ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !
જૂન 11, 2015 at 12:26 પી એમ(pm) 8 comments
ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !
વાંચકો, તમે શ્રી કે.એન. પટેલની વિચારધારા જાણી.
એ ઉપરનું લખાણ મને એક ઈમેઈલ દ્વારા મળ્યું હતું.
આ લખાણ વાંચવા પહેલા શ્રી પટેલની આ વિચારધારા મેં અન્ય બ્લોગમાં વાંચી હતી.
એમના દરેક લખાણમાં એમના હ્રદયના ઉંડાણમાં ભરેલા “એમના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ”ના દર્શન જરૂર થાય છે.
એવા ભાષા-પ્રેમીને મારા પ્રથમ વંદન !
ચાલો…પ્રથમ આપણે એમના શબ્દો “ગુજરાતી લીપી (લખવામાં) સરળ છે” પર ચર્ચા આરંભ કરીએ.
એ વાક્યમાં જરૂર સત્ય છે.
પણ…હિન્દી ભાષા લખનાર કે અંગ્રેજી ભાષા લખનાર એવી સરળતાનો ઉલ્લેખ કરી શકે છે. એના હ્રદયમાં “હિન્દી” કે “અંગ્રેજી” પ્રત્યે એવો જ ઉંડો પ્રેમ હશે તો જ એઓ એવો દાવો કરી શકે. આ પ્રમાણે કહેવું એ પણ એક “સત્ય” કહેવાય. આવા સત્યનો સ્વીકાર એક “ગુજરાતી ભાષા પ્રેમી”માટે ઘણું જ કઠીણ કાર્ય બની જાય.
ચાલો, આવા સત્યના સ્વીકારની વાતને આગળ લઈ જઈને આપણે વધુ ચર્ચા કરીએ.
દરેક ભાષા પ્રેમી પોતાની ભાષાને “મોટું મુલ્ય” આપી મહત્વતા આપે છે. આ કંઈ ખોટું નથી.
આવી “કબુલાત” કરી, આપણે હવે “ઉંડાણ”માં જઈ ચર્ચા ચાલુ રાખીશું તો કેવું ?
ભારત દેશનો દાખલો લ્યો !
ભારતમાં પ્રાન્તે પ્રાન્તે “જુદી જુદી ભાષા”…અરે, એક પ્રાન્તમાં પણ જુદા જુદા વિસ્તારે “જુદી જુદી બોલી”.
પણ…સર્વ ભાષાઓનું મૂળ છે “સંસ્કૃત”ભાષા.
તેમ છતાં, ભારતના દક્ષિણ રાજ્યોની બોલાતી “ભાષા” અને ઉત્તર રાજ્યોમાં બોલાતી “ભાષા”માં ફરક.
ઉત્તરના રાજ્યોની “બોલી” સાથે “હિન્દી”ભાષા….વસ્તી પ્રમાણે “અનેક વ્યક્તિ” હિન્દી સાથે નાતો જોડી શકે.
જ્યારે, અંગ્રેજ સત્તા હઠાવી ભારત સ્વતંત્ર થયું ત્યારે આવા “આધાર” પર “હિન્દી”ને રાષ્ટભાષા ગણવામાં આવી હતી.
ઉત્તર કે દક્ષિણ વિસ્તારના ભારત રહીશો જો “આવી સમજ” અપનાવતે તો….આજે સર્વ રાજ્યોમાં ત્યાંની “લોકલ” ભાષા સાથે સૌ હિન્દી શીખતા હોત. જેવી રીતે “અંગ્રેજ સત્તા” સમયે સૌએ “પ્રેમથી અંગ્રેજી ભાષા” શીખી તે પ્રમાણે રાષ્ટભાષા હિન્દી માટે પણ સૌને “ગૌરવ”ભર્યો પ્રેમ હોત !
પણ…જ્યારે અસલ રાજા રજવાડા હતા અને “ફક્ત પોતાનું જ ભલું ” જોવાની ટેવનો લાભ લઈ અંગ્રેજોએ “આપણી એકતા” તોડી હતી તે જ પ્રમાણે આજે સ્વતંત્ર ભારતમાં “હિન્દી તો ઉત્તરની ભાષા , એ નથી આપણી”ના સુત્રે સૌ ભારતવાસીઓ લડી રહ્યા છે. અને “અંગ્રેજી”ને મહત્વ આપી રહ્યા છે. ભલે, અંગ્રેજી ભાષા ભારતમાં ચાલુ રહે પણ આટલા વર્ષોમાં સર્વ રાજ્યોમાં ત્રણ ભાષાના કાયદે ” હિન્દી, અંગ્રેજી અને પ્રાન્તીક”ભાષામાં શિક્ષણનો પ્રકાશ હોત…. અને પરલોકથી ગાંધીજી અને અન્ય દેશ-પ્રેમી નેતાઓ ખુશી અનુભવતે.
હવે…અંતે વાત રહી “ગુજરાતી ભાષા”ની.
ઉલ્લેખ થયો કે હિન્દી ભાષારૂપી લખાણ સરળતાથી “ગુજરાતી”લીપીમાં લખી શકાય.
તો એજ પ્રમાણે ગુજરાતી લીપી લખાણ પણ “હિન્દી” લીપીમાં સરળતાથી હોય શકે.
અરે…ગુજરાતી લીપી લખાણે “અંગ્રેજી લખાણ” પણ હોય શકે.
આજે ગુજરાતીઓ ગુજરાતી ભાષા પ્રેમી હોવા છતાં હિન્દી ભાષાને માન આપે છે.
આવું “માન” અને “સ્વીકાર” જો ભારતના સર્વ રાજ્યોમાં શક્ય થશે તો જ એક દિવસ ભારતને “એક રાષ્ટભાષા” મળશે.
