માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)

 

 
 
 
 
 

માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં

 ”ડોકટરપૂકાર” (૧)

 
 “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)
 
From:
“Natu Desai”
To:
“Chandravadan Mistry”
Message contains attachments
 DR. CHANDRAVADAN MISTRY with his Wife KAMU

 એક સવાલ…( One Question )

 
To the Fans of ” Chadra Pukar”  This is the DOCTOR with KAMUBEN, his
life long partner. I am asking, no requesting, all the fans of “
Chndra Pukar “
to request the DOCTOR to start ” Doctor Pukar ” where he will answer
the questions asked by his “Doctor Pukar ” fans. I will be one of the
founding members and my question is  Is it safe to take Tylenol with
Aleve or Iboprofin ?. Most senior citizens are always in pain and take
Pain Pills without realizing that it also does harm. So what do we do?
  
  
  

 

   

  
  

” ચંદ્રપૂકારે” જવાબે “ડોકટરપૂકાર”

નટુભાઈ…તમે ઉપર મુજબ અંગ્રેજીમાં સવાલ કર્યો …અને, એને પ્રગટ કર્યો છે….આજે “ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર” નામે આ પ્રથમ પોસ્ટ છે….આ શુભ શરૂઆત છે !
નટુભાઈ, અંગ્રેજીમાં તમે જે સવાલ કર્યો,તેમાં ટાયનેલોલ (TYLENOL) સાથે “એલીવ” કે “આયબોપ્રોફીન” (Aleve or Iboprofin) લઈ શકાય કે નહી ?…..આ સવાલનો સીધો ટુંકો જવાબ આપું એના કરતા “શરીરના દુઃખાવાના” શા કારણો હોય શકે એની સમજણ આપી, વિગતે જણાવું તો એ યોગ્ય હશે…..તો, તમારા સવાલનો પુરો જવાબ નીચે મુજબ છે>>>>>
અત્યારે, અમેરીકા કે વિશ્વમાં અનેક માનવીઓ ઘડપણનું જીવન વિતાવી રહ્યા છે…આ જ” સિનીઅર સીટીઝનો” અને એઓના દુઃખાવાના કારણો અનેક હોય શકે, અને અનેકવાર એઓ “ડોકટરની દવાઓ” લેવા મજબુર બને છે….અને, તે પહેલા ” દુકાનમાં વેચાતી દવાઓ”નો સહારો લેય છે….એક દવાથી આરામ ના થતા, “બે જુદી જુદી દવાઓ” એક સાથે લેવા પગલાઓ લેય છે.
તો, દવાઓ બારે કંઈક કહું તે પહેલા, આપણે જાણીએ કે દુઃખવાના શા શા કારણો હોય શકે ?
(૧) ઘડપણમાં “સાંધાઓના રોગો” યાને આરથ્રાઈટીસ ( Arthritis) દુઃખાવાનું કારણ હોય છે.
(૨) ત્યારબાદ, થાકેલા કે રોગી મસલો (Muscles Problems) બીજુ કારણ હોય શકે.
(૩)માથાના દુઃખાવા ( Headaches) માટે અનેક કારણો હોય શકે….પણ, અનેકવાર વધુ “ટેન્સન” અને “વધુ લોહી-ભ્રમણ” એનું કારણ હોય છે.
(૪)”પેટનો દુઃખાવો” કે “છાતીનો દુઃખાવો”નો વિષય અલગ છે…અને અહી સૌએ જાણવું જોઈએ કે પેટ કે છાતીના ઓરગનો ( Organs) બારે જાણવું અગત્યનું કહેવાય !
જે કોઈને દુઃખાવો હોય તેણે મસાજ કે માલીસ (Massage),કે ગરમ પાણીના પોતાનો પ્રથમ સહારો લેવો જોઈએ….ત્યારબાદ, દવાઓ સહારો …..નર્વસ (Nerves)ને બહેર કરે તેવી દવાઓમાં આવે….. ટાયલેનોલ યાને (Tylenol ) અને એની સાથે બધે જ વેચાતી એસપ્રીન (Aspirin)નું નામ તરત આવે….જો કે આ બે દવાઓ જુદી જુદી રીતે રાહત આપે છે……ટાઈલેનોલ ભુખા પેટે લઈ શકાય તેમ છતા, કંઈક ખાઈને લેવી યોગ્ય કહેવાય….એસ્પ્રીન જો ભુખા પેટે લેવાય તો “બ્લીડીંગ કે ઉલસર” (Bleeding or Stomach ulcer )સંભવતા વધે છે..ટાયલેનોલ લેવાનો નિર્ણય લેવાય તો સુચનો હોય તેપ્રમાણે “ડોસ” લેવો…અને આમ કર્યા બાદ જો રાહત ના મળે તો એન.એસ,એ.આઈ.ડી. ફેમીલી (NSAID Family Medicines) જેમાં આવે “આઈબોપ્રોફીન કે મોટ્રીન ( Iboprofin or Motrin ) કે પછી “નેપ્રોસીન” (Naprosyn)…..etc….મોટ્રીન કે આઈબોપ્રોફીન એકલી ખાધા પછી લઈ શકાય છે……જો રાહત ના મળે તો, “બે દવાઓ એક સાથે” લેવા માટે જ  “એડવીલ” કે “એલીવ” (Advil=Tylenol+Motrin OR  Aleve=Tylenol+Naprosyn )નો સહારો લેવો પડે છે…અહી ચેતવણી એટલી જ કે આ દવાઓ ભુખ્યા પેટે ના લેવી અને “ડોસ” પ્રમાણે જ લેવી…અને જે કોઈને “ઉલસર” જેવી બિમારી હોય તેમણે ના લેવી.
ઉપર મુજબ કરતા, પગો છ્ટા કરવા “થૉડું ચાલવા”ની ટેવ પાડવી…..ઘરે હાથો/પગોના સાંધાઓને વાંકા/સીધા કરે તેવી કસરતો કરવી 
 ફાયદાકારક હોય શકે….…જો વર્ણન કરેલથી રાહત ના મળે તો ડોકટરને મળી સલાહો લેવી જરૂરીત બને છે.
નટુભાઈ, આશા છે કે તમોને મારા જવાબથી સંતોષ હશે…આશા વધુમાં એટલી જ કે આ પોસ્ટને વાંચનારા સૌને કંઈક માર્ગદર્શનરૂપે આનંદ હશે !>>>>>ડો. ચંદ્રવદન
 
 
FEW WORDS….
 Today it will a Memorable Day as I publish this Post…it is an innovative idea of the PATIENT-DOCTOR Relationship in the Format of a QUESTION & an ANSWER.
Natubhai Desai had sent me an Email with his Question in English & I had published that as the starting point for “CHANDRAPUKARma DOCTORPUKAR” as the Posts on my Blog…..I hope the visitors of this Blog & those who will read this Post welcome this idea…..& may be I will have the opportunity to answer other questions in the Future.
I am a Doctor but I am “not perfect &DO NOT HAVE all the Medical knowledge”…but I will try my best to find an answer for you.I wish many of you who read this Post, will post their COMMENTS , so that I can be  inspired to continue…. And, Natubhai, THANKS A LOT for your Question…& your Suggestion  to start the Posts as “DOCTORPUKAR”. I had tried to answer your question…& I hope I had done that to your “some or total satisfaction “! Now, I hope  other readers will follow your example & ask the questions in the Future.
After this 1st Post as “DOCTORPUKAR” I will be publishing Posts other than HUMAN HEALTH…..but I promise  to resume  this Topic of Human Health with more informations on HUMAN BODY..>>>>>>>DR. CHANDRAVADAN MISTRY

22 comments February 1, 2010

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

 
 
 
 
                                                     Tuberculosis
 
##
 
 Diarrhoea
Mumps#
 
 

Roundworm


Pinworm


Hookworm


Dwarf Tape worm


Whipworm

 
 
 
 

