એક સોન્ગ ઓફ નવસારી !
Location in Gujarat, India
એક સોન્ગ ઓફ નવસારી !
આજે સાંભળ્યું એક “સોન્ગ ઓફ નવસારી”,
સાંભળી, હ્રદય મારૂં પૂકારે”મારૂં પ્યારૂં પ્યારૂં નવસારી”……..(ટેક)
બચપણમાં હતું શહેર નવસારી ખુબ નાનું,
નાના શહેરની રોનક મોટી એવું હું તો માનું,
એવી રોનકમાં, ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે …..(૧)
દુધીયા તળાવ છે નવસારીની એક પહેચાણ,
કોલાની આઈસક્રીમ દુકાનની છે સૌને જાણ,
એવી પહેચાણમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે ……(૨)
નવસારી તો દાદાભાઈ નવરોદજીની જન્મભુમી,
અરે! નવસારી તો પારસીઓની પ્યારી નગરી,
એવી યાદમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે …..આજે……(૩)
ગાંધીજી સત્યાગ્રહમાં નવસારી તો ચમકી રહે,
ભારતની આઝાદી માટે ફાળો નવસારીનો રહે,
એવી ઐતિહાસીક ઘટનામાં ખુશીઓ ચંદ્ર-હૈયે વહી રહે…..આજે….(૪)
કાવ્ય રચનાઃ તારીખ, મે,૧૫,૨૦૧૩ ચંદ્રવદન
બે શબ્દો…
બે શબ્દો…
આજની કાવ્ય રચના એક ઈમેઈલથી મળેલી “વીડીઓ ક્લીપ” આધારીત છે.
ગુજરાતીમાં રચાયેલ, અને સુર સંગીત સાથે ગવાયેલું ગીત મેં એક “વીડીઓ ક્લીપ” દ્વારા સાંભળ્યું, અને ખુશી અનુભવી.
બસ..એ જ ખુશી મેં આ કાવ્ય દ્વારા પ્રગટ કરી છે.
પોસ્ટ ગમે એવી આશા !
પણ તમે પહેલા નીચેની “લીન્ક” પર ક્લીક કરી વીડીઓ ક્લીપ પર ગીત સાંભળો>>>>>
Subject: A Song on Navsari
Check out this video on YouTube: http://youtu.be/f8DRmUwwZks
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
There is a Kavya Post in Gujarati on NAVSARI….a city of SOUTH GUJARAT.
This Creation is based on a VIDEO CLIP with a SONG on NAVSARI .
I invite ALL to listen to that SONG.
Dr. Chandravadan Mistry
સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !
બે શબ્દો…
આજે છે ૧૭મી મે,૨૦૧૩.
આજે જ વેસ્મા ગામે ચોતરા ફળિયે સાંઈ મંદિરની સાલગીરી માટે ઉત્સવ ઘડી.
આજે જ આ કાવ્ય પોસ્ટ એ ઘટના વિષે પ્રકાશ આપે છે.
કાવ્યરૂપે હકિકતો લખી છે….પણ મુખ્ય સંદેશો છે>>>જેને સાંઈબાબા પર પુર્ણ શ્રધ્ધા હોય, તેને માટે બાબા સહારે જરૂર આવે છે, એ જ પરમ સત્ય છે !
આશા છે કે વાંચકોને આ પોસ્ટ ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Kavya (Poem) is about the 3rd Anniversary Celebrations at SAIBABA MANDIR of Chotara Faliya of VESMA.
The MESSAGE within the Poem is HAVE FULL FAITH in SAIBABA and He will come to ASSIST you.
I hope you like the Message of this Post.
Dr. Chandravadan Mistry
પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !
બે શબ્દો…
આજની પોસ્ટ એક કાવ્ય પોસ્ટ છે.
એ પોસ્ટ પાલનપુરમાં આવેલા કાળા હનુમાનજીના મંદિર વિષે છે.
