વૃધ્ધમાનવ પૂકાર

જૂન 10, 2009 at 4:33 પી એમ(pm) 16 comments

 ist2_8394552-old-man-with-walking-f.jpg old man image by jamaeh077

વૃધ્ધમાનવ પૂકાર

એક વૃધ્ધ માનવી પૂકારી રહ્યો…….
શાળામાં ભણતો હતો, ત્યારે કોલેજ જવાની ચીંતાઓ હતી,
કોલેજમાં ભણતો હતો, ત્યારે નોકરીની ચીંતાઓ હતી,
સારી નોકરી મળી, ત્યારે પરણવાની ચીંતાઓ હતી,
પરણી ગયો, ત્યારે સંતાનોની ચીંતાઓ હતી,
સંતાનો થયા, ત્યારે સંતાનો મોટા ક્યારે એની ચીંતાઓ હતી,
સંતાનો મોટા થયા, ત્યારે એમને પરણાવવાની ચીંતાઓ હતી,
સંતાનો પરણાવ્યા, ત્યારે પૌત્ર-પૌત્રીઓની ચીંતાઓ હતી,
પૌત્ર-પૌત્રીઓને રમાડતા, નોકરીમાંથી ક્યારે નિવૃત્તિ હશે એની ચીંતઓ હતી.
અને, ત્યાં અચાનક, માનવી જગ્યો, અને વિચારતો રહ્યો……
અરે, આવી ચીંતાઓમાં હું તો માનવી તરીકે જીવન જીવવાનું જ ભુલી ગયો,
અરે, પૈસા ભેગા કર્યા પણ અન્યને સહાય કરવાનો જરા વિચાર ના કર્યો,
અરે, જીવન એવું  જીવ્યો કે તંદુરસ્થી મારી જ ગુમાવી બેઠો,
અરે, ભક્તિપંથથી દુર રહી, પ્રભુ-સ્મરણ પણ ભુલી ગયો,
અરે, આ તે કેવી જીંદગી હું જીવ્યો ?
અરે, “મૃત્યુ કદી ના આવશે “એવા પાગલપણામાં જાણે જીવ્યો !
ત્યારે ચંદ્ર અંતે કહે એને…….
અરે, મુરખ માનવી, અમુલ્ય છે આ જીવનની એક એક ઘડી,
કર્તવ્ય-પાલન કરતા, શુભ કાર્યોમાં હોય તારી હર ઘડી,
જે સમયે જે મળ્યું તે માટે પ્રભુ-ઉપકાર માનવાની છે ઘડી,
સંતોષી જીવને, ભક્તિરસથી પ્યાસ તારી બુજાવી લેવી હર ઘડી,
બસ, આટલું ધ્યાનમાં લઈ, હવે, હંકાર આ જીવન-નૈયા તારી,
“કરશે ભવસાગર પાર તું ” એવી શ્રધ્ધાભરી છે આ ચંદ્રવાણી !
 
કાવ્ય રચના…..જુન, ૫. ૨૦૦૯              ચંદ્રવદન.
( આ રચના છે એક ઈમેઈલમાં મળેલી અંગ્રેજી લખાણ આધારીત છે…લખનાર “એક વૃધ્ધ” )
 