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

માનવીનો દેહ, જે રીતે બન્યો છે, અને જે તત્વોથી બન્યો છે, એનું વર્ણન કરતા તો અનેક પુસ્તકોરૂપી લખાણ થાય…..અને, આટલું લખાણ લખ્યા બાદ પણ અનેક નવી શોધોરૂપી જાણકારી દ્વારા અનેક નવું લકાણ હોય શકે…….એથી જ હું કહું છું કે માનવી કદી પણ એવો દાવો ના કરી શકશે કે “એ બધુ જ જાણેછે “…આ એક સનાતન સત્ય છે !
માનવ દેહના જુદા જુદા ભાગો એક “યંત્ર” તરીકે કામ કરી શકે તે માટે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત પડે છે…….માનવ-પુરૂષનું વિર્ય-તત્વ અને માનવ-નારીનું ઈંડુ-તત્વનું મિલન એટલે “માનવ-ગર્ભ”…જેમાંથી “માનવ-દેહ”બને …..અને જ્યારે નારીના ગર્ભ-સ્થાનમાં માનવ-દેહ આકાર લેય ત્યારે સુક્ષ્મ ફેરફારો (Genetic Changes )કારણે માનવ-દેહમાં “રોગ કે બિમારી” કે પછી “દેહ-અપુર્ણતા” (Genetic Body Defects) હોય શકે છે……અને, માવવ-દેહરૂપી “જન્મ”બાદ માનવ દેહ જે વાતાવરણમાં હોય તેના લીધે પણ “અનેક રોગો” હોય શકે છે.
આ પ્રમાણે……..માનવ શરીરે થતા અનેક રોગોના કારણો નીચે મુજબ હોય છે>>>>>
(A) ગર્ભમાંથી માનવ દેહ બનતા સમયે “સુક્ષ્મ” ફેરફારોના કારણે>>>
 (૧) માનવ દેહના આકારમાં અપુર્ણતાઓ (Defects)
      હોઠનો આકાર બનતા સમયે “જેનેટિક ફેરફારો”ના કારણે ફાટેલો હોઠ (Cleft Lip ) કે ફાટેલો પેલેટ (Cleft Palate ) જન્મ સમયે હોય શકે……તો, હાથો બનતા હોય ત્યારે “એક વધારે આંગળી કે અંગુઠો” કે અન્ય “ડીફેક્ટો” ( Defects) હોય શકે …….અને, આ પ્રમાણે, એક વધારે “કીડની” (Kidney) કે હ્રદય કે ગર્ભસ્થાન કે અન્ય કોઈ ઓરગન (Organ of the Human Body ) હોય શકે.
(૨) વંશવેલા (Familial )થી ચાલી આવતા “જેનેટીક ફેરફારો” ના કારણે થતા રોગો/બિમારીઓ.
અહી તરત જ યાદ આવે “ડાયાબીટીસ”(Diabetes)…..જન્મ થાય ત્યારે ડાયાબીટીસ ના હોય પણ અનેક વર્ષો બાદ એ રોગના ચિન્હો માલમ પડે…..કોઈક “થાઈરોડ”ના રોગો  કે “લોહી”ના રોગો કે અન્ય રોગોનું કારણ “વંશવેલા”સાથે જોડાયેલું હોય છે.
 
(B)માનવ દેહ બની જગતમાં જન્મ લેતા, દેહ (શરીર)ને જગતના વાતાવરણમાં રહેવું પડે, અને ત્યારે બહારના વાતાવરણનો “સામનો કે બચાવ ” કરવા માટે પ્રભુએ “શક્તિ” આપેલી હોવા છ્તા જ્યારે માનવ-દેહ એ જરૂરત પ્રમાણે વાપરી શકતો નથી ત્યારે એ “રોગ/બિમારી”નો કેદી બને છે….અને એના કારણો અનેક હોય શકે>>>>>
(1) શરીરના રોગો
માનવ શરીરના રોગો થવાના કારણો અનેક હોય શકે……એ કારણોને આપણે રોગ કરનાર જંતુઓ કે હવામાનના વાયુઓ કે વાયુમાં વહેતા પદાર્થો ((ધુળ, ફળ/ફુલોના “પોલનો”(Pollens) કે પછી પ્રાણીઓના વાળ (Animal Fur) વિગેરે ….)) હોય શકે……તેમજ આપણા ખોરાક દ્વારા પણ રોગો થવાની શક્યતા હોય શાકે…
(a) ઈન્ફેકશનો (INFECTIONS )
જગતના વાતાવરણમાં અનેક સુક્ષ્મ જંતુઓ…યાને બેક્ટેરીઆ (Bacteria) વાઈરસો (Viruses)…..તેમજ નજરે દેખાય તેવા કે નજરે ના દેખાય તેવા પરાસાઈટો (Parasites)… માનવ શારીરમા પ્રવેશ કરી સંખ્યામાં વધી, શરીરને ઈજા કરે, અને એના પરિણામરૂપે હોય શરીરની બિમારીઓ……
દાખલારૂપે…….ફેફસાનો રોગ જેને ન્યુમોનીયા ( Pnuemonia) થાય ત્યારે જુદી જુદી જાતના બેક્ટેરીઆ પ્રવેશ કરી ફેફસામાં ફેરફારો કરતા પ્રાણવાયુ લોહી સુધી જઈ ના શકે, અને એથી શ્વાસ લેવામાં તકલીફ પડે…જેને આપણે “ન્યુમોનયા”નામ આપ્યું…..જો આવા જંતુઓ આંતરડામાં વધે તો ઉલતી/ઝાડા થઈ જાય…..પેશાબમાં સંખ્યા વધે તો “પેશાબનું ઈન્ફેકશન” થયું કહેવાય…..
આ પ્રમાણે, ચામડીના ઈન્ફેક્શનથી પરૂભરેલું ગુંમડું…..કે મગજમાં “મનિનજાઈટીસ” કે “બ્રેઈન એબસેસ” થાય.
બેક્ટેરીયા સિવાય બીજા જંતુઓ છે “ફંજાઈ“(Fungai) …દાખલારૂપે મસરૂમો (Mushrooms) પણ શરીરના રોગો કરી શકે છે, જેમાં અનેક ફેફસાના રોગોનો સમાવેશ થાય છે…કેટલાક ચામડીના રોગો પણ “ફન્ગસ”ના કારણે હોય છે .
ઉપર ઉલ્લેખ કર્યો તે સિવાય, “પેરેસાઈટો”(Parasites) પણ શરીરમાં પ્રવેશ કરી ઈનફેક્શન થઈ શકે છે…..ખોરાક સાથે વર્મ્સ (Worms..eg Roundworms…Hookworms etc) કે મચ્છરોના દંખ દ્વારા એના શરીરમાના “મેલેરીયા પેરેસાઈટો” માનવ શરીરમાં પ્રવેશ કરી “મેલેરીયાનો તાવ” કે “મગજ પર અસર” કરી શકે છે.
“બેક્ટેરીયા”થી પણ સુક્ષ્મ જંતુઓ છે “વાઈરસો”(Viruses) …..આ જંતુઓ દ્વારા અનેક ઈનફેક્શનો/રોગો થાય છે..દાખલારૂપે…કોમન કોલ્ડ (Common Cold) કે ફ્લુ (Flu )….”એઈડ્સ” (AIDS) પણ એક વાઈરસ ઈનફેક્શન જ છે
(b) શરીરના સોજારૂપી રોગો
જ્યારે જંતુઓ રોગોનું કારણ ના હોય ત્યારે જો શરીરના કોઈ પણ ભાગે દુઃખાવો/સોજો રહે અને ત્યારે એવી બિમારીઓને ઈનફ્લામેટોરી કંડીશન્સ (Infammatory Conditions) કહેવામાં આવે છે….સાંધાના રોગો (Arthritis) આ પ્રમાણે હોય શકે છે…..દાખલારૂપે “રુમાટોઈડ આરથ્રાઈટીસ” ( Rheumatoid Arthritis )….આવા રોગોમાં શરીરમાં થયેલું નુકશાનનું વર્ણન છે, અને સોજા માટે શરીર જ “એન્ટીબોડીસ“(Antibodies….meaning  AutoAntibodies) પેદા કરી શરીરને નુકશાન કરે છે…….આવી ઓટો એન્ટીબોડીસ શરીરના બીજા કોઈ પણ ભાગે નુકશાન કરી શકે છે….દાખલારૂપે “થાઈરોડ ગ્લાન્દ”(Thyroid Gland)
(c)શરીરના જુદા જુદા વિભાગે જે જે રોગો હોય તે પ્રમાણે  નીચે મુજબ રોગો હોય શકે>>>>
(૧) હોરમોનલ…યાને એન્ડોક્રીન ( Hormonal or Endocrine ) રોગો…..હોરમોન એ શરીરમાં એક જ્ગ્યાએ બને.. લોહીના માધ્યમે એ આખા શરીરમાં ફરી જ્યાં જ્યાં એની અસરની જરૂરત ત્યાં ત્યાં એ અસર કરે…દાખલારૂપે “ઈનસુલીન”(Insulin)…આ પદાર્થ “પેનક્રીયાસ” (Pancreas)માં બને, અને ત્યારબાદ, લોહી દ્વારા શરીરના ભાગોમાં જઈ શરીરમાં ખોરાકમાંથી બનેલી ખાંડ(Glucose)ને બારી એમાંથી શક્તિ યાને “એનરજી”(Energy) પેદા કરી, શરીરના બધા જ કાર્યો શક્ય બને છે….જ્યારે માનવ-શરીર પુરતા પ્રમાણમાં “ઈનસુલીન”ના બનાવી શકે ત્યારે “ડાયાબીટીસ”નો રોગ છે એવું કહેવામાં આવે છે ! બીજા હોરમોનો પણ પ્રમાણમાં ના હોય ( ઓછા કે વધારે) ત્યારે એ “હોરમોનરૂપી” રોગ છે એવું કહેવાય છે.
(૨)લોહી જોઈએ તેવું ના હોય તો લોહીની બિમારીઓ હોય શકે…..(Blood or Bleeding Disorders )
આપણા લોહીમાં ત્રણ જાતના “સેલ્સ” (Cells…namely Red Cells, White Cells & Platelets ) પ્રવાહી તત્વ, “સીરમ”(Serum)માં ફરે છે……રેડ સેલ્સ દ્વારા પ્રાણવાયુ (Oxygen), વાઈટ સેલ્સ દ્વારા શરીરનું રક્ષણ ( Body Defence/Protection), અને પ્લેટલેટ દ્વારા લોહીનું થીજી જઈ બહાર જતા અટકાવવું ( Activates Clotting & prevents Bleeding )……આથી, જ્યારે આ “સેલ્સો”માં ખામીઓ હોય ત્યારે એવા રોગોરૂપી દર્શન થાય છે.
જ્યારે હ્રદયમાં બિમારીઓ હોય ત્યારે “હ્રદયના રોગો” (Heart or Cardiac Illnesses)  “નરવસ સીસ્ટમના રોગો ” ( Nervous System Illnesses ) એટલે રોગો નર્વ(Nerves)માં ફેરફારોના કારણે નુકશાન જે થકી બિમારી…..આ પ્રમાણે “ચામડીના રોગો “….”આંતરડાના રોગો”…..”ફેફસાના રોગો” વિગેરે……
(૩) હવામાન/વાતાવરણ (Air/External Environment )માં “પોલન” કે જુદા જુદા પદાર્થો “એલરજી” (Allergy ) આપે…..માનવ શારીર, જેને પહેલા કાંઈ અસર ના થતી, એ શરીર હવે અલગ પ્રકારનું વર્તન કરે….જે થકી “અસ્થમા”(Asthma) કે પછી “હેય ફીવર” (Hey Fever ) વિગેરે…હોય શકે !
 