એ મંદિરના પુજારી પુજ્ય સીતારામબાપુને હું મળ્યો ત્યારબાદ એ રચના શક્ય થઈ હતી.
આશા છે કે રચના ગમે ….અને પાલનપુર જવાનું થાય તો દર્શન કરવાનો લાભ જરૂર લેશો !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Poem in Gujarati is about my meeting of the Caretaker (Punjari) Shree SITARAM BAPU of KALA HANUMAN MANDIR of PALANPUR.
If you go to Palanpur, you can see the Mandir & have the DARSHAN of HANUMANJI.
Dr. Chandravadan Mistry
સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !
કેવી રીતે જઈશ ?

FROM INDIA to U.S.A. How ?
કેવી રીતે જઈશ ?
અરે ! સાંભળ્યું કે અમેરીકામાં તો સ્વર્ગ જેવું ! પણ ત્યાં ….કેવી રીતે જઈશ ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૧)
ઘર વેચી કે ખેતર,મીલકત વેચી જવું ? કે પછી, ઉધારી કરીને ત્યાં જવું ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૨)
ચોરી કરીને ત્યાં પહોંચી જવું યોગ્ય હશે ? કે પછી, લાંચ રીસવતથી ત્યાં જાવું રહે ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૩)
ભગવાનની બલીહારી, લોટરી લાગી મને, અમેરીકા જવાનો વીઝા મળી ગયો છે મને, બસ, મુઝવણીભર્યો સવાલ રહ્યો નથી હવે !…..(૪)
આવી ગયો છું અમેરીકામાં હું તો હવે, સ્વર્ગ જેવું લાગેલું તે લાગે જુનું પુરાણું હવે, બસ, ફરી સવાલ મુઝવે છે મને !…….(૫)
નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..(૬)
હવે, “કેવી રીતે જઈશ?” સવાલ એવો ના રહ્યો, ત્યાં જઈ “સફળતા માટે શું કરવું?” એ સવાલ રહ્યો, બસ, જવાબ એનો ચંદ્રે અહી જ કહી દીધો !……..(૭)
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૨૬,૨૦૧૩ ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટનો આધાર છે પ્રજ્ઞાજુબેનનો એક ઈમેઈલ.
એમણે “ગોવિન્દ પટેલ”ના જીવન વિષે શ્રી દાવડાજીની કાવ્ય રચના સાથે “કેવી રીતે જઈશ?” નામની એક ગુજરાતી ફીલ્મ નિહાળવા એક “લીન્ક” આપી. એથી હું ત્યાં જઈ શક્યો. એ માટે આભાર.
અહી એ લીન્ક છે>>>>>
યાદ આવે કેવી રીતે જઈશ..?’ એક અલગ પ્રકારનું ઉત્તમ વાસ્તવિક ગુજરાતી ચલચિત્ર. આવા ગુજરાતી ચલચિત્રો કેમ વધુ બનતા નથી એનો અફસોસ થયા રાખે. ખેર! દેર આયે મગર દુરસ્ત આયે… એક વાર અવશ્ય જોવા જેવું…
કેવી રીતે જઈશ? એ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત અને નયન જૈન દ્વારા બનાવવામાં આવેલ વર્ષ 2012 ની ફિલ્મ છે. આ ફિલ્મ માં ગુજરાતી પટેલ સમુદાય ના અમેરીકા પ્રત્યે આકર્ષણ અને વળગાડ પર વક્રોક્તિ છે. છેલ્લા પચાસે ક વર્સ મા હજારો પટેલો અમેરીકા પહોંચી ગયા છે અને ત્યાંના મોટેલ બીઝીનેસ મા સફળત મેળવી ચુક્યા છે.
Kevi Rite Jaish (Gujarati: કેવી રીતે જઈશ) is a 2012 film directed by Abhishek Jain and produced by Nayan Jain. The film is a satire on the fascination and obsession of the Patels – a Gujarati farmer community – of migrating to the U.S.A. Over the last half century, thousands of Patels have migrated to the U.S.A and have come to dominate its motel industry. The film stars Divyang Thakker,Veronica Kalpana-Gautam , Tejal Panchasara, Kenneth Desai and Anang Desai.
