Posts filed under ‘વ્યક્તિ પરિચય/મિત્રતા’

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)…..ઊર્મી

 
 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૦)….. ઊર્મી 

 
 

ઊર્મીસાગરને તો સૌ જાણે !

ઊર્મીસાગરને તો સૌ જાણે ! …..(ટેક)
  
“ચંદ્રપૂકાર”બનતા, બ્લોગ્જગતે ચંદ્ર રમે,
  
“ઊર્મીસાગર” અને “ગાગરમાં સાગર”બ્લોગો એ નિહાળે,
  
પ્રતિભાવો એમાં મુકતા, ખુશી છે એને !
  
યાદ છે ઊર્મી તને એ ?…….ઊર્મીસાગરને તો…(૧)
  
અરે, એકવાર ઊર્મી-બાળકાવ્યની ખુશીમાં ,
  
લખ્યું કંઈક થોડા ઊર્મી-શબ્દો ચુંટી, હ્રદયભાવમાં,
  
તો, “આ છે થયું ખોટું “કહે સખી જયશ્રી પ્રેમભાવમાં,
  
યાદ છે ઊર્મી તને એ ?……ઊર્મીસાગરને તો….(૨)
  
“બે સહેલીનો સંવાદ”કાવ્ય લખી, ઊર્મી-યાદ ભરી,
 
એક પ્રતિભાવે “ચંદ્રપૂકાર”માં મુકી, ઊર્મી ચંદ્ર-માર્ગદર્શક બની,
 
“લાબું લખાણ પોસ્ટરૂપે કોઈ ના વાંચશે” ઊર્મી-સલાહ હતી
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…(૩)
 
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ની પોસ્ટ વાંચતા, ઊર્મીને વધુ જાણી,
 
 એને એક માતા, એક પત્ની  સ્વરૂપે જાણી,
 
બાંધ્યો છે ઊર્મીએ સ્નેહસંબંધ મુજને “કાકા” કહી !
 
યાદ છે ઊર્મી તને એ ?…..ઊર્મીસાગરને તો…..(૪)
 
 
કાવ્ય રચના..તારીખ માર્ચ ૨૯. ૨૦૧૦           ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજે તમે નારીઓ વિષેની આ છેલ્લી પોસ્ટ વાંચો છો !
 
 
http://urmi.wordpress.com/
અને….
www.urmisaagar.com
અને…..
http://urmisaagar.com/saagar/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>>>
 
ઊર્મીસાગર નામે એંણે ગુજરાતી વેબ-જગતના અનેકના દીલો જીતી લીધા છે …..ગુજરાતી સાહિત્યનું પીસરી, એણે અનેકમાં “સાતિત્ય-પ્રેમ” જાગ્રુત કર્યો છે !….મને  “કાકા” કહી, માન આપ્યું તે કદી ભુલાશે નહી, અને એ મારી દીકરી-સમાન એક “ભત્રીજી” છે , જેણે મારૂ દીલ જીતી લીધું છે !
એ હંમેશા સુખી આનંદીત અને તંદુરસ્ત રહે એવી પ્રાર્થનાઓ…અને, એના બ્લોગો દ્વારા અનેકને “મહેક” મળતી રહે !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today it is JUNE, 19th 2010…it is a day before the FATHER’S DAY !
Today you are  viewing this Post…it is on URMI or URMISAGAR.
Urmi’s contrbution to the GUJARATI WEBJAGAT is measured by her activity on her Blogs & also her involvement with OTHER BLOGS.
 
HAPPY FATHER’S DAY to ALL !
 
CHANDRAVAAN
 

June 19, 2010 at 7:11 pm 15 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

 
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૯)……જયશ્રીબેન ભક્ત.

 
 

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?

ગુજરાતી બ્લોગજગતના જયશ્રીને કોણ ના જાણે ?….(ટેક )
  
૨૦૦૭માં વિજયભાઈ શાહ સહકારે “ચંદ્રપૂકાર”બનતા,
  
ખુશીમાં અનેક બ્લોગોની મુલાકાતો લેતા,
  
જયશ્રીબેનના “ટહુકો”પર પહોંચતા,
  
ગીતો વાંચી, સાંભળી, ખુશ હતો હું !
  
અરે, આ જ છે એ જયશ્રી !…….ગુજરાતી બ્લોગજગતના…(૧)
  
વિજયભાઈ પણ કહે, “બ્લોગજગતે જયશી-સલાહો હોય સારી”,
  
પ્રતિભાવ મારો “ટહુકો”પર મુકવા હતી હવે ઈચ્છા મારી,
  
એક પ્રતિભાવ ટહુકો પર કરતા, જયશ્રી ચંદ્રપૂકારમાં પધારી,
 
જયશી-અભિન્દન મળ્યાથી ખુશ હતો હું !……ગુજરાતી બ્લોગજગતના….(૨)
 
“ચંદ્ર”વેસ્માનો, અને બારડોલી રહીશ છે જયશ્રી,
 
“વેસ્મા તો મારૂં જોયેલું અને જાણેલું “કહે જયશ્રી,
 
અને, ઈમેઈલ કરી, મુજને “કાકા”કહે જયશ્રી,
 
એવા સ્નેહસંબંધનમાં ખુશ હતો હું !…..ગુજરાતી  બ્લોગજગતના……(૩)
 
મળ્યો અમિત જીવનસાથી સ્વરૂપે, હવે જયશ્રી એકલી નથી !
 
૨૦૦૯માં પહેલી વેડીંગ એનીવસરીની શુભેચ્છાઓ મીં કહી,
 
લોસ એન્જીલીસથી દુર જયશ્રી, છ્તાં જયશ્રી હૈયે ખુશી હતી ,
 
બસ, એટલું જાણી ખુશ હતો હું !…..ગુજરાતી બ્લોગજગતેના….(૪)
 
 
કાવ્ય રચના,,,તારીખ માર્ચ, ૨૭,૨૦૧૦            ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

 
એક વિસ્તારના , એક ભાષા બોલનારાનો ભેટો જ્યારે પણ થાય ત્યારે એક અનોખો આનંદ હૈયે વહે  છે.
હું જયશ્રીને રૂબરૂ મળ્યો તો નથી…પણ, બ્લોગ જગતે  ગુજરાતી ભાષાને દિપાવવા જયશ્રીનો ફાળો અમુલ્ય છે !..એણે જુના તેમજ નવા ગુજરાતી ગીતોને પોસ્ટોરૂપે મુક્યા…સાથે ઓડીઓથી એમાં “સુર” મુક્યો…..જે વાંચી, સાંભળી, અનેક ખુશ થયા. “ટહુકો”બ્લોગે નામના મેળવી…જયશ્રીબેનને પણ સૌ જાણવા લાગ્યા….જ્યારે જયશ્રીએ  ગુજરાતી વેબ્જગતમા શરૂઆત કરી ત્યારે ગણાય તેવા થોડા બ્લોગો હતા…આજે તો અનેક ગુઅરાતી બ્લોગો છે ..સૌના નામો જાણવા અસંભવ છે. આથી, જયશ્રી જે શક્ય કર્યું તે માટે એને વંદન છે મારા !
 
 
એક નામથી ઓળખાણ…..પ્રથમ મિત્રતાનો ભાવ….અને અંતે  કાકા-ભત્રીજીરૂપી સ્નેહ સંબંધ !….આવું કોણે કર્યું ? …જરૂર પ્રભુએ જ કર્યું !
 
તમારે જો જયશ્રીબેન ભક્તને વધુ જાણવા હોય તો એમના બ્લોગ “ટહુકો”ની મુલાકાત લેવી જ જોઈએ..એ માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://tahuko.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે…>>>>
 
ગુજરાતી બ્લોગ-જગતમાં મિત્રતાના અમી ઝરણે જયશ્રીનો પરિચય થયો…..અને એણે એની ઉદારતાથી મને કાકા કહી માન આપ્યું , તે કદી મારાથી ભુલાશે નહી !…અને, પ્રભુને પ્રાર્થના કરૂં કે  જયશ્રી અમિતની જોડી હંમેશા સહીસલામત રાખે, અને એમનું જીવન આનંદભર્યું રહે….અને નોકરી/કામો કરતા કરતા, પ્રભુ જયશ્રીને સમય આપે કે એ “ટહુકો”માં નવી નવી પ્રસાદીઓ પીરસતી રહે !
 
ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today you are reading a New Post….It is on JAYSHREE BHAKTA
Well, Jayshree has earned her name in the Gujarati BlogJagat with her Blog “TAHUKO” which had become popular with the Gujarati GEET/KAVYO.BHAJANS with the written Scripts & with the AUDIO/VIDEO attachments…..The Visitors to the TAHUKO were happy to hear the Geets/Kavyo/Bhajans.
I was the ONE who had visited Tahuko & was impressed !

You may know Jayshree better by visiting her Blog TAHUKO by this LINK>>>

 
http://tahuko.com/
 
 
CHANDRAVADAN

June 14, 2010 at 3:28 pm 17 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 rekha
 

વ્યક્તિ પરિચય…મિત્રતા (૮)……રેખાબેન સિંધલ.

 
 
 

રેખાબેન સિંધલ કોણ ?

રેખાબેન સિંધલ કોણ હશે ?
 
પુછો એવું, તો તમે એ જાણવું પડશે !…….(ટેક )
 
“ચંદ્રપૂકાર”કર્યા બાદ, હું તો હતો બ્લોગ જગતે,
 
અનેક બ્લોગો પર હતું “રેખા સિંધલ”નામ અનેક પ્રતિભાવે,
 
કોણ હશે ? ક્યાં હશે ? પ્રશ્ર્નો એવા મારા મનમાં રમે,
 
હાલત એવી હતી મારી !……….રેખાબેન…….(૧)
 
“ચંદ્રપૂકાર” પર મહેમાન બની રેખાબેન આવી ગયા,
 
પ્રતિભાવે “સુંદર શબ્દો” પ્રસાદી મુકી ગયા,
 
ઈમૅઈલ એડ્રેસ એમનો આપી ગયા,
 
હાલત બદલાય છે મારી !……રેખાબેન……(૨)
 
ધીરજ ખોઈ, કર્યો એક ઈમેઈલ રેખાબેનને,
 
જવાબ તરત આપ્યો  રેખબેને,
 
અનેક ઈમેઈલોમાં ખુશીઓ ભરી અમે !
 
હાલત હવે ખુશીભરી હતી મારી !…..રેખાબેન…..(૩)
 
જાણ્યો “અક્ષય પાત્ર”નામે બ્લોગ એમનો,
 
અમેરીકાના “ટેનેસી”ના રહીશરૂપે વાંચ્યો પરિચય એમનો,
 
કાવ્યો કે લેખો વાંચી, આનંદ મળ્યો મુજને
,
હાલત સ્નેહસંબંધે બંધાયેલી હતી મારી !…..રેખાબેન…(૪)
 
આવા સ્નેહસંબંધની યાત્રામાં, મળી એક બેન ભાઈને,
 
આવા સ્નેહસંબંધમાં ખીલે “ભાઈ-બેન”નું પુષ્પ જગતમાં,
 
અને, આવા સ્નેહસંબંધ માટે વંદન છે પ્રભુજીને !
 
