કળિયુગી કવિતા !
December 14, 2011 at 3:35 pm 14 comments
કળિયુગી કવિતા !
ગોવિન્દ કહે છે પોસ્ટરૂપે કલિયુગી કથા,
સાંભળી, ચંદ્ર રચે છે આ સારરૂપી કથા,
દિવાળી ગઈ,’ને નવું વર્ષ તો બેસી ગયું,
અને, નવા વર્ષે નવી નવી ચર્ચાઓનું શક્ય થયું.
ત્યારે, ભ્રષ્ટાચાર,ભેળસેળ અને દરોડાની વાતો થાય,
અને, સરકારી હોદ્દાથી લાભ ખુબ જ હોયની વાતો થાય,
અને, અંબાણી પણ લડી મરે, ‘ને સ્વર્ગમાં કલિયુગની વાતો થાય,
ત્યારે, લક્ષ્મીજીમુખે ગુસ્સામાં ભેળસેળના પ્રસાદની વાતો થાય,
અને, ગોદડીયાને સમાધાનનું કાર્ય સોપાય,
ત્યારે, લોકમાંગનું લીસ્ટ ખુબ જ વચતું જાય,
એટલે, ફોનને બદલે ફેક્ષ્સ કરવાનું સુચન થાય,
અને, ગોદડીયાએ મિત્રોને થોડી વિગતો કહેતો જાય,
ત્યારે, ચંદ્ર આવીને કહે “અરે! ગોવિન્દ રાજ,
શાને ઉપાડે છે આ કળિયુગ નો ભાર ?”
“પ્રભુએ આજ્ઞા કરી છે, એથી આવું હું કરૂં “
ત્યારે, ચંદ્ર કહે ” સેવા એવી તું કરે, ‘ને ખુશ હું રહું “
>>>>ચંદ્રવદન
કાવ્ય રચના તારીખ…નવેમ્બર,૪,૨૦૧૧
બે શબ્દો…
આજની પોસ્ટ શ્રી ગોવિન્દભાઈ પટેલના બ્લોગ “પરાર્થે સમર્પણ”પર પ્રગટ થયેલી પોસ્ટ “ગોદડીયો ચોરો–કળિયુગી કથા”આધારીત છે.
ગોવિન્દભાઈએ કાવ્યો પોસ્ટો પ્રગટ કરવાનું સમય સમયે છોડી, “ચોરારૂપી” વાતો દ્વારા “રાજકીય” કે “કટાક્ષ લખાણ” કે “રમુજીભાવે”એમના વિચારો દર્શાવવાનું શરૂ કર્યું ..અને ,મેં આગળ પ્રગટ કરેલી એવી પોસ્ટો વાંચી છે …છતાં, આ પોસ્ટ વાંચ્યા બાદ મને એમના જ “થોડા શબ્દો” ચુંટી, એક કાવ્ય સ્વરૂપે લખવા માટે પ્રેરણા થઈ. આજે એ રચના મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે મુકતા ખુબ જ આનંદ થાય છે.
આ પ્રમાણે કરતા કોઈ મારી ભુલ ? આ પ્રમાણે કર્યું તો શું એ ગોવિન્દભાઈને ગમશે ?
એ હું ના જાણું………..પણ આનો જવાબ તો ગોવિન્દભાઈ જ આપી શકે. અને, જો આ પોસ્ટ માટે પ્રતિભાવ આપશે તો જ જાણીશું.
તમો સૌને પોસ્ટ ગમી કે નહી ?
અરે, તમે એનો જવાબ આપો તે પહેલા, ગોવિન્દભાઈએ લખેલી પુરી વિગતવાર પોસ્ટ તો તમારે વાંચવી જ રહી. એ માટે તમારે એમના બ્લોગ પર નીચેની “લીન્ક”ને ક્લીક કરવી>>>>
તો, શું કહો છે ?
ગોવિન્દભાઈના શબ્દોમાં એમના વિચારો જાણી મઝા આવી ને ?
અને, એવી મઝા સાથે હવે તમો મારી રઅનાને વધુ સમજી શક્યા હશો.
આ પોસ્ટ વાંચ્યા બાદ, હવે કાંઈક કહેતા જાઓ તો ગમશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a Kavya based on a Post read on Govindbhai’s Blog…and you can visit that Blog by the Link given above.
I just hope that you enjoy this Poem….I hope Govindbhai will read this as a Post too.
Dr. Chandravadan Mistry
Entry filed under: કાવ્યો. Tags: .