બે શબ્દો

તારીખ, જુન, ૫. ૨૦૦૯ અને મારા સ્નેહી તરફથી એક ઈમેઈલ આવ્યો. એમાં, અંગ્રેજીમાં એક લખાણ હતું, જેમાં શબ્દો હતા એક વૃધ્ધના. લેખક કોણ એની જાણ ન હતી. છ્તા, મારા સ્નેહીએ ભલામણ કરી કે આ વિચારો “ચંદ્રપૂકાર ” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરો…….જે વાંચ્યું તે મને પણ ગમ્યું, અને પ્રભુપ્રેરણાથી એક કાવ્યરચના શક્ય થઈ, આથી, આ રચના માટે એ ઈમેઈલના લેખકનો હું આભારીત છું.અને, આ કાવ્ય લખાણ બાદ, હું વિજયભાઈ શાહના બ્લોગ “વિજયનુંચિંતન જગત “પર ગયો તો એક ઈમેઈલરૂપી પોસ્ટ વાંચવા ક્લીક કર્યું તો અચંબો થયો……મારા સ્નેહીએ મોકલેલી માહિતી હતી, અને જાણ્યું કે ઈમેઈલ મોકલનાર હતા અક્બર અલી નરસી……વિજયભાઈને રચેલ કાવ્ય પોસ્ટરૂપે પ્રગટ કરવાની ઈચ્છાની જાણ કરી. તો, આજે તમે એ કાવ્ય વાંચી રહ્યા છો તેનો મને આનંદ છે…તમે જરૂરથી તમારો પ્રતિભાવ પણ આપશો.>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS
This Post with the Poem in Gujarati is because of an Email wih an attachment in English which coveyed the FEELING of AN OLD MAN…..It seems that the message originated from AKABAR ALI NARSIH…..I only wrote “those feelings ” in a Poem in Gujarati. The actual Email message is published here>>>>>
 
 
 

 

 

 
moise

 

 

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૭) અરે !..આ જ હું !

16 ટિપ્પણીઓ Add your own

  • 1. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 10, 2009 પર 11:01 પી એમ(pm)

    LET ME BE THE 1ST to POST the !ST COMMENT for the PUBLISHED POST>>>>>>>

    I am sorry…..I had mentioned of visiting Vijaybhai’s Blog “VIJAYNU CHINTAN JAGAT ” & then reading that Email of Akbar Ali Narsih…BUT, that is NOT TRUE ! Yes, on the same day I visired another Blog of Vijaybhai entitled ” NIVRUTTIMAA PRAVRUTTI ” & it is on that Blog I read that Email….If you Click on the script with ” How True !!!!! Email from Akbar Ali Narsii ” you can go to that Site & read that Post too OR you can click on the LINK below>>>>>
    નિવૃત્તિ ની પ્રવૃત્તિ
    I hope you are liking this Post ! Chandravadan.

    જવાબ આપો
  • 2. Capt. Narendra  |  જૂન 11, 2009 પર 12:45 એ એમ (am)

    Very nice adaptation! It is appropriate in this age and time, and putting it in Gujarati, you have reached so many hearts! Thanks for sharing.

    જવાબ આપો
  • 3. Priyanka Chaudhari  |  જૂન 11, 2009 પર 1:02 એ એમ (am)

    Very true, especially for all old people like you and me.

    In my humble opinion, It is better if you write in simple prose, rather than a poem without rhythm.

    જવાબ આપો
    • 4. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 11, 2009 પર 1:56 એ એમ (am)

      I attemped to reply you by an Email but failed & so I am postin it as my Comment>>>>>

      ear Priyanka,
      THANKS a lot for your Comment !
      I know I am NO KAVI…my creations are NOT EVEN POEMS….My Gujarati is NOT GREAT…& I only try to express my HRADAYBHAVO in words which may or may not rhyme……Please do REVISIT my Blog & View OLDER POSTS too…& come back for the NEW POSTS>>>>>chandravadan Bhai

      જવાબ આપો
  • 5. Ramesh Patel  |  જૂન 11, 2009 પર 2:17 એ એમ (am)

    Let me add by my way …

    વાયુ વેગે વહી જીંદગી , પૈસા પાછળ દોડ્યા

    સંસારની વાડી ફૂલી ફાલી, વીત્યા દિવસને રાત

    સમૃધ્ધિ દેખી ભૂલ્યા નીજને, મનડું ચડ્યું ચગડોળ

    જોબન જાતાં વારના લાગી, તૂટ્યા હામને જોમ

    ઘડપણની વ્યથા દેહનાં કામણ આજે છે કરમાણાં

    વ્હાલા વેરી સમજે નકામા ,પાદર થયા પરદેશ્

    This is a real story of everybody but if we awake
    ,we gain something .which is eternal from this life.