હાલત આવી ખુશીઓ ભરીમાં રહી, , ચંદ્ર ન્રુત્ય કરે !
 
 
 કાવ્ય રચના તારીખ…માર્ચ, ૨૬, ૨૦૧૦          ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ દ્વારા તમે રેખાબેન સિંધલ વિષે જાણી રહ્યા છો !
તમે ઉપર પ્રગટ કરેલી “કાવ્ય” લખાણ દ્વારા રેખાબેન વિષે થોડું તો જાણ્યું !
રેકાબેનનું નામ એમણે બ્લોગો પર આપેલા પ્રતિભાવો વાંચતા પ્રથમ જાણ્યું …..અને પછી, હું એમના બ્લોગ “અક્ષય પાત્ર”પર જઈ, એમની પોસ્ટો વાંચી એમને વધુ જાણ્યા…..અને, રેખાબેન પણ મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર આવી એમના પ્રતિભાવો મુક્યા………ત્યારબાદ,  એમને ઈમેઈલો કરવાનો લ્હાવો મળ્યો.
હું જેમ જેમા રેખાબેનને વ્હધુ જાણતો ગયો…તેમ તેમ હું એમની નજીક જવા લાગ્યો…..એક બ્લોગર “મિત્ર”ભાવે નિહાળતા, એક “નાની બેન” સ્વરૂપે નિહાળતો થયો…અને જવાબરૂપી  ઈમેઈલોમાં એમણે મને “એક ભાઈ ” તરીકે માન આપ્યું !….આ રહી અમારો “ભાઈ-બેન”ના સ્નેહસંબંધની શરૂઆત…જે ધીરે ધીરે વધુ અને વધુ ખીલતી રહી છે !
આવા પવિત્ર સંબંધે બંધાયા બાદ, જે પરિચયરૂપે જાણ્યું તે……
રેખાબેન સિંધલ અત્યારે યુ.એસ.એ.ના “ટેનેસી” રાજ્યના રહીશ છે….એઓ અમેરીકામાં ૨૦ વર્ષથી વધૂ સમયથી અમેરીકામા પરિવાર સાથે સ્થાયી છે….અને, એમના વિષે કાંઈ વધુ લખું તે પહેલા, એમના બ્લોગ પર એમણે જ લખેલા શબ્દો મુકું છું >>>>
 
માઈક્રોબાયોલોજી અને શિક્ષણમાં સ્નાતક થયા પછી ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે કાર્ય કર્યું છે અને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકની મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું છે. ઘણા વર્ષો સુધી મેડિકલ લેબોરેટરીમાં ટેકનિશીયન તરીકે કામ કરેલ છે. સાથે સાથે ફૂલટાઈમ કૌટુંબિક જવાબદારીઓમાં ત્રણ પુત્રીઓની માતા અને ભારતીય પત્નીની રસોડા દ્વારા પતિને રીઝવવાની પ્રથા…..આ બધા આનંદ વચ્ચે ક્યારેક ક્યારેક કલમ ઉપાડીને લીટીઓ તાણ્યાનો આનંદ પણ માણ્યો છે. સામાજિક સંસ્થાઓમાં સ્વૈચ્છીક સેવાઓ આપતા રહેવાનો સતત પ્રયત્ન કરતી રહી છું. નેતાગીરી સ્વભાવ સાથે વણાયેલી છે એમ સૌ કહેતા હોય છે એટલે માનવું પડે છે બાકી ભાવપ્રદેશમાં કેડી કંડારવાની હજુ બાકી છે.
હવે શક્તિના પૂર ઓસરવા લાગ્યા છે ત્યારે કલમનો ટેકો વધુ યાદ આવે છે. અને એ ટેકે ટેકે આગળનો પંથ સરળ બને એવા પ્રયત્નમાં વાચકોનો સથવારો મળશે તો આ આનંદયાત્રા વધુ માણી શકાશે. એમ માનીને આ બ્લોગ શરૂ કર્યો છે. દેશ છોડ્યાને 2008માં વીસ વર્ષ થયા. હાલ યુ.એસ.એ.ના ટેનેસી રાજ્યમાં રહું છું. જન્મ વેરાવળ(સોમનાથના દ્વારે) 1956માં માર્ચની પહેલી તારીખે અને મૃત્યુ અમેરીકામાં થાય એવું ઈચ્છું છું કારણ કે આ ભૂમિ સાથે હવે વધારે માયા બંધાઈ ગઈ છે.
 
રેખાબેન સાહિત્ય પ્રેમી છે,…અને, સમય સમયે ગુજરાતી તેમજ અંગ્રેજી માં સુંદર લેખો લખી એઓ એમના બ્લોગ પર પ્રગટ કરે છે…અને, કોઈવાર “કાવ્યો”રચનાઓ પણ પ્રસાદીરૂપે બ્લોગ પર મુકે છે…..આવો રસ હોવા છતાં, એઓ પ્રથમ એક “ભારતીય નારી”તરીકે ગૌરવ અનુભવે છે, અને સંસારમાં રહી, “કર્તવ્ય-પાલન”ને ધર્મ માની, જીવનમાં આગેકુચ કરે છે ……એમના વિચારો એમના “પોસ્ટરૂપી લખાણ”માં જાણી, તેમજ  એમના “ઈમેઈલો”માં એમનો ઉંડો “લાગણીબાવ” નિહાળી, હું આટલું કહી શકું છું ….>>>”રેખાબેન, સત્યના પંથે ચલનારા દયા, લાગણીઓ ભરપુર નારી છે !”….એમણે જ એમના બ્લોગ પર  “ડીપ્રેસન” વિષે એક લેખ પ્રગટ કર્યો હતો….એમાં એમના જીવનમાં જે સહન કર્યું , સારવાર લીધી, અને જે સફળતા મેળવી એનું વર્ણન કરી, અનેક આવી માંદગી માટે સમજ-માર્ગદર્શન અનેકને આપ્યું  ….ખુલ્લા દીલે આવું પ્રગટ કરવું એ કંઈ સહેલું નથી !…..એમને એ માટે મારા વંદન ! 
રેખાબેન વિષે જે મેં જાણ્યું તે જ લખ્યું છે….પણ, તમારે એમના વિષે વધુ જાણવું હોય તો તમારે એમના બ્લોગ “અક્ષય પાત્ર” પર જવું જોઈએ, અને તે માટે “લીન્ક” (LINK) છે>>>>>
 
http://axaypatra.wordpress.com/
 
અંતે મારે આટલું જ કહેવું છે>>>>
 
રેખાબેનનું જીવન ચિન્તાઓ મુક્ત રહે, આનંદભર્યું રહે…..અને એમની ઈચ્છાઓ પ્રભુ પુર્ણ કરે, અને એમને તંદુરસ્તી બક્ષે !..બસ, આટલી જ એક ભાઈની એક બેન માટે પ્રાર્થના !
 
ચંદ્રવદન.
 
 
FEW  WORDS…
 
Today you are reading a Post on another individual…..and it is on REKHABEN SINDHAL of U.S.A.
Some of you know her.
She has her own Blog AXAYPATRA.
I have written this Post on Rekhaben, as I had known by reading the Posts on her Blog …& also by reading her comments on her other Blogs.
Then there were Email Contacts with her……and I was closer to her…..and I regarded her as my younger sister and she respected me as her brother.
You can know more about her by visiting her Blog by the LINK>>>>

 
 
Thanking you all in advance for reading this Post.
Your COMMENTS are welcome !
 
CHANDRAVADAN

 

June 10, 2010 at 12:40 pm 18 comments

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 

વ્યક્તિ પરીચય…મિત્રતા (૭)…નિતાબેન કોટેચા.

 
 
 

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !

મિત્રતાના ભાવે નિહાળી, બેન છે મારી !…..(ટેક)
 
ગુજરાતી બ્લોગોની સફરોમાં,
 
હતો હું “ટહૂકો” કે “ઊર્મીસાગર” બ્લોગોમાં.
 
નામ નિતા કોટેચા વાંચ્યું પ્રતિભાવોમાં,
 
એવી ઓળખાણ પ્રભુએ જ કરી હશે !……મિત્રતા….(૧)
 
“મનના વિચારો” બ્લોગ પર જાતા, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્રપૂકાર”પર નિતા-પ્રતિભાવો વાંચી, હતો આનંદ ચંદ્ર-હૈયે,
 
“ચંદ્ર-હૈયા” જેવો આનંદ જરૂર હશે નિતા-હૈયે,
 
આવી આનંદની ઘડીઓ પ્રભુએ જ કરી હશે !…..મિત્રતા….(૨)
 
હવે, તો, બ્લોગ-મુલાકાતો સિવાય ઈમેઈલથી સંર્પક હતો,
 
અરે, એડ્રેસ-ફોન જાણી, ચંદ્ર તો નિતાબેન નજીક હતો,
 
આવા “ઓળખાણરૂપી પુષ્પ”માં સ્નેહભાવ ખીલતો હતો !
 
આવી સ્નેહ-સબંધ ઘડીઓ પ્રભુએ જ કરી હશે !….મિત્રતા…(૩)
 
ચંદ્રે હ્રદયભાવો ખુલ્લા કરી, હ્રદય એનું હલકું કર્યું
,
રૂબરૂ મળવાની આશાઓ ભરી, હ્રદય એનું ફરી ભર્યું,
 
કહો  માયા કે પ્રેમભાવ એને તમે !
 
આવી ચંદ્ર-હાલત પ્રભુએ જ કરી હશે !….મિત્રતા….(૪)
 
 
તારીખ…માર્ચ ૨૦, ૨૦૧૦              ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે નિતાબેન કોટેચા વિષે !
 
તમે પ્રશ્ર્ન કરશો કે ….”કેવી રીતે તમે નિતાબેનને જાણો છો ?”
 
આ સવાલના જવાબરૂપે તમે ઉપર પ્રગટ કરેલા કાવ્ય દ્વારા થોડું તો જાણ્યું જ છે !
 
તેમ છતાં, આ “બે શબ્દો”ના લખાણ દ્વારા હું કંઈક વધુ કહેવા માંગુ છું .
 
