એક સોન્ગ ઓફ નવસારી !

Navsari is located in Gujarat

Navsari
 

Sayaji Vaibhav Public Library

JNTata.jpg
Jamsetji Tata
The Honourable Dadabhai Naoroji
Dadabhai Naoroji, 1892.jpg
Dadabhai Naoroji, 1892

Location in Gujarat, India

એક સોન્ગ ઓફ નવસારી !

આજે સાંભળ્યું એક “સોન્ગ ઓફ નવસારી”,

સાંભળી, હ્રદય મારૂં પૂકારે”મારૂં પ્યારૂં પ્યારૂં નવસારી”……..(ટેક)

 

બચપણમાં હતું શહેર નવસારી ખુબ નાનું,

નાના શહેરની રોનક મોટી એવું હું તો માનું,

એવી રોનકમાં, ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે …..(૧)

 

દુધીયા તળાવ છે નવસારીની એક પહેચાણ,

કોલાની આઈસક્રીમ દુકાનની છે સૌને જાણ,

એવી પહેચાણમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે ……(૨)

 

નવસારી તો દાદાભાઈ નવરોદજીની જન્મભુમી,

અરે! નવસારી તો પારસીઓની પ્યારી નગરી,

એવી યાદમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે …..આજે……(૩)

 

ગાંધીજી સત્યાગ્રહમાં નવસારી તો ચમકી રહે,

ભારતની આઝાદી માટે ફાળો નવસારીનો રહે,

એવી ઐતિહાસીક ઘટનામાં ખુશીઓ ચંદ્ર-હૈયે વહી રહે…..આજે….(૪)

 

કાવ્ય રચનાઃ તારીખ, મે,૧૫,૨૦૧૩             ચંદ્રવદન

 

બે શબ્દો…

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક ઈમેઈલથી મળેલી “વીડીઓ ક્લીપ” આધારીત છે.

ગુજરાતીમાં રચાયેલ, અને સુર સંગીત સાથે ગવાયેલું ગીત મેં એક “વીડીઓ ક્લીપ” દ્વારા સાંભળ્યું, અને ખુશી અનુભવી.

બસ..એ જ ખુશી મેં આ કાવ્ય દ્વારા પ્રગટ કરી છે.

પોસ્ટ ગમે એવી આશા !

પણ તમે પહેલા નીચેની “લીન્ક” પર ક્લીક કરી વીડીઓ ક્લીપ પર ગીત સાંભળો>>>>>

Subject: A Song on Navsari

Check out this video on YouTube: http://youtu.be/f8DRmUwwZks

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

There is a Kavya Post in Gujarati on NAVSARI….a city of SOUTH GUJARAT.

This Creation is based on a VIDEO CLIP with a SONG on NAVSARI .

I invite ALL to listen to that SONG.

Dr. Chandravadan Mistry

મે 19, 2013 at 1:20 pm 5 comments

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !

Baba stone.jpg
Sai Baba of Shirdi

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !
 
શ્રી ચોતરા ફળિયા બાળયુવક,વેસ્મા સંચાલિત શ્રી સાંઈ મંદિર સાલગીરી મહોત્સવે,
ચંદ્ર વંદન કરી, પ્રાર્થનાઓભરી શુભેચ્છાઓ સૌને પાઠવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……..(૧)
 
હશે શ્રી સાંઈબાબા પાલખી યાત્રા ૨૦૧૩માં, ૧૭મી મે માસના શુભ દિવસે,
હશે ગણેશ પુજન અને હવનપુજા ૨૦૧૩માં,૧૮મી મે માસના શુભ દિવસે,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૨)
 
૨૦૧૩ની સાલે મે મહિનાની  તમે સૌજન યાદ કરજો,
સાંઈબાબાના દર્શન કાજે, તમે સૌજન મંદિરે જરૂર જાજો,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૩)
 
ચંદ્ર કહે ઃ બાબા તો સૌના હૈયે વસે, જો શ્રધ્ધા જે રાખે,
બાબાને જે હ્રદયભાવથી પુકારે, આશાઓ એની જરૂર પુરી થાવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……(૪)
 
કાવ્ય રચનાઃ તારીખ મે,૧૫,૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

 

આજે છે ૧૭મી મે,૨૦૧૩.

આજે જ વેસ્મા ગામે ચોતરા ફળિયે સાંઈ મંદિરની સાલગીરી માટે ઉત્સવ ઘડી.

આજે જ આ કાવ્ય પોસ્ટ એ ઘટના વિષે પ્રકાશ આપે છે.

કાવ્યરૂપે હકિકતો લખી છે….પણ મુખ્ય સંદેશો છે>>>જેને સાંઈબાબા પર પુર્ણ શ્રધ્ધા હોય, તેને માટે બાબા સહારે જરૂર આવે છે, એ જ પરમ સત્ય છે !