(૨) માનસીક રોગો ( MENTAL ILLNESSES )
શરીરના રોગો વિષે માહિતીઓ આધારીત જલ્દી “ડાયાગ્નોસીસ” ( Diagnosis ) કરવાની શક્યતા હોય છે, અને એથી એની સારવાર પણ જલ્દી હોય શકે છે…..કિન્તુ, ઘણીવાર, “માનસીક રોગો”નો “ડાયાગ્નોસિસ”કરવામાં અનેક વાર ઢીલ થાય છે, અને કોઈકવાર એનું પરિણામ બહું જ ખરાબ હોય શકે …..જેમકે  જો “ડીપ્રેશન”(Depression)ને જલ્દી પારખવામાં ના આવે તો એવો રોગી આત્મહત્યા ( Suicide) પણ કરી શકે છે.
જુદી જુદી પ્રકારના માનસીક રોગોની જાણ મેડીકલ સાયન્સ દ્વારા થઈ ચુકી છે…..સમયના વહેણમાં આ રોગો બારે વધુ ને વધુ જાણવામાં આવ્યું છે, અને આજે એના ઈલાજો પણ શોધાયા છે…નવી નવી દવાઓ મારકેટમાં આજે છે…….છતા આવા માનસીક રોગો શા કારણે  હોય તેનું જ્ઞાન હજુ પુર્ણ નથી. અત્યારની જાણકારીઓ આધારીત આ રોગો નીચે મુજબના વિભાગે હોય શકે>>>>
(a) એન્ગઝાયટી અને ડીપ્રેશન (Anxiety & Depression )
માનવીનું મન જુદા જુદા સંજોગોમાં સ્થીરતા જાળવી શકે છે…..જ્યારે એવું અશક્ય થાય ત્યારે એ માનવી એક રોગી છે એવું માન્ય થાય……જ્યારે વિચારો “દોડ” કરે અને માનવી એને અટકાવી ના શકે ત્યારે એ “એન્ગઝ્યાટી” (Anxiety State )માં કહેવાય….અને જ્યારે માનવીની વિચારધારા બહેર મારી જાય કે જ્યારે એ હાતાશ બની જાય ત્યારે એ માનવી “ડીપ્રેશન”માં છે અવું કહેવાય…….કોઈકવાર, આ પ્રમાણે બનવાનું કારણ “હોર્મોનલ ઈમ્બેલન્સ” (Hormonal Imbalance ) હોય છે ….દાખલારૂપે થાયરોડ હોર્મોન ( Thyroid Hormone ) જો વધી જાય તો “એનઝાયટી” અને જો ઘટે તો “ડીપ્રેશન”  હોય શકે…..આ પ્રમાણે કારણની જાણ હોય તો સારવાર સરળ છે….પણ આવા રોગો “શરીરના તત્વો”ની અસર વગર હોય છે….કોઈવાર એવા સંજોગોમાં ભુતકાળે બનેલ ઘટના રોગની શરૂઆતનું “ટ્રીગર”(Trigger) કારણ બની જાય છે, અને સારવાર સમયે જો આટલું જ્ઞાન થાય તો ઈલાજમાં સફળતા મેળવવાની શક્યતા વધે છે .
(b) સ્રિઝોફેનિયા (Schizoprenia)
આ નામે જે માનસીક રોગોનું વર્ણન થયું છે તેમાં માનવીનું મન પોતાનો “કન્ત્રોલ” (Control ) ગુમાવે છે….વિચારો સાથે મેળ ના હોય …કોઈવાર એક પ્રકારના વિચારો….તો કોઈકવાર જુદા જુદા જોડાણ વગરના વિચારો (Flights of thoughts )…..ઘણીવાર કોઈ વાતો ના કરતું હોય ત્યારે કોઈને સાંભળવાનો ભાસ થાય….આજે આ રોગનું કારણની શોધો બતાવે છે કે મગજના અંદરના ભાગે એક વિસ્તારે “બ્રેઈન સલ્સ”માં ફેરફારો નજરે પડે છે…..આ શા કારણે તેની અજાણતા છે…..પણ જુદી જુદી નવી દવાઓ દ્વારા સારવાર પહેલા કરતા સારી થઈ છે .
(c) મેનીઆ કે મેનીક ડીસઓડર્સ (Mania or Manic Disorders )
આવા રોગોમાં માનવીને ગાંડપણના ચિન્હો જોવા મળે છે……એકલા એકલા બેસી વાતો કરવી….લવારા કરવા…..બુમો પાડવી….અચાનક ખીજ/ગાળો વિગેરે…. દવાઓની સહાય ખાસ જરૂરીત જણાય….અને આજે અનેક નવી નવી દવાઓ આ રોગના ઈલાજરૂપે છે……પણ માનવી જ્યારે આવા રોગનો કેદી બનેલો હોય ત્યારે માનવ-હ્રદયમાંથી વેદનાઓ ઝરે છે !
 