પ્રથમ……તમે જાણ્યું કે ૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નો જન્મ થયો….હું તો આનંદમાં ગુજરાતી
 
 બ્લોગજગતમાં અનેક બ્લોગોની મુલાકાતો લઈ, જુદી જુદી પોસ્ટો વાંચતો…અને સાથે
 
 સાથે એ પોસ્ટો પર મુકાયેલા પ્રતિભાવો પણ વાંચતો…..અનેકવાર, નામ હતું “નિતા
 
 કોટેચા” !…..એ પ્રતિભાવો દ્વારા મેં જાણ્યું કે નિતાબેનનો પણ એક બ્લોગ હતો…અને એનું
 
 નામ હતું “મનના વિચારો “……આટલું જાણતા, મારૂ હૈયું મને તરત એમના બ્લોગ પર
 
 લઈ ગયું…..જુની પોસ્ટો વાંચી….અને એક પોસ્ટ પર મેં મારો પ્રતિભાવ મુક્યો…..અને
 
 નિતાબેનને મારા બ્લોગ “ચંદ્રપૂકાર”પર પધારવા આમંત્રણ આપ્યું …..અને, થોડા જ
 
 દિવસમાં નિતાબેન “ચંદ્રપૂકાર”પર હતા. એમના પ્રથમ પ્રતિભાવ વાંચી મેં મારા હૈયે
 
 આનંદ અનુભવ્યો….એમના મળેલા ઈમેઈલ દ્વારા એમને “આભાર” પાઠવવાની તક
 
 મળી…..પછી તો, એમણે મારા બ્લોગની અનેક મુલાકાતો લીધી…..અને મે પણ એમના
 
 બ્લોગની મુલાકાતો લીધી. અનેક ઈમેઈલો પણ એક્બીજાને થયા.
 
 
નિતાબેનની પોસ્ટોમાં એમના વિચારો જાણ્યા…..એમના પ્રતિભાવોમાં એમના વિચારો
 
 જાણ્યા……અને, એમના ઈમેઈલો દ્વારા એમના વિચારો જાણ્યા……હું હવે નિતાબેનને વધુ
 
 જાણતો હતો, વધૂ ઓળખતો હતો…….મારૂં મન મને કહે..”નિતાબેન ખુબ જ
 
 લાગણીઓભર્યા વ્તક્તિ છે !”….અને, મારા હૈયાની પણ એવી જ પૂકાર હતી !
 
મેં નિતાબેનને મારી એક “નાની બેન” સ્વરૂપે નિહાળ્યા…એમણે પણ મને એક “મોટા
 
 ભાઈ” કહી માન આપ્યું !
 
જ્યારે વ્યક્તિ હ્રદયમાં ખરી ઉંડી લાગણીઓ રાખે ત્યારે, કોઈ સાથે “સખી ”બની આનંદ
 
 અનુભવે…..જ્યારે સખીનું વર્તન એવૂં હોય કે હૈયે ખુબ દુ”ખ થાય….એવી જ એક
 
 ઘટનાના કારણે નારાજ થઈ નિતાબેન વિચારોમાં રહી, એમના બ્લોગ પર પોસ્ટો પણ
 
 ના મુકતા ત્યારે સુરેશભાઈ જાની તેમજ અન્ય તરફથી ફરી “ઉત્સાહ” રેડાયો…..અને,
 
 ત્યારે મારા પણ “ઉત્સાહ”ભર્યા શબ્દો ઈમેઈલઓથી હતા !…..ફરી એમનો બ્લોગ “મનના
 
 વિચારો “નવી પોસ્ટો સાથે “પ્રસાદીઓ” આપતો હતો. એ નિહાળી મારા હૈયે આનંદ હતો !
 
નિતાબેને ગુજરાતીમાં અનેક ટુંકી વાર્તાઓ લખી હતી….એમની કોઈક વાર્તાને “એવોર્ડ”
 
 પણ મળ્યું છે….અને જાન્યુઆરી ૨૦૧૦માં “મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય એકાડેમી” દ્વારા
 
 એક  ટુંકી વાર્તાઓનું પુસ્તક “મનન” પ્રગટ કર્યું ,,,,,ત્યારે એમના હૈયે તો ખુખી…..અને,
 
 મારા હૈયે પણ ખુખી….નિતાબેનને એ માટે ખુબ જ “અભિનંદન” !
 
 
એ પુસ્તક કવર છે……
 
 
હવે નિતાબેન વિષે શું લખું ?
 
નિતાબેન મુંબઈના ઘાટકોપર વિસ્તારના રહીશ છે….એઓ પરિવાર સાથે સુખી
 
 છે….દીકરીઓ માટેનો એમનો પ્રેમ ઉંડો છે…એમનું ભણતાર એજ એમની
 
 પ્રાર્થના….એમનો ગુજરાતી સાહિત્ય પ્રેમ પણ ઉંડો છે …..મેં તો જે જાણ્યું તે જ
 
 લખ્યું …..તમે નિતાબેનને વધુ જાણવા હોય તો જરૂરથી એમના બ્લોગ “મનના
 
 વિચારો”ની મુલાકાત લેશો ….એથી મને પણ આનંદ થશે !…..અને, જો શક્ય હોય તો
 
 એમની પ્રગટ કરેલ પુસ્તક “મનન” વાંચશો તો જરૂરથી એમના “વિચારો” તમે જાણી,
 
 નિતાબેનને ખરેખર જાણશો !
 
અને, એમના બ્લોગ પર જવા માટેની “લીન્ક” (LINK) છે>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
તમે “ચંદ્રપૂકાર”પર પધારી આ પોસ્ટ વાંચી તે માટે આભાર !…જો તમે તમારા “ભાવો”
 
 પ્રતિભાવરૂપે મુકશો તો વાંચી “આનંદભર્યો આભાર ” !
 
 
ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today you are reading a Post on another women….it is on NEETABEN KOTECHA of MUMBAI, INDIA.
How do I know her ?
Well, she is a BLOGGER…& has her own Blog “MANna VICHARO”.
As I surfed on the different Blogs of the GUJARATI WEBJAGAT, I came to know her by reading her COMMENTS on different Blogs & also by reading the POSTS on her Blog.
As I read her comments & her Posts, I realised that she is an individual with “deep feelings for others in her heart”…..She is very emotional too !….And, as i communicated with her via EMAILS, I was closer to her …I saw her as my “younger sister” and she respected me as her “brother”.
Neetaben had written many “short stories” (TUNKI VARTAO) in Gujarati…and one of her “vaarta” selected as one of the best and she received an Award fot that. She had also published a Book of “Tunki Vartao” in Gujarati entitled “MANAN”.
If you wish to visit her Blog, then the LINK is>>>>>
 
http://neeta-kotecha.blogspot.com/
 
I hope you enjoy reading this Post !
 
CHANDRAVADAN MISTRY

June 4, 2010 at 2:13 am 19 comments

વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

 
 Rajiv Pandya
PRAGNAJUBEN VYAS
 (NO PHOTO)
 

વ્યક્તિ પરિચય….મિત્રતા (૬)…પ્રજ્ઞાજુબેન વ્યાસ

 
  
  
 

ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !

મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)
  
ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,
  
પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
  
જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)
  
ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
  
 વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !
  
જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)
  
હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી ,
 
ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)
  
“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
  
આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)
  
પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,
   
પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
 
હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫)
 
ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
 
અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે !
 
હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)
 
તારીખ..માર્ચ, ૧૫, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજે ઘણા દિવસો બાદ, પ્રજ્ઞાજુબેન ફરી “ચંદ્રપૂકાર”પર આવી
 
અનેક પોસ્ટો માટે પ્રતિભાવો આપ્યા…અને આ કાવ્ય લખવા પ્રેરણા મળી !
 
>>>>ચંદ્રવદન.
 
 
 
 
 

બે શબ્દો…..

આજની “વ્યક્તિ પરિચય…મિત્રતા”ની પોસ્ટ છે પ્રજ્ઞાજુબેન વ્યાસના વિષે !
ગુજરાતી વેબજગતમાં થયેલા અનેક નારીઓના પરિચયોમાંથી મેં એમને મારા “મોટીબેન”સ્વરૂપે નિહાળી, આ પોસ્ટ પ્રગટ કરી છે !
 
પ્રથમ શા માટે ?
 
બ્લોગજગતની સફરોમાં અનેક બ્લોગોમાં એમના “પ્રતિભાવો” વાંચ્યા …..એમને થોડા જાણ્યા….અને, ત્યારબાદ, એમણે જુલાઈ, ૨૦૦૮માં એમનો બ્લોગ “નિરવ રવે” શરૂં કર્યો. અને, એમના એ બ્લોગ પર ફરી ફરી જતા એમને વધુ જાણ્યા. એમણે પ્રગટ કરેલી પોસ્ટો વાંચતા હું એમને વધુ સમજવવા લાગ્યો. આમ તો એમણે “ચંદ્રપૂકાર” પર આવી જે પ્રતિભાવો આપ્યા હતા એ આધારે, હું એમના “ઉંડા જ્ઞાન”થી પ્રભાવીત થઈ ચુક્યો હતો જ, પણ એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટોમાં અનેક વિષયોના દર્શન થયા…..ગુજરાતી કે અંગ્રેજી સાહિત્ય કે પછી ધર્મજ્ઞાનનો વિષય હોય…..કે પછી, ભુગોળ, ઈતિહાસ કે મેડીકલ જ્ઞાનનો વિષય હોય…..આવા વાંચન સાથે, જેને મેં “બેન” ગણ્યા, એમને મળવા માટે હૈયે “આશાઓ” જાગ્રુત થઈ…..ઈમેઈલથી એમના વિષે જાણવા મારા પ્રયાસો હતા. સફળતા ના મળી !…….શા માટે આવું હશે ?……મારૂં મન આનો જવાબ માંગતું રહ્યું ……અંતે જાણ્યું કે અમેરીકામાં “આઈડી”ની ચોરી થાય , અને એમને પોતાના વિષે પુરી માહિતીઓ ના આપવાની સલાહો હોય શકે …અને આ વિચાર એક “ડર” રૂપે હોય શકે…આ ફક્ત મારૂં અનુમાન છે !
 
એમના વિચારોને માન આપવું એ જ યોગ્યતા કહેવાય !…..હું એમને એમના “વિચારો”માં નિહાળતો રહ્યો.
 