આશા છે કે વાંચકોને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Kavya (Poem) is about the 3rd Anniversary Celebrations at SAIBABA MANDIR of Chotara Faliya of VESMA.

The MESSAGE within the Poem is HAVE FULL FAITH in SAIBABA and He will come to ASSIST you.

I hope you like the Message of this Post.

Dr. Chandravadan Mistry

મે 17, 2013 at 12:33 am 11 comments

પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !

Hanuman
પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !
વડોદરામાં પ્રથમ સીતારામ બાપુના દર્શન સાથે….
કાળા હનુમાન ફોટો છે મારા હાથમાં, અને મનડું મારૂં વિચારેઃ
“જાવું છે પાલનપુરના કાળા હનુમાન મંદિર આજે,
જાવું છે મારે ત્યાં હનુમાનજીના દર્શન કાજે !”……..(૧)
હાથમાં હનુમાનજીનો ફોટો રમી રહે ‘ને એની સાથે….
ભક્તિભાવભર્યું હૈયું મારું મુજને કહે ઃ
“પાલનપુરનું મંદિર તો છે તારા હ્રદયભાવમાં,
ભજી લે તું હનુમાનજીને એવા જ ભાવમાં !”…….(૨)
એવી મધુરી પ્રેમભરી સીતારામ બાપુની યાદ સાથે…..
ખુશી ભર્યો ચંદ્ર સૌને કહેઃ
” પાલનપુરમાં કાળા હનુમાન મંદિરે છે બાપુ મારા,
કરે છે પુજા સેવા ભક્તિભાવથી, એ બાપુ મારા !”……..(૩)
અંતે,તન મન અને દિવ્ય સમજ સાથે……
ચંદ્ર આત્મા સૌને વિનંતી સહીત કહે ઃ
“તમે ભજી લ્યો હનુમાનજીને,અંતર દ્વાર ખોલી,

શ્રધ્ધાના સથવારે, હનુમાનજી દર્શનથી ભર લો અંતર-ઝોલી !”……(૪)
કાવ્ય રચનાઃ તારીખ જાન્યુઆરી ૧૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો

આજની પોસ્ટ એક કાવ્ય પોસ્ટ છે.

એ પોસ્ટ પાલનપુરમાં આવેલા કાળા હનુમાનજીના મંદિર વિષે છે.

એ મંદિરના પુજારી પુજ્ય સીતારામબાપુને હું મળ્યો ત્યારબાદ એ રચના શક્ય થઈ હતી.

આશા છે કે રચના ગમે ….અને પાલનપુર જવાનું થાય તો દર્શન કરવાનો લાભ જરૂર લેશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Poem in Gujarati is about my meeting of the Caretaker (Punjari) Shree SITARAM BAPU of KALA HANUMAN MANDIR of PALANPUR.

If you go to Palanpur, you can see the Mandir & have the DARSHAN of HANUMANJI.

Dr. Chandravadan Mistry

મે 15, 2013 at 1:17 pm 9 comments

સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !

સુવિચારો !
મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !
 
(૧) મોહમાયામાં અટવાયેલો માનવી છું….અને અપુર્ણ છું.
 
(૨) એવી અપુર્ણતામાં, કર્મયોગનો કેદી સ્વરૂપે એક ક્ર્મચારી !
 
(૩) ભલે, કર્મ કર્તા હું રહું, પણ “સ્વાર્થ”ભાવનો ત્યાગ કરવા મારો પ્રયાસ રહે !
 
(૪) સ્વાર્થ ત્યાગ સાથે કાર્યો કરતા, પરિણામો પ્રભુ ચરણે ધરતા શીખતો રહું, એવી આશા હૈયે રહે !
 
(૫) હું પોતે અને કર્મો મારા પ્રભુને સમરપીત કરતા, ભવસાગર હું તો તરતો રહું !
 
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
બે શબ્દો…
આજનો સુવિચાર છે…”મોહમાયા અને પ્રભુ શરણું “.
અહી એક જ સંદેશો છે…માનવી તરીકે જન્મ એટલે અણમોલ ઘડી. એ જીવનમાં પ્રભુને સમજી, ભજી, એની અંદર જ લીન થઈ પ્રભુની અંદર જ “એક” થઈ જવા માટે તક છે, એ તક જો ચુક્યા તો જન્મ જન્મોના ફેરા જ છે !
ગમ્યું ?
જાણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a SUVICHAR meaning GOOD THOUGHT or the WORDS of WISDOM.
The Message is The WORLDLY ATTRACTIONS & the SURRENDER to the DIVINE.
The warning here is : To be born as a HUMAN is most PRECIOUS, and it is the ONLY OPPORTUNITY for the SALVATION…and that Salvation is by the TOTAL SURRENDER to GOD or the DIVINE with the TOTAL FAITH.
I hope you like this Message !
Dr. Chandravadan Mistry.

