Archive for જૂન 4, 2009

ગગન દ્વાર

 
 
 
 
 
 
 
 
 
 
 
 
                    ગગન દ્વાર
 
ગગનનાં દ્વાર ખોલ, ઓ ગગનમાં રહને વાલા,
આ જગતના માનવી સંગે તું બોલ,
                            ઓ દયા કરનેવાલા….(ટેક)
માનવી મનડુ મારૂ, અતી ચંચલ રહ્યું,
નથી હાથમાં રહેતુ કે ન માને કહ્યું,
ઓ, પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર…. (૧)
સંસારની માયાનો કેદી બન્યો હું,
બધે અંધકાર દેખી રહ્યો હું,
ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                 ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર… (૨)
જગતમાં જીવન જીવવા પ્રયાસો કરૂ હું
એમાં પણ ભૂલો ઘણી  કરૂ હું,
ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                 ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર… (૩)
ચંદ્ર કહે, હવે ગગન દ્વારે આવી પડ્યો હું,
ઓ પ્રભુજી, શરણુ તારૂ  માંગી રહ્યો હું,
                                  ગગનનાં દ્વાર… (૪)
કાવ્ય રચનાઃ
એપ્રિલ ૧૮, ૧૯૯૧
 

 

બે શબ્દો

” સંસાર અને સબંધો “ના વિષયે આજે “ગગન દ્વાર ” નામે આ છેલ્લી પોસ્ટ છે. આ કાવ્યરૂપે પ્રભુ સાથે એક વાર્તાલાપ છે. એક માનવ તરીકે જન્મ લેતા, માનવી સંસારનો થાય છે, અને અન્ય સાથે “સબંધો ” બાંધવાનો હક્કદાર થય છે. આગળ પ્રગટ કરેલી પોસ્ટૉ દ્વારા તમે જાણ્યું કે એ સબંધો મનુષ્ય-મનુષ્ય વચ્ચે કે પછી સંસારી ચીજો સાથે…….પણ, એક અગત્યની વાત રહી ગઈ છે, અને એ તે ” પ્રભુ સાથેનો માનવ સબંધ “. અને, “ગગન દ્વાર “કાવ્ય દ્વારા માનવી એની અપુર્ણતાની કબુલાત કરી, પ્રભુને દયા કરવા વિનંતી કરે છે, અને, જાણે એની જીવન સફર પ્રભુ નજીક જવાના હેતું સાથે જ હોય તેવા ભાવે એ ગગન દ્વાર નજીક પહોંચી, ગગનના માલીક (પ્રભુજી )ને દ્વારો ખોલી શરણું આપવા અરજી કરે છે.
“સંસાર અને સબંધો “ના વિષયે આ કાવ્ય મને ખરેખર યોગ્ય લાગ્યું, અને આ કાવ્ય સાથે આ વિષય પુર્ણ થાય છે. તમે આ પોસ્ટરૂપે પ્રગટ કરેલા કાવ્યમાં પીરસેલા ભાવનૉ સ્વીકાર કરશો…….મારા આ લખાણથી કદાચ તમારો મત જુદો પણ હોય શકે……તો, આ પોસ્ટ વાંચી, તમે તમારા ” બે શબ્દો “પ્રતિભાવરૂપે મુકશો તો એ વાંચી, મને ઘણો જ આનંદ થશે….તો, લખશોને ?………ચંદ્રવદન
 
 
FEW WORDS
 
Today’s post is entitled ” Gagan Dwaar ” meaning ” Door to Univesse ( Heaven ) “
The Poem in Gujarati descibes a Human who is lost in this world & trying to reach the doorstep of the Heaven & be with God…..The Poet in the Poem brings the individual to the doorstep so that He can ask for the shelter from the Almighy. By this Poem, the subject of ” Sansaar ane Sabandho…..meaning Relationships of the World ” ends. Afterall, ALL HUMAN RELATIONS in this World can be “complete” with the presence of God ! I hope you like this message & may you try to lead a life in this World on this ideal !>>>>>>CHANDRAVADAN.

જૂન 4, 2009 at 5:02 પી એમ(pm) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,351 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930