Archive for January 17th, 2009
ભક્તિના ચંદ્રમારગડા


ભક્તિના ચંદ્રમારગડા
એજ ચંદ્ર મારગડા ભક્તિના,
સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,
શાને થાવું રે સંન્યાસી ? (ટેક)
“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,
નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)
“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,
નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)
બે મંત્રે કર્મ તું કરતો જા,
અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)
સંસારે ચંદ્રમારગડા અપનાવતા,
મોહમાયાના બંધનો તારા છુટવાના,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)
સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,
તન-મન સેવા ભાવનાઓ રે જાગે,
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)
ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,
હૈયે પ્રભુદર્શન રે કર લેના !
એ…જી સંસારે એ મારગડા તું લે,
એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)
કાવ્ય રચના
મે ૨૯,૨૦૦૩ ડો. ચંદ્રવદન
બે શબ્દો
આ કાવ્ય રચના તો ૨૦૦૩માં થઈ હતી, અને આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..અહી, કાવ્યરૂપે એટલું જ કહેવાયું છે કે ભક્તિ તો સંસારમાં રહી પણ શક્ય છે, એના માટે સંન્યાસની જરૂર નથી. તમે સાઈટ પર પધારી પોસ્ટ વાંચશોને ?…..ચંદ્રવદન.
2 comments January 17, 2009