ઉપર મુજબ વર્ણન દ્વારા માનવીને થતી બિમારીઓના કારણો સમજાવવા મારો એક પ્રયત્ન હતો……વિગતે બધુ જ કહેવું અશક્ય છે…..તેમ છતા જે જણાવ્યું તેથી જો  એક “સારરૂપી” જ્ઞાન જો તમોને થયું તો મને ખુબ જ આનંદ થશે.………..ડો, ચંદ્રવદન. 
 
 
FEW WORDS
 
Today it is Tuesday, January, 26, 2010…..and it is the REPUBLIC DAY of INDIA….I wish you a HAPPY REPUBLIC DAY…A day to be proud as an Indian ! May you all share this feeling of the NATIONAL PRIDE !
 
I had chosen this day to publish my 3RD POST on MANAV-TANDURASTI ( Human Health ). In my last Post, I had given you the informations on the HUMAN BODY…& even mentioned that this Post must be followed by MORE DETAILED informations of the Individual Body Systems OR Organs…..And, I had not forgotten this ! However, I felt strongly to publish this Post & inform you about the different CAUSES of HUMAN DISEASES.
 
It is NOT POSSIBLE to inform in DETAILS all the possible CAUSES…..so I attempted to give you all the FACTS in a BROAD GENERAL SENSE.For me to this in GUJARATI BHASHA was even tougher……but, I hope, you are able to benefit from the informations shared.
 
Now,that you have READ this Post, I wish to know your opinions as your COMMENTS……these comments are your “feed-backs”……& they mean a LOT to me,…… in fact, they give the ENCOURAGEMENTS to publish more…..My question to you all is this>>>>Do you like the Posts on HUMAN HEALTH ????
Dr. CHANDRAVADAN. 

21 comments January 26, 2010

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

 
 
 
 
 

 

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

માનવ શરીર જે પ્રમાણે પ્રભુએ બનાવ્યું તે આધારીત માનવને બે સ્વરૂપે નિહાળી શકાય છે. (૧) નર (૨) નારી. નર કે નારી સ્વરૂપને એક તંત્રરૂપે નિહાળતા, એને આપણે નીચે મુજબ જુદા જુદા વિભાગે વર્ણન કરી શકીએ છીએ.
(૧ ) મસ્તક અને ગળૂ ( Head & Neck ) જેની સાથે મગજ (Brain )નું વર્ણન કરી શકીએ છે.
(૨ ) છાતીનો ભાગ (Thorax )……અહી આપણે હ્રદય અને ફેફસા (Heart & Lungs )નું વર્ણન કરી શકીએ છે.
(૩ ) પેટનો વિભાગ ( Abdomen )….આ વિભાગે આવેલા ઓરગનો ( Organs ) યાને કે જઠર, નાનુ અને મોટું આંતરડુ, પેન્ક્રીઆસ, લિવર, સ્પ્લીન, તેમજ બે કીડનીઓ ( Stomach, Small & Large Intestines, Pancreas, Liver, Spleen & 2 Kidneys ) વિગેરેનું વર્ણન હોય શકે. પેટના નીચેના ભાગને પેલવીસ (Pelvis ) કહેવામા આવે છે, અને એની અંદર ગર્ભસ્થાન તેમજ ઓવરીઓ નારીશરીરે (Uterus, Ovaries in a Female ) અને નર્-નારી સ્વરૂપે એક યુરિનરી બ્લેડર (Urinary Bladder )  હોય છે.
(૪ ) માનવ હાડકાઓથી બનેલુ હાડપિંજર ( Human Skeleton ) અને સાથે બે હાથો તેમજ બે પગોનું વર્ણન હોય શકે.
( ૫ ) ચામડી ( Skin )  જે શરીરનું બહારથી રક્ષણ કરે છે.(
આ પ્રમાણે, માનવ શરીરનું જે વર્ણન કર્યું તેને ” શરીર બંધારણ “ યાને એનાટોમી (Anatomy ) કહેવામાં આવે છે.
 
હવે, આપણે માનવ શરીરને માનવ જે પ્રમાણે કાર્યો શક્ય કરે છે તે પ્રમાણે નિહાળીએ તો  આપણે શરીર-કાર્યોને અનેક સિસ્ટમો ( Systems )માં જોઈ શકીએ છે…..આ માનવ-વિજ્ઞાનને ફીઝીઓલોજી ( Physiology ) કહેવાય છે. તો, જુદી જુદી સીસ્ટોમો નીચે મુજબ હોય શકે>>>>>
(૧ ) લોહીના ભ્રમણ સાથે લીમ્ફનું ભ્રમણ ( Circulatory System, & Lymphatic System )
( ૨ ) શ્વાસ- ભ્રમણ ( Respiratory System )
( ૩ ) ખોરાક પ્રાચનક્રીયા ( Digestive System )
( ૪ ) હોર્મોન તેમજ શરીર-રક્ષણ ( Endocrine & Immune Systems )
( ૫ ) નર્વસ સીસ્ટમ ( Nervous System )
( ૬ ) પેશાબ બની શરીર બહાર ( Urinary System )
( ૭ ) વંશ-વેલા શક્તિ ( Reproductive System )
( ૮ )  કાર્યો કરવાની શક્તિ ( Musculoskeletal System )
( ૯ ) ચામડી ( Skin or Dermal Protection System )
( ૧૦ ) હર્ષ- ભાવો ( Mental or Psychiatry )
 આ જુદી જુદી ક્રિયાઓનું જ્ઞાન એટલે આપણે માનવ- શરીરની ફીઝીઓલોજી ( Human Body Physiology ) બારે જાણ્યું કહેવાય. જે જાણ્યું તેથી તમે ખુશી અનુભવતા હશો. હજુ આને વિસ્તારે વર્ણન કરવાની જરૂર છે…આશા એટલી જ કે તમોને એ માટે રસ છે કે નહી ? પ્રતિભાવરૂપે જણાવવા વિનંતી !
………..ડો, ચંદ્રવદન. 
 
 
 
FEW WORDS…..
 
Today it is Wednesday, January,20TH 2010…& it is also VASANT PANCHAMI Day. And, I had decided to publish the 2ND Post on MANAV-TANDURATI ( Human Health ). By this Post I am making all my Readers aware of the HUMAN BODY, viewed as  different SECTIONS or SYSTEMS. This Post will make it easy to publish OTHER POSTS on the DISEASES by SYSTEMS.
I had attempted to inform all readers, the General Informations about the Human Body in GUJARATI BHASHA, to the best of my ability. Please pardon me for the mistakes or the lack of clarity.
I hope you have enjoyed reading this Post & are interested for the NEXT POST on the Topic of HEALTH.
Your comments for this Post very much appreciated>>>>>DR. CHANDRAVADAN

