બ્લોગોની મુલાકાતો લેતા,
જયશ્રીબેનના “ટહુકો”પર પહોંચતા,
ગીતો વાંચી, સાંભળી, ખુશ હતો હું !
અરે, આ જ છે એ જયશ્રી !…….ગુજરાતી બ્લોગજગતના…(૧)
વિજયભાઈ પણ કહે, “બ્લોગજગતે જયશી-સલાહો હોય સારી”,
પ્રતિભાવ મારો “ટહુકો”પર મુકવા હતી હવે ઈચ્છા મારી,
એક પ્રતિભાવ ટહુકો પર કરતા, જયશ્રી ચંદ્રપૂકારમાં પધારી,
જયશી-અભિન્દન મળ્યાથી ખુશ હતો હું !……ગુજરાતી બ્લોગજગતના….(૨)
“ચંદ્ર”વેસ્માનો, અને બારડોલી રહીશ છે જયશ્રી,
“વેસ્મા તો મારૂં જોયેલું અને જાણેલું “કહે જયશ્રી,
અને, ઈમેઈલ કરી, મુજને “કાકા”કહે જયશ્રી,
એવા સ્નેહસંબંધનમાં ખુશ હતો હું !…..ગુજરાતી બ્લોગજગતના……(૩)
મળ્યો અમિત જીવનસાથી સ્વરૂપે, હવે જયશ્રી એકલી નથી !
૨૦૦૯માં પહેલી વેડીંગ એનીવસરીની શુભેચ્છાઓ મીં કહી,
લોસ એન્જીલીસથી દુર જયશ્રી, છ્તાં જયશ્રી હૈયે ખુશી હતી ,
બસ, એટલું જાણી ખુશ હતો હું !…..ગુજરાતી બ્લોગજગતેના….(૪)
કાવ્ય રચના,,,તારીખ માર્ચ, ૨૭,૨૦૧૦ ચંદ્રવદન.
બે શબ્દો…
એક વિસ્તારના , એક ભાષા બોલનારાનો ભેટો જ્યારે પણ થાય ત્યારે એક અનોખો આનંદ હૈયે વહે છે.
હું જયશ્રીને રૂબરૂ મળ્યો તો નથી…પણ, બ્લોગ જગતે ગુજરાતી ભાષાને દિપાવવા જયશ્રીનો ફાળો અમુલ્ય છે !..એણે જુના તેમજ નવા ગુજરાતી ગીતોને પોસ્ટોરૂપે મુક્યા…સાથે ઓડીઓથી એમાં “સુર” મુક્યો…..જે વાંચી, સાંભળી, અનેક ખુશ થયા. “ટહુકો”બ્લોગે નામના મેળવી…જયશ્રીબેનને પણ સૌ જાણવા લાગ્યા….જ્યારે જયશ્રીએ ગુજરાતી વેબ્જગતમા શરૂઆત કરી ત્યારે ગણાય તેવા થોડા બ્લોગો હતા…આજે તો અનેક ગુઅરાતી બ્લોગો છે ..સૌના નામો જાણવા અસંભવ છે. આથી, જયશ્રી જે શક્ય કર્યું તે માટે એને વંદન છે મારા !
એક નામથી ઓળખાણ…..પ્રથમ મિત્રતાનો ભાવ….અને અંતે કાકા-ભત્રીજીરૂપી સ્નેહ સંબંધ !….આવું કોણે કર્યું ? …જરૂર પ્રભુએ જ કર્યું !
તમારે જો જયશ્રીબેન ભક્તને વધુ જાણવા હોય તો એમના બ્લોગ “ટહુકો”ની મુલાકાત લેવી જ જોઈએ..એ માટે “લીન્ક” (LINK) છે>>>>>
અંતે મારે આટલું જ કહેવું છે…>>>>
ગુજરાતી બ્લોગ-જગતમાં મિત્રતાના અમી ઝરણે જયશ્રીનો પરિચય થયો…..અને એણે એની ઉદારતાથી મને કાકા કહી માન આપ્યું , તે કદી મારાથી ભુલાશે નહી !…અને, પ્રભુને પ્રાર્થના કરૂં કે જયશ્રી અમિતની જોડી હંમેશા સહીસલામત રાખે, અને એમનું જીવન આનંદભર્યું રહે….અને નોકરી/કામો કરતા કરતા, પ્રભુ જયશ્રીને સમય આપે કે એ “ટહુકો”માં નવી નવી પ્રસાદીઓ પીરસતી રહે !
ચંદ્રવદન.