એમના બ્લોગ પર પોસ્ટો વાંચતા, હું એમના વિષે જરા વધુ જાણી શક્યો……..જાણ્યું કે અમેરીકા આવવા પહેલા, એઓ સુરત, ગુજરાતના રહીશ હતા…..એમના ભાગ્યમાં પ્રફુલ્લભાઈ વ્યાસ પતિ/જીવનસાથી …..કદાચ, પ્રફુલ્લભાઈ સૌરાસ્ટ્રના હશે કારણ કે એમના લગ્ન બાદ થોડા સમય માટે પ્રજ્ઞાજુબેન ત્યાં હતા……અને , લગ્ન પહેલા, એમની અટક કદાચ “શુક્લ” એવી જાણ કોઈ પોસ્ટ દ્વારા થઈ ( ભુલ હોય તો સુધારવા ક્રુપા કરશો )…..એમને પ્રભુએ “દિકરા-દીકરીઓ”નું સુખ પણ આપી  ક્રુપા કરી હતી …..આજે એઓ સંતાનો સાથે ન્યુ જર્સીમા આનંદભર્યું જીવન ગાળી રહ્યા છે…..અનેક પોસ્ટોમાં એમની દીકરી “યામિની” ના કાવ્યો કે પછી એના સાહિત્ય જ્ઞાનના દર્શન “નાટકો” કે “પ્રગટ કરેલા પુસ્તકો” દ્વારા થાય છે….અને, સાથે સાથે જ્યારે જાણ્યું કે યામિની એક “ડોકટર/પેથોલોજીસ્ટ” છે ત્યારે મારા મારા મનમાં કોણ જાણે કેમ એક વિચાર આવ્યો…” પ્રજ્ઞાજુબેન પણ ડોકટર હોય શકે ને ? “
 
આ ઉપરનો વિચાર પણ ખોટો હોય….
 
તો, એમના ઉંડા વાંચનને જાણી, કદાચ એઓ એક “ટીચર” પણ હોય શકે ?
 
અરે, શા માટે હું આવા વિચારો કરૂં છું ? કદાચ, મારૂં મન એમને વધુ જાણવાના હેતુથી
આવું કરી રહ્યું હશે.
 
છોડો આ બધુ…..બેન જ એક દિવસ એમની ઈચ્છાથી જાણ કરશે !
 
અને, હા, એક અગત્યની વાત કહેવાનું તો ભુલી જ ગયો …..એકવાર, પ્રજ્ઞાજુબેનનો ઈમેઈલ મારા આવ્યો..એમાં જે લખ્યું હતું તે કોપી’પેસ્ટ  નીચે મુજબ>>>>
 
ડોકટરને બતાવવાનું થયું…તો સીધી સેરેઝોન લખી આપી…લાયબ્રેરીમાંથી આ અંગેના ઘણા ચોપડાનો અભ્યાસ કર્યો તો મઝાની વાતો જાણવા મળી.તે વખતના સુ.કો.ના વડા રેહન્ક્વીસ્ટ પણ મેડીકલ બેદરકારીનાં ભોગ બનેલા! અને અહીંના સમાજમાં પણ આ અંગે ઘણી બેદરકારી છે-તો આપણે તે તરફ ધ્યાન દોરવું
 
 
આ સલાહ મારા મનમાં રમતી રહી…..કેવી રીતે બ્લોગ પર “મેડીકલ જ્ઞાન” વિષે પોસ્ટો હોય શકે ?…..સમય વહેતો ગયો…..”ચંદ્રપૂકાર” પર અનેક પોસ્ટો પ્રગટ થઈ. એનો આનંદ હૈયે હતો, છતાં, “પ્રજ્ઞાજુ-સલાહ” મારા મનમાં ફરી ફરી આવતી હતી….અને એક દિવસ, ડીસેમ્બર ૨૦૦૯માં એક વિચાર આવ્યો…”માનવ શરીર/દેહ વિષે કંઈક “સરળ ગુજરાતી ભાષા”માં પોસ્ટરૂપે લખું કે જે દ્વારા સૌને “મેડીકલ જ્ઞાન” મળે, અને સાથે સાથે “માનવ-બિમારીઓ” સમજવાનો લ્હવો મળે”…..બસ, આટલા વિચાર દ્વારા “માનવ તંદુરસ્તી” નામકરણે જાન્યુઆરી ૨૦૧૦માં ”ચંદ્રપૂકાર” પર પોસ્ટો પ્રગટ થઈ….જે માટે એક ડોકટર તરીકે મને ખુબ જ આનંદ છે …અને, એ આનંદના ભાગીદાર છે પ્રજ્ઞજુબેન ! 
 
બે કે ત્રણ વર્ષ પહેલા, પ્રજ્ઞાજુબેને “૫૦મી વેડીંગ એનીવસરી” ઉજવી હતી …..હશે કદાચ ૨૦૦૭ની સાલ …તો લગ્ન હશે ૧૯૫૫ ( આગળ કે પાછળ )….તો, આજે એઓ હશે ૭૦ આસપાસ( more likely 75 years or more )…તો મારા “મોટીબેન” જ થયાને ?
 
ગુજરાતી બ્લોગજગતમાં ફરતા કોઈ પણને પ્રજ્ઞાજૂબેનનો ભેટો એમના “પ્રતિભાવો” દ્વારા થઈ જ જાય ….પણ, એમના બ્લોગ “નિરવ રવે ” પર જવા માટે “લીન્ક ” છે>>>>>
 
http://niravrave.wordpress.com/
 
મારા દીલમાં એમનો “ફોટો” ના જોયો એવો “અફસોસ” હંમેશા રહ્યો…..ત્યારે મારૂં મન મને ફરી ફરી કહેતું ..”હ્રદયમાં છે તો ફોટાની શી જરૂર ?”
 
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા, એક જ પ્રાર્થના….” પ્રભુ, પ્રજ્ઞાજુબેનને તમે હંમેશા તંદુરસ્ત રાખજો…..એઓ ગુજરાતી બ્લોગજગતમાં એમની “પ્રસાદી” આપતા રહે” …..અને, અંતે એક જ આશા>>>કોઈવાર ન્યુ જર્સીમાં જવાનું થાય અને ના ધારેલી જગ્યાએ એમનો ભેટો થઈ જાય !  અશક્ય ? ના, પ્રભુ ઈચ્છા હોય તો આ પણ શક્ય !….અને, અંતે મારે એમના પ્યારા મોટાબેન, જેમણે એમને જન્મ બાદ ગોદમાં લીધા હતા, એ “રમાબેન”ને વંદન પાઠવું છું !….એમના પતિ પ્રફુલ્લભાઈને “જય શ્રી ક્રુષ્ણ” !
 
આ પોસ્ટ વાંચી,  પ્રતિભાવો આપશોને ? અને, પ્રજ્ઞાજુબેન કોઈ ભુલ થઈ હોય તો માફ કરશોને ?
 
>>>>>ચંદ્રવદન. 
 
 
 
 

અને,વધુમાં લખવાનું કે…….

ઉપર મુજબ “પોસ્ટ”રૂપી લખાણ તૈયાર કર્યા બાદ, પ્રજ્ઞાજુબેને “૬૦+ના ગ્રુપ”માં ઈમેઈલ દ્વારા ( તારીખ મે,૨૩,૨૦૧૦) નીચે મુજબ લખ્યું >>>>
 
 
થોડી મારી વાત …
અમે અહીં આવ્યા બાદ મારી સ્થિતી કાંઈક આવી હતી.
ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.
    ઉપાય સૂચવાયો…
  જે પણ વિચાર આવે તે લખો
 પછી સ્નેહીજનો પર મોકલો.ત્યારે ફોન,ઈન્ટરનેટ સેવાઓ ધીમી અને ખર્ચાળ હતી.અમારા વર્જીનીયાવાળા જંત્રાણીયા એક સી ડી લાવ્યા હતા જેનાંથી ગુજરાતીમા લખાય અને કોમ્પ્યુટરમા સેવ થાય.પણ તેમા ફાવટ આવી નહીં.મારા કાકાશ્રીએ સેંટ જોનથી ઈ-મૅઈલ મોકલ્યો અને ફોન પર કહ્યું કે ઈ-મૅઇલથી ઉતર આપો.અંગ્રજીમા ઈ-મૅઈલ ચાલુ થયા અમારા નોર્થકેરોલીનાના ભત્રીજાના દિકરાની વહુએ ગુજરાતી વાંચવાની પધ્ધતિ બતાવી.શરુઆતમા પ્રતિભાવ અંગેજીમા આપતા.અમને એવી સલાહ આપવામાં આવેલી કે અહીં કોઈ પણ વસ્તુ મફ્ા ન હોય અને અમારા પૌત્રે લયસ્તરોનું સબસ્ક્રીપશન ભર્યું અને અમને ફીકર થઈ કે કેટલો ખર્ચો થશે?પણ પૂછ્યુ તો બધાને હસવું આવ્યું! ત્યાં સોનલ બ્લોગ કાઢ્વાની વાત લાવી! અમે તો પૂછી જ લીધું કે આમા ખર્ચો કેટલો થાય? તો કહે મ  ફ  ત અને અમારા ઈ-મેઈલ પ્રમાણે પોસ્ટ મૂકી આપી અને તે ન્યુયોર્કના આખલાને નાથવામા પડી ગઈ…જેમા અમારી ચાંચ ન ડૂબે તેવી ફાઈનાન્સની કામગીરીકરે! શરુઆતમાં જ સૂચના આપેલી કે બોલ્ડમા લખો તે ગુસ્સો કર્યો કહેવાય! આઈ ડી ખાસ સાચવવાની! તમારી સાચી બર્થડેટ તથા ફોટા મૂકવા નહીં. નહીં તો આઈ ડી ચોરાઈ જાય !
  આ પોરી પાન વગરની ડાળખીને પાન ખરની બીક બતાવે! પણ ગુરુવચન પાળવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારા સ્નેહી જનોમા વિદ્વાનો છે પણ તેઓને કોંપ્યુટરની એલર્જી છે…અને .
      મારું ગાંડપણ એવું છે તમે કેમ છો?ના બોર આપ્યા અને અમે અમારી જાતે કલ્લી …
  ચાલો કોલ આવ્યો-વેરીઝ આ આ આ જી! અને તેમના પેટમાંથી હાર્ટમા જવાનો રસ્તો ચાલુ રાખવા જ ઉં છું ત્યારે……

 

 
 
 
આવું જાણતા, ….જે મારૂં અનુમાન હતું કે એમને “આઈડી ચોરી”નો ડર છે તેને “સત્ય ઘટના”રૂપી સ્વરૂપ મળ્યું …..આ પ્રમાણે, પ્રજ્ઞાજુબેને હ્રદય ખોલી જે લખ્યું તે વાંચી મને ખુબ જ આનંદ છે !….પ્રભુની ક્રુપા હશે તો…..આ પોસ્ટ હું પ્રગટ કરૂ તે પહેલા, કદાચ એમનો “ફોટો” એમના બ્લોગ પર નિહાળવાનો લ્હાવો મળશે….અને, આવું જો શક્ય થાય તો એ ફોટો આ પોસ્ટ સાથે પ્રગટ કરીશ….
 
ચંદ્રવદન.

 

 
FEW  WORDS
 
After the initial Posts on 5 MALE PERSONS as my FRIENDS ( MITRA), I had published Posts on “HEALTH” & “SUVICHAO”…and  also a Post on “MOTHER’S DAY” & a Post of a “BOOK REVIEW”…..and on the 50th Anniversary of GUJARAT.
 