મે 9, 2013 at 1:09 pm 8 comments

કેવી રીતે જઈશ ?

US Location Map

FROM INDIA to U.S.A. How ?

કેવી રીતે જઈશ ?

અરે ! સાંભળ્યું કે અમેરીકામાં તો સ્વર્ગ જેવું ! પણ ત્યાં ….કેવી રીતે જઈશ ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૧)

ઘર વેચી કે ખેતર,મીલકત વેચી જવું ? કે પછી, ઉધારી કરીને ત્યાં જવું ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૨)

ચોરી કરીને ત્યાં પહોંચી જવું યોગ્ય હશે ? કે પછી, લાંચ રીસવતથી ત્યાં જાવું રહે ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૩)

ભગવાનની બલીહારી, લોટરી લાગી મને, અમેરીકા જવાનો વીઝા મળી ગયો છે મને, બસ, મુઝવણીભર્યો સવાલ રહ્યો નથી હવે !…..(૪)

આવી ગયો છું અમેરીકામાં હું તો હવે, સ્વર્ગ જેવું લાગેલું તે લાગે જુનું પુરાણું હવે, બસ, ફરી સવાલ મુઝવે છે મને !…….(૫)

નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..(૬)

હવે, “કેવી રીતે જઈશ?” સવાલ એવો ના રહ્યો, ત્યાં જઈ “સફળતા માટે શું કરવું?” એ સવાલ રહ્યો, બસ, જવાબ એનો ચંદ્રે અહી જ કહી દીધો !……..(૭)

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૨૬,૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટનો આધાર છે પ્રજ્ઞાજુબેનનો એક ઈમેઈલ.

એમણે  “ગોવિન્દ પટેલ”ના જીવન વિષે શ્રી દાવડાજીની કાવ્ય રચના સાથે “કેવી રીતે જઈશ?” નામની એક ગુજરાતી ફીલ્મ નિહાળવા એક “લીન્ક” આપી. એથી હું ત્યાં જઈ શક્યો. એ માટે આભાર.

અહી એ લીન્ક  છે>>>>>

યાદ આવે કેવી રીતે જઈશ..?’ એક અલગ પ્રકારનું ઉત્તમ વાસ્તવિક ગુજરાતી ચલચિત્ર. આવા ગુજરાતી ચલચિત્રો કેમ વધુ બનતા નથી એનો અફસોસ થયા રાખે. ખેર! દેર આયે  મગર દુરસ્ત આયે… એક વાર અવશ્ય જોવા જેવું…

કેવી રીતે જઈશ? એ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત અને નયન જૈન દ્વારા બનાવવામાં આવેલ વર્ષ 2012 ની ફિલ્મ છે. આ ફિલ્મ માં ગુજરાતી  પટેલ સમુદાય ના અમેરીકા પ્રત્યે આકર્ષણ અને વળગાડ પર  વક્રોક્તિ છે. છેલ્લા પચાસે ક વર્સ મા હજારો પટેલો અમેરીકા પહોંચી ગયા  છે અને ત્યાંના મોટેલ બીઝીનેસ મા સફળત મેળવી ચુક્યા છે.

Kevi Rite Jaish (Gujarati: કેવી રીતે જઈશ) is a 2012 film directed by  Abhishek Jain and produced by Nayan Jain. The film is a satire on the  fascination and obsession of the Patels – a Gujarati farmer community – of migrating to the U.S.A. Over the last half century, thousands of  Patels have migrated to the U.S.A and have come to dominate its motel  industry. The film stars Divyang Thakker,Veronica Kalpana-Gautam , Tejal Panchasara, Kenneth Desai and Anang Desai.

Watch Online Full Movie – Kevi Rite Jais (2012)

Kevi Rite Jaish (2012) – YouTube

http://www.youtube.com/watch?v=SGoWu1hqIa4
Feb 21, 2013 – Uploaded by Natver Mehta

You need Adobe Flash Player to watch this video. Kevi Rite Jaish (2012) …. 2013 Shootout full movieby

 

 

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક અમેરીકા સેટલ થવાના સ્વપ્નાઓ સેવતા હોય છે એવા જ વિચારે આ ગુજરાતી ફીલ્મ છે. આ ધ્યાનમાં લઈ મને જે પ્રેરણા થઈ તે આધારે આ મારી કાવ્ય રચના છે. આશા છે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Today’s Post is a Poem “KEVI RITE JAISH?” meaning “HOW DO I GO ? ” ( To America )

Based on this thought is the Gujarati Film “Kevi Rite Jaish ” for which the LINK to see that film is given.

