Archive for એપ્રિલ, 2013
ચંદ્ર-આત્મારૂપી ચાલીસા
ચંદ્ર-આત્મારૂપી ચાલીસા
જગમાં પ્રભુઅંસરૂપી એક આત્મા જન્મે,
એ તો એક પ્રભુની બલીહારી રે જગમે,
બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !……..(૧)
જે જન્મે તે તો જન્મ મરણના બંધને,
તો, સંસારી જાળ ના છોડે કોઈને,
બોલો રામ, કૃષ્ણ શ્રી હરિ !…..(૨)
વેસ્મા ગામે પ્રજાપતિ કુળે જન્મ મળે,
ભાગ્યમાં માત-પિતા ભાણી માધવ મળે,
બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !…..(૩)
જન્મ સમય ‘ને રાશીના કારણે,
“ચંદ્રવદન”નામે સૌ એને ઓળખે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪)
કાનારૂપે વેસ્માને ગોકુળીયુ ગામ નિહાળે,
શાળામાં મિત્રતાભાવે સૌમાં “સુદામા”નિહાળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૫)
દશ વર્ષનું બચપણ છે ભારતમાં માતા સંગે,
યુવાની આફ્રીકામાં ભાઈ ‘ને પિતા સંગે,
બોલો રામ કૃષણ શ્રી હરિ !…(૬)
આફ્રીકા છોડી, ભારતમાં છે એ તો ફરી,
કોલેજ અભ્યાસે, ડોકટરી ડીગ્રી પ્રાપ્ત કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૭)
ડોકટર બનવું એને પ્રભુકૃપારૂપે સ્વીકારી,
માનવ સેવારૂપી યાત્રા જીવનમાં અપનાવી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૮)
હતી પ્રથમ માનવ સેવા એના ભાગ્યમાં,
જે અદા કરી ભાવથી, લુસાકાની હોસ્પીતાલમાં,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૯)
જીવનસાથીની શોધમાં દેસરા ગામે આવે,
ભાગ્ય બતાવે એને પત્ની કમુ નામે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૦)
સંતાન સુખની ઝંખના તો સૌને હોય,
રહસ્ય જેનું ફક્ત પ્રભુ પાસે જ હોય,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૧)
પિતા ચાર દીકરીઓના એ બને,
હરખ જેનો હૈયેથી જગમાં છલકાવે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૨)
સંસારી સંબંધના પિતા ગયા પ્રભુધામે,
તો, સ્વીકારી ઘટના એવી પ્રભુનામે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૩)
હોય પ્રથમ સફર ઈંગલેન્ડની ભણતર કાજે,
ત્યારે, અકાળ મોટાભાઈ મૃત્યુ આફ્રીકા ફરી લાવે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૪)
આફ્રીકા આવી, ડોકટરી છોડી દુકાન સંભાળી,
જવાબદારી ભત્રીજાઓને આપી, અમેરીકાની સફર કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૫)
પત્ની દુર જ્યારે ઈંગલેન્ડમાં રહે,
ત્યારે, ચંદ્રજીવન અમેરીકામાં વહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૬)
૧૯૮૦માં ચંદ્ર આત્મા પત્ની સંતાનોને મળે,
સહકુટુંબે હૈયે આનંદ ખુબ જ વહી રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૭)
૧૯૮૧થી છે સૌ કેલીફોર્નીઆના લેન્કેસ્ટર ધામે,
ચંદ્ર જીવન સફર ત્યારે હોસ્પીતાલે માનવસેવામાં રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૧૮)
સેવા કરતા, ચંદ્ર આત્મા પ્રભુકૃપાઓ પામે,
કૃપાઓ પામી, સંસારી જીવને ભુલો કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૯)
૧૯૮૯માં હાર્ટ સર્જરી ચંદ્રભાગ્યે વિધાતા લખે,
અને, નવજીવન અર્પી, પ્રભુ કૃપા મોટી કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૦)
પ્રભુ પ્રેરણાથી ચંદ્ર શબ્દો કાવ્યો બને,
જેની નાની પુસ્તીકાઓરૂપે ચંદ્ર હૈયાનું કહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૧)
પ્રભુ ભક્તિ પંથે ચંદ્ર આત્મા સફર કરે,
જે થકી, “જનસેવા યજ્ઞ”માં ચંદ્રજીવન વહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૨)