23 comments January 20, 2010

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

 
 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

માનવને જે શરીર મળ્યું,એને તંદુરસ્ત રાખવાની જવાબદારી માનવ પર જ રહે છે.માનવની તંદુરસ્તી યાને હુમન હેલ્થ (Human Health )ને એક મહત્વનો વિષય સમજીને મેં આ નામકરણે મારી ચંદ્રપૂકાર્ની સાઈટના “હોમ “પર થોડી પોસ્ટો પ્રગટ કરવા નિર્ણય લીધો હતો તેને આજે અમલમાં મુકતા હું ખુબ જ ખુશી અનુભવું છું.પ્રભુક્રુપાથી આ જન્મે હું એક ડોકટર બની શક્યો, અને અનેક વર્ષો માનવ-સેવા કરવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો તેથી પ્રભુને કોટી કોટી વંદન ! એક ડોકટર તરીકે નોકરીમાંથી નિવૃત્તી ૨૦૦૬માં લીધા બાદ કોમ્પુટર જગતે “ચંદ્રપૂકાર “નામે એક સાઈટ શરૂ કરી, અને અનેકનો પરિચય થયો તે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે. તેમ છતાં, ઘણી વાર મારા મનમાં વિચારો આવતા કે “હવે, એક ડોકટર તરીકે હું શું કરી શકું ? “ આ વિચાર સાથે એક દિવસ મને મારી વેબસાઈટની યાદ આવી. મારા હૈયે એવું થયું કે ” મારી જ સાઈટ પર માનવ તંદુરસ્તી બારે પોસ્ટો રૂપે લખાણ હોય તો તો કેવું ?…એવી પોસ્ટો દ્વારા હું ફરી એક ડોકટર તરીકે હું મારી ફરજ બજાવી શકું. “ આવા વિચારો સાથે થોડી મુજવણો ઉભી થઈ…..ચાલો, હું “હેલ્થ ” બારે લખું તો મારે ગુજરાતીમા લખવું જોઈએ. પણ, મારું ગુજરાતી-ભાષા જ્ઞાન ઉચ્ચ ના હતું. મેડીકલ ભણતરના અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં કેમ લખી શકીશ ? આવી મુજવણોમાં હતો ત્યારે જાણે પ્રભુ જ એનો જવાબ આપતા હોય તેમ મારા મનમાં થયું..”અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં લખી શકાય, અને સાથે અંગ્રેજી લીપીમાં ફરી લખીશ તો ચાલશે “. બસ, આટલા વિચાર સાથે, શું લખવું તે બારે મેં મારા મનને દોરવ્યું. ત્યારે થયું કે આ બધી જ વિગતો/માહિતીઓ તો પુસ્તકોમાં હોય છે, અને આજના કોમપ્યુટર/ ઈન્ટરનેટના યુગમાં આવી માહિતી તો સરળતાથી મળી શકે. તો, મારે શા માટે લખવું? ફરી મારૂં મન બીજી દિશામાં જવા લાગ્યું ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી એક બીજો વિચાર જાગૃત થયો..” ભલે, કોઈક એંજીનનું ડાયાગ્રામ/ ફોટો હોય, ભલે,એ બારે બધું લખેલું હોય, તો પણ એની પૂરી જાણકારી એક ઈંજીનીઅર જ કહી શકે…..તે જ પ્રમાણે, ભલે, બધી જ માહિતી પુસ્તકો કે ઈન્ટરનેટ પર હોય, તો પણ, એક દર્દીને કે એક માનવીને સમજ આપવા એક ડોકટર જ અગત્યનો ફાળો ભજવી શકે છે “ બસ, અવા વિચારોથી મારૂં મન/હૈયું શાંત હતું. હવે, શું લખવું, કેવી રીતે પોસ્ટોરૂપે લખવું એ બારે મારી તૈયારી હતી….મારો નિર્ણય એ હતો કે…..માનવ, તંદુરસ્તી બારે લખવા પહેલા મારે ” માનવ શરીર “ બારે થોડી માહિતીઓ પહેલા આપવી, અને ત્યાર બાદ જ બિમારી/ રોગો બારે ચર્ચા કરવી યોગ્ય હશે. આથી, હવે, તમે “માનવ શરીર “ ટાઈટલે બીજી પોસ્ટ નિહાળશો. આશા છે તમોને આ પોસ્ટ અને બીજી પોસ્ટૉ ગમે ! ………..ડો, ચંદ્રવદન.
 
FEW WORDS……. 
 
Today,it is Monday January,18th 2010 & it is POS VAD TRIJ, 2066 as per Indian Calender….&  today it is also MARTIN LUTHER KING DAY Holiday in USA….. I feel proud & happy to publish this Post on HUMAN HEALTH ( Manav Tandurasti) for the 1st time on Chandrapukar……& I am SO HAPPY that henceforth there will be a series of Posts on HEALTH.
Today this is the FIRST MANAV TANDURATI Post officially, I feel that the Suvicharo Post of MANAV DEH ane ATMA of December,12th 2009 as my 1st Post on HEALTH…..So let that be Manav Tandurati (1A)  and this Post as Manav Tandurasti (1B).
As a Doctor , I feel nice to have started the Series of Posts on HEALTH, on Chandrapukar. I had always longed to do this .….I feel like doing my duty as ONE DOCTOR…..I must, however, cofess, that I am imperfect & that I may not be able to give ALL the MEDICAL FACTS……but I will try my BEST.
I hope that those who visit this Blog & read these Posts LIKE them & have the desire to read more of them. SO….I am requesting ALL my READERS to send me their FEELINGS as their COMMENTS for this Post..>>>>>DR. CHANDRAVADAN MISTRY.

17 comments January 18, 2010

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

નવેમ્બર,૨૦૦૯નો માસ તો પુરો થયો…અને ડીસેમ્બર માસ મંગળવારે શરૂ થયો.  તમે મારા બ્લોગ પર ” જનકલ્યાણના કાર્યો”ના વિષયે અનેક પોસ્ટો વાંચી હતી….જ્યારે એ વિષયે લખાણ પુર્ણ થયું ત્યારે મેં એક સવાલ કર્યો હતો…”હવે પછી શું વિષે હશે ?” ત્યારે મારી પાસે એનો જવાબ ના હતો પણ એક શ્રધ્ધા હતી કે “કંઈક પ્રભુપ્રેરણા” મળશે ! તમેતારીખ નવેમ્બર,૬૨૦૦૯ના રોજ  એક પોસ્ટ “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)” વાંચી, અને ત્યારબાદ. નવેમ્બર,૧૧ના દિવસે “ચંદ્રભજનમંજરી (૭)” પોસ્ટરૂપે સાંભળી….અને પછી, નવેમ્બર,૧૬,૨૦૦૯ના રોજ “સુવિચારો”ની પોસ્ટરૂપે “પ્રેમ-લાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા” બારે વાંચ્યું……..આટલું શક્ય થયા બાદ, નવેમ્બર,૨૨,૨૦૦૯ના શુભદિવસે, “આ તો બીજી અનીવરસરી ચંદ્રપૂકારની” નામે એક કાવ્ય રચના વાંચી આ પોસ્ટ સાથે મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને જ્યારે અનેકે પધારી ( કુલ્લે ૩૮) એમના “પ્રતિભાવો” આપ્યા તેનાથી ગદ ગદ થઈ ગયો…..હું સૌનો આભારીત છું !….આવો આનંદ જ્યારે અનુભવી રહ્યો હતો, ત્યારે “માનવ દેહ અને તંદુરસ્તિ/Health” બારે કંઈક લખવા પ્રભુપ્રેરણા મળી….અને, એ અમલમાં મુકાય તે પહેલા તો હતો શનિવાર, તારીખ, નવેમ્બર,૨૮,૨૦૦૯નો દિવસ….એથી રીવરસાઈડ જવાનું થયું….આ દિવસે રમેશભાઈ પટેલના આમંત્રણે હું ત્યાં હતો…આ દિવસે એમની પુસ્તિકા “ત્રિપથગા”નું “વિમોચન” હતું ..અને, ત્યાં હાજરી આપતા, હું પ્રથમવાર રમેશભાઈને મળ્યો…સાથે સુરેશભાઈ જાની અને ડો. દિલીપભાઈ પટેલ…તેમજ અન્યને મળવાનું થયું …મારા હૈયે ફરી ખુબ જ આનંદ હતો, અને એવા આનંદમાં મને બીજો વિચાર આવ્યો..”રમેશભાઈ વિષે પોસ્ટ મુકું …અને ત્યારબાદ, અનેક વિષે “મિત્રતાના તાંતણે” બીજી પોસ્ટો હોય તો કેવું ? “
બસ, આ બે વિચારો દ્વારા મને હવે પછીની પોસ્ટો માટે “વિષય/વિષયો” આનંદ હતો…મેં આગળ ઉલ્લેખ કર્યો જ હતો કે પ્રભુપ્રેરણાથી કંઈક થશે …તો, એ થયું !
તમે રમેશભાઈ વિષે પોસ્ટથકી પ્રથમ “વ્યક્તિ પરિચય”ની પોસ્ટ વાંચી…અને ત્યારબાદ, તમે “સુવિચારો” દ્વારા પ્રથમ “તંદુરસ્તિ/Health”ના વિષયે પોસ્ટ વાંચી…..અને, હવે તમે બીજી પોસ્ટો “તંદુરસ્તિ” બારે વાંચશો…..અને એ થોડી પોસ્ટો બાદ, અન્ય વિષયે પોસ્ટો વાંચશો….ફરી કોઈ બીજી “વ્યક્તિ પરિચય”ની પોસ્ટો વાંચશો…..આ પ્રમાણે, આ “બે વિષયો” ચાલુ જ રહેશે !
આશા છે કે તમોને મારા વિચારો ગમે !…..કંઈક “બે શબ્દો” લખશો તો જ મને ખબર પડે…તો, તમારા અભિપ્રાયોની આશા સાથે વિરમું છું !>>>>>>ચંદ્રવદન