My Poem in Gujarati is based on the INFO I got….and  based on many who come from India with “some unreal dream” of the easy money in America & are often disapponted..some accept the REALITY and try hard to settle down in this NEW WORLD.

I hope you enjoy this POST ….and also enjoy the FILM.

Dr. Chandravadan Mistry

મે 6, 2013 at 12:54 pm 9 comments

ચંદ્ર-આત્મારૂપી ચાલીસા

ચંદ્ર-આત્મારૂપી ચાલીસા

જગમાં પ્રભુઅંસરૂપી એક આત્મા જન્મે,

એ તો એક પ્રભુની બલીહારી રે જગમે,

બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !……..(૧)

જે જન્મે તે તો જન્મ મરણના બંધને,

તો, સંસારી જાળ ના છોડે કોઈને,

બોલો રામ, કૃષ્ણ શ્રી હરિ !…..(૨)

વેસ્મા ગામે પ્રજાપતિ કુળે જન્મ મળે,

ભાગ્યમાં માત-પિતા ભાણી માધવ મળે,

બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !…..(૩)

જન્મ સમય ‘ને રાશીના કારણે,

“ચંદ્રવદન”નામે સૌ એને ઓળખે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪)

કાનારૂપે વેસ્માને ગોકુળીયુ ગામ નિહાળે,

શાળામાં મિત્રતાભાવે સૌમાં “સુદામા”નિહાળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૫)

દશ વર્ષનું બચપણ છે ભારતમાં માતા સંગે,

યુવાની આફ્રીકામાં ભાઈ ‘ને પિતા સંગે,

બોલો રામ કૃષણ શ્રી હરિ !…(૬)

આફ્રીકા છોડી, ભારતમાં છે એ તો ફરી,

કોલેજ અભ્યાસે, ડોકટરી ડીગ્રી પ્રાપ્ત કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૭)

ડોકટર બનવું એને પ્રભુકૃપારૂપે સ્વીકારી,

માનવ સેવારૂપી યાત્રા જીવનમાં અપનાવી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૮)

હતી પ્રથમ માનવ સેવા એના ભાગ્યમાં,

જે અદા કરી ભાવથી, લુસાકાની હોસ્પીતાલમાં,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૯)

જીવનસાથીની શોધમાં દેસરા ગામે આવે,

ભાગ્ય બતાવે એને પત્ની કમુ નામે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૦)

સંતાન સુખની ઝંખના તો સૌને હોય,

રહસ્ય જેનું ફક્ત પ્રભુ પાસે જ હોય,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૧)

પિતા ચાર દીકરીઓના એ બને,

હરખ જેનો હૈયેથી જગમાં છલકાવે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૨)

સંસારી સંબંધના પિતા ગયા પ્રભુધામે,

તો, સ્વીકારી ઘટના એવી પ્રભુનામે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૩)

હોય પ્રથમ સફર ઈંગલેન્ડની ભણતર કાજે,

ત્યારે, અકાળ મોટાભાઈ મૃત્યુ આફ્રીકા ફરી લાવે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૪)

આફ્રીકા આવી, ડોકટરી છોડી દુકાન સંભાળી,

જવાબદારી ભત્રીજાઓને આપી, અમેરીકાની સફર કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૫)

પત્ની દુર જ્યારે ઈંગલેન્ડમાં રહે,

ત્યારે, ચંદ્રજીવન અમેરીકામાં વહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૬)

૧૯૮૦માં ચંદ્ર આત્મા પત્ની સંતાનોને મળે,

સહકુટુંબે હૈયે આનંદ ખુબ જ વહી રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૭)

૧૯૮૧થી છે સૌ કેલીફોર્નીઆના લેન્કેસ્ટર ધામે,

ચંદ્ર જીવન સફર ત્યારે હોસ્પીતાલે માનવસેવામાં રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૧૮)

સેવા કરતા, ચંદ્ર આત્મા પ્રભુકૃપાઓ પામે,

કૃપાઓ પામી, સંસારી જીવને ભુલો કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૯)

૧૯૮૯માં હાર્ટ સર્જરી ચંદ્રભાગ્યે વિધાતા લખે,

અને, નવજીવન અર્પી, પ્રભુ કૃપા મોટી કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૦)

પ્રભુ પ્રેરણાથી ચંદ્ર શબ્દો કાવ્યો બને,

જેની નાની પુસ્તીકાઓરૂપે ચંદ્ર હૈયાનું કહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૧)

પ્રભુ ભક્તિ પંથે ચંદ્ર આત્મા સફર કરે,

જે થકી, “જનસેવા યજ્ઞ”માં ચંદ્રજીવન વહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૨)

જનકલ્યાણ પંથે ગરીબાય સૌની નિહાળતા,

ગરીબાય હટાવવા રહે હૈયે ચંદ્ર-અભિલાશા,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૩)