Watch Online Full Movie – Kevi Rite Jais (2012)
Kevi Rite Jaish (2012) – YouTube
You need Adobe Flash Player to watch this video. … Kevi Rite Jaish (2012) …. 2013 Shootout full movieby …
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક અમેરીકા સેટલ થવાના સ્વપ્નાઓ સેવતા હોય છે એવા જ વિચારે આ ગુજરાતી ફીલ્મ છે. આ ધ્યાનમાં લઈ મને જે પ્રેરણા થઈ તે આધારે આ મારી કાવ્ય રચના છે. આશા છે સૌને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS….
Today’s Post is a Poem “KEVI RITE JAISH?” meaning “HOW DO I GO ? ” ( To America )
Based on this thought is the Gujarati Film “Kevi Rite Jaish ” for which the LINK to see that film is given.
My Poem in Gujarati is based on the INFO I got….and based on many who come from India with “some unreal dream” of the easy money in America & are often disapponted..some accept the REALITY and try hard to settle down in this NEW WORLD.
I hope you enjoy this POST ….and also enjoy the FILM.
Dr. Chandravadan Mistry
ચંદ્ર-આત્મારૂપી ચાલીસા
ચંદ્ર-આત્મારૂપી ચાલીસા
જગમાં પ્રભુઅંસરૂપી એક આત્મા જન્મે,
એ તો એક પ્રભુની બલીહારી રે જગમે,
બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !……..(૧)
જે જન્મે તે તો જન્મ મરણના બંધને,
તો, સંસારી જાળ ના છોડે કોઈને,
બોલો રામ, કૃષ્ણ શ્રી હરિ !…..(૨)
વેસ્મા ગામે પ્રજાપતિ કુળે જન્મ મળે,
ભાગ્યમાં માત-પિતા ભાણી માધવ મળે,
બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !…..(૩)
જન્મ સમય ‘ને રાશીના કારણે,
“ચંદ્રવદન”નામે સૌ એને ઓળખે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪)
કાનારૂપે વેસ્માને ગોકુળીયુ ગામ નિહાળે,
શાળામાં મિત્રતાભાવે સૌમાં “સુદામા”નિહાળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૫)
દશ વર્ષનું બચપણ છે ભારતમાં માતા સંગે,
યુવાની આફ્રીકામાં ભાઈ ‘ને પિતા સંગે,
બોલો રામ કૃષણ શ્રી હરિ !…(૬)
આફ્રીકા છોડી, ભારતમાં છે એ તો ફરી,
કોલેજ અભ્યાસે, ડોકટરી ડીગ્રી પ્રાપ્ત કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૭)
ડોકટર બનવું એને પ્રભુકૃપારૂપે સ્વીકારી,
માનવ સેવારૂપી યાત્રા જીવનમાં અપનાવી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૮)
હતી પ્રથમ માનવ સેવા એના ભાગ્યમાં,
જે અદા કરી ભાવથી, લુસાકાની હોસ્પીતાલમાં,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૯)
જીવનસાથીની શોધમાં દેસરા ગામે આવે,
ભાગ્ય બતાવે એને પત્ની કમુ નામે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૦)
સંતાન સુખની ઝંખના તો સૌને હોય,
રહસ્ય જેનું ફક્ત પ્રભુ પાસે જ હોય,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૧)
પિતા ચાર દીકરીઓના એ બને,
હરખ જેનો હૈયેથી જગમાં છલકાવે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૨)
સંસારી સંબંધના પિતા ગયા પ્રભુધામે,
તો, સ્વીકારી ઘટના એવી પ્રભુનામે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૩)
હોય પ્રથમ સફર ઈંગલેન્ડની ભણતર કાજે,