1.
pragnaju | December 14, 2011 at 4:10 pm
સાંપ્રત સમસ્યાઓ દરેકને ચિંતા કરાવે તે સ્વાભાવિક છે જ
શાને ઉપાડે છે આ કળિયુગ નો ભાર ?”
“પ્રભુએ આજ્ઞા કરી છે, એથી આવું હું કરૂં “
ત્યારે, ચંદ્ર કહે ” સેવા એવી તું કરે, ‘ને ખુશ હું રહું “
આપણે આપણી રીતે તે ઊકેલવાનો પ્રયાસ કરીએ તે પણ સારી વાત છે
2.
પરાર્થે સમર્પણ | December 14, 2011 at 8:16 pm
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
પ્રથમ તો આપની ” કળિયુગી કવિતા” એક સરસ ન્યુનતમ રચના છે.
આવી સુંદર પોસ્ટ રજુ કરવા બદલ આપને ખુબ ખુબ આભિનંદન.
અને લાખ લાખ વંદન. બસ પ્રજા ઉપયોગી વાતો વહેચાય ને જન જન
સુધી પ્રસરે એવી આશા ને અભિલાષા છે. ખુબ સરસ ડો. સાહેબ.
મેં રાજકીય નેતાઓ અને પ્રજાના પ્રશ્નો પર ઘણા કટાક્ષ કાવ્યો લખ્યા છે.
રાજકીય ક્ષેત્રને નજદીકથી માણ્યું છે. સામાન્ય માનવીની જેમ ગરીબી
જોઇને ઉછર્યો છું. મેણાં ટોણાં ને ગાળો પણ ખાધી છે. માર પણ ખાધો છે.
સામાન્ય પ્રજાના સાવ સાદા પ્રશ્નો આ લોકો ઉકેલી શકતા નથી. જેમકે
રેશન કાર્ડ, લાઈટનું મિટર, પીવાનું પાણી, એટલે એવા વિષયો પર
કટાક્ષ કરતા કાવ્યો રચું છું . એમાં સોનિયા ગાંધી સારવાર લેવા પરદેશ
જઈ પાછાં આવ્યા ત્યારે હજારો કાર્યકર્તા દિલ્હી એરપોર્ટ પર તેમને આવકારવા
ગયા. આ સમાચાર પરથી ” સાર – વાર ” વાર્તા લખવાનું મન થયું ને લખી.
મેં સીધો કટાક્ષ કરેલો એમાં મુરબ્બી શ્રી રમેશભાઈ ( આકાશદીપ)એ સૂચન કર્યું
ગોવિંદભાઈ સરસ વાર્તા લખી કટાક્ષ કર્યો છે પણ ‘ તારક મહેતાના ઉલટા ચશ્માં ”
જેવી સીરીયલ ચાલુ કરી અઠવાડિયે એક મુદ્દો લેશો તો ખુબ જામશે .
આ સૂચન ધ્યાને લઇ મેં “ગોદડીયો ચોરો ” શીર્ષક પસંદ કર્યું ને ખંભાત મારા મિત્ર
મંડળીના મિત્રોને નામ આપી ” પાછળ પડ્યા છે” “ઉપવાસ” રણછોડ રાજકોટમાં ”
“ગદર્ભ પરિષદ” “ચકડોળનો ચકરાવો” ” પોપટીયો પરધાન થયો ” એમ ૧૪ હપ્તા
રજુ કર્યા છે તેમાં પ્રજાના પ્રશ્નો જેવાકે તોડ પાણી , ભ્રષ્ટ અમલદારો, માઈનીગ ચોરી,
જંગલનો નાશ ,ભૂતો ભાગ્યા, સરદાર બને અસરદાર જેવ મુદ્દા વર્ણવ્યા છે.
હું સામાન્ય માણસ અને આજે પણ ગોદડીયા જેવો જ છું ને અનુભવેલી વાતો રજુ કરું છું.
ખાસ તો એજ કે આ ચોરાનાં પાત્રો મારા અંગત મિત્રો ને જીવિત છે.
આપના આભાર સહ મારી વાર્તાને કાવ્યમાં ઢાળી રૂપરંગથી સજાવવા બદલ ઋણી છું.
3.
nabhakashdeep | December 15, 2011 at 12:13 am
ભારેખમ વિષય વસ્તુને આપે સરસ ન્યાય આપ્યો છે. શ્રી ગોવિંદભાઈની
અનુભવી કલમના પાત્રો સાચે જ સત્ય દર્શન હળવેથી પણ અસરકારક
રીતે પીરસી જાય છે. સૌના ઉત્કર્ષની આ કલમ સદા ઝળહળતી રહે એવી
અભિલાષા,
રમેશ પટેલ(આકાશદીપ)
4.