FEW WORDS
Today it is Sunday & January,3rd 2010 ….I am publishing this Post from Navsari,Gujarat,India…..and my last Post was on December 2009. The New Year of 2010 has started & I take this opportunity to wish you all HAPPY NEW YEAR……
This post is ” CHANDRAVICHARO SHABDOMAA (12)”….It takes you all to my Old Posts….& intoduce you to the my INTENT to publish future posts on 2 Topics (Parichay of Individuals I had known….& Tandursti or Health)
A Post on Rameshbhai Patel (Aakashdeep) ….& Suvucharo on Body & Health (last post) will be my FIRST POSTS on  this topic. I hope you will enjoy the other Posts too..>>CHANDRAVADAN.

17 comments January 3, 2010

સુવિચારો !

 
 

સુવિચારો !

માનવ દેહ અને આત્મા

>>>>દેહની તંદુરસ્તી જાળવવી, એ માનવી માટે એક ફરજરૂપી જવાબદારી છે !
 
>>>>દેહ તો માનવ-આત્માનું ઘર છે, અને એની કાળજી રાખતા, માનવ-દેહ મંદિર બની જાય છે !
 
>>>>મંદિરરૂપી દેહ હોય તો, એ પવિત્ર વાતાવરણમાં આત્મામાં છુપાયેલું “પ્રભુ-તત્વ” ખીલી મહેકે છે !
 
>>>>દેહમાં પ્રભુતા ખીલતા, મનની શાંતી વધે છે, અને અંતે માનવીને “પરમ આનંદ”નો અનુભવ થાય છે !
 
 
>>>>>ચંદ્રવદન  
તારીખઃ નવેમ્બર,૭, ૨૦૦૯
 
 

બે શબ્દો…..માનવ દેહ અને આત્મા

આજના “ચંદ્રસુવિચારો”નો વિષય છે “માનવ દેહ અને આત્મા”…..પોતાના દેહની કાળજી રાખવી એ માનવ માટે એક “ફરજ” છે……આવી સમજણ જો માનવીમાં આવે તો એ “ઘણું શક્ય”થયું કહેવાય…અને એક વાર આ સુત્રે માનવીની જીવનસફર ચાલુ રહે તો એ એના દેહની “ચોખ્ખાઈ” જાળવવા કે “ખોરાક” લેવામાં ધ્યાન આપે…અને આટલું કરતા પણ જો બિમારીનો સામનો કરવાની ઘડી આવે ત્યારે એ “કુટેવો”થી દુર હોવાના કારણે એ દેહની સંભાળ લેવા દવા/પરેજી કરવા તૈયાર થઈ જાય છે !
જે માનવી આ પ્રમાણે કરે ત્યારે એ તંદુરસ્તીના જીવન તરફ વળે છે…..અને, જ્યારે માનવ દેહ તંદુરસ્ત હોય ત્યારે એ માનવીના મનના વિચારોને સ્થીરતા મળે…..અને, આવા વાતાવરણે માનવ-દેહમાં વસેલો “આત્મા” પણ “મોહરૂપી મેલ”ને દુર કરી, જાગ્રુત બને છે. જાગ્રુત આત્મા એટલે “પવિત્રતા ભરપૂર ચેતના ”….જેમાં આપણે “પ્રભુતા”ના દર્શન કરી શકીએ છે. અને, માનવ-દેહ આત્માનું “ઘર”મટીને “એક મંદિર”બની જાય છે !
ઉપર જે કંઈ લખ્યું તેના “સાર”રૂપે જ પ્રગટ કરેલા મારા “ચાર સુવિચારો” છે !
મેં મારી વિચારધારા પ્રમાણે લખ્યું છે……પણ, બીજી વ્યક્તિ આ વિચારોને જુદી દ્રષ્ઠિએ નિહાળી શકે છે…તો, જરૂરથી આ પોસ્ટ વાંચી, તમો “પ્રતિભાવ”રૂપે લખશો તો મને ખુબ જ આનંદ થશે…વળી. અન્ય વાંચી આનંદ અનુભવશે…..જ્ઞાન વધે એ જ આશા !>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS…..
Today it is Saturday,December,12th 2009…..It is a day of HAPPINESS for me, my Wife Kamu & my Family as today it is the ENGAGEMENT of my daughter RUPA.
It is going to be a MEMORABLE day as I publish this Post with the Topic of HUMAN HEALTH …it is a Post as a SUVICHARO..& I am, for the first time, intoducing the Topic of HEALTH…..& plan to publish more Posts on this Topic in the FUTURE, As a DOCTOR I feel joy of doing this on a ongoing basis !
As to this Post of Suvicharo on “MANAV DEH ane ATMA” meaning Human Body & Soul, I am expressing my thoughts & inviting ALL to share their thoughts as their COMMENTS…..Hoping that many of YOU will join & post the Comments on the Site !
You are viewing the picture of MALE-FEMALE with this Post…& hence forth ALL Posts on the Topic of HEALTH will show this Picture.
Happy Viewing !>>>>>CHANDRAVADAN.

24 comments December 12, 2009

રમેશભાઈને અભિનંદન

  

  

 

    રમેશભાઈ એમના પત્ની તેમજ દીકરી વિતલ અને એના સંતાનો સાથે !

રમેશભાઈને અભિનંદન

આકાશે દીપ પ્રગટાવતા,
       એક “આકાશદીપ” બને,
બની આકાશદીપ,
      રમેશવિચારો હૈયેથી ઝરી, “શબ્દો” બને,
અને, શબ્દો બધા,
    પાને પાને “કાવ્યો” બને,
અનેક કાવ્ય-રચનાઓ થકી,
   એક સુંદર પુસ્તિકા બને,
આજે, મંદિરે”ત્રિપથગા”નું “વિમોચન” થતા,
   સૌના હૈયા આનંદીત બને,
એવા આનંદમાં રહી,
   અભિનંદન રમેશભાઈને પાઠવતા, “ચંદ્ર” જીવન ધન્ય બને !
                                           ચંદ્રવદન
કાવ્ય રચના …તારીખ નવેમ્બર, ૨૮, ૨૦૦૯ અને શનિવાર
“ત્રિપથગા” વિમોચન સ્થળ….લક્ષ્મીનારાયણ મંદિર રીવરસાઈડ, કેલીફોર્નીઆ

બે શબ્દો….