અંતે…મારે મારી વિચારધારારૂપે એટલું કહેવું છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાને મહત્વ જરૂર મળવું જોઈએ….આજે ગુજરાતી ભાષામાં “અંગ્રેજી” શબ્દોનો વપરાશ વધ્યો છે…જેના દર્શન અખબારોમાં પણ થાય છે. તો, ગુજરાતીને “રાષ્ટલીપી” કરવાના સ્વપ્ન કરતા તો શાળાઓમાં ગુજરાતી ભાષાની “શુધ્ધતા” કેવી રીતે જાળવી શકાય તેના પર વિચારવા જેવું છે.
આ રહી મારી “ચંદ્ર-વિચારધારા”.
હવે તમો પણ તમારા વિચારો પ્રતિભાવરૂપે જણાવશો એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is 19th as the CHANDRA-VICHARDHARA.
The TOPIC is making GUJARATI as the MEDIUM for writing GUJARATI/HINDI as the SCRIPT ( Lipi).
Thus….in the Words of K.N. PATEL as the NATIONAL GUJNAGIRI SCRIPT is the ULTIMATE DESIRE.
I had expressed my VIEWS.
I feel that one day ALL STATES of INDIA will ADOPT 3 LANGUAGES for the EDUCATION ( HINDI as the National Bhasha…..ENGLISH as the Additional Communication Bhasha for the INTERNATIONAL Needs and the LOCAL REGIONAL Language as the MANDATORY 1st Language at the SCHOOLS ).
These are MY VIEWS…You must express YOURS.
Dr. Chandravadan Mistry.
Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.
8 ટિપ્પણીઓ Add your own
Leave a comment
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. smdave1940 | જૂન 11, 2015 પર 1:03 પી એમ(pm)
અતિપ્રાચીનકાળમાં કાગળ ની શોધ થઈ ન હતી ત્યારે, પર્ણ પત્ર કે ઝાડની છાલ ઉપર લખાતું. દેવનાગરીલિપિના વાક્યો સીધી લીટીમાં આગળ વધે એટલે શિરોરેખા બાંધતા જેથી ખબર પડે કે લખાણ સીધું લખાય છે કે લખાણ ત્રાંસુ જાય છે. હવે તો લીટીવાળા કાગળો પણ મળે છે. ગુજરાતી લિપિ દેવનાગરીની સુધરેલી આવૃત્તિ છે. વળી તે બધીરીતે સંપૂર્ણ છે. એટલે વિશ્વની બધી ભાષાઓએ ગુજરાતી લિપિ જ સ્વિકારી લેવી જોઇએ.
આ મજાક નથી. સંપૂર્ણ સાચી અને સારી સલાહ છે.
જ્યારે કોઈ એક દેશ સ્વતંત્ર થાય ત્યારે પરદેશી ભાષાનું સ્થાન સ્થાનિક ભાષા લે તો કોઈને આશ્ચર્ય ન થાય. પણ તમને આશ્ચર્ય થશે કે જ્યારે દેશ પરતંત્ર હતો ત્યારે વડોદરા રાજ્યમાં વહીવટી ભાષા ગુજરાતી હતી. જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે વડોદરામાં વહીવટી ભાષા જે ગુજરાતી હતી તેનું સ્થાન અંગ્રેજીએ લીધું. કમાલ છે ને કોંગ્રેસની?
2. chandravadan | જૂન 11, 2015 પર 3:22 પી એમ(pm)
શીરીશભાઈ,
ઘણા સમયે પધાર્યા.
પ્રતિભાવ માટે આભાર.
તમારી વિચારધારા જાણી.
ફરી આવજો !
>>ચંદ્રવદન
3. smdave1940 | જૂન 11, 2015 પર 4:38 પી એમ(pm)
ડૉક્ટર સાહેબ, હું તો તમારા બધા જ લખાણો વાંચુ છું. પણ દર વખતે કોમેંટ આપી શકતો નથી. આભાર.
4. pravinshastri | જૂન 11, 2015 પર 3:45 પી એમ(pm)
डोक्टर साहेब, भाषा लीपी समाज अने संस्क्रुति साथे वहेती रहे छे. ए बंधियार नथी. ब्रिटिश राजमां “गम गच्छ टु गो”नी रीते अंग्रेजी माध्यममां भणेला विद्वानो करतां आजना गुजरातना टबोारियांओ वधारे फ्लुअन्ट ईन्गिस बोले छे. पहेलाना भणेला, घरमां अंग्रेजी न्होता बोलता…आजे गुजरातना गामडामां पण अभण लोको गुजईन्ग्लिस बोले छे. कहेवानी वात ए छे के भाषानुं वहेण स्वयंभू मार्ग शोधी ले छे.,
5. chandravadan | જૂન 11, 2015 પર 6:30 પી એમ(pm)
Pravinbhai,
Agree with your Vichardhara.
Chandravadan
6. nabhakashdeep | જૂન 13, 2015 પર 2:52 એ એમ (am)
ડૉશ્રી ચંદ્રવદનભાઈ
મને આપનો વિચાર ગમ્યો…ગુજરાતી સંસ્કાર રમતા રહે.
રમેશ પટેલ(આકાશદીપ)
7. દાદીમા ની પોટલી | જૂન 14, 2015 પર 11:49 એ એમ (am)
ખૂબજ સુંદર વિચારો… ધન્યવાદ
8. chandravadan | જૂન 15, 2015 પર 12:38 પી એમ(pm)
This was an Email Response>>>
Re: ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભા
Dharamshi Patel
To chadravada mistry Jun 14 at 7:54 PM
Hari om,
Waw
Dharamshi Patel
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dharamshibhai,
Abhar !
Chandravadan