જનકલ્યાણ પંથે ગરીબાય સૌની નિહાળતા,
ગરીબાય હટાવવા રહે હૈયે ચંદ્ર-અભિલાશા,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૩)
“શિક્ષણ જ્યોત” થકી ગરીબાય હટી શકે,
તો, ચંદ્રઆત્મા શિક્ષણ ઉત્તેજન પંથે વળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૪)
પ્રજાપતિ સંસ્થા સથવારે ચંદ્ર રહે,
જ્ઞાતિ પ્રેમ ઝરણે ચંદ્ર આત્મા તરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…(૨૫)
નવસારી આશ્રમે બાલુભાઈ લાડ મળે,
મુંબઈ વિનોદભાઈ’ને અમદાવાદે રમેશભાઈ મળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૨૬)
વિનોદના “અગ્નિચક્ર”દ્વારા ચંદ્ર પ્રચાર કરે,
“પ્રજાપતિ”માસીક દ્વારા સૌ ચંદ્રવાણી સાંભળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૭)
ગોદડભાઈ દ્વારા ચંદ્ર”અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”મહી,
ચંદ્ર આત્મા છે સંતોષી જ્ઞાતિ સેવાના કાર્યો કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૮)
પ્રાર્થના, ભજનોનો સંગ્રહને પુસ્તક સ્વરૂપ મળે,
જે, માતૃશ્રીની યાદમાં “શ્રી કૃષ્ણ લીલામૃત” બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૯)
“ભક્તિભાવ”ના સ્વરચીત કાવ્યો ચંદ્ર ચુંટે,
જેનું “ભક્તિભાવના ઝરણા”નામે પુસ્તક બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૦)
પ્રજાપતિ જ્ઞાતિમાં સીવણ કાર્ય શીખવવા કાજે,
બીલીમોરા, બારડોલીમાં સીવણ ક્લાસો બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૩૧)
પ્રભુ શક્તિનું સ્મરણમાં ચંદ્ર ભક્તિ પંથે,
અને, દિપલા ગામે અંબામાતા મંદિર શોભી રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૨)
“માનવ તંદુરસ્તી”નું મહત્વ ચંદ્રઆત્મા ગણે,
વેસ્મામાં “આર્યુવેદિક દવાખાનું” ‘ને પાલનપુરે “હેલ્થ સેન્ટર” બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૩)
અન્નદાનનો મહિમા, ‘ને જલાગુરૂને યાદ કરી યજ્ઞ ચંદ્ર કરે,
અને, “જલારામ ભોજન પ્રસાદી”વેસ્મા હોસ્પીતાલે શરૂ કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૪)
પ્રજાપતિ જ્ઞાતિમાં સેવા ચંદ્ર હૈયે “માનવતા” ખીલી,
માનવીને સમભાવે નિહાળતા, ચંદ્રે સૌને સહાય કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૫)
મુંબઈ ‘ને પાલનપુરે “સાહિત્ય ટ્રસ્ટ”ની સ્થાપના કરી,
પુસ્તકો પ્રગટ કરવા જ્ઞાતિજનોમાં પ્રેરણા રેડી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૬)
મુંબઈ અને ગુજરાતમાં જનકલ્યાણ કાર્યો કરતા,
હવે ચંદ્ર-શક્તિ છે અમેરીકામાં કાંઈક સેવા કરવા,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૭)
૨૦૧૩ની સાલે લેન્કેસ્ટરની શાળા ‘ને કોલેજમાં,
શિક્ષણ ઉત્તેજન ટ્રોફી યોજના કરી ચંદ્ર છે ખુશીમાં,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૮)
રેડ ક્રોસ ‘ને યુનીસેફ સહકાર ચંદ્ર મનડે વહે,
“શંકરા આઈ ફાઉન્ડેશન”સહાય વિચારો સાથે રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૯)
બચપણ યુવાની ગઈ ‘ને ઘડપણ આવી ગયું,
જે થયું કે ના થયું એ તો ઈચ્છાથી જ થયું,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪૦)
ઈતિ,જે કોઈ ચંદ્ર આત્મા ચાલીસા વાંચી સમજે,
એ તો જીવન બદલી, જનસેવા યજ્ઞ અપનાવે,
વહી જન સનમુખે પ્રભુજી રે આવે,
પ્રભુકૃપા પામી, એ તો જન્મ મરણના ફેરા ટાળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ ! બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !
કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૨, ૨૦૧૩ ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે કાવ્ય પોસ્ટ.
“ચંદ્ર આત્મા ચાલીસા” નામે છે.
આ પહેલા તમે “ચંદ્ર ચાલીસા”નામે કાવ્ય પોસ્ટ વાંચી..અને એ હતી દાવડાજી રચીત કાવ્ય પોસ્ટ.
દાવડાજીએ મારા જીવન વિષેની કાવ્ય પોસ્ટ વાંચી “ચાલીસા” લખવાનું સુચન કરેલું, અને મેં ચાલીસા લખવા વિનંતી કરેલી એથી જ એમણે રચના કરી હતી.
એમને ભલામણ કરી તેની સાથે મેં પણ ચાલીસા રચવાનો પ્રયાસ કર્યો….અને, એ પ્રયાસના કારણે આજની આ કાવ્ય પોસ્ટ છે.
આશા છે કે તમોને ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Poem with 40 Verses & so it is a CHALISA.
It is a Poem in Gujarati with the title “CHANDRA ATMA CHALISA” meaning 40 Versed STORY of the SOUL of CHANDRA.
It is a NARRATION of the JOURNEY of CHANDRAVADAN in this WORLD but told as the JOURNEY of the SOUL (as it reveals the INNER THOUGHTS of CHANDRAVADAN as a PERSON.
Within that Narration is the BIRTH…YOUTH & the OLD AGE of Chandravadan’s Journey with the BHAKTI ( Devotion to God) Path via the JAN SEVA ( Service to Humanity).
At the END of the Poem, the ADVICE to ALL is to REVIEW the Journey of the LIFE on this EARTH, and make the CHANGES that will lead one towards the ALMIGHTY (God) or towards the SALVATION.
Hope you like the MESSAGE !
Dr. Chandravadan Mistry
CHANDRA CHALISA…શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !
માવડી મારી !
માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા !
માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા !
જગત એટલે આ સંસાર. એ સંસારમાં અનેક “જીવો”.
અનેક જીવોમાં એક માનવ દેહ.
જન્મ એટલે માનવ દેહ + માનવ આત્મા.
સનાતન ધર્મ એટલે “હિંદુ ધર્મ”
હિંદુ ધર્મની વિચારધારામાં “રી-બર્થ” નો ઉલ્લેખ.
બીજા ધર્મોમાં મૃત્યુ સાથે આત્મારૂપીનો જગતમાં અંત અને અખિલ બ્રમાંડની કોઈ જગાએ “ફાઈનલ ડે ઓફ જર્જમેન્ટ” માટે રાહ જોવાની વાત.
કરેલા કર્મો આધારીત “સજા” કે અંતીમ “મુક્તિ”. અહી, “રીબર્થ” જેવા વિચારનો ઉલ્લેખ જરા પણ નથી.
અહી, સારા કર્મો માટે “સ્વર્ગ” સુખ કે પછી “નરક”રૂપી દુઃખ.
તો, ચાલો, ફરી હિંદુ ધર્મમાં ડોકીયું કરીએ.