As of today, it is Friday May, 28th 2010 and bu TITHI it is ADHIK VAISHAKHI PADVO meaning  1st Day of the ADHIK VAISHAKH MONTH & you are viewing the 1st Post under the Title of  “VYAKTI PARICHAY..MITRATA”…and of the Seies of these Posts under this Title there will be 5 WOMEN.(with Pragnajuben as the 1st Woman )
 
Today’s Post is on PRAGNAJUBEN VYAS….an Elderly Lady with the KNOWLEDGE!
She has been very active sharing her thoughts with others in the the GUARATI WEBJAGAT. At her age of more than 75 years & close to 80, she is the INSPIRATION to ALL !
 
You may know more about Pragnajuben by visiting her Blog “NIRAV RAVE…”by this LINK>>>>
 
http://niravrave.wordpress.com/
 
 
 
 
I pray to God that she remains in good health, and continue to encourage others.
It is my wish that one day I will see her in a PHOTO or actually MEET her !
 
Many in the Gujarati Webjagat know Pragnajuben….I invite you to read  this Post. I also will be HAPPY to read your COMMENTS with “Best Wishes” to her. Those who have NOT KNOWN her, will surely have the admiration for her !
 
CHANDRAVADAN  MISTRY

મે 28, 2010 at 12:21 pm 26 comments

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

 
 
 
 

William's Tales
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)…વલિભાઈ મુસા

 
                        ચંદ્ર-વલિ મિત્રતા
 
 
“મળ્યો હું વલિભાઈને કેવી રીતે ?” પુછો એવું તમે,
 
તો, જવાબરૂપે કહેવું છેઃ “જાણો હવે મારા મિત્રને તમે” ……(ટેક)
 
વિજય શાહના બ્લોગે પોસ્ટ નીચે નામ હતું વલિભાઈ મુસા,
 
પોસ્ટ વાંચી, વલિભાઈને જાણવા થઈ હૈયે એક ઈચ્છા,
 
આ છે એક શરૂઆત ન્યારી !………મળ્યો હું ……(૧)
 
જાણ્યો “વિલિયમ્સ ટેઈલ્સ” નામે બ્લોગ એમનો,
 
પ્રતિભાવો એક બીજાને આપતા, જાણ્યો ઈમેઈલ એમનો,
 
ચંદ્ર વલિ ન રહ્યા દુર હવે !……મળ્યો હું …….(૨)
 
વધુ પરિચયે જાણ્યા એમને ગુજરાતના બનાસકાંઠાના રહીશ સ્વરૂપે,
 
અનેક ઈમેઈલો સ્નેહભાવે કરતા, મળ્યા ચંદ્રને વલિ મિત્ર સ્વરૂપે !
 
આ જ છે ચંદ્ર-વલિ મિત્રતા !…….મળ્યો હું ……(૩)
 
છત્રછાયા પિતાજીની ગુમાવી, સોળ વર્ષના વલિએ,
 
કોલેજ અભ્યાસ પુર્ણ કર્યો ખંત મહેનત કરીને,
 
એ જ ખરેખર “ઈનસાન” જગનો, પણ મિત્ર મારો !……મળ્યો હું ….(૪)
 
 
કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૨૩, ૨૦૧૦            ચંદ્રવદન
 
 
 

બે શબ્દો,……..

વ્યક્તિ પરિચય–મિત્રતા (૫)ની પોસ્ટરૂપે આજે તમને મારા મિત્ર વલિભાઈ મુસાની ઓળખાણ આપું છું. તમે ઉપરના કાવ્યરૂપે થોડું જાણી લીધું છે….છતાં , “બે શબ્દો” દ્વારા થોડું વધુ.
 
વિજયભાઈ શાહના બ્લોગ પર પ્રગટ થયેલી એમની પોસ્ટ વાંચી, એમનું નામ જાણ્યું , અને ધીરે ધીરે એમને વધુ જાણ્યા, અને એમનો બ્લોગ “William’s Tales “પર જાતા હું એમની નજીક આવવા લાગ્યો….બ્લોગ પર એમના અનેક અંગ્રજી લખાણો પોસ્ટોરૂપે વાંચ્યા….થોડી પોસ્ટો ગુજરાતીમાં પણ વાંચી…..બધી પોસ્ટો વાંચતા મને અનુભવ થયો કે “વલિભાઈ એક દયા-પ્રેમ્ભાવ ભર્યા માનવી છે ….અને એમનું ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વાંચન ઘણું જ ઉંડુ હતું “…..એમણે ગુજરાતી -અંગ્રેજી લેખો સિવાય થોડી “કાવ્ય રચનાઓ” પણ કરી છે. કાવ્ય હોય કે લેખ હોય …કે પછી  એમનો અન્ય બ્લોગ પર “પ્રતિભાવ”રૂપે હોય ……આ સર્વમાં એમના “ઉંડા વાંચન જ્ઞાન”ના દર્શન  થાય છે ! વાંચી, જાણી,  હું ખુબ જ પ્રભાવીત થઈ, ઈમેઈલોથી એમને મળતો રહ્યો,,,….અને હું એમના દીલ સુધી પહોંચી ગયો,…જેના પરિણામે છે આ “અમારી મિત્રતા “!
 
વલિભાઈ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના રહીશ છે…પરિવારના ધંધામાં ગુંથાયેલા રહે છે, અને પરિવારમા માર્ગદર્શન આપતા રહે છે …..એમનું જીવન આનંદીત છે …ભક્તિ એમના હ્રદયમાં છે …એમના બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરી, એઓ આનંદ અનુભવે છે એમના બ્લોગ “વીલીયમ્સ ટેઈલ્સ” (WILLIAM’S TALES) પર જઈ એમને વધુ જાણવા માટે વિનંતી છે મારી ! એ માટે “લીન્ક” છે>>>>>
 
 
મિત્ર વલિ વિષે જે મારા હ્રદયમાં હતું તે મેં લખ્યું……તમે એમને જાણો…..મળ્યો નથી એમને, અને દુરથી પ્રાર્થના કરૂં કે ” મારા મિત્ર તંદુરસ્ત રહે, એમનું જીવન આનંદભર્યું રહે, અને એમના બ્લોગ દ્વારા એઓ સૌને “પ્રસાદી ” આપતા રહે “>>>>>>ચંદ્રવદન
 
 
અને હવે…..
ઉપરનું લખાણ  મેં થોડા દિવસો પહેલા ટાઈપ કર્યું હતું ….અને, ત્યારબાદ, એમણે ઈમેઈલથી મને એમનો ટેલીફોન નંબર મોક્લ્યો…અને, હું એમને ફોનથી મળવા માટે આતુર હતો….માર્ચ ૨, ૨૦૧૦ના ફોન કર્યો તો ના મળ્યા…..વિચાર્યું કે હવે આવતી કાલે સાંજે ફરી ફોન કરીશ….પણ…….મારાથી રહેવાયું નહી,અને ભારતમાં સવાર થાય એટલે જ ફોન તારીખ માર્ચ ૩, ૨૦૧૦ ન રોજ કરતા એઓ મળ્યા…પ્રથમ વાર એમની સાથે વાતો કરતા મારા હૈયે એક અનોખો આનંદ હતો ! એમના હૈયે પણ એવો જ આનંદ હતો ! બે મિત્રો જાણે રૂબરૂ મળતા હોય એવું થયું !
>>>ચંદ્રવદન
 
 
 
FEW   WORDS…….
 
Today, I have another Post on “VYAKATI PARICHAY–MITRATA…and it is on  VALIBHAI MUSA of  Kanod, Banaskantha Dist. of GUJARAT.
As I am telling of some of the Friends I had made while surfing on the GUJARATI WEBJAGAT….you have the answer to how I know him….BUT, by reading my KAVYA (Poem), you get a better picture of that journey of knowing him & making him my FRIEND.
I remember reading his name on one of the Posts published on Vijay Shah’s Blog…..I liked it….I wanted to know more…I visited his Blog “WILLIAM’s TALES”. Now by reading his Posts, I realised that he is prolific writer who was having good command of ENGLISH & GUJARATI.
But, by reading the Posts on his Blog & also reading his “comments” on my Blog Chandrapukar & other Blogs I came to know him as a “man of honesty, with LOVE for others & full of “love for God “…My Email contacts brought me CLOSER to him…eventually leading to the “phone conversation” recently.
I DID MOT MEET him yet….but God willing that’s POSSIBLE !
I had painted the picture of Valibhai as I see him….BUT, in order to know him more, please VISIT his Blog “Williams Tales” & the LINK is>>>>
 
 
I hope you like this Post on “Vyakti Parichat–Mitrata”…..This is the 5th & last Post on this Topic for NOW…..but I will come  back soon to share more on OTHERS. Will you wait for that ? I am sure YOU WILL !
Thanks for your support…..SO MANY had viewed the last 4 Posts & I am certain that MANY will VIEW this Post….& there will be COMMENTS too !
 
DR. CHANDRAVADAN MISTRY
 

March 20, 2010 at 4:57 pm 18 comments

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

 

Narendra Phanse
 
 

 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૪)….નરેન્દ્રભાઈ ફાનસે.

 
 
                નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા કહાણી !
 
 
નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી કહું છું આજે ! ….(ટેક)
 
સુરેશભાઈ જાનીના બ્લોગ પર, “બાઈ”પુસ્તીકા હેવાલ વાંચી,
પુસ્તીકા લેખક કેપ્ટન નરેન્દ્રનું નામ જાણી,
“બાઈ”પુસ્તીકા મેળવવા દોડ્યો ચંદ્ર નરેન્દ્ર પાસે!…..નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…(૧)
 
ચંદ્રે પ્રથમ નરેન્દ્ર સાથે વાતો કરી ફોનથી,
ટપાલ ખર્ચ લીધા વગર, પુસ્તીકા મળી પોસ્ટથી,
“બાઈ” પુસ્તીકામાં છુપાયેલ નરેન્દ્રને ચંદ્રએ જાણ્યો હવે !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની….(૨)
 
ઈમેઈલથી સંપર્ક થતા, ચંદ્ર તો નરેન્દ્ર નજીક હતો,
“ચંદ્રપૂકાર”બ્લોગની વાતો કરી, બ્લોગ કરવા નરેન્દ્ર ચંદ્ર-પ્રેરણાઓથી ભીંજાયો હતો,
કહો આને “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”ની શરૂઆત તમે !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની……(૩)
 
“જીપસીની ડાયરી”રૂપે નરેન્દ્ર બ્લોગ થતા, હોય ખુશી ચંદ્ર હૈયે,
પ્રથમ “ચંદ્ર-પ્રતિભાવ”ડાયરીમાં વાંચી, હોય ખુશી નરેન્દ્ર હૈયે,
આ છે “નરેન્દ્ર-ચંદ્ર મિત્રતા”નું ખીલેલું પુષ્પ !…….નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૪)
 
નથી “કેપ્ટન નરેન્દ્ર” ચંદ્ર હૈયે હવે,
ફક્ત “મિત્ર નરેન્દ્ર” છે ચંદ્ર હૈયે હવે,
આ જ છે નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની કહાણી !……નરેન્દ્ર-ચંદ્ર મિત્રતાની…..(૫)
 
 
કાવ્ય રચના…તારીખઃ ફેબ્રુઆરી,૨૦,૨૦૧૦            ચંદ્રવદન
 
 

બે શબ્દો….