FEW WORDS
Today you are reading a New Post….It is on JAYSHREE BHAKTA
Well, Jayshree has earned her name in the Gujarati BlogJagat with her Blog “TAHUKO” which had become popular with the Gujarati GEET/KAVYO.BHAJANS with the written Scripts & with the AUDIO/VIDEO attachments…..The Visitors to the TAHUKO were happy to hear the Geets/Kavyo/Bhajans.
I was the ONE who had visited Tahuko & was impressed !
You may know Jayshree better by visiting her Blog TAHUKO by this LINK>>>
CHANDRAVADAN
વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.
વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.
રેખાબેન સિંધલ કોણ ?
રેખાબેન સિંધલ કોણ હશે ?
પુછો એવું, તો તમે એ જાણવું પડશે !…….(ટેક )
“ચંદ્રપૂકાર”કર્યા બાદ, હું તો હતો બ્લોગ જગતે,
અનેક બ્લોગો પર હતું “રેખા સિંધલ”નામ અનેક પ્રતિભાવે,
કોણ હશે ? ક્યાં હશે ? પ્રશ્ર્નો એવા મારા મનમાં રમે,
હાલત એવી હતી મારી !……….રેખાબેન…….(૧)
“ચંદ્રપૂકાર” પર મહેમાન બની રેખાબેન આવી ગયા,
પ્રતિભાવે “સુંદર શબ્દો” પ્રસાદી મુકી ગયા,
ઈમૅઈલ એડ્રેસ એમનો આપી ગયા,
હાલત બદલાય છે મારી !……રેખાબેન……(૨)
ધીરજ ખોઈ, કર્યો એક ઈમેઈલ રેખાબેનને,
જવાબ તરત આપ્યો રેખબેને,
અનેક ઈમેઈલોમાં ખુશીઓ ભરી અમે !
હાલત હવે ખુશીભરી હતી મારી !…..રેખાબેન…..(૩)
જાણ્યો “અક્ષય પાત્ર”નામે બ્લોગ એમનો,
અમેરીકાના “ટેનેસી”ના રહીશરૂપે વાંચ્યો પરિચય એમનો,
કાવ્યો કે લેખો વાંચી, આનંદ મળ્યો મુજને
,
હાલત સ્નેહસંબંધે બંધાયેલી હતી મારી !…..રેખાબેન…(૪)
આવા સ્નેહસંબંધની યાત્રામાં, મળી એક બેન ભાઈને,
આવા સ્નેહસંબંધમાં ખીલે “ભાઈ-બેન”નું પુષ્પ જગતમાં,
અને, આવા સ્નેહસંબંધ માટે વંદન છે પ્રભુજીને !
હાલત આવી ખુશીઓ ભરીમાં રહી, , ચંદ્ર ન્રુત્ય કરે !
કાવ્ય રચના તારીખ…માર્ચ, ૨૬, ૨૦૧૦ ચંદ્રવદન.
બે શબ્દો…
આજની પોસ્ટ દ્વારા તમે રેખાબેન સિંધલ વિષે જાણી રહ્યા છો !
તમે ઉપર પ્રગટ કરેલી “કાવ્ય” લખાણ દ્વારા રેખાબેન વિષે થોડું તો જાણ્યું !
રેકાબેનનું નામ એમણે બ્લોગો પર આપેલા પ્રતિભાવો વાંચતા પ્રથમ જાણ્યું …..અને પછી, હું એમના બ્લોગ “અક્ષય પાત્ર”પર જઈ, એમની પોસ્ટો વાંચી એમને વધુ જાણ્યા…..અને, રેખાબેન પણ મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર આવી એમના પ્રતિભાવો મુક્યા………ત્યારબાદ, એમને ઈમેઈલો કરવાનો લ્હાવો મળ્યો.
હું જેમ જેમા રેખાબેનને વ્હધુ જાણતો ગયો…તેમ તેમ હું એમની નજીક જવા લાગ્યો…..એક બ્લોગર “મિત્ર”ભાવે નિહાળતા, એક “નાની બેન” સ્વરૂપે નિહાળતો થયો…અને જવાબરૂપી ઈમેઈલોમાં એમણે મને “એક ભાઈ ” તરીકે માન આપ્યું !….આ રહી અમારો “ભાઈ-બેન”ના સ્નેહસંબંધની શરૂઆત…જે ધીરે ધીરે વધુ અને વધુ ખીલતી રહી છે !
