Archive for એપ્રિલ 25, 2011
સત્યસાંઈબાબાને વંદન !
With the LINK below, may you all have the DARSHAN of Shree SATYA SAIBABA>>>>>
સત્યસાંઈબાબાને વંદન !ઓ,મેરે સાંઈ…..
વંદન કરી, દઉ છું એક અંજલી મારી,
સ્વીકારો….ઓ મેરે સાંઈ !………..(ટેક)
સત્ય,શ્રધ્ધા,સબુરી પંથે…
ભક્તજનોને તમે રંગે…
વિશ્વભરમાં….તમે ધર્મ ધજા રે ફરકે,
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે…(૧)
શિરડીમાં સાંઈ અવતરે….
પુટપર્થીમાં સત્યસાંઈ અવતરે….
વિશ્વભરમાં…ધર્મજ્યોત ફરી પ્રગટે,
યાદ કરી….વંદન કરૂં હું તમને !……ઓ મેરે….(૨)
૨૦૧૧માં ૨૪, એપ્રિલ દિવસે….
પ્રાણ સાંઈ સૌ પ્યારા રે ત્યાગે….
વિશ્વભરમાં…..રૂદને ભક્તો-નયના અર્શુ વરસે,
યાદ કરી….વંદન કરૂં હું તમને !…..ઓ મેરે……(૩)
ભક્તો હૈયે તો સાંઈ રહે….
સાંઈ શ્રધ્ધામાં ભક્તો રહે….
વિશ્વભરમાં ….સાંઈબાબા તો અમર રહે,
યાદ કરી….વંદન કરૂં હું તમને !……
ઓ મેરે….(૪)
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૨૫, ૨૦૧૧ ચંદ્રવદન.
બે શબ્દો…તારીખ ૨૪મી એપ્રિલ,૨૦૧૧ના દિવસે સત્યસાંઈબાબા આ દુનિયા છોડી પરમધામે ગયા.
ધર્મની સમજ “માનવતા”ના ગુણોમાં કહી, સૌને શિરડી અવતારે શીખનું ફરી યાદ કરાવ્યું.
આ કાવ્ય દ્વારા બાબાને અંજલી આપવાનો મારો પ્રયાસ છે !
સૌ પર સાંઈ ક્રુપા હંમેશા વરસતી રહે એવી પ્રાર્થના !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
On Sunday, 24th April, 2011m Shree Satya SaiBaba departed from this Earth.
He gave the Message of “All Religions” are ONE…The God is ONE…And that the Path
to reach the God is through TRUTH..FAITH & SEVA.
Saibaba will be AMAR in his Teachings !
Let us all pay our RESPECTS to him !
Dr. Chandravadan Mistry.
|
તાજેતરની ટિપ્પણીઓ