આજે જે રમેશભાઈ પટેલ વિષે પોસ્ટ પ્રગટ કરી….એ “કાવ્ય રચના” તો મેં એમની પુસ્તિકા ” ત્રિપથગા”નું વિમોચન થયું તે સમયે “પ્રસાદી” રૂપે અર્પણ કરી હતી…આજે એ હું સૌને પ્રગટ કરી જણાવી રહ્યો છું …આશા છે કે તમોને એ ગમે ! વધુમાં , એ પુસ્તિકા વિમોચન સમયે મને પણ હાજરી આપવાની તક મળી હતી…..અને એ સમયે મને “બે શબ્દો” બોલવાનો લ્હાવો મળ્યો ત્યારે મેં જે “મારા હ્રદયભાવો” છલકાવી જે કંઈ કહ્યું તે જ  આજે ફરી  આ પોસ્ટરૂપે દર્શાવું છું>>>>>   સ્નેહી ભાઈશ્રી રમેશભાઈ, તેમજ અ.સૌ.સવિતાબેન અને પરિવારના સર્વે…તેમજ મિત્રો સુરેશભાઈ……ડો. દિલીપભાઈ…..અને પધારેલા સૌ ભાઈઓ, બેનો અને બાળકો……સૌને મારા નમસ્તે ! અને, જય શ્રી ક્રુષ્ણ ! આજે, આ રીવરસાઈડના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પવિત્ર ધામે, અને શનિવાર નવેમ્બર,૨૮,૨૦૦૯ના શુભ દિવસે શ્રી રમેશભાઈ પટેલના કાવ્ય-સંગ્રહની પુસ્તિકા “ત્રિપથગા”ના વિમોચનની શુભ ઘડી છે. એવા સમયે, મને “બેશબ્દો” કહેવાની તક મળી તે માટે હું પોતાને ભાગ્યશાળી સમજું છું …..અને, ” બે શબ્દો” કહેતા આનંદભર્યો ગર્વ અનુભવું છું ! ગુજરાતી વેબજગતમાં મારી “સફર” ઘણી જ ટુંકી છે. ……નવેમ્બર ૨૦૦૭માં એની શરૂઆત થઈ હતી……અને, એ સફરમાં શ્રી રમેશભાઈનો પરિચય થયો….ઈમૅઈલ/ફોન “કોન્ટાકો” દ્વારા એ “મિત્રતા”માં ખીલ્યા…અને આજે પ્રથમવાર જ એમને રૂબરૂ મળ્યો છું ……એ જ પ્રમાણે, સુરેશબાઈ………ડો. દિલીપભાઈ….વિગેરે સાથે મિત્રતા થઈ……હું માનું છું કે પ્રભુક્રુપા/પ્રભુઈચ્છાથી જ આ પ્રમાણે શક્ય થયું …જે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે ! રમેશભાઈ વિષે હું શું કહું ?…. રમેશભાઈને તો અનેક જાણે છે…..એમણે એમના કાવ્યોથી અનેકને પ્રભાવિત કર્યા જ છે ! પણ, એનાથી વધુ તો હું એટલું કહી શકું કે રમેશભાઈ શાંત સ્વભાવના છે….અને એઓ નમ્રતાથી ભરપુર છે !…અને, વધુ ના કહેતા, “કંઈક કાવ્ય જેવું ” લખ્યું તે જ વાંચુ છું>>>>>

                ” રમેશભાઈને  અભિનંદન “……

બસ, આટલા શબ્દોથી  રમેશભાઈને મારા “અભિનંદન” …..અને, પ્રભુને પ્રાર્થના કે એમનું જીવન તંદુરસ્ત અને આનંદમય રહે…..અને, એઓ એમની “કાવ્ય પ્રસાદી ” આપતા રહે ! જય શ્રી ક્રુષ્ણ !>>>>>ચંદ્રવદન.       FEW WORDS….. Today it is 30th NOVEMBER,2009…..it is also MONDAY and MAGSHAR SUD TERASH (13th) 2066…..The month of NOVEMBER ends today…..and I am publishing this Post on RAMESHBHAI PATEL ( AKASHDEEP)…..I admit this is ONLY the “publishing of my speech at the VIMOCHAN of Rameshbhai’s 3rd Book of Poems in Gujarati ….it named “TRIPTHGA”  ( another name for River GANGA ) And, as explained by Rameshbhai on the Day of VIMOCHAN, the name was chosen was it is dedicated to 3 Presons……Mother, Father & Wife. I ffel honored to be invited at that Meeting at LAXMINARAYAN MANDIR of RIVERSIDE, CALIFORNIA. At that meeting it was a pleasure meeting Rameshbhai ….Sureshbhai Jani( from Texas ) , Dr. Dilipbhai Patel of KAVILOG……and also had the oppotunity of knowing  VALLABHBHAI BHAKTA, ANAND RAO (Gunjan ), PRAVIN SHUKLA, DILIPBHAI KAPADIA…..and not to forget the meeting with SHILABEN..RAMBHAI…& Rameshbhai’s wife SAVITABEN & his Daiughter SWETA. I must not forget Dr. SHAILESH SHAH & SWETA who had played a very important role in the organsation of this Event of NOVEMBER 28th 2009. I was hoping to meet NARENDRABHAI ( Gypsie’s Diary ) from San Diego…but to some circumstances he was not able to come to the meeting…..But one day with God’s Grace WE will meet ! I hope you like this Post…….PLEASE do visit my Blog & read this Post…& your COMMENTS appreciated !>>>>>>>CHANDRAVADAN.  

27 comments November 30, 2009

આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

 

 
 
 
  Image and video hosting by TinyPic Image and video hosting by TinyPic

 

આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

આજે તો છે બીજી એનીવરસરી ચંદ્રપુકારની,
એ તો છે ઘડી અતી આનંદની !……(ટેક )
૨૦૦૭માં નવેમ્બર માસે, તમે પોસ્ટ પ્રથમ રે  વાંચી,
ગઈ કાલે , તમે પોસ્ટ ૧૭૫મી રે વાંચી,
પણ……..આજે તો…..(૧)
૨૦૦૭માં પધાર્યા મહેમાનો એક નહી પણ અનેક,
ગઈ કાલે, હતા મહેમાનો ૫૧ હજારથી વિષેશ !
પણ……આજે તો……(૨)
સૌએ પધારી, પ્રતિભાવો પણ આપ્યા અનેક.
ગઈ કાલે, હતા પ્રતિભાવો ૨૧૫૦થી વિષેશ !
પણ …..આજે તો……(૩)
તમ ઉત્સાહે, આ બધું જ શક્ય થયું,
આભાર એનો સૌએ દર્શાવી, આનંદે હું રહું ,
પણ….આજે તો……(૪)
ચંદ્રપૂકારે હવે શું કરીશું એની ખબર નથી,
પ્રભુપ્રેરણાથી “કંઈક થશે” એવી ચંદ્રશ્રધ્ધા રહી,
પણ……આજે તો……(૫)
 
કાવ્ય રચના તારીખઃનવેમ્બર,૨૨,૨૦૦૯          ચંદ્રવદન
 
 
 
 
 

બે શબ્દો…..ચંદ્રપૂકારની બીજી એનીવરસરી

આજે રવિવાર, નવેમ્બર,૨૨,૨૦૦૯ અને માગશર સુદ પાંચમ, ૨૦૬૬….અને, આ તારીખ એટલે “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ ! ૨૦૦૭માં આ તારીખે જન્મ થયા બાદ, ૨૦૦૮માં “પ્રથમ એનીવરસરી” ઉજવી હતી.આજે છે “બીજી એનીવરસરી” ! સૌને આ જણાવતા મને ખુબ જ આનંદ થાય છે !
મારી “ચંદ્રપૂકાર”ની સાઈટ શરૂ કરી ત્યારે થયું હતું કે “કોણ પધારશે ? “…….એક પછી અનેકે પધારી, મારા હૈયે ઉત્સાહ રેડ્યો……અને અનેકે “પ્રતિભાવો” આપી મારા હૈયે આનંદ ભર્યો. આજે જે કંઈ સફળતા છે તે માટે તમો સૌનો ફાળો છે ! અને, આજે હું સૌને “આભાર” દર્શાવી રહ્યો છું . આ બધું જ મેં “કંઈક કાવ્ય સ્વરૂપે” કહ્યું છે , અને રચનામાં ભુલો હોય ક્ષમા કરશો !  આ પ્રમાણે, ઉલ્લેખ કર્યો હોવા છતા, જે કંઈ શક્ય થયું તેની વિગતો નીચે મુજબ છે…..>>>>>>>
 