આવા પવિત્ર સંબંધે બંધાયા બાદ, જે પરિચયરૂપે જાણ્યું તે……
રેખાબેન સિંધલ અત્યારે યુ.એસ.એ.ના “ટેનેસી” રાજ્યના રહીશ છે….એઓ અમેરીકામાં ૨૦ વર્ષથી વધૂ સમયથી અમેરીકામા પરિવાર સાથે સ્થાયી છે….અને, એમના વિષે કાંઈ વધુ લખું તે પહેલા, એમના બ્લોગ પર એમણે જ લખેલા શબ્દો મુકું છું >>>>
માઈક્રોબાયોલોજી અને શિક્ષણમાં સ્નાતક થયા પછી ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકની મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું છે. ઘણા વર્ષો સુધી મેડિકલ લેબોરેટરીમાં ટેકનિશીયન તરીકે કામ કરેલ છે. સાથે સાથે ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓમાં ત્રણ પુત્રીઓની માતા અને ભારતીય પત્નીની રસોડા દ્વારા પતિને રીઝવવાની પ્રથા…..આ બધા આનંદ વચ્ચે ક્યારેક ક્યારેક કલમ ઉપાડીને લીટીઓ તાણ્યાનો આનંદ પણ માણ્યો છે. સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છીક સેવાઓ આપતા રહેવાનો સતત પ્રયત્ન કરતી રહી છું. નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે એમ સૌ કહેતા હોય છે એટલે માનવું પડે છે બાકી ભાવપ્રદેશમાં કેડી કંડારવાની હજુ બાકી છે.
હવે શક્તિના પૂર ઓસરવા લાગ્યા છે ત્યારે કલમનો ટેકો વધુ યાદ આવે છે. અને એ ટેકે ટેકે આગળનો પંથ સરળ બને એવા પ્રયત્નમાં વાચકોનો સથવારો મળશે તો આ આનંદયાત્રા વધુ માણી શકાશે. એમ માનીને આ બ્લોગ શરૂ કર્યો છે. દેશ છોડ્યાને 2008માં વીસ વર્ષ થયા. હાલ યુ.એસ.એ.ના ટેનેસી રાજ્યમાં રહું છું. જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
રેખાબેન સાહિત્ય પ્રેમી છે,…અને, સમય સમયે ગુજરાતી તેમજ અંગ્રેજી માં સુંદર લેખો લખી એઓ એમના બ્લોગ પર પ્રગટ કરે છે…અને, કોઈવાર “કાવ્યો”રચનાઓ પણ પ્રસાદીરૂપે બ્લોગ પર મુકે છે…..આવો રસ હોવા છતાં, એઓ પ્રથમ એક “ભારતીય નારી”તરીકે ગૌરવ અનુભવે છે, અને સંસારમાં રહી, “કર્તવ્ય-પાલન”ને ધર્મ માની, જીવનમાં આગેકુચ કરે છે ……એમના વિચારો એમના “પોસ્ટરૂપી લખાણ”માં જાણી, તેમજ એમના “ઈમેઈલો”માં એમનો ઉંડો “લાગણીબાવ” નિહાળી, હું આટલું કહી શકું છું ….>>>”રેખાબેન, સત્યના પંથે ચલનારા દયા, લાગણીઓ ભરપુર નારી છે !”….એમણે જ એમના બ્લોગ પર “ડીપ્રેસન” વિષે એક લેખ પ્રગટ કર્યો હતો….એમાં એમના જીવનમાં જે સહન કર્યું , સારવાર લીધી, અને જે સફળતા મેળવી એનું વર્ણન કરી, અનેક આવી માંદગી માટે સમજ-માર્ગદર્શન અનેકને આપ્યું ….ખુલ્લા દીલે આવું પ્રગટ કરવું એ કંઈ સહેલું નથી !…..એમને એ માટે મારા વંદન !
રેખાબેન વિષે જે મેં જાણ્યું તે જ લખ્યું છે….પણ, તમારે એમના વિષે વધુ જાણવું હોય તો તમારે એમના બ્લોગ “અક્ષય પાત્ર” પર જવું જોઈએ, અને તે માટે “લીન્ક” (LINK) છે>>>>>
અંતે મારે આટલું જ કહેવું છે>>>>
રેખાબેનનું જીવન ચિન્તાઓ મુક્ત રહે, આનંદભર્યું રહે…..અને એમની ઈચ્છાઓ પ્રભુ પુર્ણ કરે, અને એમને તંદુરસ્તી બક્ષે !..બસ, આટલી જ એક ભાઈની એક બેન માટે પ્રાર્થના !
ચંદ્રવદન.
FEW WORDS…
Today you are reading a Post on another individual…..and it is on REKHABEN SINDHAL of U.S.A.
Some of you know her.
She has her own Blog AXAYPATRA.
I have written this Post on Rekhaben, as I had known by reading the Posts on her Blog …& also by reading her comments on her other Blogs.