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ના પોસ્ટરૂપે આ ચોથી (૪) પોસ્ટ છે …અને વ્યક્તિ છે…કેપ્ટન નરેન્દ્ર યાને  નરેન્દ્રભાઈ ફાનસે ! એમને અનેક લોકો જાણે છે…..અને, મેં જે કાવ્યરૂપે એમના વિષે કહ્યું ….તેમ છતા, મારે “બે શબ્દો” વધુ લખવા છે .
નરેન્દ્રભાઈને હું કેવી રીતે જાણ્યા….અને, પ્રથમવાર જાણી, અમારી એક “મિત્રતા” થઈ તે માટે મારા હૈયે ખુબ જ ખુશી છે…અને, સાથે સાથે એ માટે પ્રભુનો પાડ માનું છું…કારણ કે  આ પ્રમાણે જાણવું , મિત્ર બવું , એ પ્રભુ-ઈચ્છા વગર અશક્ય છે.
નરેન્દ્રભાઈ અમેરીકા આવી, કેલીફોર્નીઆમાં સ્થાયી થયા તે પહેલા ભારતના ગુજરાતના રહીશ હતા…એમનું કુટુંબ અસલ મહારાસ્ટમાં અને એઓ મહારાસ્ઠીઅન હોવા છતા, ગુજરાતના થઈ, ગુજરાત પ્રતેય ઉંડો પ્રેમ રાખી, ગુજરાતી તરીકે જ માને છે…અને, એવી ઉચ્ચ ભાવનાઓ સાથે એઓ ભારત માતા માટે ગૌરવ ધરવતી એક વ્યક્તિ છે, જેણે માતાની સેવા “એક સૈનિક” તરીકે અદા કરી છે.અનેક વર્ષો સેવા આપી, એઓ પ્રથમ ઈંગલેન્ડ થોડા વર્ષો રહી, અત્યારે કેલીફોર્નીઆમાં રહે છે. હું એમને હજુ મળ્યો નથી.
મળવાની ખુબ ઈચ્છાઓ હૈયે છે…નવેમ્બર ૨૦૦૯માં રીવરસાઈડમાં થયેલા “સમુહ-મિલન”માં મળવા માટે ચાન્સ હતો…પણ, એઓ ત્યાં હાજરી આપી શક્યા ના હતા….એ જ પ્રભુ ઈચ્છા હશે……પણ, એક દિવસ પ્રભુ જ મેળાપ કરાવશે !
નરેન્દ્રબાઈએ એમનો બ્લોગ “જીપ્સીની ડાયરી” શરૂ કર્યો ત્યારબાદ, મે એ બ્લોગ વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી…એ વાંચવી હોય કે એમના જ એ બ્લોગ પરે જવું હોય ..કે પછી, એમના બીજા બ્લોગ “જીપ્સીની યાત્રા” પર જવું હોય તો એ “લીન્કો” નીચે મુજબ છે>>>>>
www.chandrapukar.wordpress.com/2009/03/14     ( To read the Post on Chandrapukar)
 
www.captnarendra.blogspot.com       ( To go to GYPSY’S DIARY ..Blog )
 
www.capt-naren.blogspot.com      (To go to GYPSYni YATRA …Blog )
 
તમે એક કાવ્યરૂપે તેમજ “બે શબ્દો” રૂપી લખાણ દ્વારા મિત્ર નરેન્દ્રભાઈ વિષે જાણ્યું .
તમે આ પોસ્ટ વાંચી, તમારા હૈયે જે થાય તેને “પ્રતિભાવ” રૂપે જરૂર પ્રગટ કરશો એવી આશા !
તો, મળીશું આ બ્લોગ પર !>>>>>>ચંદ્રવદન
 
 
FEW   WORDS…
 
This is my 4th Post with the  Title ” VYAKTI  PARICHAY—MITRATA” and the Post is about NARENDRA PHANSE ( Capt Narendra )….I met him on the Internet…& now he is one of my close FRIEND.
I think he is the 1st to start a Blog “Gypsy’s Diary” in which one can read his experiences as a SAINIK of the Indian Army. Those of you who had not read any Post on that Blog, my appeal is that atleast “visit the Site once”…. I can assure you that you will really appreciate the “sacrifices”of  our JAWANS of the Indian Army !
I pray for the”Good Health” to my Friend Narendra & wish ALL the BEST in his Retirement !
Chandravadan Mistry

March 15, 2010 at 1:17 am 21 comments

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

dsc01524_-_copy

 
 
 

વ્યક્તિ પરિચય–મિત્રતા (૩)….હરનિશભાઈ જાની.

 
 
 
 
 

હરનિશભાઈની “સુશીલા” વાંચી, આનંદ માણો !

હરનિશભાઈની “સુશીલા”વાંચી, આનંદ માણો,
બસ, એટલી ચંદ્રવિનંતી તમે સાંભળો !…….(ટેક)
“એક દિલ સૌ અફસાના”અને “દિલહૈ કે માનતા નહી”
વાંચી, તમો મિત્રતાના સ્નેહસંબધે હ્રદય ભરપુર કરી,
“મોનોલિસા” ચિત્રને યાદ કરતા, ”રિટાયરમેન્ટનો આનંદ”માં હશો,
બસ, આટલું જો તમે શક્ય કર્યું તો, “સુશીલા”ની ચાર વાતો  વાંચી હસતા હશો !…..હરનિશ…..(૧)
“સ્વામી વિવેકાનંદે કહ્યું કે” અને “કુર્યાત સદા મંગલમ” વાંચી, “બાળહઠ”મા નવું જ જાણી,
“અજોડ જોડણી”માં નિયમોપાલન કે “રણમાં જીતે તે શૂર” વાંચી હરનિશ-હ્રદયભાવો જાણી,
હવે, જરૂર “સુશીલા” વાંચવું તમોને ગમ્યું હશે જ !
તો, પુસ્તિકા છોડશો નહી, ‘ને બીજા લેખો વાંચવા નિર્ણય લેશો જ !……હરનિશ……(૨)
“સર્જન-વિસર્જન” માં અનેક વિષયોને જોડી, “પ્યાર-તકરાર”માં ઝગડાનું જુદુ સ્વરૂપ નિહાળજો,
“હરિ તારા હજાર નામ”ના લેખે ભક્તિમાર્ગે હાસ્યવાટિકામાં તમે જરૂર હશો !
“મોરે પિયા ચલે પરદેશ”માં વેકેશન પ્રત્યે હાસ્ય જો તમે ચાખ્યું ,
તો, મને  ખાત્રી કે તમે હવે “સુશીલા”ને ના છોડી વાંચવાનું ચાલુ રાખ્યું…..હરનિશ…..(૩)
“આકાશવાણી” ભારત-અમેરીકાની સફર દ્વારા શરગાણી,
“એ ટુ ઝેડ”માં ભારત-ઈંગલેન્ડ-અમેરીકાની સફર બારે વર્ણન કરી,
“એ ટુ ઝી”માં માર્ગદર્શન બારે કટાક્ષમાં કંઈક વાંચી,
“મનપાંચમનો મેળો”માં પધારી, હવે તમોને આગળ વાંચવા વિનંતી છે મારી !…….હરનિશ….(૪)
“ફ્રિક્વન્ટ રાઈડર”માં મહમદ ગઝનીની યાદ તાજી થઈ,
“પુનરપિ પુનરપિ પુનરાવર્તનમ”માં કવિ-લેખકો પર કટાક્ષ કરી,
“સુપર પાવર” નામના લેખે તો આધ્યાત્મિક જ્ઞાનના નવલા દર્શન કરાવી,
“તમારે જોક સાંભળવો છે?”નામના લેખે સૌને શાંત કરવા હરનિશ્ભાઈની પેન હતી !……હરનિશ્….(૫)
“રૂપ તેરા મસ્તાના” લેખમાં સુંદરતા સાથે મારકેટીંગને જોડ્યું ,
“મારા દાજીબાપુ!! “લેખે ઘરમાં બનેલી ઘટનાઓનું અમ્રુત રેડ્યું,
“અચ્યુતમ કેશવમ”માં ધર્મ ટકાવવા માટે નારીઓને ઉચ્ચ પદવી આપી,
“છાનું ને છપનું કાંઈ થાય નહી”લેખે મેગઝીનોના અસરની ઝલક આપી,…..હરનિશ…..(૬)
“પીડ પરાઈ જાણે રે”લેખે માંદગી-સમયને હાસ્યમાં વર્ણન કરી,
“દેવ આનંદની આત્મકથા વાંચ્યા પછી”લેખે માનવ-જીવનમાં હાસ્ય ભરી,
“ચોરી ચોરી ચૂપકે ચૂપકે”માં લેખક બની ખુદ પર મજાક કરી,
અને, “મેરે સામનેવાલી ખિડકીમેં”માં અમેરીકાના પાડોશીની ગમ્મત કરી…..હરનિશ….(૭)
“સ્ટેટ ઓફ ધ આર્ટ માનવી”માં ટેકનોલોગી બારે વાંચવા ચુકશો નહી,
“મેરા જૂતા હૈ જાપાની”માં બુટોની ફેશનોનું વાંચી, જરા હસી લઈ,
અંતે, “ઓબામારામા” નામે પ્રેસીડન્ટ ઓબામાનું વાંચવાનું ભુલશો નહી !
અને. જો તમે અહી સુધી વાંચ્યું તો તમે “સુશીલા” વાંચી ખરી !……હરનિશ….(૮)
ચંદ્રવિનંતીને માન આપી, “સુશીલા ” જો તમે વાંચી,
ચંદ્ર, હ્રદય ખોલી, “આભાર” સૌને પાઠવી, છે રાજી !
હવે અંતે હરનિશભાઈનું પ્રથમ પુસ્તક “સુધન” વાંચવા સૌને ચંદ્રવિનંતી છે બીજી,
 હરનિશભાઈ તમે લખતા રહો,ને છોડો ચિંતાઓ “વાંચકો”ની જે તમ-હૈયે ખીલી !…..હરનિશ…..(૯)
 
કાવ્ય રચના …..ડીસેમ્બર,૯.૨૦૦૯                    ચંદ્રવદન

 
 

એમના “હાસ્ય લેખન” નો અનુભવ થયો…..અને, મનમાં થયું કે  કંઈક “કાવ્ય” રૂપે લખું …

પણ શું ? …અને, “અનુક્રમણિકા” નિહાળતા,  જાણે પ્રભુએ જ મારા મનમાં વિચાર રેડ્યો..
બધા જ લેખોને એક “કાવ્ય” સ્વરૂપે હું નિહાળતો હતો….અને અંતે આ રચના !
                                                                         ચંદ્રવદન. 
 