ત્યારે, અકાળ મોટાભાઈ મૃત્યુ આફ્રીકા ફરી લાવે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૪)
આફ્રીકા આવી, ડોકટરી છોડી દુકાન સંભાળી,
જવાબદારી ભત્રીજાઓને આપી, અમેરીકાની સફર કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૫)
પત્ની દુર જ્યારે ઈંગલેન્ડમાં રહે,
ત્યારે, ચંદ્રજીવન અમેરીકામાં વહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૬)
૧૯૮૦માં ચંદ્ર આત્મા પત્ની સંતાનોને મળે,
સહકુટુંબે હૈયે આનંદ ખુબ જ વહી રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૭)
૧૯૮૧થી છે સૌ કેલીફોર્નીઆના લેન્કેસ્ટર ધામે,
ચંદ્ર જીવન સફર ત્યારે હોસ્પીતાલે માનવસેવામાં રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૧૮)
સેવા કરતા, ચંદ્ર આત્મા પ્રભુકૃપાઓ પામે,
કૃપાઓ પામી, સંસારી જીવને ભુલો કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૯)
૧૯૮૯માં હાર્ટ સર્જરી ચંદ્રભાગ્યે વિધાતા લખે,
અને, નવજીવન અર્પી, પ્રભુ કૃપા મોટી કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૦)
પ્રભુ પ્રેરણાથી ચંદ્ર શબ્દો કાવ્યો બને,
જેની નાની પુસ્તીકાઓરૂપે ચંદ્ર હૈયાનું કહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૧)
પ્રભુ ભક્તિ પંથે ચંદ્ર આત્મા સફર કરે,
જે થકી, “જનસેવા યજ્ઞ”માં ચંદ્રજીવન વહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૨)
જનકલ્યાણ પંથે ગરીબાય સૌની નિહાળતા,
ગરીબાય હટાવવા રહે હૈયે ચંદ્ર-અભિલાશા,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૩)
“શિક્ષણ જ્યોત” થકી ગરીબાય હટી શકે,
તો, ચંદ્રઆત્મા શિક્ષણ ઉત્તેજન પંથે વળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૪)
પ્રજાપતિ સંસ્થા સથવારે ચંદ્ર રહે,
જ્ઞાતિ પ્રેમ ઝરણે ચંદ્ર આત્મા તરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…(૨૫)
નવસારી આશ્રમે બાલુભાઈ લાડ મળે,
મુંબઈ વિનોદભાઈ’ને અમદાવાદે રમેશભાઈ મળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૨૬)
વિનોદના “અગ્નિચક્ર”દ્વારા ચંદ્ર પ્રચાર કરે,
“પ્રજાપતિ”માસીક દ્વારા સૌ ચંદ્રવાણી સાંભળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૭)
ગોદડભાઈ દ્વારા ચંદ્ર”અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”મહી,
ચંદ્ર આત્મા છે સંતોષી જ્ઞાતિ સેવાના કાર્યો કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૮)
પ્રાર્થના, ભજનોનો સંગ્રહને પુસ્તક સ્વરૂપ મળે,
જે, માતૃશ્રીની યાદમાં “શ્રી કૃષ્ણ લીલામૃત” બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૯)
“ભક્તિભાવ”ના સ્વરચીત કાવ્યો ચંદ્ર ચુંટે,
જેનું “ભક્તિભાવના ઝરણા”નામે પુસ્તક બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૦)
પ્રજાપતિ જ્ઞાતિમાં સીવણ કાર્ય શીખવવા કાજે,
બીલીમોરા, બારડોલીમાં સીવણ ક્લાસો બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૩૧)
પ્રભુ શક્તિનું સ્મરણમાં ચંદ્ર ભક્તિ પંથે,
અને, દિપલા ગામે અંબામાતા મંદિર શોભી રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૨)
“માનવ તંદુરસ્તી”નું મહત્વ ચંદ્રઆત્મા ગણે,