તો, “રીબર્થ”ના વિચારની વધુ ચર્ચાઓ કરીએ.
પુરાણો કહે કે>>>>માનવી મૄત્યુ પામે એટલે દેહમાં રહેતો આત્મા છુટો, અને ફરી નવું દેહ ધારણ કરી ફરી જગતમાં જન્મ લેય…એવા સમયે પુરાણો વધુમાં કહે કે કરેલા કર્મો આધારીત ફરી માનવ કે અન્ય જીવરૂપે પશુ/પક્ષી/ જંતુ કે વૃક્ષ !
હું કહું કે>>>>માનવ જ્ન્મ એક વાર મળે ત્યારબાદ, એ હંમેશા જગતમાં એક માનવ તરીકે જ જન્મે.
અને, એ આત્મા ફરી માનવ દેહમાં રહી, કર્મો કરે અને અંતે પ્રભુને પામે. અહી આ વિચાર સાથે છે અપુર્ણતામાંથી “પુર્ણતા”ના પદે પહોંચવાની તકો.
આથી , એકવાર “માનવ” રૂપે જન્મ લીધા બાદ, “જ્ન્મ મરણ”ના ચક્કરે રહી, કર્મો કરી પુણતા મેળવી,પ્રભુને પામે … અહી, હું એવું માનું છે કે માનવ પદવીની પ્રાપ્તિ બાદ,
એ માનવ આત્મા કદી નીચી પદના પશુ વિગેરે સ્વરૂપે જન્મે જ નહી. એથી, માનવરૂપી આત્મા એટલે એક જન્મે કે અનેક જન્મો બાદ એ દેહરૂપી આત્મા “પુર્ણતા” પામી, પ્રભુમાં
સમાય જાય છે. અને, ત્યારે એ જન્મ-મરણના ફેરાઓમાંથી મુક્ત થાય છે.
ચાલો…તમે આ મારો વિચાર વાંચી, તમારા વિચારો જણાવો. મારી સાથે સહમત કે ના સહમત, પણ જરૂરથી પ્રતિભાવ આપશો.
બે શબ્દો…
આજની પોસ્ટ પ્રગટ થઈ છે “ચંદ્ર વિચારધારા”ની કેટેગોરીમાં.
હવે આપણે આ વિષયે ચર્ચાઓ કરીએ.
ચર્ચા દ્વારા જ “જ્ઞાન” વધે છે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
This Post is a THOUGHT on the REBIRTH.
The Hindu Philosophy or Religion STRESS this as the FACT, keeping SOUL (Atma) as ETERNAL.
The OTHER RELIGIONS of the WORLD talk of the HUMAN LIFE as the END of the JOURNEY.
What is the TRUTH ?
I have COMBINED these 2 THOUGHTS as ONE.
As I think>>>>
The ENERGY SOUL can be passed on from the LOWEST SPECIES..to the HIGHER ones….and FINALLY gets the HUMAN FORM.
This Human Form is to REDEEM & ATTAIN GOD….or become ONE with GOD.
I think that if you do the GOOD DEEDS you can reach that SALVATION.
If in one HUMAN LIFETIME, one can not reach that PERFECTION…you can be REBORN as a HUMAN with the HARD or EASY life as per your DEEDS of the PAST LIFE……it can be ONE or MANY HUMAN REBIRTHS to get out of the CYCLE of BIRTH & DEATH.
Thus….as my thinking the DAY of JUDGEMENT can not be in ONE HUMAN LIFE CYCLE…This is the DIFFERENCE from the OTHER Religions !
I invite OTHERS to COMMENT on this THOUGHT !
Dr. Chandravadan Mistry
અન્નદાનનું ચંદ્ર સ્વપનું !
અન્નદાનનું ચંદ્ર સ્વપનું !