    Ramesh Patel(aakashdeep)

    જવાબ આપો
  • 6. pragnaju  |  જૂન 11, 2009 પર 4:55 એ એમ (am)

    વિજ્ઞાનના ઝડપી વિકાસના કારણે પેઢીઓ વચ્ચેનું અંતર બહુ જ વધતું જાય છે. વળી ઘણી વખત વૃધ્ધ વ્યકિતના અહમ એટલા બળવાન બની જાય છે કે એમનાં માટે મનમાં લાગણી હોવા છતાં એમને અનુકૂળ થઇને જીવવાનું શક્ય જ નથી હોતું. એમના આગ્રહો પણ ઘણી વાર બહુ જ જડ હોય છે. પણ જેમને આપણને જન્મ આપ્યો અને આપણા તરફની મમતાને કારણે અનેક ભોગ આપ્યા એમની આંતરડી તો ઠારી શકાય. મોટે ભાગે વૃધ્ધોને ચટાકેદાર, ચટપટું ખાવાનું બહુ ભાવતું હોય છે. પણ શારીરિક અને આર્થિક પરવશતાને કારણે એ વ્યકત કરતા નથી. પ્રેમ અને કાળજીથી એમની આ માંગ પૂરી કરવામાં આવે તો મોટાભાગનાં વૃધ્ધો સુખી થઇ જતાં હોય છે. એમનું મન ભર્યુ રહે છે. ઉપરાંત, વૃધ્ધ મા કે બાપ પાસે બેસીને દીકરો કે વહુ એમની જૂની વાતો રોજે દસ મિનિટ પણ સાંભળે તો બીજી કોઇ વાતમાં મતભેદ થતાં સવિનય પોતાનો મત-આગ્રહ જણાવવાથી વૃધ્ધો એટલાં નારાજ થતાં નથી. આ થયું કૃતજ્ઞતાનું પુણ્ય.હાલ આવા વૃધ્ધોને જોઈ ખૂબ આનંદ થાય છે
    માંડ માંડ વોકરથી બે ડગલા ચાલી શકતા અને બેચાર માણસોની સહાયથી પલંગમાંથી ઊઠી શકતા મધુબહેન યોગ ચાલુ કર્યાના ચાર દિવસમા જ પોતાની મેળે પલંગમાંથી બેઠા થયાં અને વોકર વિના ચાર ડગલા ચાલ્યાં. અને પછી તો રોજ સવારે પાંચથી આઠ વાગ્યા દરમિયાન યોગાસન કરવા માટે તેમને જાણે કે કેફ ચઢ્યો. ધીરે ધીરે તેઓએ તમામ દવાઓ છોડી દીધી. કમર અને થાપાનો દુ:ખાવો ઓછો થવા લાગ્યો. અને એક સવારે તો તેઓ પોતાની મેળે ઘણા અંતર સુધી ચાલ્યાં

    જવાબ આપો
  • 7. Mayur Prajapati  |  જૂન 11, 2009 પર 5:18 એ એમ (am)

    chandravadanbhai,

    very nice

    http://www.aagaman.wordpress.com
    Mayur

    જવાબ આપો
  • 8. atuljaniagantuk  |  જૂન 11, 2009 પર 4:52 પી એમ(pm)

    બાલાસ્તાવત્ક્રીડાસક્ત
    સ્તરુણસ્તાવતરુણીસક્ત: |
    વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્ત:
    પરમે બ્રહ્મણિ કોડપિ ન સક્ત: ||
    ભજ ગોવિન્દમ્ || 7 ||

    બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે, વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે ! કોઈ પણ પરબ્રહ્મમાં આસક્ત થતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

