Archive for November 22, 2011
ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !
નવેમ્બર,૨૨,૨૦૦૭ના દિવસે જન્મરૂપી એક શરૂઆત હતી,
“હોમ” સાથે વિભાગોરૂપી શરૂઆતમાં વિજયભાઈનો સહકાર હતો,…(૧)
નવેમ્બર, ૨૦૦૮માં વર્ષ પહેલું પુરૂ થાય,
જેમાં, કાવ્યો સાથે “ટુંકી વાર્તાઓ”પણ સમાય છે,…..(૨)
નવેમ્બર,૨૦૦૯માં વર્ષ બીજુ પુરૂ થાય,
જેમાં, અનેક ચાહક- ઉત્સાહના દર્શન થાય,….(૩)
નવેમ્બર,૨૦૧૦માં વર્ષ ત્રીજુ પુરૂ થાય,
ત્યારે, સીડની ઓસ્ટ્રેલીઆમાં ચંદ્રને આનંદ એનો થાય,……(૪)
હવે, નવેમ્બર,૨૦૧૧માં વર્ષ ચોથું કહેવાય,
ચોથા જન્મદિવસે પણ “ચંદ્રપૂકાર” બ્લોગજગતે બાળ કહેવાય……(૫)
ચંદ્ર તો, સરવાળો આવો કરતો રહે,
અને, સૌને ફરી ફરી પધારવા વિનંતી કરતો રહે,…..(૬)
પ્રેમથી સૌ ચંદ્રપૂકાર પર હવે પધારજો,
પ્રતિભાવો આપી, ચંદ્રને આનંદ આપજો !….(૭)
કાવ્ય રચના…તારીખઃ ઓકટોબર,૨૬,૨૦૧૧ ચંદ્રવદન
દિવાળીનો શુભ દિવસ !
બે શબ્દો…
ચાર વર્ષ આટલા જલ્દી પુરા થઈ ગયા…અને એનો તો ખ્યાલ જ ના રહ્યો.
પણ…નવેમ્બર માસ નજીક આવે એટલે તરત જ “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ યાદ આવે.
આટલા વર્ષોમાં આ બ્લોગ પર અનેક પધાર્યા ( કુલ્લે ૧૧૩૮૫૦ )
અને, એવા મહેમાનોમાંથી અનેકે પ્રતિભાવો પણ આપ્યા ( કુલ્લે ૫૦૨૦)
એ કારણે જ મને બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરવા ઉત્સાહ મળ્યો છે…….અને, મને અનેક કાવ્યો….સુવિચાઓ….ટુંકી વાર્તાઓ તેમજ અન્ય પોસ્ટો પ્રગટ કરવા પ્રેરણાઓ મળી છે.
આજે સૌને મારો આભાર દર્શાવું છું.
આ કાવ્ય રચના પોસ્ટરૂપે અહી આ જન્મદિવસે પ્રગટ કરી તે સૌને ગમશે એવી આશા.
કાવ્યમાં ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, તમો સૌ “ફરી ફરી ” આ બ્લોગ પર પધારશો એવી નમ્ર વિનંતી !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS….
Today it is 22nd November 2011.
It is the 4th Birthday of my Blog Chandrapukar.
It is a day of Joy for me.
With a total of 113900 Visitors and the Total Comments of over 5000, I am very thankful to ALL for the Support.
Hope that you will continue your support in the years ahead.
Dr. Chandravadan Mistry
Recent Comments