અન્નદાન કરવાનું એક સ્વપનું મારૂં,
આજ સાકાર થયું,જેનો આનંદ આજે હું માણું !……..(ટેક)
શિક્ષણ ઉત્તેજનના યજ્ઞથી થઈ મન શાંતી,
સહકાર ગરીબોને કરતા,હૈયું હતું ખુબ રાજી,
પણ…થાય જાણે આશા કેમ અધુરી ?…….અન્નદાન…(૧)
જલારામને ગુરૂજી મુજ હૈયું સ્વીકારે,
વીરપુર બાપા નામે ખીચડીની યાદ લાવે,
અને….થાય કે અન્નદાન શક્ય કેમ હોય ?……અન્નદાન….(૨)
૨૦૧૩માં ૧૧મી એપ્રીલે, વેસ્મા હોસ્પીતાલે “જલારામ ભોજન પ્રસાદી” શરૂ થાય,
ત્યારેમ ચંદ્ર સ્વપનરૂપી વિચાર જ સાકાર થાય ,
એથી….થાય કે એતો પ્રભુની જ કૃપા કહેવાય !….અન્નદાન….(૩)
જે થયું તે તો પ્રભુ ઈચ્છાથી જ થયું,
“મેં કર્યું” ની માયા છોડી, જે ભોગવવું રહ્યું,
એથી….અંતે, ચંદ્રને સર્વ કર્મે પ્રભુ પ્રસાદી સમજાય !…..અન્નદાન…(૪)
કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૫,૨૦૧૩ ચંદ્રવદન
બે શબ્દો…
આજે ૫મી એપ્રિલ,૨૦૧૩ના દિવસે મારા મિત્ર જયંતિ ચાંપાનેરીઆનો ઈમેઈલ આવ્યો અને જાણ્યું કે “જલારામ ભોજન પ્રસાદી”શરૂ કરવા માટે દાનની રકમ વેસ્માની હોસઈતાલે પહોંચતી થઈ.
એ જાણી, મને આનંદ થયો.
હવે, ૧૧મી એપ્રિલના શુભ દિવસે, આ યોજના પ્રમાણે હોસ્પીતાલના દર્દીઓ માટે “ખીચડી/શાક” સહીત ભોજન પ્રસાદી ચાલુ થશે, અને દરમહિને પ્રથમ ગુરૂવારે એ પ્રમાણે થતું રહેશે.
બસ…આ વિચાર સાથે પ્રભુ પ્રેરણાથી આજની કાવ્ય રચના શક્ય થઈ.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Kavya (Poem) in Gujarati about the starting of a MEAL to the PATIENTS at the GENERAL HOSPITAL of VESAMA as of 11th April 2013.
It had been my DESIRE to do the FOOD DONATION to the NEEDY.
My childhood friend JAYANTI CHAMPANERIA guided and assisted me to fulfill my desire. and I appreciate that.
But, I feel that this ACT is only possible with the GRACE of GOD.
Dr. Chandravadan Mistry.
શ્રી પ્રજાપતિ આશ્રમ બીલીમોરા નવા મકાન ઉદઘાટન !
બે શબ્દો…
આજની કાવ્ય પોસ્ટ દ્વારા શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ, બીલીમોરાના નવા મકાન વિષે જાણ કરી છે.
જુનું મકાન તોડી, નવું મકાન બનાવ્યું એ મેં ૨૦૧૨માં નિહાળ્યું હતું..ત્યારબાદ, ૨૦૧૨ના ડીસેમ્બરમાં એનું ઉદઘાટન થયું ત્યારે આનંદ અનુભવ્યો.
અને, ૨૦૧૩ના જાન્યુઆરીમાં ફરી નિહાળી ખુબ જ ખુશી થઈ.
આ કાવ્ય પોસ્ટ સૌને ગમે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is a Poem in Gujarati about the New Building of Shree Prajapati Vidhyarthi Ashram of Bilimora, Gujarat.
I expressed my joy at the Opening of this New Building.
I expressed my Joy at seeing this Building at Bilimora.
Dr. Chandravadan Mistry
તાજેતરની ટિપ્પણીઓ