Archive for January 19th, 2009
હડસન નદીમાં એક ચમત્કાર

હડસન નદીમાં એક ચમત્કાર
જાન્યુઆરી, ૧૫, ૨૦૦૯ના દિવસે યુએસ એરવેઈઝનું વિમાન, ફ્લાઈટ નંબર ૧૫૪૯ ન્યુયોર્કના લાગ્વાડીઆ એરપોર્ટથી ચારલોટ, નોર્થ કેરોલીના જવા ઉપડ્યું. એમાં ૧૫૦ પ્રવાસીઓ હતા, અને ૫ એરલાઈનના ક્રુ-સભ્યો હતા..કુલ્લે, ૧૫૫ વ્યક્તીઓ હતી. ઉપડતાની સાથે તરત જ એને અચાનક પાછુ વાળવા વણાંક લીધો, અને વિમાનનું ક્રેશ-લેન્ડીગ હડસન નદીમાં થયું. આવા અકસ્માતમાં કોઈ બચ્યું હશે ? કેટલા મૃત્યુ પામ્યા હશે ? સૌના મનમાં આવા જ વિચારો હતા. થોડા સમય બાદ, સમાચાર આવ્યા કે બધા જ, યાને ૧૫૫ વ્યક્તીઓ બચી ગયા હતા.સૌ હર્ષથી નાચી ઉઠ્યા……આ વિમાનના પાઈલોટ,ચેસલી સનનબરગર્ (Chesley Sunnenberger)એ જે પ્રમાણે વિમાનને નદીમાં ઉતાર્યું તેથી જ સૌની જાન બચી ગઈ. સૌ પ્રવાસીઓએ તેમજ અન્ય સૌએ એને આભાર દર્શાવ્યો, અને પ્રભુનો પાડ માન્યો. આ ઘટનાના પરિણામમાં પાઈલોટે એની જાણકારી પ્રમાણે જે કર્યું તેથી સૌ બચી ગયા….હા, એ સત્ય છે. પણ, આવા સમયે, કોણે એના મનને શાંત રાખ્યું, કોણે એને માર્ગદર્શન આપ્યું ? એનો જવાબ છે,”પ્રભુ ” ! શા કારણે આ ઘટના થઈ ? જાણ્યું કે કદાચ ઉડતું પક્ષી વિમાનના ઈંનજીનમાં આવવાથી આવું થયું…એ કારણ કે જે કોઈ કારણ હોય, પણ, આપણે તો પ્રભુનો જ પાડ માનવો રહ્યો. આ ઘટનામાં, સૌ બચી ગયા એ છે આનંદભર્યું પરિણામ. કિન્તુ, પરિણામ એવું પણ હોય શકે કે અનેકના કે સૌના મૃત્યુ હોય શકે ! જ્યારે કોઈ ઘટના માનવીની સમજ બહાર હોય ત્યારે, એ ઘટના/પરિણામને આપણે સૌ ” એક ચમત્કાર કે મીરેકલ (Miracle ) “કહીએ છે .. તો, ખરેખર, આ હડસન નદીમાં થયેલ એક ચમત્કાર છે ! અખબારો દ્વારા સૌએ આ ઘટના બારે જાણ્યું હોવા છતાં મેં આ પોસ્ટ પ્રગટ કરી છે એનો હેતુ એટલો જ કે આપણે આવા સમયે પ્રભુને ના ભુલીએ………ચંદ્રવદન.
A MIRACLE IN HUDSON RVER, NEW YORK
All of us already know of this incident & we are all HAPPY that ALL SURVIVED. We all THANKED the pilot of the plane for saving the lives of SO MANY. Let us not forget GOD ! It is because of His Mercy that ALL SURVIVED. It was my intention to bring this fact & I did that with the publication of this post. I THANK you all,for reading this post.
CHANDRAVADAN.
9 comments January 19, 2009