“શિક્ષણ જ્યોત” થકી ગરીબાય હટી શકે,

તો, ચંદ્રઆત્મા શિક્ષણ ઉત્તેજન પંથે વળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૪)

પ્રજાપતિ સંસ્થા સથવારે ચંદ્ર રહે,

જ્ઞાતિ પ્રેમ ઝરણે ચંદ્ર આત્મા તરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…(૨૫)

નવસારી આશ્રમે બાલુભાઈ લાડ મળે,

મુંબઈ વિનોદભાઈ’ને અમદાવાદે રમેશભાઈ મળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૨૬)

વિનોદના “અગ્નિચક્ર”દ્વારા ચંદ્ર પ્રચાર કરે,

“પ્રજાપતિ”માસીક દ્વારા સૌ ચંદ્રવાણી સાંભળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૭)

ગોદડભાઈ દ્વારા ચંદ્ર”અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”મહી,

ચંદ્ર આત્મા છે સંતોષી જ્ઞાતિ સેવાના કાર્યો કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૮)

પ્રાર્થના, ભજનોનો સંગ્રહને પુસ્તક સ્વરૂપ મળે,

જે, માતૃશ્રીની યાદમાં “શ્રી કૃષ્ણ લીલામૃત” બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૯)

“ભક્તિભાવ”ના સ્વરચીત કાવ્યો ચંદ્ર ચુંટે,

જેનું “ભક્તિભાવના ઝરણા”નામે પુસ્તક બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૦)

પ્રજાપતિ જ્ઞાતિમાં સીવણ કાર્ય શીખવવા કાજે,

બીલીમોરા, બારડોલીમાં સીવણ ક્લાસો બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૩૧)

પ્રભુ શક્તિનું સ્મરણમાં ચંદ્ર ભક્તિ પંથે,

અને, દિપલા ગામે અંબામાતા મંદિર શોભી રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૨)

“માનવ તંદુરસ્તી”નું મહત્વ ચંદ્રઆત્મા ગણે,

વેસ્મામાં “આર્યુવેદિક દવાખાનું” ‘ને પાલનપુરે “હેલ્થ સેન્ટર” બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૩)

અન્નદાનનો મહિમા, ‘ને જલાગુરૂને યાદ  કરી યજ્ઞ ચંદ્ર કરે,

અને, “જલારામ ભોજન પ્રસાદી”વેસ્મા હોસ્પીતાલે શરૂ કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૪)

પ્રજાપતિ જ્ઞાતિમાં સેવા ચંદ્ર હૈયે “માનવતા” ખીલી,

માનવીને સમભાવે નિહાળતા, ચંદ્રે સૌને સહાય કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૫)

મુંબઈ ‘ને પાલનપુરે “સાહિત્ય ટ્રસ્ટ”ની સ્થાપના કરી,

પુસ્તકો પ્રગટ કરવા જ્ઞાતિજનોમાં પ્રેરણા રેડી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૬)

મુંબઈ અને ગુજરાતમાં જનકલ્યાણ કાર્યો કરતા,

હવે ચંદ્ર-શક્તિ છે અમેરીકામાં કાંઈક સેવા કરવા,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૭)

૨૦૧૩ની સાલે લેન્કેસ્ટરની શાળા ‘ને કોલેજમાં,

શિક્ષણ ઉત્તેજન ટ્રોફી યોજના કરી ચંદ્ર છે ખુશીમાં,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૮)

રેડ ક્રોસ ‘ને યુનીસેફ સહકાર ચંદ્ર મનડે વહે,

“શંકરા આઈ ફાઉન્ડેશન”સહાય વિચારો સાથે રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૯)

બચપણ યુવાની ગઈ ‘ને ઘડપણ આવી ગયું,

જે થયું કે ના થયું  એ તો ઈચ્છાથી જ થયું,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪૦)

ઈતિ,જે કોઈ ચંદ્ર આત્મા ચાલીસા વાંચી સમજે,

એ તો જીવન બદલી, જનસેવા યજ્ઞ અપનાવે,

વહી જન સનમુખે પ્રભુજી રે આવે,

પ્રભુકૃપા પામી, એ તો જન્મ મરણના ફેરા ટાળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ ! બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !

કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૨, ૨૦૧૩                   ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે કાવ્ય પોસ્ટ.

“ચંદ્ર આત્મા ચાલીસા” નામે છે.

આ પહેલા તમે “ચંદ્ર ચાલીસા”નામે કાવ્ય પોસ્ટ વાંચી..અને એ હતી દાવડાજી રચીત કાવ્ય પોસ્ટ.

