મોતીડાંની જીવન માળા
મેં તો મોતીડાં વીણી બનાવી છે એક સુંદર માળા,
તમો પહેરી, નિહાળો તમ જીવને કંઈક અજવાળાં ! (ટેક)
પ્રથમ આળસ, ખુશામત, વ્યસન એ ત્રણ અંધકારોથી જાગો,
અને ઈર્ષ્યા, ઘમંડ, આડંબર આ ત્રણ અંધકારોથી જાગો,
એ પણ જાણો કે દુર્જનતાં કરી ફાવવું એ હારવા બરોબર છે,
અને ચાહવું, સમજવું અને સર્જવું એ જીવનનું ધ્યેય છે !
જો હવે તમે પુરૂષાર્થ કરશો તો જરૂર તમો ધ્યેયને પામી શકશો,
અરે, આ રહ્યાં જીવનમાળાનાં પ્રથમ અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૧)
ઉઠો, જાગો ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો !
શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તિમાન છે તે જાણો,
સચ્ચાઇની બહેનો છે : પ્રમાણિકતા અને ચોકસાઈ, એવો મંત્ર હૈયે ધરો,
જે કામ કરતાં તમારે નીચું જોવું પડે તે કામ તમો કદી ન કરો,
હવે સમજીને, પ્રત્યેક કર્મને ઈશ્વરમય બનાવી દે જો !
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૨)
જાણજો કે કેળવળી ક્ષેત્ર પૂરાં થતાં, સંસ્કારની સરહદ શરૂ થાય છે,
આપણી ભાષા, આપણો વ્યવ્હાર, આપણાં સંસ્કાર એ જ આપણું ઓળખપત્ર છે,
આપણી શાંતિ, આપણાં પોતાનાં દિલનાં દરિયામાં જ છે,
જ્ઞાનમાં વ્રુધ્ધ થવું, કર્મમાં યુવાન થવું, ભક્તિમાં બાળક થવું ઘણુ જરૂરી છે.
અને સારી સ્મરણ શક્તિ એ જ છે કે જેને નમાલી વાતો ભૂલી જતાં આવડે છે!
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૩)
જિંદગી એ ક્ષમાપનાની એક સાહસ યાત્રા છે એવો જીવનપાયો રાખશો,
“પ્રેમ જેવું અમ્રુત અને વ્હેમ જેવું ઝેર” નું સ્મરણ જીવને ઘડીઘડીયે રાખજો,
મધુરવાણી એ માનવીનું શ્રેષ્ઠ આભૂષણ છે એવું હૈયે સ્વીકારજો,
અને મનને મથૂરા, દિલને દ્વારકા અને કાયાને કાશી બનાવજો.
પણ, ખરે સમયે પાળેલું મૌન, વાક્ચાતુરી કરતાં પણ વધુ અસરકારક
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૪)
ગરીબ માણસની ટંકશાળનુ નામ છે કરકસર, એ ના ભૂલશો,
અભાગી, ભૂખ્યો, અનાથ આ ત્રણને અવશ્ય દાન કરો,
નિસ્વાર્થ જનસેવા મારફત જ ઈશ્વર દર્શન શક્ય છે,
યાદ રાખજો કે દરકારનાં નાનાં નાનાં ઝરણાં સ્નેહનો પ્રવાહ બની રહે છે,
સરળતા ધર્મ અને કપટ અધ્ર્મ છે, એવો આશરો લઈ, કરવું દાન શ્રધ્ધા સહિત!
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૫)
કોઈની આશા રાખશો નહિ અને પ્રભુની આશા છોડશો નહિ,
ધાર્મિકતા એ જ ઘરનું શીખર છે, એ કદી ભૂલશો નહિ.
સહેતાં સહેતાં હસો અને હસતાં હસતાં સહી તમ જીવન સંતમય બનાવજો,
મનુષ્યને માટે જ્ઞાન સમજવાં અનુભવની જરૂર પડે છે એવી સમજણ રાખજો,
અંતે સ્વીકારજો કે આત્મામાં પર્માતમાંના દર્શન થાય તે આત્મવિચારનું ફળ છે.
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૬)
યાદ રાખજો કે દેવું થાય તેટલું ખર્ચવું નહિ, અને માંદા થાવ તેવું ખાવું નહિ,
અને જેમ લોભ પાપનું મૂળ તેમ સ્વાદ રોગનું મૂળ છે,
ગુસ્સો કર્યે ગૂંચ ના ઉકલે, વાણીને તોલીને તમો બોલજો,
પરનિંદાને સબળ પાપ માની દેહાભિમાનને જ દુ:ખ જાણી આગે ચાલજો,
અંતે અતિપ્રિય હોય તેને છોડતાં ત્યાગ તમ જીવને અપનાવજો !
અરે, આ રહ્યાં જીવનમાળાનાં બીજાં અણમોલ મોતીડાં,
મેં તો મોતીડાં…(૭)
હવે, અંતે ચંદ્ર સહુને કહે………………………..
ખાનદાની એ ઓઢવાની વસ્તુ નથી, પણ જીવવાની ઝિઁદાદિલી છે જરી,
સુંદર શબ્દો તાત્કાલીક તાળી અપાવે ,
સુંદર કામ સ્મર્ણીય પ્રતિષ્ઠા અપાવે ખરી,
કર્તવ્ય ભાવના ખીલવી, આજનું કામ આજે જ કરો અને ઉતમ રીતે કરો,
ભજન એટલે કેવળ શબ્દો નહીં પણ હ્ર્દયનો ભાવ છે એવું સ્મરણ કરો !
જીવનમાં જ્યારે જેનો જવાબ નથી, ત્યારે ઉતર હશે તમ પ્રાર્થના મહીં,
મ્રુત્યુ, દુ:ખ, પરોપકાર આ ત્રણેની તૈયારી રાખી, જીવન ધન્ય બનાવો આ જગમહીં
જીવન એટલે સંસ્કાર; સંચય અને પ્રેમ કદી માંગવો નહિં પણ સૌને આપજો;
અરે આ રહ્યાં જીવન માળાનાં અંતિમ અણમોલ મોતીડાં !
બધાંજ મોતીડાં છે દોરે, ગાંઠ તમો બાંધી દ્યોને બાંધી દ્યોને!
હવે, માળા એક બની ગઈ, ગળે તમો પહેરી દ્યોને, પહેરી દ્યોને !
મેં તો મોતીડાં…(૮)
કાવ્ય રચનાં
જાન્યુઆરી ૮,૨૦૦૨ ડો.ચંદ્રવદન
લેક્ચરર કેલીફોર્નીયા