વિગતો…

(૧) શરૂઆત યાને જન્મદિવસ……નવેમ્બર, ૨૨. ૨૦૦૭
(૨) પ્રથમ એનીવરસરી…….નવેમ્બર, ૨૨, ૨૦૦૮
(૩) બીજી એનીવરસરી…..,નવેમ્બર,૨૨, ૨૦૦૯
( A) “હોમ” પર કુલ્લે પોસ્ટો>>>>૧૭૫
(B) કુલ્લે પધારેલા મહેમાનો>>>>૫૧,૦૦૦થી વધુ
(C) કુલ્લે પ્રતિભાવો>>>>>>૨૧૫૦ & more (Total of 2152 )
(D) ૧૭૫ પોસ્ટોમાંથી સ્વરચિત કાવ્યો>>>>આશરે ૧૧૨
આજના શુભ દિવસે તમે પધારી, તમારા “બેશબ્દો” પ્રતિભાવરૂપે આપશો તો મને આનંદ થશે….અરે, તમે પધારી આ પોસ્ટ વાંચશો તો પણ મારા હયે ખુશી હશે …..અંતે, ફરી ફરી પધારી તમે સૌએ મને જે “ઉત્તેજન” આપ્યું તે માટે મારા હ્રદયના ઉંડાણમાંથી “આભાર” અને એક જ આશાભરી વિનંતી કે ભવિષ્યમાં પણ પધારી મને ઉત્તેજન આપી આનંદ આપશો !>>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS……
 
Today it is Sunday, November,22, 2009 and it is the 2ND ANNIVERSARY of my Blog CHANDRAPUKAR….It is a day of the CELEBRATION ….Since this Blog was started so many VISITORS ( Total of 51675) had viewed the Site….& yesterday there were 175 POSTS were published on HOME of this Blog…& today’s Post is 176TH .Of the total visitors, 2152 had posted their COMMENTS for the Posts they liked on HOME and/or Other Sections visited ( like ZARANA(1&2), SWAGAT, TRIVENI SANGAM, JIVAN ZARMAR, PRAJAPATI SAMAJ , TUNKI VARTA & KAVYO Etc = Total of 9 Sections )
Thanks a lot to ALL who  had given me the support…..& request you all to continue to visit my Blog in the Future. I extend my “THANKS” to God for his guidance/inspirations !
With Love,
Chandravadan Mistry

50 comments November 22, 2009

સુવિચારો !

 
 
 
 

સુવિચારો !

પ્રેમલાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા

 
****હ્રદયના ઉંડાણમાં જ્યારે પ્રેમ-લાગણીઓ જ્ન્મે ત્યારે, અંતરઆત્માની જ્યોત પ્રગટે છે, અને માનવીને સતકર્મના માર્ગે દોરે છે !
****જ્યારે માનવી સતકર્મના માર્ગે હોય, ત્યારે એ ત્યાગભાવનાથી જનકલ્યાણના કાર્યો તરફ વળે છે !
****જ્યારે માનવી જનકલ્યાણના કાર્યોના પંથે હોય,ત્યારે એવા માનવીમાં માનવતાના દર્શન થાય છે !
****જ્યારે માનવીમાં માનવતા ખીલી હોય, ત્યારે પ્રભુ એનાથી દુર હોય જ ના શકે !
ઉપર મુજબના “ચંદ્રસુવિચારો” પ્રગટ થયા,……..તારીખઃ નવેમ્બર,૮,૨૦૦૯           ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

આજના સુવિચારો સાથે પ્રેમ્લાગણીઓ, અને અંતરઅત્માનો ઉલ્લેખ છે…સાથે, સતકર્મો તેમજ જનકલ્યાણના કાર્યો તરફ જવાની વાત છે…..અને, આવા જ માનવ પરિવર્તનમાં “માનવતા”ના દર્શન થાય છે એવો અંતે ઉલ્લેખ છે……..આવી વિચારધારા સાથે તમે સહમત છો?..કે પછી, તમે કંઈક બીજું જ વિચારો છો ? …..આ પોસ્ટ પ્રગટ કરવાનો હેતુ એટલો જ કે પોસ્ટરૂપી લખાણ બાદ, “કંઈક ચર્ચા” થાય…જે થકી, હું અને તમે સૌ “જ્ઞાનરૂપી ગંગા”માં સ્નાન કરી શકીએ……..તો, તમે તમારા વિચારો લખશોને ?……આવી ચર્ચાઓ દ્વારા આપણે સૌ “પરમ તત્વ” નજીક જઈ શકીએ છીએ !……ચંદ્રવદન
 
 
FEW WORDS….
Today it is Monday, and November,16th, 2009…….I am pblishing some “SUVICHAO”…meaning some “PEARLS of WISDOM”…..They deal with Love/Soul/Good Deeds/Service to Mankind/Humanity…..I hope you like ONE or ALL thoughts expressed…each thought is interlinked with the other. Please read this Post…& if you have some different view-point.please DO express your thoughts as your COMMENTS>>>>>CHANDRAVADAN.

18 comments November 16, 2009

ચંદ્રભજનમંજરી (૭)

This movie requires Adobe Flash for playback.

 

 
 
 
 
                    ગોવિંદ ગુણલા ગાવુ
ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)
અરે, વ્હેલી સવારે,
સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)
અરે…દિવસે,
કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)
અરે… સાંજે,
સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)
અરે રાત્રીએ,
નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું
હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)
રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,
ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,
ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
  
  

ચંદ્રભજનમંજરી (૭)

આજે તમે ઘણા જ લાંબા સમય બાદ, “ચંદ્રભજન મંજરી”ની વીસીડીની એક બીજી રચના ” ગોવિંદ ગુણલા ગાવું ” સાંભળી રહ્યા છો…..આશા એટલી જ કે તમોને એ ગમે……અને જો ગમે તો તમે તમારા વિચારો “પ્રતિભાવ”રૂપે જરૂરથી લખશો એવી એક બીજી આશા …….તમારૂં જીવન ભક્તિમય બને, અને ધીરે ધીરે તમે સૌ એ “પરમ આનંદ” માં રહો એવી મારી અંતરની પ્રાર્થના ! આવું પરિવર્તન તમે કેમ જાણી શકશો ? એનો જવાબ સરળ છેઃ……જો તમે આ જગતમાં “એને જ” નિહાળી શકો તો જાણજો કે તમે સત્ય માર્ગે જ જઈ રહ્યા છો…..હું પણ આવો જ પ્રયાસ કરી રહ્યો છે !>>>>>ચંદ્રવદન
  
 
FEW WORDS…..
 
Today, it is Thursday & NOVEMBER,11,2009….it is a Vererans Day in U.S.A. It is also the Birthday of my Twin Daughters…..AND, I am publishing the New Post…it is a Video-Post ” CHANDRABHAJANMANJARI (7)”….& my Bhajan Rachana is “GOVIND GUNALA GAU”…I hope you like this Post……Please share your feelings with your COMMENTS……I will be happy to read your Comments,
>>>>CHANDRAVADAN.
 

 

 

17 comments November 11, 2009

Previous Posts


Meta

Recent Comments

Dr.Shashikant D.Mist… on માનવ તંદુરસ્તી (૪)…..…
MEHUL MISTRY on માનવ તંદુરસ્તી (૪)…..…
અમિત પટેલ on માનવ તંદુરસ્તી (૪)…..…
Natu Desai on માનવ તંદુરસ્તી (૪)…..…
neetakotecha on માનવ તંદુરસ્તી (૪)…..…

Top Posts

Recent Posts

Blog Stats

 

February 2010
M T W T F S S
« Jan    
1234567
891011121314
15161718192021
22232425262728

Archives

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Spam Blocked