દાવડાજીએ મારા જીવન વિષેની કાવ્ય પોસ્ટ વાંચી “ચાલીસા” લખવાનું સુચન કરેલું, અને મેં ચાલીસા લખવા વિનંતી કરેલી એથી જ એમણે રચના કરી હતી.

એમને ભલામણ કરી તેની સાથે મેં પણ ચાલીસા રચવાનો પ્રયાસ કર્યો….અને, એ પ્રયાસના કારણે આજની આ કાવ્ય પોસ્ટ છે.

આશા છે કે તમોને ગમે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem with 40 Verses & so it is a CHALISA.

It is a Poem in Gujarati with the title “CHANDRA ATMA CHALISA” meaning 40 Versed STORY of the  SOUL of CHANDRA.

It is a NARRATION of the JOURNEY of CHANDRAVADAN in this WORLD but told as the JOURNEY of the SOUL (as it reveals the INNER THOUGHTS of CHANDRAVADAN as a PERSON.

Within that Narration is the BIRTH…YOUTH & the OLD AGE of Chandravadan’s Journey with the BHAKTI ( Devotion to God) Path via the JAN SEVA ( Service to Humanity).

At the END of the Poem, the ADVICE to ALL is to REVIEW the Journey of the LIFE on this EARTH, and make the CHANGES that will  lead one towards the ALMIGHTY (God) or towards the SALVATION.

Hope you like the MESSAGE !

Dr. Chandravadan Mistry

April 30, 2013 at 12:07 am 15 comments

CHANDRA CHALISA…શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !

Pink Cymbidium Hybrid Orchid
શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !
૨૬ પંક્તિઓની પ્રથમ કાવ્ય રચના દાવડાજીએ મોકલી,
ત્યારે, વધુ પંક્તિઓ લખવા ચંદ્રે એમને ભલામણ કરી,(1)
“દિવસો વધુ લાગશે” કહે દાવડાજી ચંદ્રને,
ત્યારે, “ઉતાવળ નથી જરા મારે” ચંદ્ર કહે દાવડાજીને,(2)
ઈમેઈલથી ૪૦ પંક્તિઓની “ચંદ્ર ચાલીસા”ના દર્શન થાય,
ત્યારે, ચંદ્ર ખુશીઓ ભરપૂર દાવડાજીનો આભારીત બની જાય,(3)
સુંદર ચાલીસા ચંદ્ર ચંદ્રપૂકારની શોભા વધારી રહે,
ત્યારે, સ્વરચીત કાવ્ય” ને બદલે દાવડા કૃત  ચાલીસા પ્રથમ રહે !(4)
કાવ્ય રચનાઃ તારીખઃએપ્રિલ,૫, ૨૦૧૩ ચંદ્રવદન
Mr.P.K.Davda
      P.K. Davda
ચંદ્ર ચાલીસા
ગુજરાત રાજ્યના વેસ્મા ગામે, એક બાળકનો જન્મ થયો,
પિતા માધવભાઈ મા ભાણીબેન, જાણી સૌને આનંદ થયો./૧/
પિતા તુલ્ય ભાઈ છગનભાઈ, મા સમ ભાભી શાંતાનો પ્રેમ,
બાળકને પુત્રસમ જાણી જતન કરવાની રાખી નેમ./૨/
પ્રજાપતિ કોમમા, મીસ્ત્રી કુળમાં આનંદ મંગળ છાઈ ગયું,
બાળકની કીકિયારીઓથી ઘર-આંગણ આખું ભરાઈ ગયું./૩/
સદી વીસમી સન તેતાલીસ, શરદપૂનમનો ચાંદ ભયો,
પૂર્ણ ચંદ્રને યાદ રાખીને, ચંદ્રવદન નામનો ઘોષ થયો./૪/
બચપણ વેસ્મા ગામે ગુજર્યું, પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું,
માધ્યમિક અને ઉચ્ચ શાળાનું આફ્રીકા જઈ પુર્ણ થયું./૫/
કોલેજ શિક્ષણ મુંબઈ જઈને ભવન્સ કોલેજમાં પ્રાપ્ત કર્યું,
દાકતરી અભ્યાસ ઓરીસ્સામાં, ડોકટર બનીને સાર્થ કર્યું. /૬/
સદી વિસમી સન સીતેરમાં પ્રભુતામા પગરણ થયા
બીલીમોરાના ઈંટવાલાનીબેટી કમુ સાથે એના લગ્ન થયા./૭/
લગ્નજીવનની પહેલી પ્રસાદી નીના નામે દિકરી મળી,
માત-પિતા બનવાની આથી કમુ-ચંદ્રવદનની આશ ફળી./૮/
લુસાકાને કર્મભૂમી કરીને, કારકીર્દીની શરૂઆત કરી,
વ્યવસાય માટે વિલાયત જવાની એણે મનમા ઈચ્છા ધરી./૯/
તોંતેરમાં પિતા પરલોક ગયા, પછી ડોકટર વિલાયત ગયા,
તોંતેરમાં બે પુત્રી જન્મી, તોંતેરમા ઘણા વાના થયા./૧૦/
નીના, વર્ષા, વંદના સાથ, કમુબેન આફ્રિકામા કુટુંબ સંગાથ,
ડોકટર વિલાયતમાં નોકરી કરે, દોર મૂકી ઈશ્વરને હાથ./૧૧/
એક વર્ષના વિત્યા બાદ, પત્ની-પુત્રીઓનો મળ્યો સંગાથ,
“વોકીંગ સરે” સૌ સાથે રહ્યા, ડોકટર મનમા રાજી થયા./૧૨/
ત્યાં જ થયો કુઠારાધાત, વડિલબંધુને થયો અકસ્માત,
છગનભાઈ સ્વધામે ગયા, કુટુંબિયો જાણે નિરાધાર થયા./૧૩/
નોકરી મૂકી લુસાકા ગયા, ડોકટર ફરજમા હામી થયા;
ડોકટરી મૂકી કારોબારી થયા, તો પણ ન હિમ્મત હારી ગયા./૧૪/
સન સિતોતેરનું આવ્યું વર્ષ, ગ્રીન કાર્ડ મેળવી પામ્યા હર્ષ,
ડોકટર અમેરિકામા સ્થાયી થયા, પત્ની બાળકો ભારતમાં રહ્યા./૧૫/
સમયાંતરે સૌ ભેગા થયા, અંતે અમેરિકાના નાગરિક થયા,
સન બ્યાસી “રૂપા”નો જન્મ, ચારે પુત્રી મા-બાપને સંગ. /૧૬/
મા ભાણીબેનને વીસા મળ્યા, ત્રણ પેઢીના સૌ ભેગા થયા,
અઠ્યાસીમા માએ લીધી વિદાય, ડોકટરને અતિશય દુખ થાય./૧૭/
નેવાસીમા કારમો આઘાત, હ્ર્દય રોગ ની ડોકટરને ઘાત,
પ્રભુ કૃપાએ હેમખેમ રહ્યા, હુમલા છતાંયે સાબૂત રહ્યા./૧૮/
જીવનમાં આવ્યો એક મોડ, સમજાયું જીવનનો નિચોડ,
જીવન નથી માત્ર પંડને કાજ, કુટુંબમા સામિલ થયો સમાજ./૧૯/
ભણીગણી પુત્રિયો સ્થિર થઈ, લગ્ન કરીને સાસરે ગઈ,
પા સદી નોકરીમા ગયા, સ્વેચ્છાએ ડોકટર નિવૃત થયા./૨૦/
સ્વદેશ યાત્રા અને દાન-ધર્મ, જીવનનો સમજાયો મર્મ,
જરૂરતમંદોની વહારે ચડી, ડોકટરે જોડી જીવનની કડી./૨૧/
સંસ્થાઓને દીધા દાન, ઈચ્છા નથી કોઇ કરે ગુણગાન,
ઈશ્વરે આપ્યું છે ઘણું, સમાજ માટે ખરચું થોડું ગણુ./૨૨/
જ્ઞાતિ, શાળા નું રાખી ધ્યાન, ડોકટરે દીધું અનુદાન,
પારિતોષક અને ઈનામ, ગામમાં શરૂ કર્યું અભિયાન/૨૩/
પુસ્તકાલયો પર ડોકટરને પ્રેમ, શિવાલયોને વિસરે કેમ,