 

બે શબ્દો…

આજે “વ્યક્તિ પરિચય–મિત્રતા”ની આ ૩ (ત્રીજી) પોસ્ટ છે. અને એ હરનિશ્ભાઈ જાની વિષે છે. હરનિશભાઈ વિષે કેવી રીતે મિત્રતા થઈ તે કહું…..મને યાદ આવે છે તે પ્રમાણે, એઓ એકવાર મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારેલા…..પ્રગટ કરેલી પોસ્ટ વાંચી, એમણે એમના રમુજી સ્વભાવમાં જે થોડી મજાકભર્યો પ્રતિભાવ મુક્યો…તે વાંચી મેં એમને ઈમેઈલ દ્વારા પ્રથમ સંપર્ક કર્યો….ત્યારબાદ, એમની મોકલેલી લીન્કો દ્વારા એમના વિષે વધુ જાણ્યું …..જાણી, વાતો કરવાનું મન થયું…..ફોનની માહિતી મળતા મેં એમને ફોન કર્યો…..જાણ્યું કે એઓ ન્યુ જર્સીમાં….અમેરીકામાં અનેક વર્ષો રહ્યા પણ ગુજરાતી સાહિત્યનું વાંચન થોડું રાખ્યું હોવા છતા એમણે “લેખન”પ્રવ્રુત્તી શરૂ કરી ન હતી…..એમણે રીટાયરમેન્ટ લીધા બાદ, હાસ્ય-લેખનની સફર ચાલુ કરી…..સમુહ-મિલનોમાં  “બે શબ્દો” બોલી સૌને હસાવવા તકો લીધી ( જે થકી અનેકને આનંદ પણ મળ્યો) અને એમણે પ્રથમ એક પુસ્તિકા “સુધન” પ્રગટ કરી…અને ત્યારબાદ, આ “સુશીલા” !
હવે, મારે વાધુ કહેવું છે>>>હાસ્યભાવે પ્રતિભાવ મુકી, હરનિશભાઈએ મારું હૈયુ જીતી લીધું…..અને, ફોન પર વાતો/ચર્ચા કરતા આ ઓળખાણ એક “મિત્રતા”રૂપે ખીલી. અને, એમને જે બિમારીઓ સાથે “હાર્ટનું ઓપરેશન” થયેલું  તે પ્રમાણે  મારે પણ જીવનમાં એવા ઓપરેશનનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટના પણ જાણે અમને બન્નેને નજીક લાવતી હશે….કે પછી, એમાં પ્રભુનો ફાળો હશે !
હરનિશભાઈ વિષે તમે વધુ જાણવું હોય તો તમે “ગુજરાતી સાહિત્ય સંગમ”ના બ્લોગ પર જઈ એ વાંચી શકો છો…અને, તે માટે “લીન્ક” છે>>>>
 
www.gujaratisahityasangam.wordpress.com/page/6/
 
 
તમોને “સુશીલા” મેળવવા રસ હોય તો વિગતો નીચે મુજબ છે>>>>
સર્જક – હરનિશ જાની
પ્રકાશક – હર્ષ પ્રકાશન, ૪૦૩–ઓમદર્શન, પાલડી,
અમદાવાદ–૭;
પ્રથમ આવૃત્તી, પૃષ્ઠ – ૧૪૮;
મુલ્ય – રુ. ૧૦૦/–
વેચાણ/ઉપલબ્ધી –
ગુર્જર પ્રકાશનગૃહ, અમદાવાદ;
વીદેશે – હરનિશ જાની,
ફોનઃ ૧–૬૦૯ – ૫૮૫ – ૦૮૬૧
ઈ–મેઈલઃ harnish5@yahoo.com
 
અંતે તો સૌને પુછવું છે કે આ પોસ્ટ માટે પ્રગટ કરેલું કાવ્ય  તેમજ આ લખાણ ગમું કે નહી ? એક મિત્ર વિષે લખતા એમની પ્રગટ કરેલી બુકો વિષે ના કહું તો યોગ્ય ના કહેવાય …..તો, જે તમે વાંચ્યું, અને વાંચવાની તસ્દી લીધી તે માટે ખુબ ખુબ આભાર !>>>>>ચંદ્રવદન
 
FEW  WORDS
 
Today I have published 3rd Post on “VYAKTI PARICHAY–MITRATA ” ( Profile of An Individual–Friendship ). Today’s Post is about HARNISHBHAI JANI of New Jersey, USA.
 
Many in USA and in India & elsewhere abroad, know him as HASYALEKHAK in Gujarati….and as Gujarat Marupremi…but I know him as my Friend. I feel happy to publish this Post….I hope Harishbhai does not mind !  I wish him well always !
 
I hope, as you read this Post ,you also enjoy it  too !
 
Chandravadan Mistry M.D.

March 9, 2010 at 2:33 pm 26 comments

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

 
 

વ્યક્તિ પરિચય– મિત્રતા (૨) ….સુરેશભાઈ જાની.

 
 
 

આજે ફરી યાદ કરૂં છું , સુરેશભાઈ તમને !

આજે ફરી યાદ કરૂં છું હું, સુરેશભાઈ તમને !….ટેક
નામ “સુરેશ જાની” સાંભ્ળ્યું પ્રથમવાર વિજય શાહ મુખે,
ઈમેઈલ અને ફોનથી સંપર્ક કરી, ભરી લીધો સુરેશને હૈયે,
અને, પછી શું થયું ?
એક મિત્રતા-કળી પુષ્પરૂપે ખીલી !……આજે ફરી….(૧)
મળતા રહ્યા ઈમેઈલ ફોનથી અનેકવાર અમે,
“ચંદ્રપૂકાર” પર સુરેશ, કે “ગધસુર”પર ચંદ્ર પતિભાવો વાંચ્યા હશે તમે,
અને, પછી શું થયું ?
એ મિત્રતાના પુષ્પની મહેક અન્યને મળી !…..આજે ફરી….(૨)
મળીશું ક્યારે ? વિચાર એવો, ચંદ્ર-હૈયે હોય ફરી ફરી,
“આવું છું કેલીફોર્નીઆ !” કહે સુરેશ ઈમેઈલ કરી કરી,
અને, પછી શું થયું ?
સુરેશ-ચંદ્રનું સ્નેહ-મિલન શક્ય થયું !….આજે ફરી……(૩)
યાદ આવે રમેશભાઈની પુસ્તિકા”ત્રિપથગા”ની વિમોચન ઘડી,
યાદ આવે સાલ ૨૦૦૯ના નવેમ્બર ૨૮ના દિવસની ઘડી,
શા માટે એવું હૈયે થાય છે ?
અરે, એ તો હતી ચંદ્ર-સુરેશ મિલનની ઘડી !…..આજે ફરી….(૪)
 
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૨,૨૦૧૦            ચંદ્રવદન 
 
 
 
 

બે શબ્દો…

વ્યક્તિ પરિચય-મિત્રતાના સુત્રે આ મારી બીજી પોસ્ટ છે !
ઈન્ટરનેટનું જાણ્યા બાદ, ગુજરાતી બ્લોગ જગતે  સફર કરતા, સુરેશભાઈના બ્લોગની મુલાકાત લેવા પહેલા, ફોન પર મારી એમની સાથે વાતો થઈ. ત્યારે, મે મારૉ પોતાનો બ્લોગ હજૂ શરૂ કર્યો ના હતો…..વિજયભાઈ શાહની સાથે વાતો કરતા, એમણે મને સુરેશભાઈ વિષે કહ્યું ….આટલી ઉંમરે એઓ “ઘણુ ” વેબજગતમાં કરી રહ્યા હતા….અને વાતો કરવા મારૂં મન મને ખેંચી ગયું હતું. વિજયભાઈના સહકારથી “ચંદ્રપૂકાર”નો જન્મ ૨૦૦૭માં થયો…અને ત્યારબાદ, સુરેશભાઈને મેં વ્યક્તિઓ વિષે જુદો બ્લોગ શરૂ કરવા વિનંતી કરી…...એઓ એમના બ્લોગ તેમજ અન્ય બ્લોગોના કાર્યોમાં હોવા છતાં, થોડા સમયમાં “ગુજરાતી મહાજન પરિચય”નામનો નવો બ્લોગ શરૂ કર્યો અને જેની શુભ શરૂઆતમાં એમણે એમના માતા-પિતા વિષે ટુંકું લખાણ લખ્યું ,….અને સાથે ત્યારબાદ, મારો પરિચય પ્રગટ કર્યૉ….હું અચંબાથી ભરપુર ….સાથે સાથે, આનંદ અનુભવી, મેં એમને ખુબ ખુબ આભાર શબ્દોમાં દર્શાવ્યો.
બસ, ત્યારબાદ, બ્લોગો પર આવ-જાવ કરતા, ફોન કે ઈમેઈલથી  મળતા મળતા…..અમે એકબીજાની નજીક આવ્યા, જેને તમો “અમારી મિત્રતા”રૂપે કહી શકો…..અને, તમે એ પ્રમાણે ગણો કે નહી, અમે તો અમારા હ્રદયમાં “એ મિત્રતા” જરૂર નિહાળતા હતા…….કિન્તુ, અમે એકબીજાને રૂબરૂ મળ્યા ના હતા…..અને મારા મનમાં અનેકવાર વિચારો આવતા કે ..”ક્યારે અમે મળીશું ?”…..આ આશા પણ પ્રભુએ  નવેમ્બર, ૨૦૦૯મા પુર્ણ કરી ! ટેક્ષાસથી સુરેશભાઈના અનેક ઈમેઈલો આવ્યા …એઓ થોડા દિવસો માટે નવેમ્બર માસે કેલીફોર્નીઆ આવતા હતા….એક દિવસ માટે રીવરસાઈડમાં રમેશભાઈ પટેલની પુસ્તિકાના વિમોચન માટે હાજરી આપવાના હતા….મેં પણ ત્યાં હરી આપવા નિર્ણય લઈ લીધો…..અને, હું એમને પ્રથમવાર ત્યા નવેમ્બર ૨૮, ૨૦૦૯ના દિવસે મળ્યો….એ આજે યાદ છે, અને એ હંમેશા યાદ રહેશે !
 