વેસ્મામાં “આર્યુવેદિક દવાખાનું” ‘ને પાલનપુરે “હેલ્થ સેન્ટર” બને,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૩)
અન્નદાનનો મહિમા, ‘ને જલાગુરૂને યાદ કરી યજ્ઞ ચંદ્ર કરે,
અને, “જલારામ ભોજન પ્રસાદી”વેસ્મા હોસ્પીતાલે શરૂ કરે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૪)
પ્રજાપતિ જ્ઞાતિમાં સેવા ચંદ્ર હૈયે “માનવતા” ખીલી,
માનવીને સમભાવે નિહાળતા, ચંદ્રે સૌને સહાય કરી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૫)
મુંબઈ ‘ને પાલનપુરે “સાહિત્ય ટ્રસ્ટ”ની સ્થાપના કરી,
પુસ્તકો પ્રગટ કરવા જ્ઞાતિજનોમાં પ્રેરણા રેડી,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૬)
મુંબઈ અને ગુજરાતમાં જનકલ્યાણ કાર્યો કરતા,
હવે ચંદ્ર-શક્તિ છે અમેરીકામાં કાંઈક સેવા કરવા,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૭)
૨૦૧૩ની સાલે લેન્કેસ્ટરની શાળા ‘ને કોલેજમાં,
શિક્ષણ ઉત્તેજન ટ્રોફી યોજના કરી ચંદ્ર છે ખુશીમાં,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૮)
રેડ ક્રોસ ‘ને યુનીસેફ સહકાર ચંદ્ર મનડે વહે,
“શંકરા આઈ ફાઉન્ડેશન”સહાય વિચારો સાથે રહે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૯)
બચપણ યુવાની ગઈ ‘ને ઘડપણ આવી ગયું,
જે થયું કે ના થયું એ તો ઈચ્છાથી જ થયું,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪૦)
ઈતિ,જે કોઈ ચંદ્ર આત્મા ચાલીસા વાંચી સમજે,
એ તો જીવન બદલી, જનસેવા યજ્ઞ અપનાવે,
વહી જન સનમુખે પ્રભુજી રે આવે,
પ્રભુકૃપા પામી, એ તો જન્મ મરણના ફેરા ટાળે,
બોલો રામ કૃષ્ણ શ્રી હરિ ! બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !
કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૨, ૨૦૧૩ ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે કાવ્ય પોસ્ટ.
“ચંદ્ર આત્મા ચાલીસા” નામે છે.
આ પહેલા તમે “ચંદ્ર ચાલીસા”નામે કાવ્ય પોસ્ટ વાંચી..અને એ હતી દાવડાજી રચીત કાવ્ય પોસ્ટ.
દાવડાજીએ મારા જીવન વિષેની કાવ્ય પોસ્ટ વાંચી “ચાલીસા” લખવાનું સુચન કરેલું, અને મેં ચાલીસા લખવા વિનંતી કરેલી એથી જ એમણે રચના કરી હતી.
એમને ભલામણ કરી તેની સાથે મેં પણ ચાલીસા રચવાનો પ્રયાસ કર્યો….અને, એ પ્રયાસના કારણે આજની આ કાવ્ય પોસ્ટ છે.
આશા છે કે તમોને ગમે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Poem with 40 Verses & so it is a CHALISA.
It is a Poem in Gujarati with the title “CHANDRA ATMA CHALISA” meaning 40 Versed STORY of the SOUL of CHANDRA.
It is a NARRATION of the JOURNEY of CHANDRAVADAN in this WORLD but told as the JOURNEY of the SOUL (as it reveals the INNER THOUGHTS of CHANDRAVADAN as a PERSON.
Within that Narration is the BIRTH…YOUTH & the OLD AGE of Chandravadan’s Journey with the BHAKTI ( Devotion to God) Path via the JAN SEVA ( Service to Humanity).
At the END of the Poem, the ADVICE to ALL is to REVIEW the Journey of the LIFE on this EARTH, and make the CHANGES that will lead one towards the ALMIGHTY (God) or towards the SALVATION.
Hope you like the MESSAGE !
Dr. Chandravadan Mistry






Recent Comments