સુરેશ જાની | December 15, 2011 at 1:09 am
મારું માનવું આ બાબત જરા જૂદું પડે છે.
સમાજમાં નકારાત્મક તત્વો ઘણાં વધી ગયાં છે ; તે વિશે બેમત નથી. અખબારોમાં એના ઢગલાબંધ વરવા સમાચારો , લેખો આવે જ છે. કદાચ એથી જ ગુજરાતી છાપાંઓ વાંચવા પણ ગમતાં નથી.
એ નકારાત્મક માહોલને ખાળવાનો રસ્તો – બ્લોગોને એક વધારાનું નકારાત્મક મિડિયા ન બનાવીએ તો?
માત્ર પોઝિટિવ વાતો જ કરીએ, તો જ એનો વ્યાપ વધશે; એમ મારું માનવું છે.
5.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | December 15, 2011 at 5:21 pm
આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન પુકાર સાહેબ
વર્તમાન ભારતની ચિંતા સૌને થાય આપે સુંદર વાત કરેલ છે.
” કળિયુગી કવિતા / વ્યથા ” સુંદર – અદભુત છે
6.
SARYU PARIKH | December 16, 2011 at 2:57 pm
કળિયુગની કે સકળયુગની વાતોનુ બહુ સરસ રીતે ગુંથણ કામ કર્યુ છે. હળવી રીત લયમાં સારી લખાઈ છે.
સહાસ્ય,
સરયૂ પરીખ
7.
himanshupatel555 | December 16, 2011 at 3:22 pm
અને, અંબાણી પણ લડી મરે, ‘ને સ્વર્ગમાં કલિયુગની વાતો થાય,
ત્યારે, લક્ષ્મીજીમુખે ગુસ્સામાં ભેળસેળના પ્રસાદની વાતો થાય,
હા હા હા..સરસ વ્યંગ અને ગૂંથણ…
8.
dhavalrajgeera | December 16, 2011 at 3:34 pm
Avoid Negative energy.
પોઝિટિવ વાતો જ કરીએ,
તો જ એનો વ્યાપ વધશે!
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
9.
pravina | December 16, 2011 at 10:22 pm
કલિયુગની કથામાં ભરી છે વ્યથા
તેની વાતો કરી સમય વૃથા
સતયુગની વાતોમાં છે તથ્ય
માણી રહ્યા હજારો વર્ષોથી સત
10.
DR. CHANDRAVADAN MISTRY | December 17, 2011 at 1:28 am
This was an Email Response from Prahlad Prajapati>>>>>
Re: NEW POST……….કળિયુગી કવિતા !
FROM: Prahladbhai Prajapati
TO: chadravada mistry
Friday, December 16, 2011 8:20 AM
Message body
srs , fine
11.
Mistry,Ishvarlal | December 17, 2011 at 7:38 am
Very good post on Kalyug,very interesting,I like the comments posted by friends very good , and knowledge.
thankyou
Chandravadanbhai.
Ishvarbhai.
12.
Capt. Narendra | December 18, 2011 at 8:02 am
સાવ સાચી વાત. માણસે પોતાના ધર્મ પ્રમાણે પોતાનું કર્તવ્ય કરતા રહેવું જોઇએ તે આપે આપની કવિતામાં સરસ રીતે વર્ણવ્યું છે.
13.
sapana | December 18, 2011 at 9:20 pm
કળીયુગનુ સરસ વ્યંગ કાવ્ય…
શાને ઉપાડે છે આ કળિયુગ નો ભાર ?”
“પ્રભુએ આજ્ઞા કરી છે, એથી આવું હું કરૂં “ અંત માં જે પ્રભુ ઈચ્છાને માન આપવાની વાત ગમી…હા જો બધાં હાથ જોડીને બેસી રહીયે કે આ મારૂ કામ નહી તો સમાજ સુધાર થઈ રહ્યો..પ્રેરણાત્મક કાવ્ય..
સપના
14.
ushapatel | December 28, 2011 at 9:52 pm
ચંન્દ્રવદનભાઈ આપની કૃતિ વાંચી અને ગમી..આપ લખતારહેશો..નવાવર્ષના મુબારક અને ધન્યવાદ સાથે અનેકઘણી શુભકામનાઓ સાથે..ઉષા.