    જવાબ આપો
  • 9. atuljaniagantuk  |  જૂન 11, 2009 પર 4:54 પી એમ(pm)

    અંગં ગલિતં પલિતં મુણ્ડં
    દશનવિહીન જાતં તુણ્ડં |
    વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડં
    તદપિ ન મુઝ્હ્યત્યાશાપિન્ડમ ||
    ભજ ગોવિન્દમ્ || 15 ||

    જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

    જવાબ આપો
  • 10. atuljaniagantuk  |  જૂન 11, 2009 પર 4:55 પી એમ(pm)

    દિનયામિન્યૌ સાયં પ્રાત:
    શિશિરવસન્તો પુનરાયાત: |
    કાલ: ક્રીડતિ ગચ્છત્યાયુ
    સ્તદપિ ન મુઝ્ચત્યાશાવાયુ: ||
    ભજ ગોવિન્દમ્ || 12 ||

    દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

    જવાબ આપો
  • 11. atuljaniagantuk  |  જૂન 11, 2009 પર 4:56 પી એમ(pm)

    યાવદ્વિત્તોપાર્જનસક્ત
    સ્તાવન્નિજપરિવારો રક્ત: |
    પશ્ચાજ્જીવતિ જર્જરદેહે
    વાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે ||
    ભજ ગોવિન્દમ્ || 5 ||

    જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે. જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

    જવાબ આપો
  • 12. Natu Desai  |  જૂન 11, 2009 પર 8:11 પી એમ(pm)

    Chandravadnbhai, You have nicely translated the theme in your pukar. In the english version a human being is dying to achive things throughout his life but he forgets to live. Thank you for your version . Natu

    જવાબ આપો
  • 13. Ramchandra Prajapati  |  જૂન 12, 2009 પર 5:13 એ એમ (am)

    It’s true in real life. every Guys knows Time will not stable every time. “PARIVATRTAN SANSAR NO NIYAM CHE” Lord Shree Krishna said in “GEETA” Adhay 2. i thing every person will get result with his/her “KARMA” If person will go on “BHAKTIPATH”, they never feel tension.

    જવાબ આપો
  • 14. Dilip Gajjar  |  જૂન 12, 2009 પર 7:45 એ એમ (am)

    vruddhastavt chinta magna…pare brahmani kopi na lagna…જે સમયે જે મળ્યું તે માટે પ્રભુ-ઉપકાર માનવાની છે ઘડી, Very real thinking…Chintathi chita sudhi…jagya tyathi savar….bhakti jivan no saar..lai jaye bhav paar…bhaj govindam

    જવાબ આપો
  • 15. "મન"  |  જૂન 12, 2009 પર 7:59 એ એમ (am)

    Radhe Krishna kaka,

    Its really nice. you make a great poem from this email by taking inspiration,

    and also very very thankfull to support me in man no vishvas. I hope i’ll try that i fullfill place as vish has created..

    yours મન

    જવાબ આપો
  • 16. Natver Mehta  |  જૂન 13, 2009 પર 1:59 એ એમ (am)

    વૃધ્ધાવસ્થા એવી અવસ્થા છે કે એને આવકારવી અઘરી છે અને એ દબાતે પગલે આવે. એને આવકારવા માટે મન તૈયાર રાખવું પડે કારણકે ક્યારેક તન તો તુટી રહ્યું હોય.

    દબાતે પગલે આવાતા વૃધ્ધત્વને આવકારીએ
    અને ક્યારેક નાનાની વાતને સહજ સ્વિકારીએ.

    ચાલશે ભાવશે ફાવશે અને જે છે તે ગમાડીએ

    નકામા થઈ ગયાની એવી ભાવનાને નકારીએ.

    નાનાની નાની નાની વાતોથી ખોટું ન લગાડીએ
    આપણે મોટા થઈને પાછા નાના બની જઈએ

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,354 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930