Archive for July 28th, 2008
ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ
ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ
- સાંભળો, અરે, સાંભળો,
- એક કહાની તમે સાંભળો….(ટેક)
“અરે ઓ નાથ મારા” ધ્રુતરાષ્ટ્રને ગાંધારી કહે,
”દુર્યોધન દીકરાએ અનેક અન્યાયો કર્યા
વળી એણે નિ:સહાય નારીના વસ્ત્રો હર્યા
એ તો કરશે નાશ કુળ હમારે,
ન જોઈએ આવો દીકરો મારે,”…. (૧)
ધ્રુતરાષ્ટ્ર કહે,” આવું શું બોલો ગાંધારી તમે,
દીકરો દુર્યોધનતો અતી વ્હાલો મને,
ભલે, એ જેવો હોય રે તેવો,
છે દીકરો આપણો એમાં ઈંન્કાર હોય કેવો ?”… (૨)
ગાંધારી કહે, “અરે, સ્વામી આવું શું બોલો ?
દીકરો કરે અન્યાય ને તમે ચુપ રહો,
હવે તો એનો ત્યાગ કરો,
તમે અંતરના અંધા નારે બનો, “….(૩)
ધ્રુતરાષ્ટ્ર કહે: “ડાળે જેમ ફળ ચોંટી રહે,
તેમ દુર્યોધન ચોંટ્યો છે મારા ગળે,
તો દીકરાનો ત્યાગ કેમ કરુ?
આ જીવનભર અંધાનો આધાર એને ગણુ,”…. (૪)
ગાંધારી ધ્રુતરાષ્ટ્રને સમજાવી અંતે કહે,
”ભલે એના હાસ્યમાં મારૂ હાસ્ય વહે,
એના સુખમાં મારૂ સુખ રહે,
કિંન્તુ, હું ત્યાગ કરી શકું તમો શાને ડરો ?“….(૫)
અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા,
- ભૂમિકા એવી હતી મહાભારત પુસ્તક બોલ્યા,
ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,
પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.
તા.૪,ઓક્ટોબર ૧૯૯૫ ડો. ચંદ્રવદન
5 comments July 28, 2008