Then there were Email Contacts with her……and I was closer to her…..and I regarded her as my younger sister and she respected me as her brother.
You can know more about her by visiting her Blog by the LINK>>>>
Thanking you all in advance for reading this Post.
Your COMMENTS are welcome !
CHANDRAVADAN
વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.
વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.
મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !
મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !…..(ટેક)
ગુજરાતી બ્લોગોની સફરોમાં,
હતો હું “ટહૂકો” કે “ઊર્મીસાગર” બ્લોગોમાં.
નામ નિતા કોટેચા વાંચ્યું પ્રતિભાવોમાં,
એવી ઓળખાણ પ્રભુએ જ કરી હશે !……મિત્રતા….(૧)
“મનના વિચારો” બ્લોગ પર જાતા, હતો આનંદ ચંદ્ર-હૈયે,
“ચંદ્રપૂકાર”પર નિતા-પ્રતિભાવો વાંચી, હતો આનંદ ચંદ્ર-હૈયે,
“ચંદ્ર-હૈયા” જેવો આનંદ જરૂર હશે નિતા-હૈયે,
આવી આનંદની ઘડીઓ પ્રભુએ જ કરી હશે !…..મિત્રતા….(૨)
હવે, તો, બ્લોગ-મુલાકાતો સિવાય ઈમેઈલથી સંર્પક હતો,
અરે, એડ્રેસ-ફોન જાણી, ચંદ્ર તો નિતાબેન નજીક હતો,
આવા “ઓળખાણરૂપી પુષ્પ”માં સ્નેહભાવ ખીલતો હતો !
આવી સ્નેહ-સબંધ ઘડીઓ પ્રભુએ જ કરી હશે !….મિત્રતા…(૩)
ચંદ્રે હ્રદયભાવો ખુલ્લા કરી, હ્રદય એનું હલકું કર્યું
,
રૂબરૂ મળવાની આશાઓ ભરી, હ્રદય એનું ફરી ભર્યું,
કહો માયા કે પ્રેમભાવ એને તમે !
આવી ચંદ્ર-હાલત પ્રભુએ જ કરી હશે !….મિત્રતા….(૪)
તારીખ…માર્ચ ૨૦, ૨૦૧૦ ચંદ્રવદન.
બે શબ્દો…
આજની પોસ્ટ છે નિતાબેન કોટેચા વિષે !
તમે પ્રશ્ર્ન કરશો કે ….”કેવી રીતે તમે નિતાબેનને જાણો છો ?”
આ સવાલના જવાબરૂપે તમે ઉપર પ્રગટ કરેલા કાવ્ય દ્વારા થોડું તો જાણ્યું જ છે !
તેમ છતાં, આ “બે શબ્દો”ના લખાણ દ્વારા હું કંઈક વધુ કહેવા માંગુ છું .
પ્રથમ……તમે જાણ્યું કે ૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નો જન્મ થયો….હું તો આનંદમાં ગુજરાતી
બ્લોગજગતમાં અનેક બ્લોગોની મુલાકાતો લઈ, જુદી જુદી પોસ્ટો વાંચતો…અને સાથે
સાથે એ પોસ્ટો પર મુકાયેલા પ્રતિભાવો પણ વાંચતો…..અનેકવાર, નામ હતું “નિતા
કોટેચા” !…..એ પ્રતિભાવો દ્વારા મેં જાણ્યું કે નિતાબેનનો પણ એક બ્લોગ હતો…અને એનું
નામ હતું “મનના વિચારો “……આટલું જાણતા, મારૂ હૈયું મને તરત એમના બ્લોગ પર
લઈ ગયું…..જુની પોસ્ટો વાંચી….અને એક પોસ્ટ પર મેં મારો પ્રતિભાવ મુક્યો…..અને
નિતાબેનને મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર પધારવા આમંત્રણ આપ્યું …..અને, થોડા જ
દિવસમાં નિતાબેન “ચંદ્રપૂકાર”પર હતા. એમના પ્રથમ પ્રતિભાવ વાંચી મેં મારા હૈયે
આનંદ અનુભવ્યો….એમના મળેલા ઈમેઈલ દ્વારા એમને “આભાર” પાઠવવાની તક
મળી…..પછી તો, એમણે મારા બ્લોગની અનેક મુલાકાતો લીધી…..અને મે પણ એમના
બ્લોગની મુલાકાતો લીધી. અનેક ઈમેઈલો પણ એક્બીજાને થયા.
