આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !
મે 21, 2014 at 12:05 પી એમ(pm) 7 comments
આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !
વાત કરૂં હું “આધ્યત્મિક વિકાસ કેન્દ્ર”ની,
જાણ્યું કે ના જાણ્યું હોય, પણ જાણો એને ધીરજથી !………..(ટેક)
૧૯૭૫ના સાલની આ તો વાત રહી,
મુંબઈના “માનવ મંદિર”ના ગુરૂજી અહીં આવવાની આ વાત રહી,
જે, અમેરીકાના ન્યુયોર્કના “ગીતામંદિરે” પધારવાની વાત રહી !……(૧)
“ગીતા મંદિર”માં ગુરૂજી સતસંગ અને પ્રવચનો કરે,
સતસંગ-પ્રેમીના ઘરે જઈ એઓ જરા આરામ કરે,
એવા સમયે, ગુરૂજી અમેરીકામાં સતસંગ “બીજ” રોપે !……(૨)
જુલાઈ ૧૯૭૫માં ગુરૂપુર્ણિમાનો એ દિવસ હતો,
એ તો, “આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર”સ્થાપના દિવસ થયો,
સતસંગીઓએ ભક્તિ પંથે જાવાનો નિર્ણય રહ્યો !……..(૩)
દર વર્ષ શુક્રવારે સતસંગ કારણે સતસંગીઓ ભેગા મળે,
૧૯૭૫થી આવી પ્રથાએ ભક્તિ કાર્ય ચાલતું રહે,
પ્રભુકૃપાથી દર શુક્રવારે ભંગ વિના થતું રહે !……..(૪)
કોઈ પણ સંજોગોમાં આ શુક્રવારી સતસંગ કદી બંધ ના રહે,
જેમાં, ભક્તોના હૈયેથી પ્રભુભક્તિરસ વહેતો રહે,
એવા કેન્દ્રના રક્ષણ માટે ખુદ પ્રભુજી રહે !……….(૫)
શુક્રવારે સતસંગ સાથે, રહીશો મળતા લાભોની ચર્ચાઓ કરે,
એવા ભક્તિ ઝરણે સ્નાન કરતા સૌ આનંદીત રહે,
એવા ખુશીભર્યા શુક્રવાર-મિલનો વહેતા રહે !……..(૬)
“સનાતન ધર્મ” સૌમાં નિહાળી, સર્વ ધર્મ-પ્રેમીઓને માન મળે,
હિન્દુ તહેવારો ઉજવવા માટે સૌ હૈયે આનંદ રહે,
અને, દર વર્ષ નવરાત્રીના ગરબા ભાવથી થતા રહે !…..(૭)
કેન્દ્ર તો દાન સહકાર માટે કોઈને પણ ના અપીલ કરે,
છતાં, પ્રભુકૃપાથી સેવા સાથે લક્ષ્મી પણ કેન્દ્રને મળે,
જરૂરત કરતા વધુ પૈસા પ્રભુકૃપાથી ત્યારે મળે !………(૮)
“પૈસાનો સંગ્રહ” એ જ પતન તરફ વાળે એવા સુત્રના સથવારે,
દર વર્ષ કેન્દ્ર ડાયરેક્ટરો ગુજરાતમાં રહે યોગ્ય દાન પંથે,
આવા જનકલ્યાણના કાર્યો કેન્દ્ર દ્વારા થતા રહે !……..(૯)
અંતે ચંદ્ર કહે ઃ ન્યુ યોર્કમાં સતસંગે “સનાતન ધર્મ”ના દર્શન થાય,
જે, કેન્દ્રના શુક્રવારે “સમુહ મિલન”માં મળતા હૈયે આનંદ થાય,
એટલું કહી, હ્રદય ખોલી,ચંદ્ર “અભિનંદન” સૌને ધરે !…..(૧૦)
કાવ્ય રચનાઃ માર્ચ,૩૧,૨૦૧૪ ચંદ્રવદન
બે શબ્દો…
માર્ચ,૩૧,૨૦૧૪ એટલે ચૈત્ર માસની ” નવરાત્રી” નો શુભ આરંભ થાય.
આ દિવસે, મેં ન્યુ યોર્કમાં રહેતા સતસંગી ડાહ્યાભાઈ સાથે ફોન પર ચર્ચા કરી કેન્દ્ર વિષે વધુ માહિતી મેળવી.
જે જાણ્યું એથી આનંદ થયો !
ત્યારબાદ, પ્રભુ પ્રેરણાથી આ રચના થઈ.
જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણવું હોય તેઓ નીચની લીન્કથી એમની વેબસાઈટ પર જઈ શકો છો>>>
અને…જો ડાહ્યાભાઈ સાથે વાતો કરવી હોય તો નંબર છે>>>>
૭૧૮-૯૯૭-૦૧૫૧
આશા છે કે તમોને આ રચના ગમી !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This is a Poem in Gujarati.
It is about an Organization called “ADHATMIK VIKAS KENDRA” meaning “SPIRITUAL DEVELPMENT CENTER” which was established in July of 1975.
The Devotees meet for the SPIRITUAL & OTHER DISCUSSIONS every Friday, and they had been doing so without any break since 1975.
My SALUTATATIONS to these DEDICATED DEVOTEES !
The CONTACT can be by a PHONE >>>
718-997-0151
One can see the WEBSITE @
Hope you like this Post !
Dr. Chandravadan Mistry
Entry filed under: કાવ્યો.
7 ટિપ્પણીઓ Add your own
Leave a reply to chandravadan જવાબ રદ કરો
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. Vinod R. Patel | મે 21, 2014 પર 2:10 પી એમ(pm)
ન્યુયોર્ક ના આધ્યાત્મિક વિકાસ કેન્દ્રની માહિતી માટે આભાર .
2. P.K.Davda | મે 21, 2014 પર 2:44 પી એમ(pm)
એકવાર સતસંગના રંગમાં રંગાવ તો જ સતસંગનું મહત્વ સમજાવ. હું દેનવરમાં હતો ત્યારે મહિનામાં એક્વાર સતસંગમાં જતો અને મને બહુ આનંદ થતો.
3. pragnaju | મે 21, 2014 પર 3:04 પી એમ(pm)
આધ્યાત્મિક વિકાસ કેન્દ્રની સુંદર માહિતી
ધન્યવાદ
4. ishvarlal R. Mistry. | મે 21, 2014 પર 8:13 પી એમ(pm)
Chandravadanbhai, very nice post on Spiritual knowledge,it helps a lot in our life,thankyou for sharing.
ishvarbhai.
5. pravinshastri | મે 21, 2014 પર 8:33 પી એમ(pm)
જાણવા જેવી માહિતી.
6. chandravadan | મે 22, 2014 પર 9:04 પી એમ(pm)
This was an Email Response>>>
On Thu, 5/22/14, Purvi Malkan wrote:
Subject: Re: આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર કહાણી !
To: “chadravada mistry”
Date: Thursday, May 22, 2014, 4:06 AM
Bahu
sundar
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Purvi,
Thanks !
Uncle
7. Ramesh Patel | મે 22, 2014 પર 10:02 પી એમ(pm)
આ સંસ્કાર ધામો થકી જ એક સુખી સમાજ આગળ વધે છે..મનોરંજનનાં નિમ્ન સંકુલનોએ આજે વિષમ પરિસ્થિતિ પેદા કરી છે. ભલે સંપ્રદાયિક સંકુચિતતા કઠે..જે સારું હોય એ લેવાની શક્તિ પોતે જ કેળવવી રહી.
રમેશ પટેલ(આકાશદીપ)