સુરેશભાઈ વિષે હું શું લખું ? એમને તો ગુજરાતી વેબજગતમાં સૌ જાણે છે …અને અનેક એમને “દાદા ” કહી માન આપે છે…..બસ, એટલું હું જાણું કે એઓ ગુજરાતમાં ભણી. એક એન્જીનીઅર બન્યા, અનેક વર્ષો નોકરી કરી રીટાયર થઈ અમેરીકાના ટેક્ષાસમા સ્થાયી થયા……અને, જ્યારે એમના મનમાં ” શું કરૂં ? ” થવા લાગ્યું ત્યારે એમણે કોમ્પ્યુટર શીખી, વેબજગતમાં પ્રવેશ કરી, જે ફાળો આપ્યો છે તેથી અનેકને પ્રેરણાઓ મળી છે ! આજે એઓ ડાલાસ શહેર નજીક દિકરી/દિકારાના પરિવાર સાથે છે.એમના પરિવારને પુરો જાણ્યો નથી ….કદાચ એક દિવસ સૌને મળવાની તક પ્રભુ આપશે !
સુરેશભાઈનો મુખ્ય બ્લોગ છે “ગધસુર”….એ બ્લોગ તો સૌ જાણે ….એ સિવાય સુરેશભાઈ બીજા અનેક બ્લોગોમાં ફાળો આપે છે, અને એમના બીજા પણ બ્લોગો છે. એ સર્વની માહિતી તમે એમના મુખ્ય બ્લોગ પર જઈ જાણી શકો છો….અને, એમના વિષે પણ તમે ત્યાં વાંચી, જાણી શકો છો…..એથી, મારે એમના વિષે વધુ કહેવું નથી અને સૌને એમના બ્લોગ પર જવા વિનંતી કરૂં છું, અને એ માટે “લીન્ક” છે>>>>>
 
www.gadyasoor.wordpress.com
 
ચાલો, તો, તમે આ પોસ્ટરૂપે  એક “કાવ્ય” તેમજ એક “ટુકું લખાણ ” વાંચ્યું …..આશા છે કે તમોને એ ગમ્યું…..વાંચ્યા બાદ, જો તમારા હૈયે કંઈક થયું  તો. જરૂરથી તમે એ શબ્દોમાં તમારા “પ્રતિભાવ”રૂપે દર્શાવશો …જે વાંચી, મને ખુબ જ આનંદ થશે !..અંતે, મારે એટલું જ કહેવું છે કે “સુરેશ અને ચંદ્રવદન મિત્રો છે ” !
ચંદ્રવદન.
 
 
 
FEW  WORDS……
 
Today  I am publishing the 2nd Post on  ” VYAKTI PARICHAY…MITRATA “..& it is about my friend SURESHBHAI JANI.  I heard about him from my friend VIJAYBHAI SHAH. I then had the opportunity to know him more via Emails/Phones …and also by reading the Posts on his Blog Gadyasoor….and also by his comments on Chandrapukar & other Blogs. I met him for the 1st time in Riverside, California on November,28th 2009.
Within a short period of contacts, I saw him as a “True Friend”…and I felt that he had the similar feelings for me.
I did not write much about Sureshbhai as you can get that information by visitng his Blog. But I must not forget to mention that I had already published 1 Post on him on his BIRTHDAY as a Poem in March 2009 and you can read that Post on Chandrapukar by clicking on the below LINK>>>>>
 
www.chandrapukar.wordpress.com/2009/03/05/
 
I hope you like the Poem in Gujarati (about our Friendship ) and also hoping you like the short write-up as “Few Words ” in Gujarati. I will be happy to read your feelings as your “comments ” for this Post.
 
Chandravadan Mistry MD

March 3, 2010 at 4:15 pm 28 comments

વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.

vijay1.jpg
 
.
 વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.
 

ચંદ્ર વિજયની યાદમાં

અરે, મિત્ર વિજય, તારી જ યાદમાં છે ચંદ્ર આજે ! ….ટેક
યાદ છે પ્રથમ ફોન પર કરેલી ચર્ચા આપણી ?
જ્યારે, કાવ્ય મારૂં “દર્પણ”માં પ્રગટ કરવા વિનંતી હતી મારી !
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?…….અરે,…(૧)
૨૦૦૭ની નવેમ્બર માસની ૨૨મી તારીખ યાદ છે મને,
“ચંદ્રપૂકાર”ની થયેલ શરૂઆત યાદ છે મને,
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?….અરે,…..(૨)
મિત્રતાના ભાવે”હું અને તું એક છે ” એવું ચંદ્ર કહે !
એ જ મિત્રતાના ભાવે, વિજય તું શું કહે ?
યાદ કરતો રહું હું તને ! બીજું ચંદ્ર કાંઈ ના કહે !…અરે….(૩)
  
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૧, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજનું આ કાવ્ય મેં વિજયભાઈને યાદ કરી, રચ્યું છે….પણ એ પહેલા “ચંદ્રપૂકાર” પર  એક કાવ્ય-રચના “એક મિત્રતા”ના નામકરણે પ્રગટ કરી હતી ( જુલાઈ ૧૦. ૨૦૦૮) અને તેમાં ફક્ત આ અમારી મિત્રતાનું જ  લખ્યું હતું…અને, આજે આ કાવ્ય વાંચ્યા બાદ, તમે  એ ફરી વાંચી શકો છો…અને એ માટે એની લીન્ક  નીચે મુજબ છે>>>
 
 
ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

આજે “વ્યક્તિ પરિચય- મિત્રતા”ના નામે આ પ્રથમ પોસ્ટ કહેવાય…..હા, આ પહેલા એક કાવ્ય સાથે  રમેશભાઈ પટેલ (આકાશદીપ) વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી ( તારીખ નવેમ્બર, ૩૦,૨૦૦૯) અને એ પ્રગટ કર્યા બાદ, મને મનમાં થયું કે “મિત્રો બારે પોસ્ટો ચંદ્રપુકાર પર  હોય તો કેવું ? “…..મને વિચાર ગમ્યો…..અને એ પ્રમાણે કરવા નિર્ણય તો લીધો…પણ પછી બીજો વિચાર આવ્યો “બચપણથી થયેલી બધી જ મિત્રતા બારે શરૂઆત કરવી કે અન્ય રીતે શરૂઆત ?”…..જરા મુજવણમાં હતો….અંતે નિર્ણય કર્યો કે ” બ્લોગ કર્યો અને અનેક સાથે મિત્રતા થઈ, અને મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર આ પોસ્ટો હશે તો કેમ નહી ગુજરાતી વેબજગતમાં થયેલ મિત્રતાથી જ શરૂઆત કરી પાછળથી બચપણમા થયેલ મિત્રતા બારે લખું ?”…..બસ, એથી જ આજે આ પોસ્ટ !
અને, નિર્ણય બાદ, મારા મનમાં વિજયભાઈ શાહનું નામ રમવા લાગ્યું….રમવું જ જોઈએ ! કારણ કે જ્યારે મેં ૨૦૦૬મા નોકરી પરથી નિવ્રુત્તિ લીધી ત્યારે કોમ્પ્યુટર શીખવા, અને એ પછી ચંદ્રપૂકાર નામે બ્લોગ શરૂ કરવા માટે એમણે જ ઉત્તેજન આપ્યું હતું ….પણ હું વિજયભાઈને તે પહેલાથી જાણું છું ….આજે આ પોસ્ટ લખતા ફરી વિજયભાઈને મારો “આભાર” દર્શાવું છું.
ગુજરાતી વેબજગતે વિજયભાઈને તો અનેક જાણે છે એથી મારે વધું કહેવું નથી…..એઓ અનેક વર્ષો પહેલા ગુજરાતથી આવી ટેક્ષાસના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થયેલા છે….ફાઈનાન્સનું કામ કરતા કરતા, એઓએ  ત્યાંના ગુજરાતી સમાજને સેવા આપી, આજે પણ ફાળો આપી રહ્યા છે. સાથે સાથે, એઓ ગુજરાતી વેબજગતમાં “ગુજરાતી સાહિત્ય ઉત્તેજન” માટે ખુબ જ રસ સાથે એમનો ફાળો આપી રહ્યા છે. એમણે એમના પોતાના બ્લોગ “વિજયનું ચિંતન જગત”પર કાવ્યો, નવલકથાઓ, સુવિચારોરૂપી અનેક પોસ્ટો મુકી અનેકને “પ્રસાદી” આપી છે, અને આપતા રહે છે….એ સિવાય એઓ બીજા બ્લોગરો સાથે પણ વાર્તા/નવલકથાઓ પ્રગટ કરી કે અન્યને બ્લોગ શરૂ કરવા માટે પ્રેરણાઓ આપી છે, અને હજૂ આપતા રહે છે. વિજયભાઈ વિષે વધુ જાણવું હોય તો તમે  એમના બ્લોગ “વિજયનું ચિંતન જગત” પર જઈ જાણી શકો છો,,,અને તે પર જવા માટેની લીન્ક નીચે પ્રમાણે છે>>>>
 
 
આટલી મિત્રતા હોવા છતા, હું હજી વિજયભાઈને મળ્યો નથી…..વિજયભાઈના “પુરા પરિવાર”ને જાણતો નથી, અને આથી મારા હૈયે “જરા દુઃખ” સહીત એક જ વિચાર ” ક્યારે હું વિજયભાઈને મળીશ ? “….આનો જવાબ મારી પાસે આજે નથી પણ એક દિવસ પ્રભુ એ “સ્નેહમિલન” જરૂર કરશે જ….આવી છે મારી “પ્રભુ પર પુર્ણ-શ્રધ્ધા” !….અને તે શક્ય હશે ટુંક સમયમાં જ !
હવે, આશા એટલી કે આ પ્રથમ પોસ્ટ સૌને ગમે!…અને, બીજી આશા એટલી કે વિજયભાઈ આ પોસ્ટ વાંચી, એમની ખુશી આ પોસ્ટ્ના પ્રતિભાવરૂપે “બે શબ્દો”લખશે તો મને ખુબ જ હ્શે !.>>>ચંદ્રવદન
 
FEW   WORDS
 
This Post initiates a SERIES of POSTS under the Topic of ” VYAKTI-PARICHAY- MITRATA ( meaning  An Individual’s Profile–Friendship ).  When I had published a Post on Rameshbhai Patel ( Aakshdeep ) I did not think that way…but only after the publication of that Post, I got this idea of publishing a SERIES of POSTS under the SAME headings.
Now, one can conclude that he/she had known this person already…..Then, the question is WHY SUCH POSTS ?  My answer to that is: This is my Friend & I want you to know of that individual “as I see him “.
In my life-span of so many years, I had made lots of Friends…..Firstly, the childhood friends from schools/colleges…then others as I grew up…& but I made the decision to start with the Post on the Friends I had made  on the Internet & via my visits to the other Blogs.
 
I had made the decision to initiate the SERIES of these POSTS with some Blogger Friends…& today VIJAY SHAH as the 1st Friend  ( who is known to so many ).
 
I hope you like this post…& you like my IDEA of a Series of Posts on this Topic !
Chandravadan Mistry MD

 

February 26, 2010 at 1:51 am 27 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 78 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 129,576 hits

Disclimer

 

June 2012
M T W T F S S
« May    
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

Follow

Get every new post delivered to your Inbox.

Join 78 other followers