નિતાબેનની પોસ્ટોમાં એમના વિચારો જાણ્યા…..એમના પ્રતિભાવોમાં એમના વિચારો
જાણ્યા……અને, એમના ઈમેઈલો દ્વારા એમના વિચારો જાણ્યા……હું હવે નિતાબેનને વધુ
જાણતો હતો, વધૂ ઓળખતો હતો…….મારૂં મન મને કહે..”નિતાબેન ખુબ જ
લાગણીઓભર્યા વ્તક્તિ છે !”….અને, મારા હૈયાની પણ એવી જ પૂકાર હતી !
મેં નિતાબેનને મારી એક “નાની બેન” સ્વરૂપે નિહાળ્યા…એમણે પણ મને એક “મોટા
ભાઈ” કહી માન આપ્યું !
જ્યારે વ્યક્તિ હ્રદયમાં ખરી ઉંડી લાગણીઓ રાખે ત્યારે, કોઈ સાથે “સખી “બની આનંદ
અનુભવે…..જ્યારે સખીનું વર્તન એવૂં હોય કે હૈયે ખુબ દુ”ખ થાય….એવી જ એક
ઘટનાના કારણે નારાજ થઈ નિતાબેન વિચારોમાં રહી, એમના બ્લોગ પર પોસ્ટો પણ
ના મુકતા ત્યારે સુરેશભાઈ જાની તેમજ અન્ય તરફથી ફરી “ઉત્સાહ” રેડાયો…..અને,
ત્યારે મારા પણ “ઉત્સાહ”ભર્યા શબ્દો ઈમેઈલઓથી હતા !…..ફરી એમનો બ્લોગ “મનના
વિચારો “નવી પોસ્ટો સાથે “પ્રસાદીઓ” આપતો હતો. એ નિહાળી મારા હૈયે આનંદ હતો !
નિતાબેને ગુજરાતીમાં અનેક ટુંકી વાર્તાઓ લખી હતી….એમની કોઈક વાર્તાને “એવોર્ડ”
પણ મળ્યું છે….અને જાન્યુઆરી ૨૦૧૦માં “મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકાડેમી” દ્વારા
એક ટુંકી વાર્તાઓનું પુસ્તક “મનન” પ્રગટ કર્યું ,,,,,ત્યારે એમના હૈયે તો ખુખી…..અને,
મારા હૈયે પણ ખુખી….નિતાબેનને એ માટે ખુબ જ “અભિનંદન” !
એ પુસ્તક કવર છે……
હવે નિતાબેન વિષે શું લખું ?
નિતાબેન મુંબઈના ઘાટકોપર વિસ્તારના રહીશ છે….એઓ પરિવાર સાથે સુખી
છે….દીકરીઓ માટેનો એમનો પ્રેમ ઉંડો છે…એમનું ભણતાર એજ એમની
પ્રાર્થના….એમનો ગુજરાતી સાહિત્ય પ્રેમ પણ ઉંડો છે …..મેં તો જે જાણ્યું તે જ
લખ્યું …..તમે નિતાબેનને વધુ જાણવા હોય તો જરૂરથી એમના બ્લોગ “મનના
વિચારો”ની મુલાકાત લેશો ….એથી મને પણ આનંદ થશે !…..અને, જો શક્ય હોય તો
એમની પ્રગટ કરેલ પુસ્તક “મનન” વાંચશો તો જરૂરથી એમના “વિચારો” તમે જાણી,
નિતાબેનને ખરેખર જાણશો !
તમે “ચંદ્રપૂકાર”પર પધારી આ પોસ્ટ વાંચી તે માટે આભાર !…જો તમે તમારા “ભાવો”
પ્રતિભાવરૂપે મુકશો તો વાંચી “આનંદભર્યો આભાર ” !
ચંદ્રવદન.
FEW WORDS
Today you are reading a Post on another women….it is on NEETABEN KOTECHA of MUMBAI, INDIA.
How do I know her ?
Well, she is a BLOGGER…& has her own Blog “MANna VICHARO”.
As I surfed on the different Blogs of the GUJARATI WEBJAGAT, I came to know her by reading her COMMENTS on different Blogs & also by reading the POSTS on her Blog.
As I read her comments & her Posts, I realised that she is an individual with “deep feelings for others in her heart”…..She is very emotional too !….And, as i communicated with her via EMAILS, I was closer to her …I saw her as my “younger sister” and she respected me as her “brother”.
Neetaben had written many “short stories” (TUNKI VARTAO) in Gujarati…and one of her “vaarta” selected as one of the best and she received an Award fot that. She had also published a Book of “Tunki Vartao” in Gujarati entitled “MANAN”.
If you wish to visit her Blog, then the LINK is>>>>>
I hope you enjoy reading this Post !
CHANDRAVADAN MISTRY
તાજેતરની ટિપ્પણીઓ