Archive for December 15th, 2008
પીળા પાંદડાની કહાણી
પીળા પાંદડાની કહાણી
એક પીળુ પાંદડુ વૃક્ષડાળથી ખરી,
ધરતી તરફ જાતા, રડતા, રડતા પૂકાર કરી,
” અરે, વૃક્ષ બાપલા, શાને તું આજે મારો ત્યાગ કરે?”
ત્યારે,વૃક્ષ સમજ દેતા શાંતીથી કહેઃ
” અરે, પાન મારા, શને તું રૂદન કરે ?
તું તો છે વ્હાલુ મારૂં,શાને શંકા કરે ?
મુજ ડાળે આવ્યું હતું તું નાજુક ‘ને કોમળ,
જારા સોનેરી રંગે આવી,બન્યું લીલુ “ને મુલાયમ,
પાનાબેન્પણીઓ સંગે રહી,દીધી “થી શીતલ છાયા,
બંધાયો હતો હું સ્નેહસબંધે,કેવી હતી એ તારી માયા !
દીધો સહારો સુર્યકિરણો સહન કરી,
આવ્યા પુષ્પો અને સુંદરતા મારી વધારી,
પુષ્પોનું પોષણ કર્યુ તો બન્યા ફળો મીઠા,
પ્રાણી,જીવ્જંતુ “ને માનવી આરોગતા,મળ્યા ધન્યવાદ સારા,
બની તારી લીલી કાયા પીળી, સુર્યકિરણો થકી,
સુકાય જાતા, મુજ ડાળેથી કારી, વાંક મારો નથી,
ફરી, હશે તું ધરતીમાતામાં માટી બની,
ખાતરરૂપે મુળથી પ્રવેશી,બનીશ પાન મારી,
યાદ કર તુજ જીવને કરેલ શુભ કાર્યોને,
તો, આંસુઓ નહી “ને હશે ખુશીઓ તુજને,”
શબ્દો આવા વૃક્ષના સાંભાળી, પાદડૂં છે હર્ષમાં,
પડ્યું પાદડું પાન-ઢગલે, ધરતીમાત ગોદમાં,
“હું તો ફરી પાન બનીશ” કહેતા, કહેતા ગર્વ કરે,
ત્યારે,સ્નેહીપાનોમાંથી એક વૃધ્ધ કહેઃ
“અરે, ઓ, બાળક શાને તું ગર્વ કરે ?
અહી આપણે છીએ અનેક,હોય એવું ભલે,
કિન્તુ,ફરી પાન કોણ,એ તો ભાગ્ય જ કરે !
હવા આવતા ઉડી કોઈ દુર દુર જાશે,
તો, અગ્નદેવથી બળી,કોઈ ભષ્મ રે થાશે,
અરે, પ્રાણી ભોજન કરી,કોઈકનો અંત લાવશે,
એ તો,ભાગ્યશાળી જ ફરી વૃક્ષપાન રે બનશે “
આવી શાણી વાણી જ્યારે સાંભળી,
પીળા પાન ગર્વ ગયો રે પીગળી,
“ઓ, ઈશ્વર, તારી દુનીયા છે અતી ન્યારી,
જીવન જે મળ્યું, આભાર તારો,કરજે માફ ભુલો મારી, “
કાવ્ય રચના….ડીસેમ્બર, ૩, ૨૦૦૮ ચંદ્રવદન
બે શબ્દો
પાનખરની ઋતુ શરૂ થયાને પણ ઘણા દિવસો થઈ ગયા…અને એક દિવસ જ્યારે
ઘર બહાર વ્રુક્ષોને નિહાળતો હતો ત્યારે પીળા પાનો ખરીને ધરતી પર પડતા હતા.
એક પછી એક પાન ધીરે ધીરે હવામાં હલતું હલતું ધરતી પર પડતા એક પાનનો
ઢગલો થયો હતો…….આ દ્રશ્ય નિહાળી, આ કાવ્ય રચના થઈ તે મેં આજે એક
પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
તમે ચંદ્રપુકારની સાઈટ પર પધારી, વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપશો
એવી આશા છે.
ચંદ્રવદન
8 comments December 15, 2008