ગામમાં જે જે જરૂરી હતું, સૌ સંગાથે રહી પુરૂં કર્યુ./૨૪/
ધરમ કરમને રાખી સાથ, ઝાલ્યો જરૂરત મંદોનો હાથ,
પ્રભુ પ્રેરણાનો લઈ સંગાથ, ડોકટરે આદર્યો પુરૂષાર્થ. /૨૫/
સદવિચારથી પુસ્તક ભર્યા, વિના મુલ્યે વિતરણ કર્યા,
સમાજ, રીવાજને આવરી લીધા, ચંદ્રવદને વિચારો દીધા./૨૬/
ડોકટર આખું અમેરિકા ફર્યા, આફ્રીકા ઈંગ્લેંડ પણ જોઈ વળ્યા,
પણ ભારતનું એવું ખેંચાણ, ભારતિયતાનું કરતા અભિમાન/૨૭/
ભારત યાત્રાની ઈચ્છા કરી, ડોકટર ભારત આવ્યા ફરી,
દ્વારકાધીશના દર્શન કરી, ડોકટર પહોંચ્યા જગ્નાથપુરી /૨૮/
કોનારકનું મંદિર જોઈ, ડોકટર ભવ્યતાથી રહ્યા મોહી,
મથુરા ને વૃંદાવન ગયા, દિલના અરમાન પુરા થયા./૨૯/
આગ્રા થઈને દિલ્હી ગયા, હરદ્વાર-ૠષીકેશ રાજી થયા,
પાવની ગંગાના દર્શન કરી, ગુજરાતમાં આવી ગ્યા ફરી/૩૦/
આખરે થયા અંબાજી દર્શન, પ્રસન્ન થયું ડોકટરનું મન,
સાબરમતિ આશ્રમમા ગયા, ગાંધીજી યાદ આવી ગયા/૩૧/
સુરતમા સાંઈધામમાં ગયા, યોગદાન દઈને રાજી થયા,
વતનની સુખી યાત્રા કરી,અમેરિકામા આવી ગ્યા ફરી./૩૨/
માણસ માટે ડોકટરનો પ્રેમ, મિત્રો બનાવવા રાખી નેમ,
ચંદ્રવદન સૌને પત્રો લખે, અખબારોમા લેખ પણ લખે/૩૩/
ટેકનોલોજીનો લઈને સાથ, કોમપ્યુટરથી ભીડી બાથ,
બ્લોગ જગતમા કરી હૂંકાર, બ્લોગ બનાવ્યો ચંદ્ર પુકાર/૩૪/
વાર્તા, ભજનો, ગીતો લખ્યા, ચંદ્ર પુકારમા સામિલ કર્યા,
ભક્તિ, સદવિચાર ને સંસ્કાર, પ્રભુની સામે તામિલ કર્યા/૩૫/
બ્લોગે આપ્યા મિત્ર અનેક, નેક સાથીઓ એકથી એક,
ચંદ્રવદનને થયો આનંદ, મળ્યા જેમ ગોકુલ નંદન /૩૬/
ડોકટરી વિષય “આંતરીક દવા”, સાથે આપે સૌને દુઆ,
આવા ડોકટર જો પેદા થાય, રોગ બધાના નાસી જાય./૩૭/
પત્ની, પુત્રીઓના પરિવાર, મિત્ર-મંડળ પારાવાર,
જીવનથી પામી સંતોષ, ડોકટર પામે જીવનનું જોશ/૩૮/
ચાર ખંડે જીવનનું ઘડતર, સમાજનુ કરતા ચણતર,
ઉજાળી માત-પિતાનું નામ, સાર્થ કર્યું દાકતરી ભણતર./૩૯/
ઉજાડ્યું પ્રજાપતિ કોમનું નામ, ઉજાડ્યું વેસ્માગામનું નામ,
ચંદ્રવદનની જીવન કહાણી, અક્ષરમાં દાવડાએ આણી./૪૦/
-પી.કે.દાવડા
બે શબ્દો…
આજની પ્રગટ કરેલી કાવ્ય પોસ્ટ દ્રારા”ચંદ્ર ચાલીસા” નામે રચના.
એ ચાલીશા સાથે જોડાયેલ છે એક મિત્રનો સ્નેહ.
એ મિત્ર એટલે શ્રી પી.કે. દાવડા !
મેં મારા જીવનનું પુસ્તક “યાદોના ઉપવનમાં” વિષે પોસ્ટરૂપે કહેતા,મારા જીવનને એક કાવ્ય સ્વરૂપ આપ્યું હતું.
એ વાંચી, દાવડાજીએ “ચાલીસા”નો ઉલ્લેખ પ્રતિભાવરૂપે કર્યો.
એવી રચના માટે મારી એમને ભલામણ. એમની ઉદારતાના કારણે આજે તમો આ “ચંદ્ર ચાલીસા”વાંચી રહ્યા છો.
બસ…આ જ જાહેર કરવા, મેં “શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા”નું લખાણ કાવ્યરૂપે લખ્યું. એ પણ અહી પ્રગટ થયું છે.
એ વાંચી તમો જાણશો કે આ પહેલીવાર “સ્વરચીત” કાવ્ય પોસ્ટને બદલે “અન્ય”ની રચનાને “ચંદ્રપૂકાર” પર પ્રગટ કરવાની ઘટના બની છે.
એ માટે, મિત્ર “પીકે” યાને દાવડાજીને ખુશીભર્યો આભાર !
પોસ્ટ વાંચી, જરૂર પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખશો તો વાંચી મને આનંદ થશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is Poem in 40 Verses (called CHALISA) created by P.K. DAVDA.
It is called “CHANDRA CHALISA”.
It is very nicely written.
Hope all the readers will enjoy it !
Dr. Chandravadan Mistry

April 23, 2013 at 2:04 am 19 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 119 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 169,435 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Follow

Get every new post delivered to your Inbox.

Join 119 other followers