Archive for January 12th, 2009
સુવિચારો
સુવિચારો
સંસારી મોહમાયા- અંતરઆત્માનું યુધ્ધ હંમેશા ચાલતું રહે છે, અને જ્યારે ભક્તિપંથના સહારે મોહમાયા છુટે છે ત્યારે જ અંતરઅત્માની જીત થાય છે…..ઘણી વાર આવું પરિણામ ઘણા લાંબા સમય બાદ હોય, કોઈક વાર જીવનની એક ઘટના અચાનક આવું પરિવર્તન લાવે છે !……….ચંદ્રવદન
બે શબ્દો
૨૦૦૯નો આ વિચાર તમે વાંચશો તો થશે કે આગળ પ્રગટ કરેલા વિચાર જેવો જ છે….કિન્તુ, અહી મે એટલો ઉલ્લેખ કર્યો કે આપણો આત્મા સંસારી મોહમાયા સાથે હંમેશા યુધ્ધ કરતો રહે છે…આ તો એક નિયમ છે, આ તો એક સત્ય છે. આ યુધ્ધમાં જીતવા માટે પ્રભુનો સહારો લેવો જ પડે છે. જ્ઞાન્-શક્તિ થોડી સહાય જરૂર કરે પણ પુર્ણ- વિજય માટે ભક્તિપંથ લેવો જ પડે છે. આ મારો મત છે….અન્યનો મત જુદો હશે. એથી, હું ભારપુર્વક વિનંતી કરૂં છું તમે આ સાઈટ પર પધારી આ પોસ્ટ જરૂર વાંચશો અને પ્રતિભાવ પણ આપશો>>.>>>ચંદ્રવદન.
2 comments January 12, 2009